‘ડબલ એન્જિનમાંથી એક એન્જિન ખરાબ થઈ ગયું છે, હવે નવા એન્જિનની સરકાર લાવો’


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-28 16:59:12


ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતની રાજનીતિ ગરમાઈ  રહી છે.ત્યારે અરવિંદ કેજરીવાલ આજથી 3 દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે. તેમણે આજે પંચમહાલના મોરવાહડફ ખાતે જનસભાને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે ફરીથી IBના રિપોર્ટનો ઉલ્લેખ કરીને ગુજરાતમાં AAPની સરકાર બનતી હોવાનું જણાવ્યું હતું. સાથે જ તેમણે AAPની ગેરંટીનો ઉલ્લેખ કર્યો હતો.


આ વખતે શું કહ્યું અરવિંદ કેજરીવાલએ ???


કેજરીવાલે કહ્યું કે, સમગ્ર ગુજરાતમાં કંઈક ગજબની હવા ચાલી રહી છે. જ્યાં જઈએ ત્યાં ઝાડુ ચાલી રહી છે. જ્યાં જઈએ લોકો કહે છે બદલાવ જોઈએ, પરિવર્તન જોઈએ. IBનો રિપોર્ટ છે કે ગુજરાતની ચૂંટણીમાં ડિસેમ્બરમાં AAPની સરકાર બની રહી છે. વધુમાં તેમણે કહ્યું પંજાબમાં સ્વાસ્થ્ય મંત્રી ગોટાળો કરતા હતા. ભગવંત માનને જાણ થતા જ તેમને જેલમાં નાખી દીધા. AAP કટ્ટર ઈમાનદાર સરકાર છે. મારો દીકરો, ભાઈ ચોરી કરશે તો એ લોકો પણ જેલમાં જશે. છોડશું નહીં એમને પણ. 15 ડિસેમ્બર બાદ ગુજરાતમાં પણ ભ્રષ્ટાચાર ખતમ થઈ જશે. ગુજરાતમાં દેશમાં સૌથી વધુ મોંઘવારી છે. હું તમને સૌથી પહેલા મોંઘવારીથી છૂટકારો અપાવીશ. 


ડબલ એન્જિનની સરકાર પર સાધ્યો નિશાનો !!!

કોંગ્રેસ પર પ્રહાર કરતા તેમણે કહ્યું, કોંગ્રેસ ખતમ થઈ ગઈ છે. કોંગ્રેસના વોટ વેહેંચાવા ન જોઈએ. કોંગ્રેસના તમામ વોટ આપમાં આવવા જોઈએ. હું થોડા દિવસ પહેલા વડોદરા ગયો, મને જોઈને છોકરાઓ મને મોદી-મોદી કહેવા લાગ્યા. મેં એમને કહી દીધું, જેટલું મોદી-મોદી કરવું હોય એટલું કરી લો. જ્યારે તમારા ઘરમાં કોઈ બીમાર હશે ત્યારે કેજરીવાલ જ કામ આવશે. તમારા બધાના ઘરનું લાઈટબિલ પણ કેજરીવાલ જ માફ કરશે. આ લોકો કહે છે કે ડબલ એન્જિનની સરકાર. અરે એક એન્જિન ખરાબ થઈ ગયું છે. હવે નવું એન્જિન લાવો, નવા એન્જિનની સરકાર.





સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"