ટામેટા બાદ હવે ડુંગળીએ લોકોને રળાવ્યા, એક જ સપ્તાહમાં ડુંગળીના ભાવમાં 20 ટકાનો વધારો નોંધાયો


  • Published By : Admin
  • Published Date : 2023-08-17 22:01:32

રાજ્યમાં છેલ્લા બે મહિનાથી શાકભાજી અને ફળોના ભાવમાં બેફામ વધારો થયેલો જોવા મળ્યો છે. ટમેટાના ભાવ આસમાને પહોંચ્યા બાદ હવે ડુંગળીએ લોકોને રડાવવાનું શરૂ કર્યું છે.  ડુંગળીના ભાવમાં હવે વધારો નોંધાયો છે. એક જ સપ્તાહમાં રિટેઇલ બજારમાં ડુંગળીના ભાવ 10થી 15 રૂપિયા જેટલા ઊંચકાયા છે. જેના કારણે હવે લોકોના બજેટ પર અસર સર્જાઇ છે. ડુંગળી એક સપ્તાહ પહેલા એપીએમસી બજારમાં પ્રતિ કિલો 20 રૂપિયા આસપાસ મળતી હતી.  રિટેઇલ બજારમાં 40 રૂપિયે કિલો ડુંગળી મળી રહી છે. તો શહેરમાં વિસ્તાર પ્રમાણે ભાવ વધુ જોવા મળી રહ્યો છે. કે જ્યાં કેટલાક વિસ્તારમાં 50થી 60 રૂપિયા કિલો ડુંગળી મળી રહી છે. આમ એક જ સપ્તાહમાં ડુંગળીના ભાવમાં લગભગ 20 ટકા જેટલો વધારો થયો છે.


હજુ ભાવ વધવાની આશંકા


ડુંગળી ગરીબોની કસ્તુરી કહેવાય છે પણ ડુંગળીના ભાવમાં અચાનક જ વધતા સૌને આશ્ચર્ય થયું છે. વેપારીઓના જણાવ્યા પ્રમાણે બજારમાં ડુંગળી નાશિક, પુણે, અને સૌરાષ્ટ્રમાંથી આવતી હોય છે. જેમાં હાલ સૌરાષ્ટ્ર અને કાઠીયાવાડથી ડુંગળી આવવાનું બંધ છે અને માત્ર નાશિક અને પુણેથી ડુંગળી આવી રહી છે. જોકે ત્યાં વરસાદની અસરના કારણે ડુંગળીને નુકસાન થતાં અને આવક ઓછી થતા ભાવમાં વધારો નોંધાયો છે અને હજુ પણ આ ભાવ વધવાની શક્યતા વેપારીઓ સેવી રહ્યા છે.



ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે