Sabarkanthaના હિંમતનગરમાં અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થતા ટોળુ આક્રમક બન્યું, પથ્થરમારો કર્યો, જાણો વિગતવાર


  • Published By :
  • Published Date : 2024-05-24 18:54:46

અમારા ગામમાં બ્રિજ મંજૂર થયો છે... પણ કામ ચાલુ કરાતુ નથી... અનેકવાર રજૂઆતો કરીને થાકી ગયા પણ અધિકારીઓ સાંભળતા નથી... એવામાં ગામમાં થાય છે એક અકસ્માત અને ગ્રામજનો આક્રોશમાં આવે છે... વિરોધ કરે છે હાઈવે બંધ કરી દે છે.. અને પોલીસની ગાડીને પણ સળગાવી દે છે.. ટોળુ આક્રમક બનતા પોલીસને ટિયરગેસના સેલ છોડવાની જરુર પડે છે.. આ ઘટના છે સાબરકાંઠાના હિંમતનગરના ગામડી ગામની.. 


ટોળાએ સળગાવી પોલીસની ગાડી

અકસ્માતના કિસ્સાઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે.. અનેક લોકોએ પરિવારજનોને અકસ્માતમાં ગુમાવ્યા છે. ત્યારે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ગામડી ગામ પાસે આજે સવારે અકસ્માતનો બનાવ બન્યો.. આ બનાવમાં ગામના એક વ્યક્તિનું મોત નિપજ્યું. મોત નિપજ્યા બાદ રોષે ભરાયેલા ગ્રામજનોએ નેશનલ હાઈવે બ્લોક કરી દીધો હતો. એ હદે ગ્રામજનોએ વિરોધ કર્યો કે પોલીસની ગાડીને પણ સળગાવી દીધી.. 


વાહનની અડફેટે આવતા એક વ્યક્તિનું થઈ ગયું મોત 

વિગત એવી છે કે, હિંમતનગરના ગામડી પાસે શુક્રવાર સવારે દૂધ ભરાવવા જતા એક ગ્રામજન વાહનની અડફેટે આવ્યા..વાહન સાથે ટક્કર થતા તેમનું અકસ્માતમાં મોત થયું. ત્યારબાદ રોષે ભરાયેલા ગ્રામજનોએ નેશનલ હાઈવે નં-48 બ્લોક કર્યો હતો. જોત જોતામાં ગામડીથી હિંમતનગર તરફ અને ગામડીથી ગાંભોઈ તરફ વાહનોની લાંબી લાઈનો લાગી હતી. જેને લઈને પોલીસ સ્થળ પર પહોંચી. જ્યાં રોષે ભરાયેલું ટોળું વિફર્યું અને પોલીસ વાહન ટોળાએ સળગાવી દીધું હતું...


ગ્રામજનોએ કાયદાને હાથમાં લીધો

જોત જોતામાં ટોળું આક્રમક બન્યું. જેને લઈને જિલ્લા પોલીસ વડા, ડીવાય એસપી, એલસીબી, એસઓજી સહીત જિલ્લાની પોલીસ પહોંચી ગઈ હતી... ગ્રામજનોએ હાઈવે પર મોટા મોટા લાકડા અને પથ્થરો મુકીને બંને બાજુથી રોડને બ્લોક કરી દીધો હતો....અધિકારીઓએ ગ્રામજનોને સમજાવવાનો પ્રયાસ કર્યો છતાં  ટોળાએ કાયદાને પોતાના હાથમાં લીધો. રસ્તા પર જ ટાયર સળગાવ્યા હતા. આ સાથે ટોળાએ ત્રણથી ચાર ગાડીના કાંચ પણ તોડી નાખ્યા હતા. 


વિરોધને પગલે વાહનોને કરાયા ડાયવર્ટ 

વાત અહીંયા પૂરી ના થઈ પોલીસ પર આ ટોળાએ પથ્થરમારો કર્યો હતો. તો સામે પોલીસે પણ ટોળું વિખેરવા માટે ટીયર ગેસના સેલ છોડ્યા.આ બનાવને લઈને દોઢ કલાકથી વધારે ટ્રાફિક જામ રહ્યો. જેથી નેશનલ હાઈવેનો રૂટ ડાયવર્ટ કરવાની ફરજ પડી. જેમાં અમદાવાદથી ઉદેપુર તરફ જતા વાહનોને ગાંભોઈ થઈને તલોદ થઈને મજરા તરફ અને હિંમતનગરથી રણાસણ થઈને ગાંભોઈ થઈને ઉદેપુર તરફ વૈકલ્પિક માર્ગ પર વાહનો ડાયવર્ટ કરવા પડ્યા.  હાલ સ્થિતિ સામાન્ય થઈ ગઈ છે.  


