વધુ એક નેતાએ કોંગ્રેસને અલવિદા કહ્યું


  • Published By :
  • Published Date : 2022-11-05 13:30:03

ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી છે. ચૂંટણી નજીક આવતા રાજકારણ ગરમાઈ રહ્યું છે. ટિકિટ વહેંચણીના સમયે દિગ્ગજ નેતાઓની નારાજગી ઉભરીને સામે આવી રહી છે. આંતરિક વિખવાદ દરેક પાર્ટીમાં જોવા મળી રહ્યો છે. ચૂંટણી નજીક આવતા અનેક નેતાઓ પોતાના પક્ષમાંથી રાજીનામા આપી રહ્યા છે. ભાજપમાંથી જયનારાયણ વ્યાસે રાજીનામું આપ્યું છે. આમ આદમી પાર્ટીમાંથી ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ રાજીનામું આપી દીધું છે. તો કોંગ્રેસમાંથી કોંગ્રેસના સેક્રેટરી હિમાંશુ વ્યાસે રાજીનામું આપી દીધું છે.  



હિમાંશુ વ્યાસે કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું 

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. દરેક ચૂંટણીની જાહેરાત થતાં જ જોડ-તોડની રાજનીતિ શરૂ થઈ ગઈ છે. ચૂંટણી પહેલા અનેક નેતાઓ પોતાની પાર્ટીથી નારાજ થઈ પાર્ટીને અલવિદા કહી રહ્યા છે. ભાજપ હોય કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, ડખા દરેક પાર્ટીમાં જોવા મળી રહ્યા છે. ચૂંટણી નજીક આવતા અનેક નેતાઓ રાજીનામું આપી રહ્યા છે. ત્યારે કોંગ્રેસના સેક્રેટરી હિમાંશુ વ્યાસે રાજીનામું આપી દીધું છે. ચૂંટણી પહેલા અનેક નેતાઓ રાજીનામું આપી રહ્યા છે જેને કારણે રાજકીય સમીકરણો બદલાઈ શકે છે. એવું માનવામાં આવી રહ્યું છે કે હિમાંશુ વ્યાસ ગમે ત્યારે કેસરિયો ધારણ કરી શકે છે. 




સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"