સિરપકાંડમાં વધુ એક વ્યક્તિનું થયું મોત, આરોપીના પિતાનું થયું મોત, જાણો કેટલે પહોંંચ્યો મોતનો આંકડો?


  • Published By :
  • Published Date : 2023-12-06 16:12:38

ખેડામાં બિલોદરા નશા કારક સીરપ કાંડમાં વધુ એક વ્યક્તિનું મોત થતાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો છે. આ તરફ પોલીસ તપાસમાં પણ હવે ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. આ મામલામાં મુંબઈ કનેક્શન ખૂલ્યું છે. બિલોદરા નશાકારક સીરપમાં સારવાર લઈ રહેલ વધુ એક વ્યક્તિનું મોત થયું છે. આ તરફ પોલીસ તપાસમાં મુખ્ય આરોપી યોગેશ સિંધીએ નડિયાદમાં પોતાની સિરપ ફેક્ટરીમાં બનાવી હોવાનું અને જેલમાં મળેલા અને અન્ય વ્યક્તિ સાથે મળીને કારોબાર ચલાવતા હોવાનો ઘટસ્ફોટ થયો છે. 

One more death in the Nadiad syrup scandal, with the death of the accused's father taking the toll to 6 નડિયાદ સીરપકાંડમાં વધુ એકનું મોત, આરોપીના પિતાના મોત સાથે આંકડો 6 પર પહોંચ્યો

કેમિકલ લાવીને અન્ય પદાર્થો ઉમેરીને બનાવાતી હતી સીરપ!

પોલીસ સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર, આ કેસનો આરોપી યોગેશ સિંધી ઉર્ફે યોગીએ આ સિરપ નડિયાદ સ્થિત પોતાની ફેકટરીમાં બનાવી હતી. આ સિરપ બનાવવા જેલમાં રહેલા એક આરોપી અને તેનો અન્ય વ્યક્તિ સાથે મળીને આ સિરમ ફોર્યુમુલા મેળવીને સમગ્ર કારોબાર ચલાવતો હતો. આ સિરપ બનાવવા ઇથેનોલ જેવું અન્ય કેમિકલ મુંબઈના તોફિક નામના રિટેલર પાસેથી લાવવામાં આવતુ હતુ. આ કેમિકલ લાવીને અન્ય પદાર્થ ઉમેરી ફેકટરીમાં જ આ બોટલો પેક કરવામાં આવતી હતી. યોગીએ દવાઓ બનાવવા માટેનું લાયસન્સ પણ મેળવ્યુ હતુ. જેની આડમાં તે નશા કારક સિરપ બનાવવાનો ગોરખ ધંધો ચલાવતો હતો.


સિરપકાંડના મુખ્ય આરોપી ઈશ્વર સોઢાના પિતાનું થયું મોત!

ખેડાના બિલોદરામાં નશાકારક સીરપ કાંડમાં વધુ એકનું મોત થયું છે. વિગતો મુજબ બિલોદરામાં સાંકળ સોઢા નામના વ્યક્તિનું મોત નિપજ્યું છે. મૃતક સાંકળ સોઢા બિલોદરા સીરપ કાંડના મુખ્ય સિરપ વેંચનાર આરોપીના પિતા હોવાનું સામે આવ્યું છે. કિશોર સોઢા અને ઈશ્વર સોઢાના પિતા સાંકળભાઈ સોઢાનું અમદાવાદ સિવિલમાં મોત થયું છે. વિગતો મુજબ દેવ દિવાળીના પર્વ પર સાંકળભાઈએ સીરપની બોટલ પીધી હતી. જે બાદમાં અગાઉ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા. આ દરમિયાન વહેલી સવારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મોત નિપજ્યું છે. 


સિરપને જિલ્લાઓ સુધી પહોંચાડવા માટે બનાવાયું હતું નેટવર્ક!

આ કેમિકલ લાવી પોતાની મોકમપૂરા સ્થિત ફેકટરીમાં જ આ સિરપ બનાવવામાં આવતી હતી. રો મટીરીયલ લાવી સિરપ બનાવીને ખેડા, આણંદ અને વડોદરા જિલ્લામાં પહોંચાડવા સુધીનું નેટવર્ક બનાવેલું હતું. પોલીસે ગતરોજ કેમિકલ આપનાર મુંબઈના રિટેલર તોફિકની પણ ધરપકડ કરી લીધી છે. જ્યારે અન્ય એક વ્યક્તિની શોધખોળ ચાલી રહી છે. પોલીસ દ્વારા સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવી રહ્યો છે.




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.