ફરી એક વખત Yuvrajsinhએ કરી પત્રકાર પરિષદ, શિક્ષણમાં ચાલતા ભ્રષ્ટાચારની પોલ ખોલી, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-03-08 17:10:51

આપણે ત્યાં જેટલી ભરતી હોય છે તેટલા કૌભાંડ થાય છે તેવું કહીએ તો અતિશયોક્તિ નહીં હોય. અનેક વખત આપણી સામે એવા અનેક દાખલા હોય છે જેને જોઈ લાગે કે દરેક વિભાગમાં ભ્રષ્ટાચાર ઘૂસી ગયો છે. અનેક કૌભાંડના ઘટસ્ફોટ આપણી સામે થતા હોય છે. જે પ્રમાણે, એટલા મોટા પ્રમાણમાં કૌભાંડ આચરવામાં આવે છે તે જોતા લાગે કે આટલા બધા પૈસા ભેગા કરીને લોકો ક્યાં જશે? ત્યારે વધુ એક કૌભાંડનો ઘટસ્ફોટ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે કર્યો છે. 

શિક્ષણમાં ચાલતા ભ્રષ્ટાચારને યુવરાજસિંહે ખુલ્લો પાડ્યો! 

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ દ્વારા અનેક વખત એવા ઘટસ્ફોટ કરવામાં આવે છે જેને સાંભળીને આપણી આંખો ખુલ્લીને ખુલ્લી રહી જાય છે. એક તરફ શિક્ષકોની ઘટ છે તે મુદ્દો અનેક વખત ઉઠ્યો છે ત્યારે શિક્ષણમાં ચાલતા ભ્રષ્ટાચારને લઈ આજે યુવરાજસિંહે પ્રેસ કોનફરન્સ કરી હતી જેમાં તેમણે પુરાવા પણ પેશ કર્યા હતા. શિક્ષક બનવા માટે પણ 25 લાખ રૂપિયા લેવામાં આવે છે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી હતી.  



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"