પહેલી ફેબ્રુઆરીએ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાનારી ટી-20 મેચ માટે શરૂ થયું ઓનલાઈન બુકિંગ


  • Published By :
  • Published Date : 2023-01-27 12:07:59

1 ફેબ્રુઆરીના રોજ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટી-20 મેચ રમાવાની છે. અમદાવાદ ખાતે આવેલા વિશ્વના સૌથી મોટા સ્ટેડિય એટલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ મેચ રમાવાની છે. મેચને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 3જી મેચ માટેનું ઓનલાઈન બુકિંગ શરૂ થઈ ગયું છે. 23 જાન્યુઆરીથી bookmyshowમાં આનું બુકિંગ ચાલું કરવામાં આવ્યું હતું. મળતી માહિતી અનુસાર માત્ર 48 કલાકમાં અનેક ટિકીટો વેચાઈ ગઈ હતી. 50000થી વધુ ટિકીટનું વેચાણ થઈ ગયું છે. 

Narendra Modi Stadium - Populous

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે મેચ

ભારત અને ન્યુઝીલેન્ડની વચ્ચે ટી-20 મેચ રમાઈ રહી છે. આ શ્રેણીની ત્રીજી મેચ પહેલી ફેબ્રુઆરીના રોજ રમાવાની છે. પહેલી ફેબ્રુઆરીના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ મેચ રમાવાની છે. આ મેચ માટેની ટિકીટનું વેચાણ ઓનલાઈન શરૂ થઈ ગયું છે. એક લાખથી વધુ કેપેસિટી ધરાવતા સ્ટેડિયમમાં આ મેચનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેને કારણે મોટી સંખ્યામાં લોકોએ મેચ જોવા માટે બુકિંગ કરાવી લીધું છે.  


ટિકીટોનું થઈ રહ્યું છે બુકિંગ 

500 અને 1000ના ભાવની ટિકીટનું વેચાણ શરૂ થઈ ગયું છે. મળતી માહિતી અનુસાર 50000થી વધુ ટિકીટોનું વેચાણ થઈ ગયું છે. B-C-E અને F બ્લોકની ટિકીટનો ભાવ 1000 રુપિયા નક્કી કરાયો છે. તે સિવાય 2000,2500,4000, 6000 તેમજ 10,000 સુધીની ટિકીટો પણ મળે છે. તમામ ટિકીટોનું પણ વેચાણ થઈ રહ્યું છે. GCAના સૂત્રો અનુસાર મેચની ટિકીટનું માત્ર ઓનલાઈન બુકિંગ જ કરવામાં આવશે.       



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.