Jamanagarમાં વધુ એક યુવાનનું થયું Heart Attackને કારણે મોત, Gujaratમાં અનેક લોકો માટે આ નવરાત્રી બની અંતિમ નવરાત્રી!


  • Published By :
  • Published Date : 2023-10-25 13:50:35

હાર્ટ એટેકના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. નાની ઉંમરના લોકો હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. માત્ર નવરાત્રીના સમય દરમિયાન 36 જેટલા લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે તેવી માહિતી સામે આવી છે. નવરાત્રી દરમિાયન ગરબે ઘૂમતી વખતે પણ અનેક લોકોએ અંતિમ શ્વાસ લીધા છે. રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં 36 જેટલા મોત હાર્ટ એટેકને કારણે થયા હોય તેવી માહિતી સામે આવી છે. યુવાનો માતને ભેટી રહ્યા છે હાર્ટ એટેકને કારણે. ત્યારે જામનગરમાં વધુ એક યુવાનનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. 37 વર્ષીય જયવંતસિંહ વાળાનું નિધન હાર્ટ એટેકને કારણે થયું છે. 


નવરાત્રી દરમિયાન હાર્ટ એટેકને કારણે થયા આટલા લોકોના મોત

એક સમય કોરોનાએ હાહાકાર મચાવ્યો હતો. લાખો લોકોના મોત કોરોના સંક્રમિત થયા હોવાને કારણે થયા છે. તેમાંથી અનેક લોકો મોતને વ્હાલા થયા હતા. કોરોના નહીંવત છે તેવું હમણા માનીએ તો ખોટા ન ગણાઈએ. કોરોના બાદ હાર્ટ એટેકના અનેક કિસ્સાઓ આપણી સામે આવી રહ્યા છે. યુવાનો મોતને ભેટી રહ્યા છે કારણ કે તેમને હાર્ટ એટેક આવી રહ્યો છે. નવરાત્રી દરમિયાન તો અનેક સમાચારો સામે આવ્યા જેમાં મોત હાર્ટ એટેકને કારણે થયું હતું. નવરાત્રીના નવ દિવસ દરમિયાન 36 જેટલા લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા હોય તેવા સમાચાર સામે આવ્યા છે. આ આંકડો કદાચ વધારે પણ હોઈ શકે છે. 


જામનગરમાં વધુ એક યુવાનનું થયું હાર્ટ એટેકને કારણે મોત

થોડા સમય પહેલા 19 વર્ષીય યુવાનનું મોત જામનગરમાં થયું હતું ત્યારે જામનગરમાં વધુ એક આશાવાદી .યુવાનનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. જામનગરના સિક્કા ગામમાં રહેતા 37 વર્ષીય યુવાનનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. યુવાનને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો અને તે ઢળી પડ્યો. સારવાર અર્થે જ્યારે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા ત્યારે ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા. યુવાનની આવી ઓચિંતી ચિર વિદાયને કારણે પરિવારમાં શોકની લાગણી પ્રવર્તિ ઉઠી છે. 


આ વિસ્તારોથી સામે આવ્યા હાર્ટ એટેકના કિસ્સાઓ 

મહત્વનું છે કે કોરોના બાદ યુવાનોમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓ ચિંતાજનક છે. રાજકોટ, દેવભૂમિ દ્વારકા સહિતના અનેક વિસ્તારો છે જ્યાંથી હાર્ટ એટેકના કિસ્સાઓ વધારે સામે આવી રહ્યા છે. નવરાત્રી દરમિયાન થયેલા મોત અંગેની વાત કરીએ તો અમદાવાદમાં 3 લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. સૌરાષ્ટ્રમાં 16 લોકોએ પોતાનો જીવ હૃદય હુમલાને કારણે ગુમાવ્યો છે.  દક્ષિણ ગુજરાતથી 15 કેસ હાર્ટ એટેકના કેસ સામે આવ્યા છે, અને મોતને ભેટ્યા છે. તે ઉપરાંત ઉત્તર-ગુજરાતથી 02 કેસ નોંધાયા છે.


આનંદીબેન પટેલે અને શક્તિસિંહ ગોહિલે ચિંતા કરી હતી વ્યક્ત

યુવાનોમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓ ચિંતાજનક છે. યુવાનો ઉપરાંત વિદ્યાર્થીઓના મોત પણ હાર્ટ એટેકને કારણે થઈ રહ્યા છે. શાળામાં ભણતા અનેક વિદ્યાર્થી કાળનો કોળિયો બન્યા છે. થોડા સમય પહેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે યુવાનોમાં વધતા હાર્ટ એટેકને કારણે ચિતા વ્યક્ત કરી હતી. તે બાદ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે હાર્ટ એટેકને કોરોના વેક્સિનને જોડી હતી. કોણે કઈ વેક્સિીન લીધી છે તે અંગે તપાસ થવી જોઈએ તેવી તેમણે વાત કરી હતી. મહત્વનું છે કે યુવાનોમાં હાર્ટ એટેકનો ખતરો સતત વધતો જઈ રહ્યો છે.   



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.