દાહોદમાં નકલી કચેરી કૌભાંડ મામલે વધુ એક અધિકારીની કરવામાં આવી ધરપકડ, જાણો આ કેસમાં શું થયો નવો ખુલાસો?


  • Published By :
  • Published Date : 2024-02-22 18:13:44

ગુજરાતમાં નકલીની બોલબાલા છે. કોઈ વખત નકલી ટોલનાકુ પકડાય છે તો કોઈ વખત નકલી અધિકારી પકડાય છે. ત્યારે થોડા સમય પહેલા દાહોદમાં નકલી કચેરી પકડાઈ હતી. નકલી કચેરી પકડાતા અનેક સવાલો ઉભા થયા હતા કે કોઈને ખબર કેવી રીતે ના પડી કે આખે આખી નકલી કચેરી ચાલી રહી છે? ત્યારે નકલી કચેરી અંગે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. નકલી કચેરી મામલે વધુ એક અધિકારીની ધરપકડ કરવામાં આવી છે. જે અધિકારીની ધરપકડ કરવામાં આવી છે તેમનું નામ સંજય પંડ્યા છે. હજી સુધી આ કૌભાંડ 18.59 કરોડનું હતું પરંતુ હવે આ કૌભાંડ વધીને 25 કરોડને પાર થઈ ગયું છે.  


સંજય પંડ્યાની કરવામાં આવી નકલી કચેરી કેસ મામલે ધરપકડ! 

દાહોદમાં ચાલતી નકલી કચેરીનો પર્દાફાશ થયો હતો. નકલી કચેરી ઉભી કરી કરોડોનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. અંદાજીત 18 કરોડને પાર આ કૌભાંડનો આંકડો પહોંચી ગયો છે. આ મામલો સામે આવતા તપાસનો ધમધમાટ શરૂ ગઈ ગયો છે. નકલી કચેરી બનાવવા પાછળ અસલી અધિકારીઓ પણ સામેલ છે તેવી વાત તપાસ દરમિયાન ખુલ્લી પડી હતી. હજી સુધી આ કેસમાં 13 જેટલા લોકોની સંડોવણી સામે આવી હતી ત્યારે આજે વધુ એક અધિકારીની સંડોવણી સામે આવી છે. તત્કાલીન પ્રાયોજના વહીવટદાર તરીકે ફરજ બજાવતા સંજય પંડ્યાની ધરપકડ કરવામાં આવી છે. સંજય પંડ્યા હાલ અમદાવાદના સ્પીપા ખાતે ડાયરેક્ટર તરીકે ફરજ બજાવે છે પરંતુ 2022થી 2023 દરમિયાન દાહોદમાં તે પ્રાયોજના વહીવટદાર તરીકે ફરજ બજાવતા હતા. 


કૌભાંડની રકમ વધીને આટલા પર પહોંચી!

આ કેસમાં થોડા દિવસ પહેલા જ પોલીસે ચાર્જ સીટ દાખલ  કરી છે. પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જ સીટમાં 7 બેંકોના એકાઉન્ટના 200 સ્ટેટમેન્ટ સામેલ કરવામાં આવ્યા હતા. આ કેસમાં એક પુર્વ  IAS બાબુ નીનામા સહીત 13 આરોપીને અગાઉ પોલીસએ ઝડપી પાડયા હતા ત્યારે આજે વધુ એક અધિકારીની ધરપકડ કરવામાં આવી છે. આ કૌભાંડની રકમ 25 કરોડને પાર પહોંચી ગઈ છે. મહત્વનું છે કે આ કેસમાં આગળ પણ વધુ લોકોના નામો સામે આવી શકે છે..  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.