BJPમાં એક વિવાદ તો શાંત થતો નથી અને બીજો વિવાદ શરૂ! Congressથી BJPમાં આવેલા સી.જે.ચાવડાને ઉમેદવાર જાહેર કરાતા જોવા મળી નારાજગી!


  • Published By :
  • Published Date : 2024-03-27 15:14:41

એક સમય હતો જ્યારે પ્રતિદિન કોંગ્રેસમાં ભડકા થતા હતા. કોઈને કોઈ વાતને લઈ પાર્ટીની અંદર વિવાદ છેડાતો અને એ વિવાદ ખુલ્લીને બહાર પણ આવી જતો.. ત્યારે હવે ભાજપમાં વિરોધની ફેશન ચાલી રહી છે તેવું લાગે છે! લોકસભા સીટના ઉમેદવારને લઈ વિવાદ શાંત નથી થયો ત્યારે પેટા ચૂંટણીના ઉમેદવારને લઈ વિરોધ શરૂ થયો. હવે વિજાપુરમાં બબાલની શરૂઆત થઇ ગઈ છે. સૌથી શિસ્તબદ્ધ ગણાતી પાર્ટીમાં હવે ભડકો થવો એ ફેશન બની ગઈ લાગે છે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા સી.જે ચાવડાને લઈને હવે ભાજપમાં જ ભડકો થયો છે. 


ભાજપે પેટા ચૂંટણીના નામની કરી જાહેરાત 

ભાજપમાં ભરતી મેળો ચાલી રહ્યો છે. પવિત્ર થવા માટે નેતાઓ ભાજપ રૂપી ગંગામાં ડૂબકી લગાવી રહ્યા છે.! ગુજરાતમાં તો અનેક ધારાસભ્યોએ પદ ઉપરથી રાજીનામું આપી પક્ષપલટો કરી લીધો છે. 6 ધારાસભ્યો પદ ઉપરથી રાજીનામું આપી ભાજપમાં જોડાઈ ગયા છે. વિધાનસભા બેઠક ખાલી થતાં ત્યાં પેટાચૂંટણી યોજાવાની છે. ભાજપે પેટા ચૂંટણી માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. અન્ય પક્ષમાંથી આવેલા નેતાઓને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે જેને લઈ ભાજપના નેતાઓમાં નારાજગી જોવા મળી રહી છે.    

સી.જે.ચાવડાને ટિકીટ મળતા ભાજપના નેતાઓમાં જોવા મળી નારાજગી

સી.જે ચાવડાને ભાજપમાંથી ટિકીટ મળતા કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળી હતી. અને આ નારાજગીને કારણે કુકરવાડાના પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય અને પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખે રાજીનામુ આપ્યું છે. ગોવિંદભાઇ પટેલે વિજાપુર તાલુકા ભાજપ પ્રમુખને રાજીનામુ સોંપી દીધું છે અને હજુ પણ વધુ રાજીનામાં પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. પ્રશ્ન એ જે જુના કાર્યકર્તાઓમાં નારાજગી છે કે કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને ટિકીટ મળે તો અમારે શું કરવાનું? તો હવે એવું કહેવાય કે ભાજપની રોજ હાલત કોંગ્રેસ જેવી થતી જઈ રહી છે. કારણ કે હમણાં સુધી આપણે કોંગેસના કકળાટની ચર્ચાઓ કરી છે પણ હવે રોજ ભાજપના ભડકાના સમાચાર આવે છે. 


શું છે સી.જે.ચાવડાનું પોલિટિકલ બેકગ્રાઉન્ડ?

12 ફેબ્રુઆરી એ પૂર્વ ધારાસભ્ય સી.જે ચાવડા સહિત અનેક કોંગ્રેસી આગેવાનો ભાજપમાં જોડાયા હતાં. સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં તે ભાજપમાં જોડાયા હતા. સી.જે ચાવડાની વાત કરીએ તો ગુજરાત સરકારના અધિકારી તરીકે ફરજ બજાવી ચૂકેલા અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના સચિવ રહી ચૂકેલા છે. ડો. સી જે ચાવડા છેલ્લા 20 વર્ષથી વધુના સમયથી રાજકારણમાં સક્રિય છે. જ્યારથી રાજકારણમાં આવ્યા ત્યારથી કોંગ્રેસમાં જ રહ્યા હતા. મહેસાણા જિલ્લા પંચાયત, વિધાનસભા અને લોકસભાની ચૂંટણી લડી ચૂક્યા છે. 2017માં ગાંધીનગર ઉત્તર બેઠક પરથી ચૂંટણી જીત્યા. 2022માં વિજાપુરની ચૂંટણી જીત્યા. 2019માં ગાંધીનગર બેઠક પરથી લોકસભાની ચુંટણી હાર્યા હતા. 


કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા લોકોને મળી રહી છે ટિકીટ 

વિજાપુરમાં વિરોધના સુર છેડાઈ ગયા છે. ત્યાંના કાર્યકર્તા કહે છે કે સી. જે ચાવડાને ટિકિટ આપી એ અમને કીધું જ નથી. સાથે એ લોકો એવું પણ કહે છે કે કોંગ્રેસના નેતાઓને ભાજપમાં લેવાની જરૂર જ નથી. હાલ જે પરિસ્થિત ઉભી થઈ છે એમાં ભાજપનું જે કોંગ્રેસીકરણ થયું એના કારણે પાયાના કાર્યકર્તા નારાજ દેખાઈ રહ્યા છે. વચ્ચે મેસેજ પણ વાઈરલ થયા હતા કે જો ટિકીટ જોઈએ છે પદ જોઈએ છે તો કોંગ્રેસ માંથી ભાજપમાં આવો તો મળે. હમણાંની પરિસ્થિતિ જોતા એવું લાગે કે આવી ઘટનાઓ બીજે ક્યાંથી પણ સામે આવે તો નવાઈ નહીં...   



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.