વધુ એક નેતાએ કોંગ્રેસને અલવિદા કહ્યું


  • Published By :
  • Published Date : 2022-11-05 13:30:03

ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી છે. ચૂંટણી નજીક આવતા રાજકારણ ગરમાઈ રહ્યું છે. ટિકિટ વહેંચણીના સમયે દિગ્ગજ નેતાઓની નારાજગી ઉભરીને સામે આવી રહી છે. આંતરિક વિખવાદ દરેક પાર્ટીમાં જોવા મળી રહ્યો છે. ચૂંટણી નજીક આવતા અનેક નેતાઓ પોતાના પક્ષમાંથી રાજીનામા આપી રહ્યા છે. ભાજપમાંથી જયનારાયણ વ્યાસે રાજીનામું આપ્યું છે. આમ આદમી પાર્ટીમાંથી ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ રાજીનામું આપી દીધું છે. તો કોંગ્રેસમાંથી કોંગ્રેસના સેક્રેટરી હિમાંશુ વ્યાસે રાજીનામું આપી દીધું છે.  



હિમાંશુ વ્યાસે કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું 

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. દરેક ચૂંટણીની જાહેરાત થતાં જ જોડ-તોડની રાજનીતિ શરૂ થઈ ગઈ છે. ચૂંટણી પહેલા અનેક નેતાઓ પોતાની પાર્ટીથી નારાજ થઈ પાર્ટીને અલવિદા કહી રહ્યા છે. ભાજપ હોય કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, ડખા દરેક પાર્ટીમાં જોવા મળી રહ્યા છે. ચૂંટણી નજીક આવતા અનેક નેતાઓ રાજીનામું આપી રહ્યા છે. ત્યારે કોંગ્રેસના સેક્રેટરી હિમાંશુ વ્યાસે રાજીનામું આપી દીધું છે. ચૂંટણી પહેલા અનેક નેતાઓ રાજીનામું આપી રહ્યા છે જેને કારણે રાજકીય સમીકરણો બદલાઈ શકે છે. એવું માનવામાં આવી રહ્યું છે કે હિમાંશુ વ્યાસ ગમે ત્યારે કેસરિયો ધારણ કરી શકે છે. 




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.