રાજ્યમાં સર્જાયો વધુ એક અકસ્માત, ઘટનામાં આટલા લોકો બન્યા કાળનો કોળિયો, જાણો ક્યાં અને કેવી રીતે બની દુર્ઘટના?


  • Published By :
  • Published Date : 2023-09-20 11:02:40

રાજ્યમાં છાશવારે અકસ્માતોની ઘટના સામે આવી રહી છે. અનેક લોકોએ પોતાના પરિવારજનોને અકસ્માતમાં ગુમાવ્યા હશે. અનેક એવા લોકો પણ હશે જે મોતના મુખમાંથી તો બહાર આવી ગયા પરંતુ જીંદગી ભરની ખોટ તેમના શરીરમાં રહી ગઈ હોય. ગંભીર રીતે ઈજાગ્રસ્ત લોકો અકસ્માતને કારણે થતાં હોય છે. ત્યારે આજે ઘટનાસ્થળ પર ચાર લોકોના મોત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. મોરબીથી કડી જઈ રહેલા લોકો પાટી પાસે કાળનો કોળિયો બન્યા છે. 

 સુરેન્દ્રનગર: પાટડી તાલુકામાં કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા ઘટના સ્થળે ચાર લોકોના મોત નીપજ્યા છે. આ અકસ્માત દસાડા અને જૈનાબાદ ગામ વચ્ચે થયો છે. પ્રાથમિક તપાસમાં તમામ મૃતકો મોરબી જિલ્લાના હોવાની માહિતી મળી રહી છે. આ ગોઝારા અકસ્માતની જાણ થતા દસાડા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે અને વધુ તપાસ હાથ ઘરી છે. હાલ તમામ મૃતકોની લાશને પીએમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

કાર અને ટ્રક વચ્ચે થઈ ધમાકેદાર ટક્કર 

ઘરેથી નિકળેલો માણસ સહીસલામત ઘરે પાછો આવશે કે નહીં તેની જાણ કોઈને નથી હોતી. અનેક લોકો જીવતા ઘરે નથી પહોંચતા પરંતુ તેમનો મૃતદેહ ઘરે પહોંચતો હોય છે. અકસ્માતોની વણઝાર થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. અકસ્માતને કારણે પ્રતિદિન લોકો પોતાના જીવનને, પરિવારજનો પોતાના સભ્યોને ગુમાવી રહ્યા છે. થોડા સમય પહેલા અમદાવાદમાં તથ્યકાંડ સર્જાયો હતો જેમાં 10 નિર્દોષ લોકોના મોત થઈ ગયા હતા તે બાદ ભાવનગરના વતનીને રાજસ્થાનમાં અકસ્માત નડ્યો હતો. ત્યારે આજે વધુ એક ગંભીર અકસ્માત સુરેન્દ્રનગર જિલ્લામાં બન્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા-જૈનાબાદ વચ્ચે અકસ્માત સર્જાયો છે તેવી માહિતી સામે આવી રહી છે. સ્વિફ્ટ કારને ટ્રકે એવી ભયંકર ટક્કર મારી કે ઘટના સ્થળ પર જ ચાર લોકોના મોત થઈ ગયા. 

 અકસ્માત બાદ આ કાર પલટી ખાઇને રોડની બાજુની જગ્યાની પલટી ખાઇ ગઇ હતી.

ઘટનાસ્થળ પર થયા ચાર લોકોના મોત  

પ્રાથમિક માહિતી અનુસાર જે લોકો અકસ્માતનો ભોગ બન્યા છે તે મોરબી પાસેના વિરપરાડા ગામના રહેવાસી છે અને ગાડી લઈ દેત્રોજ તેઓ જઈ રહ્યા હતા. પાટડી તાલુકા નજીક આવેલા વળાંક પાસે બેફામ રીતે આવતી ટ્રકે ગાડીને ટક્કર મારી. ટક્કર એટલી ગંભીર હતી કે ગાડીનો કચ્ચરઘાણ નીકળી ગયો. કારમાં સવાર લોકોના મોત ઘટના સ્થળ પર થઈ ગયા. ગાડીની અંદર લોકો દબાઈ ગયા હતા. ઘટનાની પોલીસને અને 108ની ટીમને જાણકારી આપવામાં આવતા ઘટનાસ્થળ પર તેઓ પહોંચી ગયા હતા અને ગાડીમાં દબાયેલા લોકોના મૃતદેહોને બહાર કઢાયા હતા. મૃતદેહોને પોસ્ટ મોર્ટમ અર્થે મોકલી દેવામાં આવ્યા છે. આ ઘટનામાં મૃતકોની ઓળખ હજી સુધી થઈ શકી નથી. આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.  



ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .

જમ્મુ કાશ્મીર રાજ્યના પહલગામમાં આતંકવાદી હુમલાના સમાચાર સામે આવ્યા છે. ૨૬ જેટલા પર્યટકોના આ આતંકવાદી હુમલામાં મોતના સમાચાર છે. આ હુમલો પહલગામના બાઇસારન ઘાટીમાં નોંધાયો છે. હુમલો ત્યારે થયો જયારે પર્યટકો ઘોડેસવારી કરતા હતા . આ હુમલાની જવાબદારી TRF નામના નવા આતંકવાદી સંગઠને લીધી છે.