Onion Price Hike : એ કારણો જેને કારણે એક સપ્તાહની અંદર વધ્યા ડુંગળીના ભાવ, ચૂંટણી સમયે ભાવ વધતા સરકારની ચિંતા વધી, કારણ કે....


  • Published By :
  • Published Date : 2023-10-30 12:02:49

એક સમય હતો કે ટામેટાના ભાવ આસમાને પહોંચ્યા હતા. પ્રતિ કિલો 200 રુપિયાના ભાવે ટામેટા વેચાતા હતા. એ સમયની વાત આપણે જાણીએ છીએ. અનેક સમાચાર તમે વાંચ્યા અને જોયા હશે. પરંતુ એકાએક ટામેટાની કિંમત ઘટી ગઈ. જે ટામેટા 200 રુપિયાની આસપાસ માર્કેટમાં વેચાતા હતા તે હવે હમણાં કેટલા ભાવમાં વેચાય છે તે તમે જાણો છો.. એકાએક ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. ટામેટા બાદ ડુંગળીના ભાવમાં વધારો હાલ જોવા મળી રહ્યો છે. ડુંગળીના ભાવ સતત વધી રહ્યા છે. ડુંગળીના ભાવ બમણા કરતા પણ વધારે થઈ ગયા છે. 

 પરિણામે શાક માર્કેટમાં ડુંગળીની ખરીદી કરતા ગ્રાહકો પણ ઘટી ગયા છે. ગ્રાહકોને આશા છે કે, ડુંગળીના ભાવ ઘટશે. જ્યારે વેપારીઓ પણ ચિંતામાં છે કે જે માલ ભરેલો છે તેનું વેચાણ કેવી રીતે થશે. અચાનક ડુંગળીના વધી ગયેલા ભાવને કારણે ડુંગળીની ખરીદી ઓછી થઈ ગઈ છે.

15 દિવસની અંદર વધી ગયા ડુંગળીના ભાવ 

મોંઘવારી વધી ગઈ છે તેવા શબ્દો અનેક વખત આપણે સાંભળ્યા અથવા તો કહ્યા હશે. એવું પણ સાંભળ્યું હશે કે થોડા દિવસો પહેલા તો શાકભાજી આટલા ભાવે મળતી હતી પરંતુ માત્ર થોડા દિવસોની અંદર જ ભાવ વધારો થઈ ગયો. થોડા સમય પહેલા જ ટામેટાના ભાવમાં જે વધારો થયો તે આપણે જોયો છે. ટામેટા કેટલા ભાવે વેચાતા હતા તે પણ આપણે જાણીએ છીએ. ટામેટા બાદ હવે ડુંગળીના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. માત્ર 15 દિવસની અંદર જ ભાવ ડબલ અથવા તો તેના કરતા વધી ગયા છે. ગરીબોની કસ્તુરી ડુંગળીને ગણવામાં  આવે છે. એક સમયે ડુંગળી 30થી 40 રુપિયાની વચ્ચે વેચાઈ રહી હતી તે આજે 70થી 80 રુપિયે વેચાઈ રહી છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે આગામી દિવસોમાં આ ભાવ વધી પણ શકે છે.

ગુજરાતમાં પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, કયા-કયા જિલ્લામાં વરસી શકે? - BBC  News ગુજરાતી

પહેલા વરસાદ ન આવ્યો અને જ્યારે આવ્યો ત્યારે... 

ખેતી પર ભારતનું અર્થતંત્ર ચાલે છે. પરંતુ ખેતી વરસાદ પર આધારીત છે. ખરાબ હવામાન હોવાને કારણે અનેક વખત ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવે છે. કોઈ વખત વધારે વરસાદને કારણે તો કોઈ વખત અપુરતા વરસાદને કારણે ખેડૂતોને ભોગવવાનો વારો છે. પાક નિષ્ફળ જાય છે તે પાકની ઓછી આવક થાય છે. ઓછી આવક થાય છે તો ભાવમાં વધારો થાય છે. ત્યારે આ વખતનું ચોમાસુ બહુ વિચિત્ર હતું. પહેલા વરસાદ ન આવ્યો જેને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો અને પછી એટલો બધો વરસાદ આવ્યો કે પાકને નુકસાન પહોંચ્યું. ડુંગળાના ભાવમાં ઓચિંતો વધારો શા માટે થઈ રહ્યો છે તેની ચર્ચા શાકભાજીના વેપારીઓમાં તેમજ ખેડૂતોમાં થઈ રહી છે. 



આંકડાઓ શું કહે છે?

