‘ડબલ એન્જિનમાંથી એક એન્જિન ખરાબ થઈ ગયું છે, હવે નવા એન્જિનની સરકાર લાવો’


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-28 16:59:12


ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતની રાજનીતિ ગરમાઈ  રહી છે.ત્યારે અરવિંદ કેજરીવાલ આજથી 3 દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે. તેમણે આજે પંચમહાલના મોરવાહડફ ખાતે જનસભાને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે ફરીથી IBના રિપોર્ટનો ઉલ્લેખ કરીને ગુજરાતમાં AAPની સરકાર બનતી હોવાનું જણાવ્યું હતું. સાથે જ તેમણે AAPની ગેરંટીનો ઉલ્લેખ કર્યો હતો.


આ વખતે શું કહ્યું અરવિંદ કેજરીવાલએ ???


કેજરીવાલે કહ્યું કે, સમગ્ર ગુજરાતમાં કંઈક ગજબની હવા ચાલી રહી છે. જ્યાં જઈએ ત્યાં ઝાડુ ચાલી રહી છે. જ્યાં જઈએ લોકો કહે છે બદલાવ જોઈએ, પરિવર્તન જોઈએ. IBનો રિપોર્ટ છે કે ગુજરાતની ચૂંટણીમાં ડિસેમ્બરમાં AAPની સરકાર બની રહી છે. વધુમાં તેમણે કહ્યું પંજાબમાં સ્વાસ્થ્ય મંત્રી ગોટાળો કરતા હતા. ભગવંત માનને જાણ થતા જ તેમને જેલમાં નાખી દીધા. AAP કટ્ટર ઈમાનદાર સરકાર છે. મારો દીકરો, ભાઈ ચોરી કરશે તો એ લોકો પણ જેલમાં જશે. છોડશું નહીં એમને પણ. 15 ડિસેમ્બર બાદ ગુજરાતમાં પણ ભ્રષ્ટાચાર ખતમ થઈ જશે. ગુજરાતમાં દેશમાં સૌથી વધુ મોંઘવારી છે. હું તમને સૌથી પહેલા મોંઘવારીથી છૂટકારો અપાવીશ. 


ડબલ એન્જિનની સરકાર પર સાધ્યો નિશાનો !!!

કોંગ્રેસ પર પ્રહાર કરતા તેમણે કહ્યું, કોંગ્રેસ ખતમ થઈ ગઈ છે. કોંગ્રેસના વોટ વેહેંચાવા ન જોઈએ. કોંગ્રેસના તમામ વોટ આપમાં આવવા જોઈએ. હું થોડા દિવસ પહેલા વડોદરા ગયો, મને જોઈને છોકરાઓ મને મોદી-મોદી કહેવા લાગ્યા. મેં એમને કહી દીધું, જેટલું મોદી-મોદી કરવું હોય એટલું કરી લો. જ્યારે તમારા ઘરમાં કોઈ બીમાર હશે ત્યારે કેજરીવાલ જ કામ આવશે. તમારા બધાના ઘરનું લાઈટબિલ પણ કેજરીવાલ જ માફ કરશે. આ લોકો કહે છે કે ડબલ એન્જિનની સરકાર. અરે એક એન્જિન ખરાબ થઈ ગયું છે. હવે નવું એન્જિન લાવો, નવા એન્જિનની સરકાર.





ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.