તાત્કાલિક ફ્લાય ઓવર બનાવાની ગ્રામજનોની માગ 

ગ્રામજનોનું કહેવું છે કે અહીં અવારનવાર અકસ્માત સર્જાય છે, અકસ્માતમાં ઘણાય નિર્દોષ લોકો પોતાનો જીવ ગુમાવે છે. જેથી ભવિષ્યમાં કોઈ નિર્દોષનો ભોગ ન લેવાય એ માટે અહીં તાત્કાલિક ફ્લાય ઓવર બનાવવામાં આવે.... લોકોનું એવું પણ કહેવું છે કે, તેમની માંગ ઉકેલવામાં આવે નહીંતર ઉગ્ર વિરોધ કરવામાં આવશે... વિરોધ કરવો એ ગામ લોકોનો હક છે પણ કાયદો હાથમાં લઈને વિરોધ કરવાનો હક તો કોઈને પણ નથી... તમે આ મુદ્દે શું માનો છો તે અમને કમેન્ટમાં કહો..    



ઈરાનના રાજદૂત મોહમ્મદ ફતહાલીએ એક મહત્વનું નિવેદન ભારત માટે આપ્યું છે. જેમાં ઈરાને ભારતની ભૂમિકાની પ્રશંસા કરી છે. તો બીજી તરફ , ઈરાન દ્વારા બેલિસ્ટિક મિસાઇલોનો ૮૦મોં રાઉન્ડ ઇઝરાયેલ તરફ છોડવામાં આવ્યો છે. સામે ખાડી દેશોમાં કુવૈત એ પહેલો દેશ છે જેણે ઈરાન પર હુમલો કરી દીધો છે. કુવૈત દ્વારા સંભવિત પરમાણુ યુદ્ધની તૈયારીના ભાગરૂપે પોતાના નાગરિકો માટે એક એડવાઈઝરી બહાર પાડવામાં આવી છે .જેનાથી ઈરાન યુદ્ધ ભયાનકતાની નવી ચરમસીમાએ પહોંચી ચૂક્યું છે.

ઉત્તર ગુજરાતમાં આજકાલ એક અસામાજિક તત્વનું નામ ખુબ ચર્ચામાં છે તે છે , ભાવેશ રબારી. આ એજ ભાવેશ રબારી છે કે જેના રામાધણી નામના ફાર્મ હાઉસ પર પોલીસ પર ૧૮ જેટલા અસામાજિક તત્વોએ પોલીસ પર હુમલો કર્યો હતો. ત્યારબાદ , આ ૧૮ જેટલા અસામાજિક તત્વોનો વરઘોડો ચાણસ્માના બજારમાં કાઢવામાં આવ્યો હતો. આ પછી , ભાવેશ રબારીના ફાર્મ હાઉસ પર બુલડોઝર ફેરવી નાખવામાં આવે છે. આજે ભાવેશ રબારી અને તેના સાગરીતોની સામે નવી ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

આપણી બંધારણીય સંસ્થા ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એટલેકે , GPSCને ગુજરાતની વડી અદાલત દ્વારા વેધક ટિપ્પણીઓ કરવામાં આવી છે. જેમાં ગુજરાત હાઇકોર્ટે GPSCને આપખુદ ગણાવી છે. આ ઉપરાંત, GPSCના પેપર સેંટરને લઇને ફરી સવાલ ઉભા થયા છે. હવે હાઇકોર્ટે GPSCને પેપર સેંટરના નામ પણ ડિસ્કલોઝ કરવાનો આદેશ આપ્યો છે.

વિશ્વ યુદ્ધના ભયંકર સંકટ વચ્ચેથી પસાર થઈ રહ્યું છે. અનેક માણસો જે શિપ પર પોતાના કામ માટે સવાર થઈને નીકળ્યા હતા એમના મૃત્યુના સમાચાર છે. સનકી નેતાઓનું દુનિયાભરમાં ફેલાતુ શાસન માણસ જાતના અસ્તિત્વ સામે પડકાર બનીને ઉભુ છે. ગુજરાત જેવુ વૈશ્વિક રાજ્ય આની અસરથી બાકાત નથી. સામાન્ય માણસ જેની પાસે ગેસનું પાઈપ કનેક્શન નથી એ તો એજન્સીને કોલ કરીને બુક કરેલો ગેસનો બાટલો નથી મળતો તો એની લાઈનમાં લાગે છે. મોરબીથી માંડીને મહેસાણાના કારખાના બંધ છે. અનેક એક્સપોર્ટ ઉદ્યોગને અસર થઈ છે. ટુંકમાં મુદ્દા પર આવુ તો ચિંતા કરવા માટે, ચર્ચા કરવા માટે અનેક વિષયો છે.. પણ આપણે ધ ગ્રેટ ગુજરાતી સમાજો… આપણી ચર્ચાનો મુખ્ય મુદ્દો શું છે? છોકરીએ લગ્ન ક્યાં કરવા તે.