રાજ્યમાં સર્જાયો વધુ એક અકસ્માત, ઘટનામાં આટલા લોકો બન્યા કાળનો કોળિયો, જાણો ક્યાં અને કેવી રીતે બની દુર્ઘટના?


  • Published By :
  • Published Date : 2023-09-20 11:02:40

રાજ્યમાં છાશવારે અકસ્માતોની ઘટના સામે આવી રહી છે. અનેક લોકોએ પોતાના પરિવારજનોને અકસ્માતમાં ગુમાવ્યા હશે. અનેક એવા લોકો પણ હશે જે મોતના મુખમાંથી તો બહાર આવી ગયા પરંતુ જીંદગી ભરની ખોટ તેમના શરીરમાં રહી ગઈ હોય. ગંભીર રીતે ઈજાગ્રસ્ત લોકો અકસ્માતને કારણે થતાં હોય છે. ત્યારે આજે ઘટનાસ્થળ પર ચાર લોકોના મોત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. મોરબીથી કડી જઈ રહેલા લોકો પાટી પાસે કાળનો કોળિયો બન્યા છે. 

 સુરેન્દ્રનગર: પાટડી તાલુકામાં કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા ઘટના સ્થળે ચાર લોકોના મોત નીપજ્યા છે. આ અકસ્માત દસાડા અને જૈનાબાદ ગામ વચ્ચે થયો છે. પ્રાથમિક તપાસમાં તમામ મૃતકો મોરબી જિલ્લાના હોવાની માહિતી મળી રહી છે. આ ગોઝારા અકસ્માતની જાણ થતા દસાડા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે અને વધુ તપાસ હાથ ઘરી છે. હાલ તમામ મૃતકોની લાશને પીએમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

કાર અને ટ્રક વચ્ચે થઈ ધમાકેદાર ટક્કર 

ઘરેથી નિકળેલો માણસ સહીસલામત ઘરે પાછો આવશે કે નહીં તેની જાણ કોઈને નથી હોતી. અનેક લોકો જીવતા ઘરે નથી પહોંચતા પરંતુ તેમનો મૃતદેહ ઘરે પહોંચતો હોય છે. અકસ્માતોની વણઝાર થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. અકસ્માતને કારણે પ્રતિદિન લોકો પોતાના જીવનને, પરિવારજનો પોતાના સભ્યોને ગુમાવી રહ્યા છે. થોડા સમય પહેલા અમદાવાદમાં તથ્યકાંડ સર્જાયો હતો જેમાં 10 નિર્દોષ લોકોના મોત થઈ ગયા હતા તે બાદ ભાવનગરના વતનીને રાજસ્થાનમાં અકસ્માત નડ્યો હતો. ત્યારે આજે વધુ એક ગંભીર અકસ્માત સુરેન્દ્રનગર જિલ્લામાં બન્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા-જૈનાબાદ વચ્ચે અકસ્માત સર્જાયો છે તેવી માહિતી સામે આવી રહી છે. સ્વિફ્ટ કારને ટ્રકે એવી ભયંકર ટક્કર મારી કે ઘટના સ્થળ પર જ ચાર લોકોના મોત થઈ ગયા. 

 અકસ્માત બાદ આ કાર પલટી ખાઇને રોડની બાજુની જગ્યાની પલટી ખાઇ ગઇ હતી.

ઘટનાસ્થળ પર થયા ચાર લોકોના મોત  

પ્રાથમિક માહિતી અનુસાર જે લોકો અકસ્માતનો ભોગ બન્યા છે તે મોરબી પાસેના વિરપરાડા ગામના રહેવાસી છે અને ગાડી લઈ દેત્રોજ તેઓ જઈ રહ્યા હતા. પાટડી તાલુકા નજીક આવેલા વળાંક પાસે બેફામ રીતે આવતી ટ્રકે ગાડીને ટક્કર મારી. ટક્કર એટલી ગંભીર હતી કે ગાડીનો કચ્ચરઘાણ નીકળી ગયો. કારમાં સવાર લોકોના મોત ઘટના સ્થળ પર થઈ ગયા. ગાડીની અંદર લોકો દબાઈ ગયા હતા. ઘટનાની પોલીસને અને 108ની ટીમને જાણકારી આપવામાં આવતા ઘટનાસ્થળ પર તેઓ પહોંચી ગયા હતા અને ગાડીમાં દબાયેલા લોકોના મૃતદેહોને બહાર કઢાયા હતા. મૃતદેહોને પોસ્ટ મોર્ટમ અર્થે મોકલી દેવામાં આવ્યા છે. આ ઘટનામાં મૃતકોની ઓળખ હજી સુધી થઈ શકી નથી. આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.  



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.