ભીખુસિંહ પરમારના કાર્યાલયમાં શરૂ થઈ ઓનલાઇન એપોઈનમેન્ટની સિસ્ટમ,કાર્યાલય બહાર લગાવાયું QR Code


  • Published By :
  • Published Date : 2023-02-11 15:31:16

આજનો જમાનો ડિજિટલનો જમાનો થઈ ગયો છે. દરેક વસ્તુઓ ઓનલાઈન થઈ રહી છે. ટેકનોલોજીનો ઉપયોગ કરવા પર વડાપ્રધાન મોદી સતત ભાર આપતા રહે છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીઓ પણ આ માર્ગે ચાલી રહ્યા છે. વડાપ્રધાન મોદીની સૂચનો બાદ મંત્રીઓ આ અંગે કામ કરી રહ્યા છે. રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારના કાર્યાલયમાં ઓનલાઈન એપોઈનમેન્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. આગામી સમયમાં તમામ મંત્રીઓની ઓફિસમાં આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે. 

 

ભીખુસિંહ પરમારે કરી ડિઝિટલ એપોઈનમેન્ટની શરૂઆત  

સમય સાથે દરેક વસ્તુમાં પરિવર્તન આવે છે. ટેક્નોલોજીનો ઉપયોગ કરી દરેક વસ્તુમાં નવીનતા લાવી શકાય છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળની કાર્યશૈલીમાં અનેક સુધારાઓ કરવામાં આવી રહ્યા છે. ત્યાં પણ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અનેક લોકો મંત્રીઓને મળવા આવતા હોય છે. ત્યારે મુલાકાતે આવતા લોકો માટે ઓનલાઈન એપોઈનમેન્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારે પોતાની ઓફિસમાં આ સિસ્ટમ લાગુ કરી છે. 


બારકોડ સ્કેન કરી મેળવી શકાશે એપોઈમેન્ટ 

જો હજી સુધી મંત્રીની મુલાકાત લેવી હોય તો કાર્યાલય ખાતે જઈ એક પરચી ભરીને મુલાકાત મેળવી શકાતી હતી. પરંતુ હવે ઓનલાઈન એપોઈનમેન્ટ લેવાની લેશે. મંત્રીઓના કાર્યાલયની બહાર મોબાઈલ બોક્સ પાસે ક્યુઆર કોર્ડ રાખવામાં આવશે. આ કોર્ડને સ્કેન કરી મુલાકાત માટેની વિગતો ભરવાની રહેશે. આમ ઓનલાઈન એપોઈનમેન્ટના માધ્યમથી મંત્રીઓની મુલાકાત લઈ શકાશે. હજી તો એક જ મંત્રીએ આ કાર્યપદ્ધતિ અપનાવી છે. ત્યારે આવનાર સમયમાં આ સિસ્ટમ અનેક મંત્રીઓ માટે લાગુ કરવામાં આવશે.   




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.