એત તરફી પ્રેમમાં પાગલ યુવકે અમદાવાદના સરદારનગરમાં રહેતી પરિણીતા પર કર્યો જીવલેણ હુમલો


  • Published By :
  • Published Date : 2023-05-18 16:35:24

રાજ્યમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવકો સમાજ અને કાયદાના શાસન માટે ચિંતાનો વિષય બન્યા છે. અમદાવાદના સરદારનગરમાં રહેતી પરિણીતા સાથે પણ સુરતના ગ્રીષ્મા હત્યા કેસ જેવી ઘટના બની છે. પરિણીતાએ લગ્નની ના પાડતા જ ગુસ્સે થયેલો યુવક છરી લઈને તૂટી પડ્યો અને ગળાના ભાગે છરી મારી દીધી હતી. છરીના ઘા વાગવાથી લોહીલુહાણ થયેલી મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે, જ્યારે પાગલ પ્રેમીની પોલીસે ધરપકડ કરી છે.


કઈ રીતે પ્રેમ પાગર્યો?


અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તાર સરદાર નગરમાં રહેતી મહિલાના લગ્ન રાજસ્થાનમાં તેના સમાજના યુવક સાથે થયા હતા. લગ્ન બાદ તે મહિલા માતા બની. જોકે થોડા સમયથી તે મહિલાને પતિ સાથે અણબનાવ થતા તે બાળકને લઈને પિયરમાં પાછી આવી ગઈ હતી. બાદમાં તેણે દીકરાને ભણવા માટે નજીકની સ્કૂલમાં મૂક્યો હતો. તે રોજ રિક્ષામાં દીકરાને સ્કૂલે મૂકવા માટે જતી હતી. આ દરમિયાન તેની રીક્ષા લઈને આવનારા નવીન કોસ્ટી નામના યુવક સાથે ઓળખાણ થઈ હતી, અને બંને પ્રેમમાં પડ્યા હતા.


મહિલાએ લગ્નની ના પાડતા યુવક ઉશ્કેરાયો 


અમદાવાદના સરદારનગરમાં રહેતી પરિણીત પ્રેમિકાને પામવા માટે યુવક તેના પરિવાર સાથે મહિલાના પિતાના ઘરે પહોંચી ગયો હતો. તેણે બધાની હાજરીમાં મહિલાને પોતાની સાથે લગ્ન કરવા માટે કહ્યું પણ તેએ ના પાડી હતી, કારણ કે તેના છૂટાછેડા થયા ન હતા, પરંતુ નવીન જીદ પકડીને બેઠો હતો. ત્યાંરે પરિણીતાએ છૂટાછેડા લીધા નથી તો કઈ રીતે તેની સાથે લગ્ન કરે તેવી વાત કરી હતી. આથી પ્રેમી ઉશ્કેરાયો હતો અને છરી વડે પ્રેમિકાને લોહીલુહાણ કરી નાખી હતી.  




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.