વધુ એક નેતાએ કોંગ્રેસને અલવિદા કહ્યું


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-11-05 13:30:03

ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી છે. ચૂંટણી નજીક આવતા રાજકારણ ગરમાઈ રહ્યું છે. ટિકિટ વહેંચણીના સમયે દિગ્ગજ નેતાઓની નારાજગી ઉભરીને સામે આવી રહી છે. આંતરિક વિખવાદ દરેક પાર્ટીમાં જોવા મળી રહ્યો છે. ચૂંટણી નજીક આવતા અનેક નેતાઓ પોતાના પક્ષમાંથી રાજીનામા આપી રહ્યા છે. ભાજપમાંથી જયનારાયણ વ્યાસે રાજીનામું આપ્યું છે. આમ આદમી પાર્ટીમાંથી ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ રાજીનામું આપી દીધું છે. તો કોંગ્રેસમાંથી કોંગ્રેસના સેક્રેટરી હિમાંશુ વ્યાસે રાજીનામું આપી દીધું છે.  



હિમાંશુ વ્યાસે કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું 

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. દરેક ચૂંટણીની જાહેરાત થતાં જ જોડ-તોડની રાજનીતિ શરૂ થઈ ગઈ છે. ચૂંટણી પહેલા અનેક નેતાઓ પોતાની પાર્ટીથી નારાજ થઈ પાર્ટીને અલવિદા કહી રહ્યા છે. ભાજપ હોય કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, ડખા દરેક પાર્ટીમાં જોવા મળી રહ્યા છે. ચૂંટણી નજીક આવતા અનેક નેતાઓ રાજીનામું આપી રહ્યા છે. ત્યારે કોંગ્રેસના સેક્રેટરી હિમાંશુ વ્યાસે રાજીનામું આપી દીધું છે. ચૂંટણી પહેલા અનેક નેતાઓ રાજીનામું આપી રહ્યા છે જેને કારણે રાજકીય સમીકરણો બદલાઈ શકે છે. એવું માનવામાં આવી રહ્યું છે કે હિમાંશુ વ્યાસ ગમે ત્યારે કેસરિયો ધારણ કરી શકે છે. 




જમાવટની ઈલેક્શન યાત્રા ગુજરાતના અનેક લોકસભા વિસ્તારોમાં ફરી રહી છે અને મતદાતાના મિજાજને જાણવાનો પ્રયત્ન કરી રહી છે. જમાવટ પોરબંદર પહોંચી હતી જ્યાં હાજર લોકોએ ચૂંટણીનું ગણિત સમજાવી દીધું...

રાહુલ ગાંધીએ થોડા સમય પહેલા નિવેદન આપ્યું હતું જેને લઈ રાજકારણ ગરમાયું હતું. ક્ષત્રિય સમાજના લોકોમાં આક્રોશ જોવા મળ્યો. ત્યારે જામનગરના જામસાહેબે રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે..

હાર્ટ એટેકના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે... અનેક યુવાનોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. ત્યારે મોરબીથી વધુ એક કિસ્સો સામે આવ્યો છે.

ગુજરાતમાં આજે પીએમ મોદી આવ્યા છે. અનેક લોકસભા બેઠકો પર પીએમ મોદી પ્રચાર કરવાના છે.. જે બેઠકો પર વિખવાદ ચાલી રહ્યો છે તે બેઠકો પર પીએમ મોદી સભાને સંબોધવાના છે...