સિરપકાંડમાં વધુ એક વ્યક્તિનું થયું મોત, આરોપીના પિતાનું થયું મોત, જાણો કેટલે પહોંંચ્યો મોતનો આંકડો?


  • Published By :
  • Published Date : 2023-12-06 16:12:38

ખેડામાં બિલોદરા નશા કારક સીરપ કાંડમાં વધુ એક વ્યક્તિનું મોત થતાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો છે. આ તરફ પોલીસ તપાસમાં પણ હવે ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. આ મામલામાં મુંબઈ કનેક્શન ખૂલ્યું છે. બિલોદરા નશાકારક સીરપમાં સારવાર લઈ રહેલ વધુ એક વ્યક્તિનું મોત થયું છે. આ તરફ પોલીસ તપાસમાં મુખ્ય આરોપી યોગેશ સિંધીએ નડિયાદમાં પોતાની સિરપ ફેક્ટરીમાં બનાવી હોવાનું અને જેલમાં મળેલા અને અન્ય વ્યક્તિ સાથે મળીને કારોબાર ચલાવતા હોવાનો ઘટસ્ફોટ થયો છે. 

One more death in the Nadiad syrup scandal, with the death of the accused's father taking the toll to 6 નડિયાદ સીરપકાંડમાં વધુ એકનું મોત, આરોપીના પિતાના મોત સાથે આંકડો 6 પર પહોંચ્યો

કેમિકલ લાવીને અન્ય પદાર્થો ઉમેરીને બનાવાતી હતી સીરપ!

પોલીસ સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર, આ કેસનો આરોપી યોગેશ સિંધી ઉર્ફે યોગીએ આ સિરપ નડિયાદ સ્થિત પોતાની ફેકટરીમાં બનાવી હતી. આ સિરપ બનાવવા જેલમાં રહેલા એક આરોપી અને તેનો અન્ય વ્યક્તિ સાથે મળીને આ સિરમ ફોર્યુમુલા મેળવીને સમગ્ર કારોબાર ચલાવતો હતો. આ સિરપ બનાવવા ઇથેનોલ જેવું અન્ય કેમિકલ મુંબઈના તોફિક નામના રિટેલર પાસેથી લાવવામાં આવતુ હતુ. આ કેમિકલ લાવીને અન્ય પદાર્થ ઉમેરી ફેકટરીમાં જ આ બોટલો પેક કરવામાં આવતી હતી. યોગીએ દવાઓ બનાવવા માટેનું લાયસન્સ પણ મેળવ્યુ હતુ. જેની આડમાં તે નશા કારક સિરપ બનાવવાનો ગોરખ ધંધો ચલાવતો હતો.


સિરપકાંડના મુખ્ય આરોપી ઈશ્વર સોઢાના પિતાનું થયું મોત!

ખેડાના બિલોદરામાં નશાકારક સીરપ કાંડમાં વધુ એકનું મોત થયું છે. વિગતો મુજબ બિલોદરામાં સાંકળ સોઢા નામના વ્યક્તિનું મોત નિપજ્યું છે. મૃતક સાંકળ સોઢા બિલોદરા સીરપ કાંડના મુખ્ય સિરપ વેંચનાર આરોપીના પિતા હોવાનું સામે આવ્યું છે. કિશોર સોઢા અને ઈશ્વર સોઢાના પિતા સાંકળભાઈ સોઢાનું અમદાવાદ સિવિલમાં મોત થયું છે. વિગતો મુજબ દેવ દિવાળીના પર્વ પર સાંકળભાઈએ સીરપની બોટલ પીધી હતી. જે બાદમાં અગાઉ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા. આ દરમિયાન વહેલી સવારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મોત નિપજ્યું છે. 


સિરપને જિલ્લાઓ સુધી પહોંચાડવા માટે બનાવાયું હતું નેટવર્ક!

આ કેમિકલ લાવી પોતાની મોકમપૂરા સ્થિત ફેકટરીમાં જ આ સિરપ બનાવવામાં આવતી હતી. રો મટીરીયલ લાવી સિરપ બનાવીને ખેડા, આણંદ અને વડોદરા જિલ્લામાં પહોંચાડવા સુધીનું નેટવર્ક બનાવેલું હતું. પોલીસે ગતરોજ કેમિકલ આપનાર મુંબઈના રિટેલર તોફિકની પણ ધરપકડ કરી લીધી છે. જ્યારે અન્ય એક વ્યક્તિની શોધખોળ ચાલી રહી છે. પોલીસ દ્વારા સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવી રહ્યો છે.




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.