ગ્રાહક સુરક્ષા મંત્રાલયના આંકડા અનુસાર આ વર્ષે ઓક્ટોબર મહિનામાં ડુંગળીના ભાવમાં 10 રુપિયા જેટલો વધારો નોંધાયો છે. તે ઉપરાંત ડિપાર્ટમેન્ટ ઑફ કન્ઝ્યુમર અફેર્સના આંકડાઓ અનુસાર સમગ્ર દેશમાં ડુંગળીનો સરેરાશ જથ્થાબંધ ભાવ 26 ઑક્ટોબરે 3,112 રૂપિયે પ્રતિ ક્વિન્ટલ થઈ ગયો છે જે ઑક્ટોબર મહિનાની શરૂઆતમાં 2,506 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતો.દેશના અનેક રાજ્યોમાં ડુંગળીના ભાવ 50ને પાર પહોંચી ગયા છે જ્યારે ગુજરાતના અનેક ભાગોમાં ડુંગળીના ભાવ 60ને પાર પહોંચી ગયા છે.  

 ભાવવધારાની અસર અમદાવાદના ગોતા શાકમાર્કેટમાં છૂટક ડુંગળી બટાકા વેચતા વેપારીઓનું કહેવું છે કે, ડુંગળી હાલ કોઈ ખરીદતું નથી કદાચ લોકો ખરીદે તો માત્ર 250 ગ્રામ જેટલી ડુંગળી ખરીદે છે. કાલુપુર બજારમાં ડુંગળી 60થી 65 રૂપિયા કિલો મળે છે, જ્યારે અહીં આવતા ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ લાગી જતા અમે 70થી 80 રૂપિયા કિલો ડુંગળી વેચી રહ્યા છીએ.

આ વખતનું ચોમાસું રહ્યું અનિયમિત     

ગુજરાતના વાતાવરણની વાત કરીએ તો આ વર્ષે વરસાદ એકદમ અનિયમિત રહ્યો હતો. કમોસમી વરસાદ પણ વરસ્યો હતો. ઉપરાંત બિપોરજોય વાવાઝોડાને કારણે પણ પાકને નુકસાન પહોંચ્યું છે. રાજ્યમાં પહેલા એદકમ જોરદાર વરસાદ થયો પરંતુ એક-દોઢ મહિના સુધી વરસાદ બિલકુલ ન વરસ્યો હતો. અને તે બાદ એટલો વધારે વરસાદ આવ્યો કે અનેક જગ્યાઓ પર પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું. ન માત્ર ડુંગળીના પાકને પરંતુ દરેક શાકભાજી પર અનિયમિત વરસાદની વિપરીત અસર પડી છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે આવનાર દિવસોમાં આ ડુંગળીના ભાવ હજી પણ વધી શકે છે.  

Assembly Elections: 5 करोड़ अधिक वोटर तय करेंगे Rajasthan में किसकी बनेगी  सरकार, निर्वाचन आयुक्त ने दी जानकारी - many crore more voters will decide  whose government will be formed in Rajasthan

ડુંગળી અને રાજકારણને ગાઢ સંબંધ છે!

ડુંગળીના ભાવ વધતા સરકારની ચિંતા પણ વધતી હોય છે. ડુંગળીના ભાવ અને સરકાર જાણે એકબીજા સાથે જોડાયેલા હોય તેવા અનેક કિસ્સાઓ આપણી સામે છે. હાલ પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. રાજસ્થાન, તેલંગાણા, મધ્યપ્રદેશ, મિઝોરમ અને છત્તીસગઢમાં ચૂંટણી થવાની છે. ઉપભોક્તા મંત્રાલયની વેબસાઈટ અનુસાર, 29 ઓક્ટોબર, રવિવારના રોજ દેશમાં ડુંગળીની મહત્તમ સરેરાશ કિંમત 83 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગઈ હતી.   


સરકારે ડુંગળીના ભાવને નિયંત્રિત રાખવા લીધા આ પગલા

ગુજરાતી મીડિયા રિપોર્ટ અનુસાર ચૂંટણી રાજ્ય મધ્ય પ્રદેશમાં ડુંગળીની સરેરાશ છૂટક કિંમત 44.28 રૂપિયા છે. રાજસ્થાનમાં તે 34 રૂપિયા પ્રતિ કિલો, છત્તીસગઢમાં 42 રૂપિયા, મિઝોરમમાં 65 રૂપિયા અને તેલંગાણામાં 38 રૂપિયા પ્રતિ કિલો છે. ચૂંટણી સિવાયના રાજ્યોની સરખામણીમાં આ રાજ્યોમાં રાહત છે, પરંતુ ડુંગળીએ મોંઘવારીના મુદ્દે ઘણી સરકારોને પરેશાન કરી છે. સરકારને પણ ડુંગળીના ભાવ વધશે તેવી ભીંતિ હતી જેને કારણે સરકારે ઓગસ્ટ મહિનામાં જ ડુંગળીના નિકાસ પર 40 ટકા જેટલી ડ્યુટી લગાવી દીધી હતી જેને કારણે ડુંગળી સ્થાનિક માર્કેટોમાં જ રહે. 31 ઓક્ટોબર સુધી આ આદેશ લાગુ રહેશે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.