‘ડબલ એન્જિનમાંથી એક એન્જિન ખરાબ થઈ ગયું છે, હવે નવા એન્જિનની સરકાર લાવો’


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-28 16:59:12


ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતની રાજનીતિ ગરમાઈ  રહી છે.ત્યારે અરવિંદ કેજરીવાલ આજથી 3 દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે. તેમણે આજે પંચમહાલના મોરવાહડફ ખાતે જનસભાને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે ફરીથી IBના રિપોર્ટનો ઉલ્લેખ કરીને ગુજરાતમાં AAPની સરકાર બનતી હોવાનું જણાવ્યું હતું. સાથે જ તેમણે AAPની ગેરંટીનો ઉલ્લેખ કર્યો હતો.


આ વખતે શું કહ્યું અરવિંદ કેજરીવાલએ ???


કેજરીવાલે કહ્યું કે, સમગ્ર ગુજરાતમાં કંઈક ગજબની હવા ચાલી રહી છે. જ્યાં જઈએ ત્યાં ઝાડુ ચાલી રહી છે. જ્યાં જઈએ લોકો કહે છે બદલાવ જોઈએ, પરિવર્તન જોઈએ. IBનો રિપોર્ટ છે કે ગુજરાતની ચૂંટણીમાં ડિસેમ્બરમાં AAPની સરકાર બની રહી છે. વધુમાં તેમણે કહ્યું પંજાબમાં સ્વાસ્થ્ય મંત્રી ગોટાળો કરતા હતા. ભગવંત માનને જાણ થતા જ તેમને જેલમાં નાખી દીધા. AAP કટ્ટર ઈમાનદાર સરકાર છે. મારો દીકરો, ભાઈ ચોરી કરશે તો એ લોકો પણ જેલમાં જશે. છોડશું નહીં એમને પણ. 15 ડિસેમ્બર બાદ ગુજરાતમાં પણ ભ્રષ્ટાચાર ખતમ થઈ જશે. ગુજરાતમાં દેશમાં સૌથી વધુ મોંઘવારી છે. હું તમને સૌથી પહેલા મોંઘવારીથી છૂટકારો અપાવીશ. 


ડબલ એન્જિનની સરકાર પર સાધ્યો નિશાનો !!!

કોંગ્રેસ પર પ્રહાર કરતા તેમણે કહ્યું, કોંગ્રેસ ખતમ થઈ ગઈ છે. કોંગ્રેસના વોટ વેહેંચાવા ન જોઈએ. કોંગ્રેસના તમામ વોટ આપમાં આવવા જોઈએ. હું થોડા દિવસ પહેલા વડોદરા ગયો, મને જોઈને છોકરાઓ મને મોદી-મોદી કહેવા લાગ્યા. મેં એમને કહી દીધું, જેટલું મોદી-મોદી કરવું હોય એટલું કરી લો. જ્યારે તમારા ઘરમાં કોઈ બીમાર હશે ત્યારે કેજરીવાલ જ કામ આવશે. તમારા બધાના ઘરનું લાઈટબિલ પણ કેજરીવાલ જ માફ કરશે. આ લોકો કહે છે કે ડબલ એન્જિનની સરકાર. અરે એક એન્જિન ખરાબ થઈ ગયું છે. હવે નવું એન્જિન લાવો, નવા એન્જિનની સરકાર.





જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.