Loksabha ચૂંટણી પહેલા વધુ એક ધારાસભ્ય આપશે રાજીનામું! AAP બાદ Congressના આ ધારાસભ્ય છોડી શકે છે પોતાનું પદ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-19 09:57:12

થોડા દિવસ પહેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ આમ આદમી પાર્ટીને અલવિદા કહી દીધું ઉપરાંત ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું. ત્યારે હવે કોંગ્રેસના ધારાસભ્ય પણ રાજીનામું આપી શકે છે તેવી માહિતી સામે આવી છે. મધ્ય ગુજરાતની એક બેઠક હાલ ચર્ચામાં છે જેના ધારાસભ્ય રાજીનામું આપી શકે છે. જે ધારાસભ્ય પોતાના પદ ઉપરથી રાજીનામું આપી શકે છે તેમાં સૌથી પહેલું નામ ચીરાગકુમાર અરવિંદ પટેલનું ચાલી રહ્યું છે. ચિરાગ પટેલ ખંભાત બેઠક પરથી ચૂંટાયેલા ધારાસભ્ય છે. મહત્વનું છે કે 182 બેઠકો પર ધારાસભ્યો હતા પરંતુ ભૂપત ભાયાણીના રાજીનામા બાદ સંખ્યાબળ 181 પર પહોંચ્યો છે. ત્યારે આજે વધુ એક ધારાસભ્ય રાજીનામું આપી શકે છે તેવી ચર્ચાઓ થઈ રહી છે.   


કોંગ્રેસની સંખ્યાબળ ઘટીને 16 થઈ શકે છે!

લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને ખૂબ જ મોટો ઝટકો મળી શકે છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ખંભાતના કોંગ્રેસ ધારાસભ્ય ચિરાગ પટેલ આજે રાજીનામું આપી શકે છે. આ સાથે જ કોંગ્રેસ ધારાસભ્યોનું સંખ્યાબળ ગુજરાતમાં ઘટીને 16 થઇ શકે છે. ખંભાત વિધાનસભા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલ આજે વિધાનસભા અધ્યક્ષને રાજીનામું આપી શકે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. કોંગ્રેસના ધારાસભ્યોની વિકેટ ખરવાના એંધાણ સેવાઈ રહ્યાં છે. કોંગ્રેસના હજી વધુ ધારાસભ્યો પક્ષને અલવીદા કરી શકે છે. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ અને આપને મોટા ઝટકા લાગી શકે છે. એક કરતાં વધુ ધારાસભ્યો રાજીનામાં આપશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. કોંગ્રેસના ધારાસભ્યોનું સંખ્યાબળ મોટા પ્રમાણમાં ઘટવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. 


ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદ ઉપરથી આપ્યું હતું રાજીનામું 

મધ્ય ગુજરાતમાંથી આ રાજીનામુ પડતા કોંગ્રેસ નબળી પડી શકે છે. લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં હલચલ જોવા મળી રહી છે. થોડા દિવસ પહેલા આપના વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ રાજીનામું આપ્યું છે. જ્યારે હવે આધારભૂત સૂત્રોના માધ્યમથી સમાચાર મળી રહ્યા છે કે, ગુજરાત કોંગ્રેસના એક ધારાસભ્ય ચિરાગ પટેલ પણ રાજીનામું આપીને ભાજપમાં જોડાઇ શકે છે.


ભાજપના આ ઉમેદવારને આપી હતી માત

ચિરાગ પટેલ કોણ છે તેની વાત કરીયે તો 2022માં ખંભાતથી 3711 મતથી જીત્યા હતા અને સામે ભાજપના મયુર રાવલને માત આપી હતી. ચિરાગ પટેલ વાસણાના સરપંચ પદે હતા. તેઓ સહકારી ક્ષેત્રમાં પણ પ્રભુત્વ ધરાવે છે. આ સાથે તેઓ કોંગ્રેસના જુના કાર્યકર ગણાય છે.


કોંગ્રેસને લોકસભા ચૂંટણી પહેલા પડી શકે છે મોટો ફટકો!

અત્યારે ગુજરાતના રાજકારણમાં જે ગતિવિધિ ચાલી રહી છે, તેને જોઇને લાગી રહ્યુ છે કે ભાજપ દ્વારા લીડ માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે. વહેલી તકે જ ભાજપ દ્વારા જોડ-તોડની નીતિ શરુ કરી દેવામાં આવી છે.આમ આદમી પાર્ટી અને કોંગ્રેસમાંથી રાજીનામા પડી રહ્યા છે. ભાજપ માટે આ ખૂબ સારા સમાચાર કહી શકાય.


રાજીનામું આપ્યા બાદ ભૂપત ભાયાણીએ કહી હતી આ વાત

નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા વિસાવદરના આપના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું આપી દીધું છે. ભૂપત ભાયાણી હવે ગમે ત્યારે ભાજપમાં જોડાઇ શકે છે. રાજીનામું આપતા પહેલા ભૂપત ભાયાણીએ મોટું નિવેદન આપ્યું હતુ. તેમણે કહ્યુ હતુ કે, હું ભાજપનો જ કાર્યકર હતો. હું રાષ્ટ્રવાદી વ્યક્તિ છું અને મારે જનતા માટે કામ કરવાના છે. 


ધારાસભ્યોનું પક્ષ છોડવું જાણે નોર્મલ બન્યું!

મહત્વનું છે કે ચિરાગ પટેલે આ વાતની પુષ્ટિ નથી કરી. ધારાસભ્યોનું પક્ષ છોડી દેવું હવે એટલી નોર્મલ વાત થઈ ગઈ છે કે અમારે નૈતિકતાની કોઈ વાતો કરવી નથી. ત્યારે મંગળવારનો દિવસ કોંગ્રેસ માટે મંગળ સાબિત થાય છે કે અમંગળ તે તો સમય જ બતાવશે..! 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.