સિરપકાંડમાં વધુ એક વ્યક્તિનું થયું મોત, આરોપીના પિતાનું થયું મોત, જાણો કેટલે પહોંંચ્યો મોતનો આંકડો?


  • Published By :
  • Published Date : 2023-12-06 16:12:38

ખેડામાં બિલોદરા નશા કારક સીરપ કાંડમાં વધુ એક વ્યક્તિનું મોત થતાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો છે. આ તરફ પોલીસ તપાસમાં પણ હવે ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. આ મામલામાં મુંબઈ કનેક્શન ખૂલ્યું છે. બિલોદરા નશાકારક સીરપમાં સારવાર લઈ રહેલ વધુ એક વ્યક્તિનું મોત થયું છે. આ તરફ પોલીસ તપાસમાં મુખ્ય આરોપી યોગેશ સિંધીએ નડિયાદમાં પોતાની સિરપ ફેક્ટરીમાં બનાવી હોવાનું અને જેલમાં મળેલા અને અન્ય વ્યક્તિ સાથે મળીને કારોબાર ચલાવતા હોવાનો ઘટસ્ફોટ થયો છે. 

One more death in the Nadiad syrup scandal, with the death of the accused's father taking the toll to 6 નડિયાદ સીરપકાંડમાં વધુ એકનું મોત, આરોપીના પિતાના મોત સાથે આંકડો 6 પર પહોંચ્યો

કેમિકલ લાવીને અન્ય પદાર્થો ઉમેરીને બનાવાતી હતી સીરપ!

પોલીસ સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર, આ કેસનો આરોપી યોગેશ સિંધી ઉર્ફે યોગીએ આ સિરપ નડિયાદ સ્થિત પોતાની ફેકટરીમાં બનાવી હતી. આ સિરપ બનાવવા જેલમાં રહેલા એક આરોપી અને તેનો અન્ય વ્યક્તિ સાથે મળીને આ સિરમ ફોર્યુમુલા મેળવીને સમગ્ર કારોબાર ચલાવતો હતો. આ સિરપ બનાવવા ઇથેનોલ જેવું અન્ય કેમિકલ મુંબઈના તોફિક નામના રિટેલર પાસેથી લાવવામાં આવતુ હતુ. આ કેમિકલ લાવીને અન્ય પદાર્થ ઉમેરી ફેકટરીમાં જ આ બોટલો પેક કરવામાં આવતી હતી. યોગીએ દવાઓ બનાવવા માટેનું લાયસન્સ પણ મેળવ્યુ હતુ. જેની આડમાં તે નશા કારક સિરપ બનાવવાનો ગોરખ ધંધો ચલાવતો હતો.


સિરપકાંડના મુખ્ય આરોપી ઈશ્વર સોઢાના પિતાનું થયું મોત!

ખેડાના બિલોદરામાં નશાકારક સીરપ કાંડમાં વધુ એકનું મોત થયું છે. વિગતો મુજબ બિલોદરામાં સાંકળ સોઢા નામના વ્યક્તિનું મોત નિપજ્યું છે. મૃતક સાંકળ સોઢા બિલોદરા સીરપ કાંડના મુખ્ય સિરપ વેંચનાર આરોપીના પિતા હોવાનું સામે આવ્યું છે. કિશોર સોઢા અને ઈશ્વર સોઢાના પિતા સાંકળભાઈ સોઢાનું અમદાવાદ સિવિલમાં મોત થયું છે. વિગતો મુજબ દેવ દિવાળીના પર્વ પર સાંકળભાઈએ સીરપની બોટલ પીધી હતી. જે બાદમાં અગાઉ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા. આ દરમિયાન વહેલી સવારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મોત નિપજ્યું છે. 


સિરપને જિલ્લાઓ સુધી પહોંચાડવા માટે બનાવાયું હતું નેટવર્ક!

આ કેમિકલ લાવી પોતાની મોકમપૂરા સ્થિત ફેકટરીમાં જ આ સિરપ બનાવવામાં આવતી હતી. રો મટીરીયલ લાવી સિરપ બનાવીને ખેડા, આણંદ અને વડોદરા જિલ્લામાં પહોંચાડવા સુધીનું નેટવર્ક બનાવેલું હતું. પોલીસે ગતરોજ કેમિકલ આપનાર મુંબઈના રિટેલર તોફિકની પણ ધરપકડ કરી લીધી છે. જ્યારે અન્ય એક વ્યક્તિની શોધખોળ ચાલી રહી છે. પોલીસ દ્વારા સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવી રહ્યો છે.




ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી