ઓનલાઈન સટ્ટામાં દેવાદાર થયેલા પોલીસકર્મીએ હર્ષ સંઘવીને કરી આ વિનંતી, video વાયરલ


  • Published By :
  • Published Date : 2023-04-17 18:10:08

દેશ અને રાજ્યમાં યુવાનો ઓનલાઈન ગેમના રવાડે ચડી રહ્યા છે, આ શોખ સમય જતા આદત બની જાય છે. ઓનલાઈન ગેમના કારણે ઘણી વખત યુવાનો દેવાદાર બની જતા તેમના માટે જીવવું મુશ્કેલ બની જાય છે. એક યુવાન પોલીસકર્મીનો વિડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીને વિનંતી કરતો જોવા મળે છે. આ કિસ્સો તમામ યુવાનો માટે લાલબત્તી સમાન છે. 


સમગ્ર ઘટના શું છે?


નવઘણભાઈ ભરવાડ નામનો પોલીસકર્મી અરવલ્લી જિલ્લાના પીપરાણા ગામના મૂળ વતની અને મોડાસા ગ્રામ્ય પોલીસ મથકમાં ફરજ બજાવે છે. નવઘણભાઈ ભરવાડ છેલ્લા કેટલાક અરસાથી ઓનલાઈન ગેમના રવાડે ચઢી ગયા હતા. આ લતને કારણે અગાઉ તેમના માથે રૂ.8 લાખનું દેવું થઈ જતા આ દેવું માંડ માંડ પરિવારજનોએ ભરી દીધું હતું, પરંતુ ઓનલાઈન ગેમની ખરાબ લતે ચઢી ગયેલા આ પોલીસકર્મીએ તાજેતરમાં જ ફરી રૂપિયા 24 લાખનું દેવું કરી દીધું હતું. દેવાના ભાર નીચે દબાઈ ગયેલા નવઘણ ભરવાડે 24 કલાક પહેલાં મોબાઇલ પર વીડિયો બનાવી હર્ષ સંઘવીને મદદ માટે આજીજી કરી વાઇરલ કરી દીધો હતો. ત્યાર બાદ નવઘણભાઈ ભરવાડે તેમના પોતાના મોબાઇલને સ્વિચ ઓફ કરી ઘર છોડી દીધું હતું.


કોન્સ્ટેબલને શોધવા પોલીસ દોડતી થઈ


પોલીસ કોન્સ્ટેબલ નવઘણભાઈ દેવાભાઈ ભરવાડનો આ વીડિયો વાઇરલ થતાની સાથે જ પોલીસ દોડતી થઈ હતી.પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી શોધખોળ શરૂ કરી હતી. પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ અને છેલ્લા મોબાઇલ લોકેશન પ્રમાણે તપાસ આદરી હતી. અંતે પોલીસે નવઘણ ભરવાડને મજરા નજીકથી હસ્તગત કરી લીધો હતો.  પોલીસે નવઘણ ભરવાડને ત્યાંથી લઇને પરિવાર સાથે તેમનો મેળાપ કરાવ્યો હતો અને તેમને આત્મહત્યા ન કરવા સમજાવ્યા હતા.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.