Kerelaમાં Nipah Virusનો વધુ એક કેસ નોંધાયો, કેરળ સરકારની સાથે સાથે આ રાજ્યની સરકારે બહાર પાડ્યું નોટિફિકેશન, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-09-15 13:00:26

થોડા વર્ષો પહેલા કોરોના વાયરસને કારણે હાહાકાર મચ્યો હતો. હજારો, લાખો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. કોરોનાના નવા નવા વેરિયન્ટ પણ સામે આવતા હતા અને એ વેરિયન્ટ તો કોરોના કરતા વધારે ખતરનાક સાબિત થયા હતા. ત્યારે હવે કેરળમાં નિપાહ વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે. કેરળ રાજ્યમાં નિપાહ વાયરસના પાંચ કેસ નોંધાયા છે. બે લોકોના મોત થયા છે. ત્યારે વધતા નિપાહ વાયરસને લઈ સરકાર એલર્ટ થઈ ગઈ છે. રાજ્ય સરકારે લોકોને ઘરમાં રહેવાની સલાહ આપી છે. 

લોકોને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા કરી અપીલ 

કેરળમાં નિપાહ વાયરસે હાહાકાર મચાવ્યો છે. રાજ્યમાં નિપાહ વાયરસને કારણે બે લોકોના મોત થયા છે. અનેક લોકો નિપાહ વાયરસનો ભોગ બની રહ્યા છે. ગઈકાલે પણ એક નવો કેસ કેરળથી સામે આવ્યો છે. રાજ્યમાં વધતા કેસને લઈ સરકાર એલર્ટ થઈ ગઈ છે. સમાચાર એજન્સી એએનઆઈએ જણાવ્યું કે કેરળના સ્વાસ્થય મંત્રી કાર્યાલયના હવાલેથી જણાવ્યું છે કે કોઝિકોડમાં એક હોસ્પિટલમાં નિપાહ વાયરસ સંક્રમિત દર્દી મળી આવ્યો છે. વાયરસના વધતા કેસને જોતા સરકારે લોકોને ઘરમાં રહેવા અપીલ કરી છે. કામ વગર ઘરેથી ન નિકળવા માટે અપીલ કરી છે. અનેક જગ્યાઓ પર શાળાઓ કોલેજો પણ બંધ રાખવામાં આવી છે.,

કેરળ સરકારની સાથે કર્ણાટક સરકાર પણ થઈ એક્ટિવ

કેરળ સરકાર સિવાય કર્ણાટક સરકાર વધતા નિપાહ વાયરસના કેસને લઈ સતર્ક થઈ ગઈ છે. મીડિયા રિપોર્ટ અનુસાર કર્ણાટક સરકારે એક નોટિફિકેશન જાહેર કર્યું છે જેમાં લોકોને કેરળના પ્રભાવિત ક્ષેત્રોમાં બિનજરૂરી યાત્રા ન કરવાની સલાહ આપી છે. મહત્વનું છે કે કેરળમાં નિપાહ વાયરસને લઈ ચિંતા વધી રહી છે. આ વાયરસને કારણે બે લોકોના મોત પણ થઈ ગયા છે. સરકાર તેમજ આરોગ્ય વિભાગ એક્ટિવ થઈ આ રોગચાળા ન ફેલાય તે માટે પ્રયાસ કરી રહી છે.



કેરળ રાજ્યમાં નિપાહ વાયરસ  ફરી વકર્યો!  

2018માં કેરળમાં પ્રથમ વખત નિપાહ ફેલાયો હતો. તે સમયગાળા દરમિયાન, 18 દર્દીઓમાંથી 17 મૃત્યુ પામ્યા હતા. આથી રાજ્યમાં ફરી એકવાર સંક્રમણ ફેલાતા ભયનું વાતાવરણ છે. બાદમાં 2019 અને 2021માં પણ તેનાથી સંક્રમિત દર્દીઓ નોંધાયા હતા.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.