દાહોદમાં નકલી કચેરી કૌભાંડ મામલે વધુ એક અધિકારીની કરવામાં આવી ધરપકડ, જાણો આ કેસમાં શું થયો નવો ખુલાસો?


  • Published By :
  • Published Date : 2024-02-22 18:13:44

ગુજરાતમાં નકલીની બોલબાલા છે. કોઈ વખત નકલી ટોલનાકુ પકડાય છે તો કોઈ વખત નકલી અધિકારી પકડાય છે. ત્યારે થોડા સમય પહેલા દાહોદમાં નકલી કચેરી પકડાઈ હતી. નકલી કચેરી પકડાતા અનેક સવાલો ઉભા થયા હતા કે કોઈને ખબર કેવી રીતે ના પડી કે આખે આખી નકલી કચેરી ચાલી રહી છે? ત્યારે નકલી કચેરી અંગે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. નકલી કચેરી મામલે વધુ એક અધિકારીની ધરપકડ કરવામાં આવી છે. જે અધિકારીની ધરપકડ કરવામાં આવી છે તેમનું નામ સંજય પંડ્યા છે. હજી સુધી આ કૌભાંડ 18.59 કરોડનું હતું પરંતુ હવે આ કૌભાંડ વધીને 25 કરોડને પાર થઈ ગયું છે.  


સંજય પંડ્યાની કરવામાં આવી નકલી કચેરી કેસ મામલે ધરપકડ! 

દાહોદમાં ચાલતી નકલી કચેરીનો પર્દાફાશ થયો હતો. નકલી કચેરી ઉભી કરી કરોડોનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. અંદાજીત 18 કરોડને પાર આ કૌભાંડનો આંકડો પહોંચી ગયો છે. આ મામલો સામે આવતા તપાસનો ધમધમાટ શરૂ ગઈ ગયો છે. નકલી કચેરી બનાવવા પાછળ અસલી અધિકારીઓ પણ સામેલ છે તેવી વાત તપાસ દરમિયાન ખુલ્લી પડી હતી. હજી સુધી આ કેસમાં 13 જેટલા લોકોની સંડોવણી સામે આવી હતી ત્યારે આજે વધુ એક અધિકારીની સંડોવણી સામે આવી છે. તત્કાલીન પ્રાયોજના વહીવટદાર તરીકે ફરજ બજાવતા સંજય પંડ્યાની ધરપકડ કરવામાં આવી છે. સંજય પંડ્યા હાલ અમદાવાદના સ્પીપા ખાતે ડાયરેક્ટર તરીકે ફરજ બજાવે છે પરંતુ 2022થી 2023 દરમિયાન દાહોદમાં તે પ્રાયોજના વહીવટદાર તરીકે ફરજ બજાવતા હતા. 


કૌભાંડની રકમ વધીને આટલા પર પહોંચી!

આ કેસમાં થોડા દિવસ પહેલા જ પોલીસે ચાર્જ સીટ દાખલ  કરી છે. પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જ સીટમાં 7 બેંકોના એકાઉન્ટના 200 સ્ટેટમેન્ટ સામેલ કરવામાં આવ્યા હતા. આ કેસમાં એક પુર્વ  IAS બાબુ નીનામા સહીત 13 આરોપીને અગાઉ પોલીસએ ઝડપી પાડયા હતા ત્યારે આજે વધુ એક અધિકારીની ધરપકડ કરવામાં આવી છે. આ કૌભાંડની રકમ 25 કરોડને પાર પહોંચી ગઈ છે. મહત્વનું છે કે આ કેસમાં આગળ પણ વધુ લોકોના નામો સામે આવી શકે છે..  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે