દાહોદમાં નકલી કચેરી કૌભાંડ મામલે વધુ એક અધિકારીની કરવામાં આવી ધરપકડ, જાણો આ કેસમાં શું થયો નવો ખુલાસો?


  • Published By :
  • Published Date : 2024-02-22 18:13:44

ગુજરાતમાં નકલીની બોલબાલા છે. કોઈ વખત નકલી ટોલનાકુ પકડાય છે તો કોઈ વખત નકલી અધિકારી પકડાય છે. ત્યારે થોડા સમય પહેલા દાહોદમાં નકલી કચેરી પકડાઈ હતી. નકલી કચેરી પકડાતા અનેક સવાલો ઉભા થયા હતા કે કોઈને ખબર કેવી રીતે ના પડી કે આખે આખી નકલી કચેરી ચાલી રહી છે? ત્યારે નકલી કચેરી અંગે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. નકલી કચેરી મામલે વધુ એક અધિકારીની ધરપકડ કરવામાં આવી છે. જે અધિકારીની ધરપકડ કરવામાં આવી છે તેમનું નામ સંજય પંડ્યા છે. હજી સુધી આ કૌભાંડ 18.59 કરોડનું હતું પરંતુ હવે આ કૌભાંડ વધીને 25 કરોડને પાર થઈ ગયું છે.  


સંજય પંડ્યાની કરવામાં આવી નકલી કચેરી કેસ મામલે ધરપકડ! 

દાહોદમાં ચાલતી નકલી કચેરીનો પર્દાફાશ થયો હતો. નકલી કચેરી ઉભી કરી કરોડોનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. અંદાજીત 18 કરોડને પાર આ કૌભાંડનો આંકડો પહોંચી ગયો છે. આ મામલો સામે આવતા તપાસનો ધમધમાટ શરૂ ગઈ ગયો છે. નકલી કચેરી બનાવવા પાછળ અસલી અધિકારીઓ પણ સામેલ છે તેવી વાત તપાસ દરમિયાન ખુલ્લી પડી હતી. હજી સુધી આ કેસમાં 13 જેટલા લોકોની સંડોવણી સામે આવી હતી ત્યારે આજે વધુ એક અધિકારીની સંડોવણી સામે આવી છે. તત્કાલીન પ્રાયોજના વહીવટદાર તરીકે ફરજ બજાવતા સંજય પંડ્યાની ધરપકડ કરવામાં આવી છે. સંજય પંડ્યા હાલ અમદાવાદના સ્પીપા ખાતે ડાયરેક્ટર તરીકે ફરજ બજાવે છે પરંતુ 2022થી 2023 દરમિયાન દાહોદમાં તે પ્રાયોજના વહીવટદાર તરીકે ફરજ બજાવતા હતા. 


કૌભાંડની રકમ વધીને આટલા પર પહોંચી!

આ કેસમાં થોડા દિવસ પહેલા જ પોલીસે ચાર્જ સીટ દાખલ  કરી છે. પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જ સીટમાં 7 બેંકોના એકાઉન્ટના 200 સ્ટેટમેન્ટ સામેલ કરવામાં આવ્યા હતા. આ કેસમાં એક પુર્વ  IAS બાબુ નીનામા સહીત 13 આરોપીને અગાઉ પોલીસએ ઝડપી પાડયા હતા ત્યારે આજે વધુ એક અધિકારીની ધરપકડ કરવામાં આવી છે. આ કૌભાંડની રકમ 25 કરોડને પાર પહોંચી ગઈ છે. મહત્વનું છે કે આ કેસમાં આગળ પણ વધુ લોકોના નામો સામે આવી શકે છે..  



આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.