ફરી એક વખત Yuvrajsinhએ કરી પત્રકાર પરિષદ, શિક્ષણમાં ચાલતા ભ્રષ્ટાચારની પોલ ખોલી, જુઓ વીડિયો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-08 17:10:51

આપણે ત્યાં જેટલી ભરતી હોય છે તેટલા કૌભાંડ થાય છે તેવું કહીએ તો અતિશયોક્તિ નહીં હોય. અનેક વખત આપણી સામે એવા અનેક દાખલા હોય છે જેને જોઈ લાગે કે દરેક વિભાગમાં ભ્રષ્ટાચાર ઘૂસી ગયો છે. અનેક કૌભાંડના ઘટસ્ફોટ આપણી સામે થતા હોય છે. જે પ્રમાણે, એટલા મોટા પ્રમાણમાં કૌભાંડ આચરવામાં આવે છે તે જોતા લાગે કે આટલા બધા પૈસા ભેગા કરીને લોકો ક્યાં જશે? ત્યારે વધુ એક કૌભાંડનો ઘટસ્ફોટ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે કર્યો છે. 

શિક્ષણમાં ચાલતા ભ્રષ્ટાચારને યુવરાજસિંહે ખુલ્લો પાડ્યો! 

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ દ્વારા અનેક વખત એવા ઘટસ્ફોટ કરવામાં આવે છે જેને સાંભળીને આપણી આંખો ખુલ્લીને ખુલ્લી રહી જાય છે. એક તરફ શિક્ષકોની ઘટ છે તે મુદ્દો અનેક વખત ઉઠ્યો છે ત્યારે શિક્ષણમાં ચાલતા ભ્રષ્ટાચારને લઈ આજે યુવરાજસિંહે પ્રેસ કોનફરન્સ કરી હતી જેમાં તેમણે પુરાવા પણ પેશ કર્યા હતા. શિક્ષક બનવા માટે પણ 25 લાખ રૂપિયા લેવામાં આવે છે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી હતી.  



ગઈકાલે પોઈચાથી એક સમાચાર સામે આવ્યા જેણે લોકોને ગમગીન કરી દીધા.. સુરતથી પોઈચા ગામની નર્મદા નદીમાં ન્હાવા આવેલા લોકો એકાએક તણાઈ ગયા.. 8 લોકો પાણીમાં ડૂબી ગયા જેમાંથી એકનો આબાદ બચાવ થયો હતો.. સાત લોકોની શોધખોળ ચાલું હતી અને હવે સમાચાર મળી રહ્યા છે કે એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે.

પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે નક્કી કરી લીધું કે 2024ની ચૂંટણીમાં આપણે તમામ 26 બેઠક પર ફક્ત જીત નથી મેળવવી પરંતુ 5 લાખ મતની લીડથી જીત મેળવવી છે. પરંતુ ગુજરાતની અનેક બેઠકો એવી છે જ્યાં આ ટાર્ગેટ પૂર્ણ થવો મુશ્કેલ માનવામાં આવી રહ્યું છે.

લોકસભાની ચૂંટણીમાં પક્ષવિરોધી પ્રવૃત્તિ કરનારા સૌરાષ્ટના ત્રણ નેતાઓને પક્ષમાંથી હાંકી કાઢવા માટે રજૂઆત કરવામાં આવી છે. ચૂંટણીના ઉમેદવારોની પ્રદેશ નેતાગીરીને આ મામલે રજૂઆત કરાઈ છે. ત્યારે ભાજપ ગમે ત્યારે આ મામલે એક્શન લઈ શકે છે....

આવનાર દિવસોમાં આ તાપમાનનો પારો વધી શકે છે તેવી આગાહી હવામાન નિષ્ણાત દ્વારા કરવામાં આવી રહી છે... ફરી એક વખત ગરમીનો અહેસાસ કરવા તૈયાર રહેવું પડશે તેવી આગાહી પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે..