Onion Price Hike : એ કારણો જેને કારણે એક સપ્તાહની અંદર વધ્યા ડુંગળીના ભાવ, ચૂંટણી સમયે ભાવ વધતા સરકારની ચિંતા વધી, કારણ કે....


  • Published By :
  • Published Date : 2023-10-30 12:02:49

એક સમય હતો કે ટામેટાના ભાવ આસમાને પહોંચ્યા હતા. પ્રતિ કિલો 200 રુપિયાના ભાવે ટામેટા વેચાતા હતા. એ સમયની વાત આપણે જાણીએ છીએ. અનેક સમાચાર તમે વાંચ્યા અને જોયા હશે. પરંતુ એકાએક ટામેટાની કિંમત ઘટી ગઈ. જે ટામેટા 200 રુપિયાની આસપાસ માર્કેટમાં વેચાતા હતા તે હવે હમણાં કેટલા ભાવમાં વેચાય છે તે તમે જાણો છો.. એકાએક ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. ટામેટા બાદ ડુંગળીના ભાવમાં વધારો હાલ જોવા મળી રહ્યો છે. ડુંગળીના ભાવ સતત વધી રહ્યા છે. ડુંગળીના ભાવ બમણા કરતા પણ વધારે થઈ ગયા છે. 

 પરિણામે શાક માર્કેટમાં ડુંગળીની ખરીદી કરતા ગ્રાહકો પણ ઘટી ગયા છે. ગ્રાહકોને આશા છે કે, ડુંગળીના ભાવ ઘટશે. જ્યારે વેપારીઓ પણ ચિંતામાં છે કે જે માલ ભરેલો છે તેનું વેચાણ કેવી રીતે થશે. અચાનક ડુંગળીના વધી ગયેલા ભાવને કારણે ડુંગળીની ખરીદી ઓછી થઈ ગઈ છે.

15 દિવસની અંદર વધી ગયા ડુંગળીના ભાવ 

મોંઘવારી વધી ગઈ છે તેવા શબ્દો અનેક વખત આપણે સાંભળ્યા અથવા તો કહ્યા હશે. એવું પણ સાંભળ્યું હશે કે થોડા દિવસો પહેલા તો શાકભાજી આટલા ભાવે મળતી હતી પરંતુ માત્ર થોડા દિવસોની અંદર જ ભાવ વધારો થઈ ગયો. થોડા સમય પહેલા જ ટામેટાના ભાવમાં જે વધારો થયો તે આપણે જોયો છે. ટામેટા કેટલા ભાવે વેચાતા હતા તે પણ આપણે જાણીએ છીએ. ટામેટા બાદ હવે ડુંગળીના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. માત્ર 15 દિવસની અંદર જ ભાવ ડબલ અથવા તો તેના કરતા વધી ગયા છે. ગરીબોની કસ્તુરી ડુંગળીને ગણવામાં  આવે છે. એક સમયે ડુંગળી 30થી 40 રુપિયાની વચ્ચે વેચાઈ રહી હતી તે આજે 70થી 80 રુપિયે વેચાઈ રહી છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે આગામી દિવસોમાં આ ભાવ વધી પણ શકે છે.

ગુજરાતમાં પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, કયા-કયા જિલ્લામાં વરસી શકે? - BBC  News ગુજરાતી

પહેલા વરસાદ ન આવ્યો અને જ્યારે આવ્યો ત્યારે... 

ખેતી પર ભારતનું અર્થતંત્ર ચાલે છે. પરંતુ ખેતી વરસાદ પર આધારીત છે. ખરાબ હવામાન હોવાને કારણે અનેક વખત ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવે છે. કોઈ વખત વધારે વરસાદને કારણે તો કોઈ વખત અપુરતા વરસાદને કારણે ખેડૂતોને ભોગવવાનો વારો છે. પાક નિષ્ફળ જાય છે તે પાકની ઓછી આવક થાય છે. ઓછી આવક થાય છે તો ભાવમાં વધારો થાય છે. ત્યારે આ વખતનું ચોમાસુ બહુ વિચિત્ર હતું. પહેલા વરસાદ ન આવ્યો જેને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો અને પછી એટલો બધો વરસાદ આવ્યો કે પાકને નુકસાન પહોંચ્યું. ડુંગળાના ભાવમાં ઓચિંતો વધારો શા માટે થઈ રહ્યો છે તેની ચર્ચા શાકભાજીના વેપારીઓમાં તેમજ ખેડૂતોમાં થઈ રહી છે. 



આંકડાઓ શું કહે છે?

