પહેલી ફેબ્રુઆરીએ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાનારી ટી-20 મેચ માટે શરૂ થયું ઓનલાઈન બુકિંગ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-01-27 12:07:59

1 ફેબ્રુઆરીના રોજ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટી-20 મેચ રમાવાની છે. અમદાવાદ ખાતે આવેલા વિશ્વના સૌથી મોટા સ્ટેડિય એટલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ મેચ રમાવાની છે. મેચને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 3જી મેચ માટેનું ઓનલાઈન બુકિંગ શરૂ થઈ ગયું છે. 23 જાન્યુઆરીથી bookmyshowમાં આનું બુકિંગ ચાલું કરવામાં આવ્યું હતું. મળતી માહિતી અનુસાર માત્ર 48 કલાકમાં અનેક ટિકીટો વેચાઈ ગઈ હતી. 50000થી વધુ ટિકીટનું વેચાણ થઈ ગયું છે. 

Narendra Modi Stadium - Populous

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે મેચ

ભારત અને ન્યુઝીલેન્ડની વચ્ચે ટી-20 મેચ રમાઈ રહી છે. આ શ્રેણીની ત્રીજી મેચ પહેલી ફેબ્રુઆરીના રોજ રમાવાની છે. પહેલી ફેબ્રુઆરીના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ મેચ રમાવાની છે. આ મેચ માટેની ટિકીટનું વેચાણ ઓનલાઈન શરૂ થઈ ગયું છે. એક લાખથી વધુ કેપેસિટી ધરાવતા સ્ટેડિયમમાં આ મેચનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેને કારણે મોટી સંખ્યામાં લોકોએ મેચ જોવા માટે બુકિંગ કરાવી લીધું છે.  


ટિકીટોનું થઈ રહ્યું છે બુકિંગ 

500 અને 1000ના ભાવની ટિકીટનું વેચાણ શરૂ થઈ ગયું છે. મળતી માહિતી અનુસાર 50000થી વધુ ટિકીટોનું વેચાણ થઈ ગયું છે. B-C-E અને F બ્લોકની ટિકીટનો ભાવ 1000 રુપિયા નક્કી કરાયો છે. તે સિવાય 2000,2500,4000, 6000 તેમજ 10,000 સુધીની ટિકીટો પણ મળે છે. તમામ ટિકીટોનું પણ વેચાણ થઈ રહ્યું છે. GCAના સૂત્રો અનુસાર મેચની ટિકીટનું માત્ર ઓનલાઈન બુકિંગ જ કરવામાં આવશે.       



લોકસભાની ચૂંટણીમાં પક્ષવિરોધી પ્રવૃત્તિ કરનારા સૌરાષ્ટના ત્રણ નેતાઓને પક્ષમાંથી હાંકી કાઢવા માટે રજૂઆત કરવામાં આવી છે. ચૂંટણીના ઉમેદવારોની પ્રદેશ નેતાગીરીને આ મામલે રજૂઆત કરાઈ છે. ત્યારે ભાજપ ગમે ત્યારે આ મામલે એક્શન લઈ શકે છે....

આવનાર દિવસોમાં આ તાપમાનનો પારો વધી શકે છે તેવી આગાહી હવામાન નિષ્ણાત દ્વારા કરવામાં આવી રહી છે... ફરી એક વખત ગરમીનો અહેસાસ કરવા તૈયાર રહેવું પડશે તેવી આગાહી પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે..

થોડા સમય પહેલા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પ્રાંગણમાં ડો. વૈશાલી જોશીએ આત્મહત્યા કરી પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. આ કેસમાં એક મોટી અપડેટ સામે આવી છે જે મુજબ પીઆઈ ખાચરે આગોતરા જામીન માટે કોર્ટમાં અરજી કરી હતી અને કોર્ટે તે અરજીને ફગાવી દીધી છે

ગુજરાતીમાં આપણે ત્યાં અલગ અલગ સંબોધો માટે અલગ અલગ ઉપમા હોય છે પરંતુ ઈન્ગલિશમાં દરેક માટે એક જ શબ્દ વપરાય છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - બધુ તણાઈ ગયું.