વધુ એક યુવાનનું થયું Heart Attackને કારણે મોત, ઉદ્યોગપતિ અને Patidar સમાજના અગ્રણી કલ્પેશભાઈ તંતીનું થયું નિધન


  • Published By :
  • Published Date : 2023-08-16 10:15:42

દેશ અને દુનિયામાં હ્રદયના હુમલાથી નિધન થવાના બનાવો વધી રહ્યા છે, એક સમય હતો જ્યારે 50થી વધુ ઉંમરના લોકોને હુમલા આવતા હતા અને તેમના નિધન થઈ જતા હતા પણ અત્યારે પરિસ્થિતિ એવી છે કે 15-17 વર્ષના છોકરાઓનને પણ હુમલો આવવાના બનાવો સામે આવી રહ્યા છે અને તેમના નિધન થઈ રહ્યા છે. આ બધા બનાવોની વચ્ચે વધુ એક સમાચાર આવ્યા છે કે ખોડલધામના ટ્રસ્ટી કલ્પેશભાઈ તંતીનું હ્રદય રોગના હુમલાથી અકાળે મોત નિપજ્યું છે. 



પૂજા દરમિયાન ખોડલધામના ટ્રસ્ટીને આવ્યો હાર્ટ એટેક  

46 વર્ષના ખોડલધામનાં ટ્રસ્ટી કલ્પેશભાઈ તંતીનું હાર્ટ એટેકથી મૃત્યુ થતાં પરિવાર તથા લેઉવા પાટીદાર સમાજમાં શોકનુ મોજુ ફરી વળ્યું છે. કલ્પેશ ભાઈ રાજકોટના નાના મૌવા રોડ પર રાજ રેસીડેન્સીમાં પોતાના ઘરે ગઈકાલ સાંજે પૂજા કરી રહ્યા હતા એ દરમિયાન આ બનાવ બન્યો છે. ભગવાનની પૂજા કરવા દરમિયાન હાર્ટ એટેક આવતા પરિજનો તેમને દવાખાને લઈ ગયા હતા પરંતુ એ દરમિયાન તેમનું નિધન થઈ ગયું હતું.તેમની સ્મશાન યાત્રા નિકળી તેમાં અનેક પ્રકારના રાજકારણીઓ અને સમાજના લોકો પણ હાજર રહ્યા હતા.

અચાનક મૃત્યુ થતાં સમાજમાં ફેલાઈ શોકની લાગણી  

કલ્પેશભાઈ તંતીની વાત કરીએ તો તે એક ઉદ્યોગપતિ હતા, બિલ્ડર હતા અને પાટીદાર સમાજમાં સામાજિક આગેવાન પણ હતા. કાગવડના ખોડલધામના ટ્રસ્ટી તરીકે તે સેવા પણ આપતા હતા અને લેઉવા પટેલ ટ્રસ્ટ સોમનાથમાં પણ ટ્રસ્ટી હતા. સામાજિક આગેવાનનું નિધન થતાં સમાજમાં ન પૂરાય તેવી ખોટ પડી છે. હમણા થોડા સમયથી હુમલાના બનાવો ઘણા વધી રહ્યા છે ગુજરાતના બનાવોની વાત કરીએ તે પહેલા ડોક્ટર પાસે જઈએ અને પૂછીએ કે તેમના મંતવ્યો મુજબ કારણો શું હોઈ શકે. 



યુવાનો બની રહ્યા છે હૃદય હુમલાનો ભોગ

આવા સતત બનાવો વધી રહ્યા છે. કોઈ ચાલતા ચાલતા તો કોઈ બોલતા બોલતા તો કોઈ તો વળી બેઠા બેઠા ગુજરી જાય છે. ગુજરાતમાં બનાવો સામે આવ્યા તે ચોંકાવી દે તેવા છે. ક્રિકેટ રમવા જતા મોત થયું એ સાંભળીને હવે લોકોને નવું નથી લાગતું કે ક્રિકેટ રમતા રમતા મોત થયું પણ ગંભીરતાથી તેને જોવું પડશે કારણ કે એક સમયે 70 વર્ષના વ્યક્તિને હુમલો આવતો હતો હવે એ 15 કે 20 વર્ષના છોકરાઓને હુમલાઓ આવી રહ્યો છે. તેની પાછળના કારણો પણ નથી ખબર પડી રહ્યા છે. 



શાળામાં ભણતા વિદ્યાર્થીઓને ભરખી રહ્યો છે કાળ રૂપી હાર્ટ એટેક  

હમણા જ ગુરુ પૂર્ણિમાં ગઈ તેમાં બે બનાવો બન્યા હતા, 17 વર્ષનો વિદ્યાર્થી ક્લાસમાં બેઠો હતો અને ઢળી પડે છે દવાખાને લઈ જવામાં આવે છે તો ડોક્ટર કહે છે મુદિત નડિયાપરા હવે આ દુનિયામાં નથી. તેના પહેલાના દિવસે જ અરવલ્લીના મોડાસામાં વીસ વર્ષના પર્વ સોનીનું હૃદય હુમલાને કારણે મોત થઈ જાય છે. હમણા સુરતના ઓલપાડના નરથાણા ગામમાં પણ નિમેશ આહીરનું હાર્ટ એટેકથી મોત થયું હતું, 


રાજકોટના શાસ્ત્રીનગરના મયૂર મકવાણાનું ક્રિકેટ રમતા મોત થયું હતું, રાજકોટના રેસકોર્સમાં તો ગાડી ચલાવતા ચલાવતા એકભાઈને એટેક આવી ગયો હતો, દ્વારકાના ધરમપુરના પ્રવીણભાઈ કંજરિયાનું 26 વર્ષે હુમલાના કારણે મોત થયું હતું, હમણા ત્રણ તારીખે ગુરુપૂર્ણિમાના દિવસે તો કોઈએ સપને પણ ના વિચાર્યું હોય તેવું થયું હતું, એક 10મા ધોરણમાં ભણતો વિદ્યાર્થી ગુરુપૂર્ણિમાની તૈયારી કરી રહ્યો હતો અને ગુરુની સેવા કરતા કરતા તે પૂરી ન થઈ શકે તેવી નિંદ્રામાં જતો રહ્યો, એજ દિવસે જૂનાગઢના ચોરવાડમાં 17 વર્ષના છોકરાનું નાળિયેરીના વાડીમાં કામ કરતા કરતા મોત થઈ ગયું હતું.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.