Kerelaમાં Nipah Virusનો વધુ એક કેસ નોંધાયો, કેરળ સરકારની સાથે સાથે આ રાજ્યની સરકારે બહાર પાડ્યું નોટિફિકેશન, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-09-15 13:00:26

થોડા વર્ષો પહેલા કોરોના વાયરસને કારણે હાહાકાર મચ્યો હતો. હજારો, લાખો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. કોરોનાના નવા નવા વેરિયન્ટ પણ સામે આવતા હતા અને એ વેરિયન્ટ તો કોરોના કરતા વધારે ખતરનાક સાબિત થયા હતા. ત્યારે હવે કેરળમાં નિપાહ વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે. કેરળ રાજ્યમાં નિપાહ વાયરસના પાંચ કેસ નોંધાયા છે. બે લોકોના મોત થયા છે. ત્યારે વધતા નિપાહ વાયરસને લઈ સરકાર એલર્ટ થઈ ગઈ છે. રાજ્ય સરકારે લોકોને ઘરમાં રહેવાની સલાહ આપી છે. 

લોકોને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા કરી અપીલ 

કેરળમાં નિપાહ વાયરસે હાહાકાર મચાવ્યો છે. રાજ્યમાં નિપાહ વાયરસને કારણે બે લોકોના મોત થયા છે. અનેક લોકો નિપાહ વાયરસનો ભોગ બની રહ્યા છે. ગઈકાલે પણ એક નવો કેસ કેરળથી સામે આવ્યો છે. રાજ્યમાં વધતા કેસને લઈ સરકાર એલર્ટ થઈ ગઈ છે. સમાચાર એજન્સી એએનઆઈએ જણાવ્યું કે કેરળના સ્વાસ્થય મંત્રી કાર્યાલયના હવાલેથી જણાવ્યું છે કે કોઝિકોડમાં એક હોસ્પિટલમાં નિપાહ વાયરસ સંક્રમિત દર્દી મળી આવ્યો છે. વાયરસના વધતા કેસને જોતા સરકારે લોકોને ઘરમાં રહેવા અપીલ કરી છે. કામ વગર ઘરેથી ન નિકળવા માટે અપીલ કરી છે. અનેક જગ્યાઓ પર શાળાઓ કોલેજો પણ બંધ રાખવામાં આવી છે.,

કેરળ સરકારની સાથે કર્ણાટક સરકાર પણ થઈ એક્ટિવ

કેરળ સરકાર સિવાય કર્ણાટક સરકાર વધતા નિપાહ વાયરસના કેસને લઈ સતર્ક થઈ ગઈ છે. મીડિયા રિપોર્ટ અનુસાર કર્ણાટક સરકારે એક નોટિફિકેશન જાહેર કર્યું છે જેમાં લોકોને કેરળના પ્રભાવિત ક્ષેત્રોમાં બિનજરૂરી યાત્રા ન કરવાની સલાહ આપી છે. મહત્વનું છે કે કેરળમાં નિપાહ વાયરસને લઈ ચિંતા વધી રહી છે. આ વાયરસને કારણે બે લોકોના મોત પણ થઈ ગયા છે. સરકાર તેમજ આરોગ્ય વિભાગ એક્ટિવ થઈ આ રોગચાળા ન ફેલાય તે માટે પ્રયાસ કરી રહી છે.



કેરળ રાજ્યમાં નિપાહ વાયરસ  ફરી વકર્યો!  

2018માં કેરળમાં પ્રથમ વખત નિપાહ ફેલાયો હતો. તે સમયગાળા દરમિયાન, 18 દર્દીઓમાંથી 17 મૃત્યુ પામ્યા હતા. આથી રાજ્યમાં ફરી એકવાર સંક્રમણ ફેલાતા ભયનું વાતાવરણ છે. બાદમાં 2019 અને 2021માં પણ તેનાથી સંક્રમિત દર્દીઓ નોંધાયા હતા.



સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના વાલેવડા ગામે પોલીસ અને ગ્રામજનો વચ્ચે ઘર્ષણ થયું છે. આ મામલે , દસાડા પોલીસ મથકે એક વ્યક્તિ સામે ફરજમાં રુકાવટ અંગેની ફરિયાદ પોતે પોલીસ કર્મચારી દ્વારા નોંધાવવામાં આવી છે. બીજી બાજુ કોંગ્રેસના પૂર્વ MLA અને ગ્રામજનો દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે , સ્થાનિક PI દ્વારા રિવોલ્વર મૂકીને ધમકી આપીને માર મારવામાં આવ્યો છે.

There is a lot of discussion on the relations between India and America, whether it is Donald Trump's tariff hike or calling PM Modi a special friend, everyone's eyes are on these relations between India and America. Amidst all this, US Ambassador to India Sergio Gore reached Mumbai and this visit is considered a very important one.

ગુજરાત હવે ખેલકૂદમાં પણ "ગ્લોબલ હબ" બનીને ઉભરી રહ્યું છે. આવનારા સમયમાં 2030ના વર્ષમાં કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજવા જઈ રહી છે. આગામી સમયમાં 2036માં ભારતમાં ઓલિમ્પિક યોજાય તે માટે પ્રયાસો શરુ થઇ ગયા છે. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ દ્વારા નેશનલ ઓલિમ્પિક એજ્યુકેશન એન્ડ ડેવલપમન્ટ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે. સાથે જ નેશનલ ઓલિમ્પિક એકેડેમીને ફરી સક્રિય કરવામાં આવી છે. આ નિર્ણય ૮મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મળી હતી તેમાં લેવાયો છે અને આ પછી , 9મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની જે વાર્ષિક સામાન્ય સભા મળી હતી તેમાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. IOAની આ બંને મિટિંગ અમદાવાદ ખાતે મળી હતી.

પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.