Jamanagarમાં વધુ એક યુવાનનું થયું Heart Attackને કારણે મોત, Gujaratમાં અનેક લોકો માટે આ નવરાત્રી બની અંતિમ નવરાત્રી!


  • Published By :
  • Published Date : 2023-10-25 13:50:35

હાર્ટ એટેકના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. નાની ઉંમરના લોકો હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. માત્ર નવરાત્રીના સમય દરમિયાન 36 જેટલા લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે તેવી માહિતી સામે આવી છે. નવરાત્રી દરમિાયન ગરબે ઘૂમતી વખતે પણ અનેક લોકોએ અંતિમ શ્વાસ લીધા છે. રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં 36 જેટલા મોત હાર્ટ એટેકને કારણે થયા હોય તેવી માહિતી સામે આવી છે. યુવાનો માતને ભેટી રહ્યા છે હાર્ટ એટેકને કારણે. ત્યારે જામનગરમાં વધુ એક યુવાનનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. 37 વર્ષીય જયવંતસિંહ વાળાનું નિધન હાર્ટ એટેકને કારણે થયું છે. 


નવરાત્રી દરમિયાન હાર્ટ એટેકને કારણે થયા આટલા લોકોના મોત

એક સમય કોરોનાએ હાહાકાર મચાવ્યો હતો. લાખો લોકોના મોત કોરોના સંક્રમિત થયા હોવાને કારણે થયા છે. તેમાંથી અનેક લોકો મોતને વ્હાલા થયા હતા. કોરોના નહીંવત છે તેવું હમણા માનીએ તો ખોટા ન ગણાઈએ. કોરોના બાદ હાર્ટ એટેકના અનેક કિસ્સાઓ આપણી સામે આવી રહ્યા છે. યુવાનો મોતને ભેટી રહ્યા છે કારણ કે તેમને હાર્ટ એટેક આવી રહ્યો છે. નવરાત્રી દરમિયાન તો અનેક સમાચારો સામે આવ્યા જેમાં મોત હાર્ટ એટેકને કારણે થયું હતું. નવરાત્રીના નવ દિવસ દરમિયાન 36 જેટલા લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા હોય તેવા સમાચાર સામે આવ્યા છે. આ આંકડો કદાચ વધારે પણ હોઈ શકે છે. 


જામનગરમાં વધુ એક યુવાનનું થયું હાર્ટ એટેકને કારણે મોત

થોડા સમય પહેલા 19 વર્ષીય યુવાનનું મોત જામનગરમાં થયું હતું ત્યારે જામનગરમાં વધુ એક આશાવાદી .યુવાનનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. જામનગરના સિક્કા ગામમાં રહેતા 37 વર્ષીય યુવાનનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. યુવાનને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો અને તે ઢળી પડ્યો. સારવાર અર્થે જ્યારે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા ત્યારે ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા. યુવાનની આવી ઓચિંતી ચિર વિદાયને કારણે પરિવારમાં શોકની લાગણી પ્રવર્તિ ઉઠી છે. 


આ વિસ્તારોથી સામે આવ્યા હાર્ટ એટેકના કિસ્સાઓ 

મહત્વનું છે કે કોરોના બાદ યુવાનોમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓ ચિંતાજનક છે. રાજકોટ, દેવભૂમિ દ્વારકા સહિતના અનેક વિસ્તારો છે જ્યાંથી હાર્ટ એટેકના કિસ્સાઓ વધારે સામે આવી રહ્યા છે. નવરાત્રી દરમિયાન થયેલા મોત અંગેની વાત કરીએ તો અમદાવાદમાં 3 લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. સૌરાષ્ટ્રમાં 16 લોકોએ પોતાનો જીવ હૃદય હુમલાને કારણે ગુમાવ્યો છે.  દક્ષિણ ગુજરાતથી 15 કેસ હાર્ટ એટેકના કેસ સામે આવ્યા છે, અને મોતને ભેટ્યા છે. તે ઉપરાંત ઉત્તર-ગુજરાતથી 02 કેસ નોંધાયા છે.


આનંદીબેન પટેલે અને શક્તિસિંહ ગોહિલે ચિંતા કરી હતી વ્યક્ત

યુવાનોમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓ ચિંતાજનક છે. યુવાનો ઉપરાંત વિદ્યાર્થીઓના મોત પણ હાર્ટ એટેકને કારણે થઈ રહ્યા છે. શાળામાં ભણતા અનેક વિદ્યાર્થી કાળનો કોળિયો બન્યા છે. થોડા સમય પહેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે યુવાનોમાં વધતા હાર્ટ એટેકને કારણે ચિતા વ્યક્ત કરી હતી. તે બાદ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે હાર્ટ એટેકને કોરોના વેક્સિનને જોડી હતી. કોણે કઈ વેક્સિીન લીધી છે તે અંગે તપાસ થવી જોઈએ તેવી તેમણે વાત કરી હતી. મહત્વનું છે કે યુવાનોમાં હાર્ટ એટેકનો ખતરો સતત વધતો જઈ રહ્યો છે.   



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.