BJPમાં એક વિવાદ તો શાંત થતો નથી અને બીજો વિવાદ શરૂ! Congressથી BJPમાં આવેલા સી.જે.ચાવડાને ઉમેદવાર જાહેર કરાતા જોવા મળી નારાજગી!


  • Published By :
  • Published Date : 2024-03-27 15:14:41

એક સમય હતો જ્યારે પ્રતિદિન કોંગ્રેસમાં ભડકા થતા હતા. કોઈને કોઈ વાતને લઈ પાર્ટીની અંદર વિવાદ છેડાતો અને એ વિવાદ ખુલ્લીને બહાર પણ આવી જતો.. ત્યારે હવે ભાજપમાં વિરોધની ફેશન ચાલી રહી છે તેવું લાગે છે! લોકસભા સીટના ઉમેદવારને લઈ વિવાદ શાંત નથી થયો ત્યારે પેટા ચૂંટણીના ઉમેદવારને લઈ વિરોધ શરૂ થયો. હવે વિજાપુરમાં બબાલની શરૂઆત થઇ ગઈ છે. સૌથી શિસ્તબદ્ધ ગણાતી પાર્ટીમાં હવે ભડકો થવો એ ફેશન બની ગઈ લાગે છે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા સી.જે ચાવડાને લઈને હવે ભાજપમાં જ ભડકો થયો છે. 


ભાજપે પેટા ચૂંટણીના નામની કરી જાહેરાત 

ભાજપમાં ભરતી મેળો ચાલી રહ્યો છે. પવિત્ર થવા માટે નેતાઓ ભાજપ રૂપી ગંગામાં ડૂબકી લગાવી રહ્યા છે.! ગુજરાતમાં તો અનેક ધારાસભ્યોએ પદ ઉપરથી રાજીનામું આપી પક્ષપલટો કરી લીધો છે. 6 ધારાસભ્યો પદ ઉપરથી રાજીનામું આપી ભાજપમાં જોડાઈ ગયા છે. વિધાનસભા બેઠક ખાલી થતાં ત્યાં પેટાચૂંટણી યોજાવાની છે. ભાજપે પેટા ચૂંટણી માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. અન્ય પક્ષમાંથી આવેલા નેતાઓને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે જેને લઈ ભાજપના નેતાઓમાં નારાજગી જોવા મળી રહી છે.    

સી.જે.ચાવડાને ટિકીટ મળતા ભાજપના નેતાઓમાં જોવા મળી નારાજગી

સી.જે ચાવડાને ભાજપમાંથી ટિકીટ મળતા કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળી હતી. અને આ નારાજગીને કારણે કુકરવાડાના પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય અને પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખે રાજીનામુ આપ્યું છે. ગોવિંદભાઇ પટેલે વિજાપુર તાલુકા ભાજપ પ્રમુખને રાજીનામુ સોંપી દીધું છે અને હજુ પણ વધુ રાજીનામાં પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. પ્રશ્ન એ જે જુના કાર્યકર્તાઓમાં નારાજગી છે કે કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને ટિકીટ મળે તો અમારે શું કરવાનું? તો હવે એવું કહેવાય કે ભાજપની રોજ હાલત કોંગ્રેસ જેવી થતી જઈ રહી છે. કારણ કે હમણાં સુધી આપણે કોંગેસના કકળાટની ચર્ચાઓ કરી છે પણ હવે રોજ ભાજપના ભડકાના સમાચાર આવે છે. 


શું છે સી.જે.ચાવડાનું પોલિટિકલ બેકગ્રાઉન્ડ?

12 ફેબ્રુઆરી એ પૂર્વ ધારાસભ્ય સી.જે ચાવડા સહિત અનેક કોંગ્રેસી આગેવાનો ભાજપમાં જોડાયા હતાં. સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં તે ભાજપમાં જોડાયા હતા. સી.જે ચાવડાની વાત કરીએ તો ગુજરાત સરકારના અધિકારી તરીકે ફરજ બજાવી ચૂકેલા અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના સચિવ રહી ચૂકેલા છે. ડો. સી જે ચાવડા છેલ્લા 20 વર્ષથી વધુના સમયથી રાજકારણમાં સક્રિય છે. જ્યારથી રાજકારણમાં આવ્યા ત્યારથી કોંગ્રેસમાં જ રહ્યા હતા. મહેસાણા જિલ્લા પંચાયત, વિધાનસભા અને લોકસભાની ચૂંટણી લડી ચૂક્યા છે. 2017માં ગાંધીનગર ઉત્તર બેઠક પરથી ચૂંટણી જીત્યા. 2022માં વિજાપુરની ચૂંટણી જીત્યા. 2019માં ગાંધીનગર બેઠક પરથી લોકસભાની ચુંટણી હાર્યા હતા. 


કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા લોકોને મળી રહી છે ટિકીટ 

વિજાપુરમાં વિરોધના સુર છેડાઈ ગયા છે. ત્યાંના કાર્યકર્તા કહે છે કે સી. જે ચાવડાને ટિકિટ આપી એ અમને કીધું જ નથી. સાથે એ લોકો એવું પણ કહે છે કે કોંગ્રેસના નેતાઓને ભાજપમાં લેવાની જરૂર જ નથી. હાલ જે પરિસ્થિત ઉભી થઈ છે એમાં ભાજપનું જે કોંગ્રેસીકરણ થયું એના કારણે પાયાના કાર્યકર્તા નારાજ દેખાઈ રહ્યા છે. વચ્ચે મેસેજ પણ વાઈરલ થયા હતા કે જો ટિકીટ જોઈએ છે પદ જોઈએ છે તો કોંગ્રેસ માંથી ભાજપમાં આવો તો મળે. હમણાંની પરિસ્થિતિ જોતા એવું લાગે કે આવી ઘટનાઓ બીજે ક્યાંથી પણ સામે આવે તો નવાઈ નહીં...   



અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.