ઓનલાઈન સટ્ટામાં દેવાદાર થયેલા પોલીસકર્મીએ હર્ષ સંઘવીને કરી આ વિનંતી, video વાયરલ


  • Published By :
  • Published Date : 2023-04-17 18:10:08

દેશ અને રાજ્યમાં યુવાનો ઓનલાઈન ગેમના રવાડે ચડી રહ્યા છે, આ શોખ સમય જતા આદત બની જાય છે. ઓનલાઈન ગેમના કારણે ઘણી વખત યુવાનો દેવાદાર બની જતા તેમના માટે જીવવું મુશ્કેલ બની જાય છે. એક યુવાન પોલીસકર્મીનો વિડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીને વિનંતી કરતો જોવા મળે છે. આ કિસ્સો તમામ યુવાનો માટે લાલબત્તી સમાન છે. 


સમગ્ર ઘટના શું છે?


નવઘણભાઈ ભરવાડ નામનો પોલીસકર્મી અરવલ્લી જિલ્લાના પીપરાણા ગામના મૂળ વતની અને મોડાસા ગ્રામ્ય પોલીસ મથકમાં ફરજ બજાવે છે. નવઘણભાઈ ભરવાડ છેલ્લા કેટલાક અરસાથી ઓનલાઈન ગેમના રવાડે ચઢી ગયા હતા. આ લતને કારણે અગાઉ તેમના માથે રૂ.8 લાખનું દેવું થઈ જતા આ દેવું માંડ માંડ પરિવારજનોએ ભરી દીધું હતું, પરંતુ ઓનલાઈન ગેમની ખરાબ લતે ચઢી ગયેલા આ પોલીસકર્મીએ તાજેતરમાં જ ફરી રૂપિયા 24 લાખનું દેવું કરી દીધું હતું. દેવાના ભાર નીચે દબાઈ ગયેલા નવઘણ ભરવાડે 24 કલાક પહેલાં મોબાઇલ પર વીડિયો બનાવી હર્ષ સંઘવીને મદદ માટે આજીજી કરી વાઇરલ કરી દીધો હતો. ત્યાર બાદ નવઘણભાઈ ભરવાડે તેમના પોતાના મોબાઇલને સ્વિચ ઓફ કરી ઘર છોડી દીધું હતું.


કોન્સ્ટેબલને શોધવા પોલીસ દોડતી થઈ


પોલીસ કોન્સ્ટેબલ નવઘણભાઈ દેવાભાઈ ભરવાડનો આ વીડિયો વાઇરલ થતાની સાથે જ પોલીસ દોડતી થઈ હતી.પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી શોધખોળ શરૂ કરી હતી. પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ અને છેલ્લા મોબાઇલ લોકેશન પ્રમાણે તપાસ આદરી હતી. અંતે પોલીસે નવઘણ ભરવાડને મજરા નજીકથી હસ્તગત કરી લીધો હતો.  પોલીસે નવઘણ ભરવાડને ત્યાંથી લઇને પરિવાર સાથે તેમનો મેળાપ કરાવ્યો હતો અને તેમને આત્મહત્યા ન કરવા સમજાવ્યા હતા.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે