એત તરફી પ્રેમમાં પાગલ યુવકે અમદાવાદના સરદારનગરમાં રહેતી પરિણીતા પર કર્યો જીવલેણ હુમલો


  • Published By :
  • Published Date : 2023-05-18 16:35:24

રાજ્યમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવકો સમાજ અને કાયદાના શાસન માટે ચિંતાનો વિષય બન્યા છે. અમદાવાદના સરદારનગરમાં રહેતી પરિણીતા સાથે પણ સુરતના ગ્રીષ્મા હત્યા કેસ જેવી ઘટના બની છે. પરિણીતાએ લગ્નની ના પાડતા જ ગુસ્સે થયેલો યુવક છરી લઈને તૂટી પડ્યો અને ગળાના ભાગે છરી મારી દીધી હતી. છરીના ઘા વાગવાથી લોહીલુહાણ થયેલી મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે, જ્યારે પાગલ પ્રેમીની પોલીસે ધરપકડ કરી છે.


કઈ રીતે પ્રેમ પાગર્યો?


અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તાર સરદાર નગરમાં રહેતી મહિલાના લગ્ન રાજસ્થાનમાં તેના સમાજના યુવક સાથે થયા હતા. લગ્ન બાદ તે મહિલા માતા બની. જોકે થોડા સમયથી તે મહિલાને પતિ સાથે અણબનાવ થતા તે બાળકને લઈને પિયરમાં પાછી આવી ગઈ હતી. બાદમાં તેણે દીકરાને ભણવા માટે નજીકની સ્કૂલમાં મૂક્યો હતો. તે રોજ રિક્ષામાં દીકરાને સ્કૂલે મૂકવા માટે જતી હતી. આ દરમિયાન તેની રીક્ષા લઈને આવનારા નવીન કોસ્ટી નામના યુવક સાથે ઓળખાણ થઈ હતી, અને બંને પ્રેમમાં પડ્યા હતા.


મહિલાએ લગ્નની ના પાડતા યુવક ઉશ્કેરાયો 


અમદાવાદના સરદારનગરમાં રહેતી પરિણીત પ્રેમિકાને પામવા માટે યુવક તેના પરિવાર સાથે મહિલાના પિતાના ઘરે પહોંચી ગયો હતો. તેણે બધાની હાજરીમાં મહિલાને પોતાની સાથે લગ્ન કરવા માટે કહ્યું પણ તેએ ના પાડી હતી, કારણ કે તેના છૂટાછેડા થયા ન હતા, પરંતુ નવીન જીદ પકડીને બેઠો હતો. ત્યાંરે પરિણીતાએ છૂટાછેડા લીધા નથી તો કઈ રીતે તેની સાથે લગ્ન કરે તેવી વાત કરી હતી. આથી પ્રેમી ઉશ્કેરાયો હતો અને છરી વડે પ્રેમિકાને લોહીલુહાણ કરી નાખી હતી.  




દેશમાં આજે પ્રથમ તબક્કા માટે મતદાન યોજાયું હતું. 102 બેઠકો પર મતદાનની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. સૌથી વધારે મતદાન પશ્ચિમ બંગાળમાં થયું છે. ગુજરાતમાં ત્રીજા તબક્કા અંતર્ગત મતદાન થવાનું છે.

સાબરકાંઠા લોકસભા બેઠક પર અપક્ષ તરીકે ભુપેન્દ્રસિંહ ઝાલાએ ઉમેદવારી ફોર્મ ભર્યું છે. સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપે ઉમેદવારને બદલ્યા હતા. હવે સાબરકાંઠાના ઉમેદરવાર શોભનાબેન બારૈયાને આપી છે.

ગુજરાતમાં ફરી એક વખત પેપરલીકની ઘટના બની છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર લીક થયું હોવાનો દાવો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ દ્વારા કરવામાં આવ્યો છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં તેમણે આરોપ લગાવ્યો હતો.

ભરૂચ લોકસભા બેઠકની ચર્ચા થતી હોય છે. ચૈતર વસાવા અને મનસુખ વસાવા આ બેઠકના ઉમેદવાર છે જ્યારે છોટુ વસાવાની પાર્ટીના ઉમેદવાર દિલીપ વસાવાએ પણ ઉમેદવારી નોંધાવી છે. ત્રિ પાંખીયો જંગ જામવાનો છે.