Loksabha ચૂંટણી પહેલા વધુ એક ધારાસભ્ય આપશે રાજીનામું! AAP બાદ Congressના આ ધારાસભ્ય છોડી શકે છે પોતાનું પદ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-19 09:57:12

થોડા દિવસ પહેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ આમ આદમી પાર્ટીને અલવિદા કહી દીધું ઉપરાંત ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું. ત્યારે હવે કોંગ્રેસના ધારાસભ્ય પણ રાજીનામું આપી શકે છે તેવી માહિતી સામે આવી છે. મધ્ય ગુજરાતની એક બેઠક હાલ ચર્ચામાં છે જેના ધારાસભ્ય રાજીનામું આપી શકે છે. જે ધારાસભ્ય પોતાના પદ ઉપરથી રાજીનામું આપી શકે છે તેમાં સૌથી પહેલું નામ ચીરાગકુમાર અરવિંદ પટેલનું ચાલી રહ્યું છે. ચિરાગ પટેલ ખંભાત બેઠક પરથી ચૂંટાયેલા ધારાસભ્ય છે. મહત્વનું છે કે 182 બેઠકો પર ધારાસભ્યો હતા પરંતુ ભૂપત ભાયાણીના રાજીનામા બાદ સંખ્યાબળ 181 પર પહોંચ્યો છે. ત્યારે આજે વધુ એક ધારાસભ્ય રાજીનામું આપી શકે છે તેવી ચર્ચાઓ થઈ રહી છે.   


કોંગ્રેસની સંખ્યાબળ ઘટીને 16 થઈ શકે છે!

લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને ખૂબ જ મોટો ઝટકો મળી શકે છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ખંભાતના કોંગ્રેસ ધારાસભ્ય ચિરાગ પટેલ આજે રાજીનામું આપી શકે છે. આ સાથે જ કોંગ્રેસ ધારાસભ્યોનું સંખ્યાબળ ગુજરાતમાં ઘટીને 16 થઇ શકે છે. ખંભાત વિધાનસભા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલ આજે વિધાનસભા અધ્યક્ષને રાજીનામું આપી શકે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. કોંગ્રેસના ધારાસભ્યોની વિકેટ ખરવાના એંધાણ સેવાઈ રહ્યાં છે. કોંગ્રેસના હજી વધુ ધારાસભ્યો પક્ષને અલવીદા કરી શકે છે. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ અને આપને મોટા ઝટકા લાગી શકે છે. એક કરતાં વધુ ધારાસભ્યો રાજીનામાં આપશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. કોંગ્રેસના ધારાસભ્યોનું સંખ્યાબળ મોટા પ્રમાણમાં ઘટવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. 


ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદ ઉપરથી આપ્યું હતું રાજીનામું 

મધ્ય ગુજરાતમાંથી આ રાજીનામુ પડતા કોંગ્રેસ નબળી પડી શકે છે. લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં હલચલ જોવા મળી રહી છે. થોડા દિવસ પહેલા આપના વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ રાજીનામું આપ્યું છે. જ્યારે હવે આધારભૂત સૂત્રોના માધ્યમથી સમાચાર મળી રહ્યા છે કે, ગુજરાત કોંગ્રેસના એક ધારાસભ્ય ચિરાગ પટેલ પણ રાજીનામું આપીને ભાજપમાં જોડાઇ શકે છે.


ભાજપના આ ઉમેદવારને આપી હતી માત

ચિરાગ પટેલ કોણ છે તેની વાત કરીયે તો 2022માં ખંભાતથી 3711 મતથી જીત્યા હતા અને સામે ભાજપના મયુર રાવલને માત આપી હતી. ચિરાગ પટેલ વાસણાના સરપંચ પદે હતા. તેઓ સહકારી ક્ષેત્રમાં પણ પ્રભુત્વ ધરાવે છે. આ સાથે તેઓ કોંગ્રેસના જુના કાર્યકર ગણાય છે.


કોંગ્રેસને લોકસભા ચૂંટણી પહેલા પડી શકે છે મોટો ફટકો!

અત્યારે ગુજરાતના રાજકારણમાં જે ગતિવિધિ ચાલી રહી છે, તેને જોઇને લાગી રહ્યુ છે કે ભાજપ દ્વારા લીડ માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે. વહેલી તકે જ ભાજપ દ્વારા જોડ-તોડની નીતિ શરુ કરી દેવામાં આવી છે.આમ આદમી પાર્ટી અને કોંગ્રેસમાંથી રાજીનામા પડી રહ્યા છે. ભાજપ માટે આ ખૂબ સારા સમાચાર કહી શકાય.


રાજીનામું આપ્યા બાદ ભૂપત ભાયાણીએ કહી હતી આ વાત

નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા વિસાવદરના આપના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું આપી દીધું છે. ભૂપત ભાયાણી હવે ગમે ત્યારે ભાજપમાં જોડાઇ શકે છે. રાજીનામું આપતા પહેલા ભૂપત ભાયાણીએ મોટું નિવેદન આપ્યું હતુ. તેમણે કહ્યુ હતુ કે, હું ભાજપનો જ કાર્યકર હતો. હું રાષ્ટ્રવાદી વ્યક્તિ છું અને મારે જનતા માટે કામ કરવાના છે. 


ધારાસભ્યોનું પક્ષ છોડવું જાણે નોર્મલ બન્યું!

મહત્વનું છે કે ચિરાગ પટેલે આ વાતની પુષ્ટિ નથી કરી. ધારાસભ્યોનું પક્ષ છોડી દેવું હવે એટલી નોર્મલ વાત થઈ ગઈ છે કે અમારે નૈતિકતાની કોઈ વાતો કરવી નથી. ત્યારે મંગળવારનો દિવસ કોંગ્રેસ માટે મંગળ સાબિત થાય છે કે અમંગળ તે તો સમય જ બતાવશે..! 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.