ફરી એક વખત Yuvrajsinhએ કરી પત્રકાર પરિષદ, શિક્ષણમાં ચાલતા ભ્રષ્ટાચારની પોલ ખોલી, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-03-08 17:10:51

આપણે ત્યાં જેટલી ભરતી હોય છે તેટલા કૌભાંડ થાય છે તેવું કહીએ તો અતિશયોક્તિ નહીં હોય. અનેક વખત આપણી સામે એવા અનેક દાખલા હોય છે જેને જોઈ લાગે કે દરેક વિભાગમાં ભ્રષ્ટાચાર ઘૂસી ગયો છે. અનેક કૌભાંડના ઘટસ્ફોટ આપણી સામે થતા હોય છે. જે પ્રમાણે, એટલા મોટા પ્રમાણમાં કૌભાંડ આચરવામાં આવે છે તે જોતા લાગે કે આટલા બધા પૈસા ભેગા કરીને લોકો ક્યાં જશે? ત્યારે વધુ એક કૌભાંડનો ઘટસ્ફોટ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે કર્યો છે. 

શિક્ષણમાં ચાલતા ભ્રષ્ટાચારને યુવરાજસિંહે ખુલ્લો પાડ્યો! 

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ દ્વારા અનેક વખત એવા ઘટસ્ફોટ કરવામાં આવે છે જેને સાંભળીને આપણી આંખો ખુલ્લીને ખુલ્લી રહી જાય છે. એક તરફ શિક્ષકોની ઘટ છે તે મુદ્દો અનેક વખત ઉઠ્યો છે ત્યારે શિક્ષણમાં ચાલતા ભ્રષ્ટાચારને લઈ આજે યુવરાજસિંહે પ્રેસ કોનફરન્સ કરી હતી જેમાં તેમણે પુરાવા પણ પેશ કર્યા હતા. શિક્ષક બનવા માટે પણ 25 લાખ રૂપિયા લેવામાં આવે છે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી હતી.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.