એત તરફી પ્રેમમાં પાગલ યુવકે અમદાવાદના સરદારનગરમાં રહેતી પરિણીતા પર કર્યો જીવલેણ હુમલો


  • Published By :
  • Published Date : 2023-05-18 16:35:24

રાજ્યમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવકો સમાજ અને કાયદાના શાસન માટે ચિંતાનો વિષય બન્યા છે. અમદાવાદના સરદારનગરમાં રહેતી પરિણીતા સાથે પણ સુરતના ગ્રીષ્મા હત્યા કેસ જેવી ઘટના બની છે. પરિણીતાએ લગ્નની ના પાડતા જ ગુસ્સે થયેલો યુવક છરી લઈને તૂટી પડ્યો અને ગળાના ભાગે છરી મારી દીધી હતી. છરીના ઘા વાગવાથી લોહીલુહાણ થયેલી મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે, જ્યારે પાગલ પ્રેમીની પોલીસે ધરપકડ કરી છે.


કઈ રીતે પ્રેમ પાગર્યો?


અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તાર સરદાર નગરમાં રહેતી મહિલાના લગ્ન રાજસ્થાનમાં તેના સમાજના યુવક સાથે થયા હતા. લગ્ન બાદ તે મહિલા માતા બની. જોકે થોડા સમયથી તે મહિલાને પતિ સાથે અણબનાવ થતા તે બાળકને લઈને પિયરમાં પાછી આવી ગઈ હતી. બાદમાં તેણે દીકરાને ભણવા માટે નજીકની સ્કૂલમાં મૂક્યો હતો. તે રોજ રિક્ષામાં દીકરાને સ્કૂલે મૂકવા માટે જતી હતી. આ દરમિયાન તેની રીક્ષા લઈને આવનારા નવીન કોસ્ટી નામના યુવક સાથે ઓળખાણ થઈ હતી, અને બંને પ્રેમમાં પડ્યા હતા.


મહિલાએ લગ્નની ના પાડતા યુવક ઉશ્કેરાયો 


અમદાવાદના સરદારનગરમાં રહેતી પરિણીત પ્રેમિકાને પામવા માટે યુવક તેના પરિવાર સાથે મહિલાના પિતાના ઘરે પહોંચી ગયો હતો. તેણે બધાની હાજરીમાં મહિલાને પોતાની સાથે લગ્ન કરવા માટે કહ્યું પણ તેએ ના પાડી હતી, કારણ કે તેના છૂટાછેડા થયા ન હતા, પરંતુ નવીન જીદ પકડીને બેઠો હતો. ત્યાંરે પરિણીતાએ છૂટાછેડા લીધા નથી તો કઈ રીતે તેની સાથે લગ્ન કરે તેવી વાત કરી હતી. આથી પ્રેમી ઉશ્કેરાયો હતો અને છરી વડે પ્રેમિકાને લોહીલુહાણ કરી નાખી હતી.  




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.