Kerelaમાં Nipah Virusનો વધુ એક કેસ નોંધાયો, કેરળ સરકારની સાથે સાથે આ રાજ્યની સરકારે બહાર પાડ્યું નોટિફિકેશન, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-09-15 13:00:26

થોડા વર્ષો પહેલા કોરોના વાયરસને કારણે હાહાકાર મચ્યો હતો. હજારો, લાખો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. કોરોનાના નવા નવા વેરિયન્ટ પણ સામે આવતા હતા અને એ વેરિયન્ટ તો કોરોના કરતા વધારે ખતરનાક સાબિત થયા હતા. ત્યારે હવે કેરળમાં નિપાહ વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે. કેરળ રાજ્યમાં નિપાહ વાયરસના પાંચ કેસ નોંધાયા છે. બે લોકોના મોત થયા છે. ત્યારે વધતા નિપાહ વાયરસને લઈ સરકાર એલર્ટ થઈ ગઈ છે. રાજ્ય સરકારે લોકોને ઘરમાં રહેવાની સલાહ આપી છે. 

લોકોને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા કરી અપીલ 

કેરળમાં નિપાહ વાયરસે હાહાકાર મચાવ્યો છે. રાજ્યમાં નિપાહ વાયરસને કારણે બે લોકોના મોત થયા છે. અનેક લોકો નિપાહ વાયરસનો ભોગ બની રહ્યા છે. ગઈકાલે પણ એક નવો કેસ કેરળથી સામે આવ્યો છે. રાજ્યમાં વધતા કેસને લઈ સરકાર એલર્ટ થઈ ગઈ છે. સમાચાર એજન્સી એએનઆઈએ જણાવ્યું કે કેરળના સ્વાસ્થય મંત્રી કાર્યાલયના હવાલેથી જણાવ્યું છે કે કોઝિકોડમાં એક હોસ્પિટલમાં નિપાહ વાયરસ સંક્રમિત દર્દી મળી આવ્યો છે. વાયરસના વધતા કેસને જોતા સરકારે લોકોને ઘરમાં રહેવા અપીલ કરી છે. કામ વગર ઘરેથી ન નિકળવા માટે અપીલ કરી છે. અનેક જગ્યાઓ પર શાળાઓ કોલેજો પણ બંધ રાખવામાં આવી છે.,

કેરળ સરકારની સાથે કર્ણાટક સરકાર પણ થઈ એક્ટિવ

કેરળ સરકાર સિવાય કર્ણાટક સરકાર વધતા નિપાહ વાયરસના કેસને લઈ સતર્ક થઈ ગઈ છે. મીડિયા રિપોર્ટ અનુસાર કર્ણાટક સરકારે એક નોટિફિકેશન જાહેર કર્યું છે જેમાં લોકોને કેરળના પ્રભાવિત ક્ષેત્રોમાં બિનજરૂરી યાત્રા ન કરવાની સલાહ આપી છે. મહત્વનું છે કે કેરળમાં નિપાહ વાયરસને લઈ ચિંતા વધી રહી છે. આ વાયરસને કારણે બે લોકોના મોત પણ થઈ ગયા છે. સરકાર તેમજ આરોગ્ય વિભાગ એક્ટિવ થઈ આ રોગચાળા ન ફેલાય તે માટે પ્રયાસ કરી રહી છે.



કેરળ રાજ્યમાં નિપાહ વાયરસ  ફરી વકર્યો!  

2018માં કેરળમાં પ્રથમ વખત નિપાહ ફેલાયો હતો. તે સમયગાળા દરમિયાન, 18 દર્દીઓમાંથી 17 મૃત્યુ પામ્યા હતા. આથી રાજ્યમાં ફરી એકવાર સંક્રમણ ફેલાતા ભયનું વાતાવરણ છે. બાદમાં 2019 અને 2021માં પણ તેનાથી સંક્રમિત દર્દીઓ નોંધાયા હતા.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .