Sabarkanthaના હિંમતનગરમાં અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થતા ટોળુ આક્રમક બન્યું, પથ્થરમારો કર્યો, જાણો વિગતવાર


  • Published By :
  • Published Date : 2024-05-24 18:54:46

અમારા ગામમાં બ્રિજ મંજૂર થયો છે... પણ કામ ચાલુ કરાતુ નથી... અનેકવાર રજૂઆતો કરીને થાકી ગયા પણ અધિકારીઓ સાંભળતા નથી... એવામાં ગામમાં થાય છે એક અકસ્માત અને ગ્રામજનો આક્રોશમાં આવે છે... વિરોધ કરે છે હાઈવે બંધ કરી દે છે.. અને પોલીસની ગાડીને પણ સળગાવી દે છે.. ટોળુ આક્રમક બનતા પોલીસને ટિયરગેસના સેલ છોડવાની જરુર પડે છે.. આ ઘટના છે સાબરકાંઠાના હિંમતનગરના ગામડી ગામની.. 


ટોળાએ સળગાવી પોલીસની ગાડી

અકસ્માતના કિસ્સાઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે.. અનેક લોકોએ પરિવારજનોને અકસ્માતમાં ગુમાવ્યા છે. ત્યારે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ગામડી ગામ પાસે આજે સવારે અકસ્માતનો બનાવ બન્યો.. આ બનાવમાં ગામના એક વ્યક્તિનું મોત નિપજ્યું. મોત નિપજ્યા બાદ રોષે ભરાયેલા ગ્રામજનોએ નેશનલ હાઈવે બ્લોક કરી દીધો હતો. એ હદે ગ્રામજનોએ વિરોધ કર્યો કે પોલીસની ગાડીને પણ સળગાવી દીધી.. 


વાહનની અડફેટે આવતા એક વ્યક્તિનું થઈ ગયું મોત 

વિગત એવી છે કે, હિંમતનગરના ગામડી પાસે શુક્રવાર સવારે દૂધ ભરાવવા જતા એક ગ્રામજન વાહનની અડફેટે આવ્યા..વાહન સાથે ટક્કર થતા તેમનું અકસ્માતમાં મોત થયું. ત્યારબાદ રોષે ભરાયેલા ગ્રામજનોએ નેશનલ હાઈવે નં-48 બ્લોક કર્યો હતો. જોત જોતામાં ગામડીથી હિંમતનગર તરફ અને ગામડીથી ગાંભોઈ તરફ વાહનોની લાંબી લાઈનો લાગી હતી. જેને લઈને પોલીસ સ્થળ પર પહોંચી. જ્યાં રોષે ભરાયેલું ટોળું વિફર્યું અને પોલીસ વાહન ટોળાએ સળગાવી દીધું હતું...


ગ્રામજનોએ કાયદાને હાથમાં લીધો

જોત જોતામાં ટોળું આક્રમક બન્યું. જેને લઈને જિલ્લા પોલીસ વડા, ડીવાય એસપી, એલસીબી, એસઓજી સહીત જિલ્લાની પોલીસ પહોંચી ગઈ હતી... ગ્રામજનોએ હાઈવે પર મોટા મોટા લાકડા અને પથ્થરો મુકીને બંને બાજુથી રોડને બ્લોક કરી દીધો હતો....અધિકારીઓએ ગ્રામજનોને સમજાવવાનો પ્રયાસ કર્યો છતાં  ટોળાએ કાયદાને પોતાના હાથમાં લીધો. રસ્તા પર જ ટાયર સળગાવ્યા હતા. આ સાથે ટોળાએ ત્રણથી ચાર ગાડીના કાંચ પણ તોડી નાખ્યા હતા. 


વિરોધને પગલે વાહનોને કરાયા ડાયવર્ટ 

વાત અહીંયા પૂરી ના થઈ પોલીસ પર આ ટોળાએ પથ્થરમારો કર્યો હતો. તો સામે પોલીસે પણ ટોળું વિખેરવા માટે ટીયર ગેસના સેલ છોડ્યા.આ બનાવને લઈને દોઢ કલાકથી વધારે ટ્રાફિક જામ રહ્યો. જેથી નેશનલ હાઈવેનો રૂટ ડાયવર્ટ કરવાની ફરજ પડી. જેમાં અમદાવાદથી ઉદેપુર તરફ જતા વાહનોને ગાંભોઈ થઈને તલોદ થઈને મજરા તરફ અને હિંમતનગરથી રણાસણ થઈને ગાંભોઈ થઈને ઉદેપુર તરફ વૈકલ્પિક માર્ગ પર વાહનો ડાયવર્ટ કરવા પડ્યા.  હાલ સ્થિતિ સામાન્ય થઈ ગઈ છે.  


તાત્કાલિક ફ્લાય ઓવર બનાવાની ગ્રામજનોની માગ 

ગ્રામજનોનું કહેવું છે કે અહીં અવારનવાર અકસ્માત સર્જાય છે, અકસ્માતમાં ઘણાય નિર્દોષ લોકો પોતાનો જીવ ગુમાવે છે. જેથી ભવિષ્યમાં કોઈ નિર્દોષનો ભોગ ન લેવાય એ માટે અહીં તાત્કાલિક ફ્લાય ઓવર બનાવવામાં આવે.... લોકોનું એવું પણ કહેવું છે કે, તેમની માંગ ઉકેલવામાં આવે નહીંતર ઉગ્ર વિરોધ કરવામાં આવશે... વિરોધ કરવો એ ગામ લોકોનો હક છે પણ કાયદો હાથમાં લઈને વિરોધ કરવાનો હક તો કોઈને પણ નથી... તમે આ મુદ્દે શું માનો છો તે અમને કમેન્ટમાં કહો..    



Who does not know the famous Indian industrialist Dhirajlal Hira Chand Ambani alias Dhirubhai Ambani. Many people have heard his story from working at a petrol pump to establishing a company like Reliance Industries. But very few people know how much struggle he has had to reach here and what thoughts and principles he lives by. 28th December is Dhirubhai Ambani's birthday. Before that, Parimalbhai Nathwani has written an article on Dhirubhai's life and his principles. In the article, Parimal Nathwani has described Dhirubhai's life by linking it with the principles of Geeta.

અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.