ડમી કાંડમાં વધુ એક આરોપીને ઝડપી પડાયો! મિલન બારૈયા બાદ આ આરોપી વિરૂદ્ધ થઈ કાર્યવાહી, હજી સુધી આ મામલે આટલા લોકોની થઈ છે ધરપકડ


  • Published By :
  • Published Date : 2023-04-20 14:14:54

ડમીકાંડ મામલામાં રોજે રોજ નવી માહિતી સામે આવી રહી છે. ભાવનગર પોલીસ દ્વારા આ મામલે 36 જેટલા લોકો વિરૂદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. આ કેસને લઈ એસઆઈટીની પણ રચના કરવામાં આવી છે. તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. ત્યારે આ મામલે વધુ એક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર ડમી કાંડ મામલે વધુ બે આરોપીઓ ઝડપાયા છે. મિલન બારૈયા અને વિરમદેવસિંહ ગોહિલ નામના આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે. આ મામલે આઠ જેટલા આરોપીને ઝડપી પાડ્યા છે. 

ભાવનગર ડમીકાંડમાં કોર્ટે આરોપીઓના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા, 36 વિરૂદ્ધ  નોંધ્યો ગુનો | Court grants 7 day remand of accused in Bhavnagar dummy case

આ મામલે આઠ આરોપી વિરૂદ્ધ કરાઈ કાર્યવાહી!   

થોડા સમય પહેલા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે સ્પર્ધાત્મક પરીક્ષામાં ડમી ઉમેદવારો બેસાડવા મુદ્દે મોટો ઘટસ્ફોટ કર્યો હતો. યુવરાજસિંહ દ્વારા નામ આપવામાં આવ્યા હતા. જે બાદ ભાવનગર પોલીસ દ્વારા મામલે કાર્યવાહી કરવામાં આવી હતી. 36 જેટલા લોકો વિરૂદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી હતી. આ મામલે હજી આની પહેલા 6 લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારે વધુ બે લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે. મિલન બારૈયા તેમજ વિરમદેવસિંહને પકડી પાડવામાં આવ્યા છે. 


મિલન બારૈયાએ ડમી ઉમેદવાર બની આપી સાત પરીક્ષાઓ! 

ડમી ઉમેદવાર બની અનેક પરીક્ષાઓ આપી છે. મળતી માહિતી અનુસાર આરોપી વિરમદેવસિંહ એસટી વિભાગમાં ફરજ નિભાવે છે. તેણે 2017માં શરદના કહેવાથી ગ્રામસેવકની પરીક્ષા આપી હતી. મિલન બારૈયા એ ડમી ઉમેદવાર બની સાત જેટલી પરીક્ષાઓ આપી છે. મળતી માહિતી અનુસાર ડમી ઉમેદવાર બની આ પરીક્ષાઓમાં મિલન બારૈયાએ સાત પરીક્ષાઓ આપી હતી. જો પરીક્ષાઓની વાત કરીએ તો વર્ષ 2020માં ભાવનગર સ્વામી વિદ્યામંદિરમાં ડમી વિદ્યાર્થી તરીકે પરીક્ષા આપી હતી. તે જ વર્ષે વર્ષ 2020માં ધોરણ 12 આર્ટસના અંગ્રેજી પેપરની પરીક્ષામાં ડમી ઉમેદવાર તરીકે પરીક્ષા આપી હતી. 2022માં કવિત.એ.રાવના ડમી ઉમેદવાર તરીકે લેબ ટેક્નિશિયનની પરીક્ષા આપી હતી. પશુધન નિરીક્ષક તરીકે ભાવેશ રાઠવાના ડમી ઉમેદવાર બની 2022માં પરીક્ષા આપી હતી. રાજપરાના એક વિદ્યાર્થીના ડમી ઉમેદવાર તરીકે 2022માં વન રક્ષકની પરીક્ષા આપી હતી. અમરેલીમાં ધોરણ 10ની પરીક્ષા આપી હતી. તે ઉપરાંત 2022મં ધોરણ 12 સાયન્સની પરીક્ષામાં ડમી ઉમેદવાર તરીકે બેઠો હતો. ત્યારે મિલન બારૈયા અંગે વિચાર કરીએ તો જો મિલન બારૈયાએ પોતે જ પોતાના માટે પરીક્ષા આપી હોત તો આજે એક સારી જગ્યા પર હોત.   


યુવરાજસિંહને આ મામલે પાઠવવામાં આવ્યું હતું સમન્સ પરંતુ તે હાજર ન થયા!

અને દરેક પરીક્ષા માટે મિલન બારૈયા 25 હજાર રુપિયા લેતો હતો. આ મામલે 8 આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. ડમી કાંડ મામલે યુવરાજસિંહની મુશ્કેલીમાં પણ વધારો થઈ શકે છે. થોડા દિવસો પહેલા બિપિન ત્રિવેદી નામના વ્યક્તિનો વીડિયો વાયરલ થયો હતો જેમાં યુવરાજસિંહ પર પૈસા લેવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. ભાવનગર એસઓજી દ્વારા યુવરાજસિંહને સમન્સ પણ પાઠવવામાં આવ્યું હતું. ગઈકાલે બાર વાગ્યા સુધીમાં યુવરાજસિંહને હાજર થવાનું હતું પરંતુ અચાનક તેમની તબિયત બગડી જતા તે હાજર થયા ન હતા. જે બાદ આ મામલે તેમણે ટાઈમ માંગ્યો છે. ત્યારે આવનાર દિવસોમાં આ મામલે મોટા ખુલાસા થઈ શકે છે તેવી સંભાવના હાલ દેખાઈ રહી છે. આ મામલે શિક્ષણમંત્રીનું પણ નિવેદન સામે આવ્યું છે. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.