Kerelaમાં Nipah Virusનો વધુ એક કેસ નોંધાયો, કેરળ સરકારની સાથે સાથે આ રાજ્યની સરકારે બહાર પાડ્યું નોટિફિકેશન, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-09-15 13:00:26

થોડા વર્ષો પહેલા કોરોના વાયરસને કારણે હાહાકાર મચ્યો હતો. હજારો, લાખો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. કોરોનાના નવા નવા વેરિયન્ટ પણ સામે આવતા હતા અને એ વેરિયન્ટ તો કોરોના કરતા વધારે ખતરનાક સાબિત થયા હતા. ત્યારે હવે કેરળમાં નિપાહ વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે. કેરળ રાજ્યમાં નિપાહ વાયરસના પાંચ કેસ નોંધાયા છે. બે લોકોના મોત થયા છે. ત્યારે વધતા નિપાહ વાયરસને લઈ સરકાર એલર્ટ થઈ ગઈ છે. રાજ્ય સરકારે લોકોને ઘરમાં રહેવાની સલાહ આપી છે. 

લોકોને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા કરી અપીલ 

કેરળમાં નિપાહ વાયરસે હાહાકાર મચાવ્યો છે. રાજ્યમાં નિપાહ વાયરસને કારણે બે લોકોના મોત થયા છે. અનેક લોકો નિપાહ વાયરસનો ભોગ બની રહ્યા છે. ગઈકાલે પણ એક નવો કેસ કેરળથી સામે આવ્યો છે. રાજ્યમાં વધતા કેસને લઈ સરકાર એલર્ટ થઈ ગઈ છે. સમાચાર એજન્સી એએનઆઈએ જણાવ્યું કે કેરળના સ્વાસ્થય મંત્રી કાર્યાલયના હવાલેથી જણાવ્યું છે કે કોઝિકોડમાં એક હોસ્પિટલમાં નિપાહ વાયરસ સંક્રમિત દર્દી મળી આવ્યો છે. વાયરસના વધતા કેસને જોતા સરકારે લોકોને ઘરમાં રહેવા અપીલ કરી છે. કામ વગર ઘરેથી ન નિકળવા માટે અપીલ કરી છે. અનેક જગ્યાઓ પર શાળાઓ કોલેજો પણ બંધ રાખવામાં આવી છે.,

કેરળ સરકારની સાથે કર્ણાટક સરકાર પણ થઈ એક્ટિવ

કેરળ સરકાર સિવાય કર્ણાટક સરકાર વધતા નિપાહ વાયરસના કેસને લઈ સતર્ક થઈ ગઈ છે. મીડિયા રિપોર્ટ અનુસાર કર્ણાટક સરકારે એક નોટિફિકેશન જાહેર કર્યું છે જેમાં લોકોને કેરળના પ્રભાવિત ક્ષેત્રોમાં બિનજરૂરી યાત્રા ન કરવાની સલાહ આપી છે. મહત્વનું છે કે કેરળમાં નિપાહ વાયરસને લઈ ચિંતા વધી રહી છે. આ વાયરસને કારણે બે લોકોના મોત પણ થઈ ગયા છે. સરકાર તેમજ આરોગ્ય વિભાગ એક્ટિવ થઈ આ રોગચાળા ન ફેલાય તે માટે પ્રયાસ કરી રહી છે.



કેરળ રાજ્યમાં નિપાહ વાયરસ  ફરી વકર્યો!  

2018માં કેરળમાં પ્રથમ વખત નિપાહ ફેલાયો હતો. તે સમયગાળા દરમિયાન, 18 દર્દીઓમાંથી 17 મૃત્યુ પામ્યા હતા. આથી રાજ્યમાં ફરી એકવાર સંક્રમણ ફેલાતા ભયનું વાતાવરણ છે. બાદમાં 2019 અને 2021માં પણ તેનાથી સંક્રમિત દર્દીઓ નોંધાયા હતા.



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.