ગ્રાહક સુરક્ષા મંત્રાલયના આંકડા અનુસાર આ વર્ષે ઓક્ટોબર મહિનામાં ડુંગળીના ભાવમાં 10 રુપિયા જેટલો વધારો નોંધાયો છે. તે ઉપરાંત ડિપાર્ટમેન્ટ ઑફ કન્ઝ્યુમર અફેર્સના આંકડાઓ અનુસાર સમગ્ર દેશમાં ડુંગળીનો સરેરાશ જથ્થાબંધ ભાવ 26 ઑક્ટોબરે 3,112 રૂપિયે પ્રતિ ક્વિન્ટલ થઈ ગયો છે જે ઑક્ટોબર મહિનાની શરૂઆતમાં 2,506 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતો.દેશના અનેક રાજ્યોમાં ડુંગળીના ભાવ 50ને પાર પહોંચી ગયા છે જ્યારે ગુજરાતના અનેક ભાગોમાં ડુંગળીના ભાવ 60ને પાર પહોંચી ગયા છે.  

 ભાવવધારાની અસર અમદાવાદના ગોતા શાકમાર્કેટમાં છૂટક ડુંગળી બટાકા વેચતા વેપારીઓનું કહેવું છે કે, ડુંગળી હાલ કોઈ ખરીદતું નથી કદાચ લોકો ખરીદે તો માત્ર 250 ગ્રામ જેટલી ડુંગળી ખરીદે છે. કાલુપુર બજારમાં ડુંગળી 60થી 65 રૂપિયા કિલો મળે છે, જ્યારે અહીં આવતા ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ લાગી જતા અમે 70થી 80 રૂપિયા કિલો ડુંગળી વેચી રહ્યા છીએ.

આ વખતનું ચોમાસું રહ્યું અનિયમિત     

ગુજરાતના વાતાવરણની વાત કરીએ તો આ વર્ષે વરસાદ એકદમ અનિયમિત રહ્યો હતો. કમોસમી વરસાદ પણ વરસ્યો હતો. ઉપરાંત બિપોરજોય વાવાઝોડાને કારણે પણ પાકને નુકસાન પહોંચ્યું છે. રાજ્યમાં પહેલા એદકમ જોરદાર વરસાદ થયો પરંતુ એક-દોઢ મહિના સુધી વરસાદ બિલકુલ ન વરસ્યો હતો. અને તે બાદ એટલો વધારે વરસાદ આવ્યો કે અનેક જગ્યાઓ પર પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું. ન માત્ર ડુંગળીના પાકને પરંતુ દરેક શાકભાજી પર અનિયમિત વરસાદની વિપરીત અસર પડી છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે આવનાર દિવસોમાં આ ડુંગળીના ભાવ હજી પણ વધી શકે છે.  

Assembly Elections: 5 करोड़ अधिक वोटर तय करेंगे Rajasthan में किसकी बनेगी  सरकार, निर्वाचन आयुक्त ने दी जानकारी - many crore more voters will decide  whose government will be formed in Rajasthan

ડુંગળી અને રાજકારણને ગાઢ સંબંધ છે!

ડુંગળીના ભાવ વધતા સરકારની ચિંતા પણ વધતી હોય છે. ડુંગળીના ભાવ અને સરકાર જાણે એકબીજા સાથે જોડાયેલા હોય તેવા અનેક કિસ્સાઓ આપણી સામે છે. હાલ પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. રાજસ્થાન, તેલંગાણા, મધ્યપ્રદેશ, મિઝોરમ અને છત્તીસગઢમાં ચૂંટણી થવાની છે. ઉપભોક્તા મંત્રાલયની વેબસાઈટ અનુસાર, 29 ઓક્ટોબર, રવિવારના રોજ દેશમાં ડુંગળીની મહત્તમ સરેરાશ કિંમત 83 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગઈ હતી.   


સરકારે ડુંગળીના ભાવને નિયંત્રિત રાખવા લીધા આ પગલા

ગુજરાતી મીડિયા રિપોર્ટ અનુસાર ચૂંટણી રાજ્ય મધ્ય પ્રદેશમાં ડુંગળીની સરેરાશ છૂટક કિંમત 44.28 રૂપિયા છે. રાજસ્થાનમાં તે 34 રૂપિયા પ્રતિ કિલો, છત્તીસગઢમાં 42 રૂપિયા, મિઝોરમમાં 65 રૂપિયા અને તેલંગાણામાં 38 રૂપિયા પ્રતિ કિલો છે. ચૂંટણી સિવાયના રાજ્યોની સરખામણીમાં આ રાજ્યોમાં રાહત છે, પરંતુ ડુંગળીએ મોંઘવારીના મુદ્દે ઘણી સરકારોને પરેશાન કરી છે. સરકારને પણ ડુંગળીના ભાવ વધશે તેવી ભીંતિ હતી જેને કારણે સરકારે ઓગસ્ટ મહિનામાં જ ડુંગળીના નિકાસ પર 40 ટકા જેટલી ડ્યુટી લગાવી દીધી હતી જેને કારણે ડુંગળી સ્થાનિક માર્કેટોમાં જ રહે. 31 ઓક્ટોબર સુધી આ આદેશ લાગુ રહેશે. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.