ડુંગળીના ભાવ આસમાને, માત્ર એક સપ્તાહમાં ભાવ રૂ. 70ને વટાવી ગયો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું


  • Published By :
  • Published Date : 2023-10-31 22:33:34

ગરીબોની કસ્તુરી મનાતી ડુંગળીના ભાવ આસમાને પહોંચ્યા છે. તહેવારોની સીઝનમાં સમગ્ર દેશમાં ડુંગળીના ભાવ વધતા સામાન્ય લોકોથી માંડીને સરકાર પણ ચિંતિંત છે. ગુજરાત સહિત દેશમાં 6 રાજ્યો એવા છે જ્યાં ડુંગળીનો ભાવ 60 રૂપિયા પ્રતિ કિલોને પાર પહોંચી ગયો છે. ઓછા ઉત્પાદન અને સમયસર પુરવઠો ન મળવાને કારણે ડુંગળીના ભાવમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે.  કેન્દ્રીય કન્ઝ્યુમર અફેર્સ વિભાગની વેબસાઈટ અનુસાર, ઉત્તર ભારતના મહત્વના રાજ્ય દિલ્હી અને દક્ષિણ ભારતના પુડુચેરીમાં ડુંગળીના ભાવ રૂ. 70ને વટાવી ગયા છે. ગુજરાતના રાજકોટ, અમદાવાદ, સુરત, ભાવનગર અને ભૂજમાં માત્ર એક સપ્તાહમાં રૂ. 30ની કિલો વેંચાતી ડુંગળી હવે રૂ. 70 એટલે કે ડબલ ભાવે વેંચાઈ રહી છે.  ડુંગળીનાં ભાવમાં વધારો થતાં  પણ ગરીબ-મધ્યમ વર્ગની ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. 


શા માટે ભાવ વધ્યો?


રાજ્યમાં સ્થાનિક ખેડૂતોના ડુંગળીના પાક ઉપર માવઠું કહેર બનીને ત્રાટક્યું હોવાથી સ્થાનિક ઉત્પાદનમાં ગાબડું પડ્યું છે. વળી ગુજરાતમાં ડુંગળીનો જથ્થો કર્ણાટક, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાંથી આવે છે. જો કે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થવાને કારણે ડુંગળીના પાકને મોટું નુક્શાન થયું છે. ભારે વરસાદના કારણે મહારાષ્ટ્રમાં ડુંગળીના જૂના સ્ટોકની ક્વોલિટી પર પણ અસર થઈ છે. જેને લઈને ડુંગળીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. તહેવારો પૂર્વે સંગ્રહખોર વેપારીઓ દ્વારા ડુંગળીનો સંગ્રહ કરવામાં આવતો હોવાને કારણે પણ ભાવમાં વધારો થતો હોવાની ચર્ચા વેપારીઓમાં ચાલી રહી છે. મિશ્ર વાતાવરણનાં કારણે પાકને નુકસાન જતા આગામી સમયમાં પણ ભાવ વધારો આગળ વધવાની શક્યતા વેપારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. ડુંગળીનો નવો જથ્થો હજુ બજારમાં આવ્યો નથી. જેને લઇને પણ ભાવમાં વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આગામી સમયમાં હજુ પણ ડુંગળીના ભાવ વધી શકે તેમ છે, અને સારી ગુણવત્તાની ડુંગળીનાં ભાવો રૂ. 100ની સપાટી આસપાસ પહોંચે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી.


કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ પર બ્રેક લગાવી 


કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ માટે 800 ડોલર પ્રતિ ટનની ફ્લોર પ્રાઈસ નક્કી કરી ત્યાર પછી ભાવમાં તેજીને બ્રેક લાગે તેવી શક્યતા છે. નિકાસ પરના પ્રતિબંધ 31 ડિસેમ્બર સુધી અમલમાં રહેશે. સરકારે બફર સ્ટોક માટે બે લાખ ટન ડુંગળી ખરીદવાની જાહેરાત કરી છે અને અત્યાર સુધીમાં પાંચ લાખ ટનનો સ્ટોક ખરીદવામાં આવ્યો છે.કૃષિ બજાર સાથે સંકળાયેલા સૂત્રોના મુજબ મહારાષ્ટ્ર અને કર્ણાટક જેવા ડુંગળી ઉત્પાદક રાજ્યોમાંથી નવો જથ્થો નહીં આવે ત્યાં સુધી ડુંગળીના ભાવ ઉંચા જળવાઈ રહેવાની શક્યતા છે. કમસેકમ દિવાળી સુધી બજારમાં ઉંચા ભાવ જળવાઈ રહેવાની શક્યતા છે.



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.