Jamanagarમાં વધુ એક યુવાનનું થયું Heart Attackને કારણે મોત, Gujaratમાં અનેક લોકો માટે આ નવરાત્રી બની અંતિમ નવરાત્રી!


  • Published By :
  • Published Date : 2023-10-25 13:50:35

હાર્ટ એટેકના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. નાની ઉંમરના લોકો હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. માત્ર નવરાત્રીના સમય દરમિયાન 36 જેટલા લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે તેવી માહિતી સામે આવી છે. નવરાત્રી દરમિાયન ગરબે ઘૂમતી વખતે પણ અનેક લોકોએ અંતિમ શ્વાસ લીધા છે. રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં 36 જેટલા મોત હાર્ટ એટેકને કારણે થયા હોય તેવી માહિતી સામે આવી છે. યુવાનો માતને ભેટી રહ્યા છે હાર્ટ એટેકને કારણે. ત્યારે જામનગરમાં વધુ એક યુવાનનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. 37 વર્ષીય જયવંતસિંહ વાળાનું નિધન હાર્ટ એટેકને કારણે થયું છે. 


નવરાત્રી દરમિયાન હાર્ટ એટેકને કારણે થયા આટલા લોકોના મોત

એક સમય કોરોનાએ હાહાકાર મચાવ્યો હતો. લાખો લોકોના મોત કોરોના સંક્રમિત થયા હોવાને કારણે થયા છે. તેમાંથી અનેક લોકો મોતને વ્હાલા થયા હતા. કોરોના નહીંવત છે તેવું હમણા માનીએ તો ખોટા ન ગણાઈએ. કોરોના બાદ હાર્ટ એટેકના અનેક કિસ્સાઓ આપણી સામે આવી રહ્યા છે. યુવાનો મોતને ભેટી રહ્યા છે કારણ કે તેમને હાર્ટ એટેક આવી રહ્યો છે. નવરાત્રી દરમિયાન તો અનેક સમાચારો સામે આવ્યા જેમાં મોત હાર્ટ એટેકને કારણે થયું હતું. નવરાત્રીના નવ દિવસ દરમિયાન 36 જેટલા લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા હોય તેવા સમાચાર સામે આવ્યા છે. આ આંકડો કદાચ વધારે પણ હોઈ શકે છે. 


જામનગરમાં વધુ એક યુવાનનું થયું હાર્ટ એટેકને કારણે મોત

થોડા સમય પહેલા 19 વર્ષીય યુવાનનું મોત જામનગરમાં થયું હતું ત્યારે જામનગરમાં વધુ એક આશાવાદી .યુવાનનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. જામનગરના સિક્કા ગામમાં રહેતા 37 વર્ષીય યુવાનનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. યુવાનને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો અને તે ઢળી પડ્યો. સારવાર અર્થે જ્યારે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા ત્યારે ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા. યુવાનની આવી ઓચિંતી ચિર વિદાયને કારણે પરિવારમાં શોકની લાગણી પ્રવર્તિ ઉઠી છે. 


આ વિસ્તારોથી સામે આવ્યા હાર્ટ એટેકના કિસ્સાઓ 

મહત્વનું છે કે કોરોના બાદ યુવાનોમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓ ચિંતાજનક છે. રાજકોટ, દેવભૂમિ દ્વારકા સહિતના અનેક વિસ્તારો છે જ્યાંથી હાર્ટ એટેકના કિસ્સાઓ વધારે સામે આવી રહ્યા છે. નવરાત્રી દરમિયાન થયેલા મોત અંગેની વાત કરીએ તો અમદાવાદમાં 3 લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. સૌરાષ્ટ્રમાં 16 લોકોએ પોતાનો જીવ હૃદય હુમલાને કારણે ગુમાવ્યો છે.  દક્ષિણ ગુજરાતથી 15 કેસ હાર્ટ એટેકના કેસ સામે આવ્યા છે, અને મોતને ભેટ્યા છે. તે ઉપરાંત ઉત્તર-ગુજરાતથી 02 કેસ નોંધાયા છે.


આનંદીબેન પટેલે અને શક્તિસિંહ ગોહિલે ચિંતા કરી હતી વ્યક્ત

યુવાનોમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓ ચિંતાજનક છે. યુવાનો ઉપરાંત વિદ્યાર્થીઓના મોત પણ હાર્ટ એટેકને કારણે થઈ રહ્યા છે. શાળામાં ભણતા અનેક વિદ્યાર્થી કાળનો કોળિયો બન્યા છે. થોડા સમય પહેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે યુવાનોમાં વધતા હાર્ટ એટેકને કારણે ચિતા વ્યક્ત કરી હતી. તે બાદ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે હાર્ટ એટેકને કોરોના વેક્સિનને જોડી હતી. કોણે કઈ વેક્સિીન લીધી છે તે અંગે તપાસ થવી જોઈએ તેવી તેમણે વાત કરી હતી. મહત્વનું છે કે યુવાનોમાં હાર્ટ એટેકનો ખતરો સતત વધતો જઈ રહ્યો છે.   



આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.