BJPમાં એક વિવાદ તો શાંત થતો નથી અને બીજો વિવાદ શરૂ! Congressથી BJPમાં આવેલા સી.જે.ચાવડાને ઉમેદવાર જાહેર કરાતા જોવા મળી નારાજગી!


  • Published By :
  • Published Date : 2024-03-27 15:14:41

એક સમય હતો જ્યારે પ્રતિદિન કોંગ્રેસમાં ભડકા થતા હતા. કોઈને કોઈ વાતને લઈ પાર્ટીની અંદર વિવાદ છેડાતો અને એ વિવાદ ખુલ્લીને બહાર પણ આવી જતો.. ત્યારે હવે ભાજપમાં વિરોધની ફેશન ચાલી રહી છે તેવું લાગે છે! લોકસભા સીટના ઉમેદવારને લઈ વિવાદ શાંત નથી થયો ત્યારે પેટા ચૂંટણીના ઉમેદવારને લઈ વિરોધ શરૂ થયો. હવે વિજાપુરમાં બબાલની શરૂઆત થઇ ગઈ છે. સૌથી શિસ્તબદ્ધ ગણાતી પાર્ટીમાં હવે ભડકો થવો એ ફેશન બની ગઈ લાગે છે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા સી.જે ચાવડાને લઈને હવે ભાજપમાં જ ભડકો થયો છે. 


ભાજપે પેટા ચૂંટણીના નામની કરી જાહેરાત 

ભાજપમાં ભરતી મેળો ચાલી રહ્યો છે. પવિત્ર થવા માટે નેતાઓ ભાજપ રૂપી ગંગામાં ડૂબકી લગાવી રહ્યા છે.! ગુજરાતમાં તો અનેક ધારાસભ્યોએ પદ ઉપરથી રાજીનામું આપી પક્ષપલટો કરી લીધો છે. 6 ધારાસભ્યો પદ ઉપરથી રાજીનામું આપી ભાજપમાં જોડાઈ ગયા છે. વિધાનસભા બેઠક ખાલી થતાં ત્યાં પેટાચૂંટણી યોજાવાની છે. ભાજપે પેટા ચૂંટણી માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. અન્ય પક્ષમાંથી આવેલા નેતાઓને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે જેને લઈ ભાજપના નેતાઓમાં નારાજગી જોવા મળી રહી છે.    

સી.જે.ચાવડાને ટિકીટ મળતા ભાજપના નેતાઓમાં જોવા મળી નારાજગી

સી.જે ચાવડાને ભાજપમાંથી ટિકીટ મળતા કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળી હતી. અને આ નારાજગીને કારણે કુકરવાડાના પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય અને પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખે રાજીનામુ આપ્યું છે. ગોવિંદભાઇ પટેલે વિજાપુર તાલુકા ભાજપ પ્રમુખને રાજીનામુ સોંપી દીધું છે અને હજુ પણ વધુ રાજીનામાં પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. પ્રશ્ન એ જે જુના કાર્યકર્તાઓમાં નારાજગી છે કે કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને ટિકીટ મળે તો અમારે શું કરવાનું? તો હવે એવું કહેવાય કે ભાજપની રોજ હાલત કોંગ્રેસ જેવી થતી જઈ રહી છે. કારણ કે હમણાં સુધી આપણે કોંગેસના કકળાટની ચર્ચાઓ કરી છે પણ હવે રોજ ભાજપના ભડકાના સમાચાર આવે છે. 


શું છે સી.જે.ચાવડાનું પોલિટિકલ બેકગ્રાઉન્ડ?

12 ફેબ્રુઆરી એ પૂર્વ ધારાસભ્ય સી.જે ચાવડા સહિત અનેક કોંગ્રેસી આગેવાનો ભાજપમાં જોડાયા હતાં. સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં તે ભાજપમાં જોડાયા હતા. સી.જે ચાવડાની વાત કરીએ તો ગુજરાત સરકારના અધિકારી તરીકે ફરજ બજાવી ચૂકેલા અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના સચિવ રહી ચૂકેલા છે. ડો. સી જે ચાવડા છેલ્લા 20 વર્ષથી વધુના સમયથી રાજકારણમાં સક્રિય છે. જ્યારથી રાજકારણમાં આવ્યા ત્યારથી કોંગ્રેસમાં જ રહ્યા હતા. મહેસાણા જિલ્લા પંચાયત, વિધાનસભા અને લોકસભાની ચૂંટણી લડી ચૂક્યા છે. 2017માં ગાંધીનગર ઉત્તર બેઠક પરથી ચૂંટણી જીત્યા. 2022માં વિજાપુરની ચૂંટણી જીત્યા. 2019માં ગાંધીનગર બેઠક પરથી લોકસભાની ચુંટણી હાર્યા હતા. 


કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા લોકોને મળી રહી છે ટિકીટ 

વિજાપુરમાં વિરોધના સુર છેડાઈ ગયા છે. ત્યાંના કાર્યકર્તા કહે છે કે સી. જે ચાવડાને ટિકિટ આપી એ અમને કીધું જ નથી. સાથે એ લોકો એવું પણ કહે છે કે કોંગ્રેસના નેતાઓને ભાજપમાં લેવાની જરૂર જ નથી. હાલ જે પરિસ્થિત ઉભી થઈ છે એમાં ભાજપનું જે કોંગ્રેસીકરણ થયું એના કારણે પાયાના કાર્યકર્તા નારાજ દેખાઈ રહ્યા છે. વચ્ચે મેસેજ પણ વાઈરલ થયા હતા કે જો ટિકીટ જોઈએ છે પદ જોઈએ છે તો કોંગ્રેસ માંથી ભાજપમાં આવો તો મળે. હમણાંની પરિસ્થિતિ જોતા એવું લાગે કે આવી ઘટનાઓ બીજે ક્યાંથી પણ સામે આવે તો નવાઈ નહીં...   



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.