પહેલી ફેબ્રુઆરીએ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાનારી ટી-20 મેચ માટે શરૂ થયું ઓનલાઈન બુકિંગ


  • Published By :
  • Published Date : 2023-01-27 12:07:59

1 ફેબ્રુઆરીના રોજ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટી-20 મેચ રમાવાની છે. અમદાવાદ ખાતે આવેલા વિશ્વના સૌથી મોટા સ્ટેડિય એટલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ મેચ રમાવાની છે. મેચને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 3જી મેચ માટેનું ઓનલાઈન બુકિંગ શરૂ થઈ ગયું છે. 23 જાન્યુઆરીથી bookmyshowમાં આનું બુકિંગ ચાલું કરવામાં આવ્યું હતું. મળતી માહિતી અનુસાર માત્ર 48 કલાકમાં અનેક ટિકીટો વેચાઈ ગઈ હતી. 50000થી વધુ ટિકીટનું વેચાણ થઈ ગયું છે. 

Narendra Modi Stadium - Populous

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે મેચ

ભારત અને ન્યુઝીલેન્ડની વચ્ચે ટી-20 મેચ રમાઈ રહી છે. આ શ્રેણીની ત્રીજી મેચ પહેલી ફેબ્રુઆરીના રોજ રમાવાની છે. પહેલી ફેબ્રુઆરીના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ મેચ રમાવાની છે. આ મેચ માટેની ટિકીટનું વેચાણ ઓનલાઈન શરૂ થઈ ગયું છે. એક લાખથી વધુ કેપેસિટી ધરાવતા સ્ટેડિયમમાં આ મેચનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેને કારણે મોટી સંખ્યામાં લોકોએ મેચ જોવા માટે બુકિંગ કરાવી લીધું છે.  


ટિકીટોનું થઈ રહ્યું છે બુકિંગ 

500 અને 1000ના ભાવની ટિકીટનું વેચાણ શરૂ થઈ ગયું છે. મળતી માહિતી અનુસાર 50000થી વધુ ટિકીટોનું વેચાણ થઈ ગયું છે. B-C-E અને F બ્લોકની ટિકીટનો ભાવ 1000 રુપિયા નક્કી કરાયો છે. તે સિવાય 2000,2500,4000, 6000 તેમજ 10,000 સુધીની ટિકીટો પણ મળે છે. તમામ ટિકીટોનું પણ વેચાણ થઈ રહ્યું છે. GCAના સૂત્રો અનુસાર મેચની ટિકીટનું માત્ર ઓનલાઈન બુકિંગ જ કરવામાં આવશે.       



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.