પહેલી ફેબ્રુઆરીએ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાનારી ટી-20 મેચ માટે શરૂ થયું ઓનલાઈન બુકિંગ


  • Published By :
  • Published Date : 2023-01-27 12:07:59

1 ફેબ્રુઆરીના રોજ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટી-20 મેચ રમાવાની છે. અમદાવાદ ખાતે આવેલા વિશ્વના સૌથી મોટા સ્ટેડિય એટલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ મેચ રમાવાની છે. મેચને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 3જી મેચ માટેનું ઓનલાઈન બુકિંગ શરૂ થઈ ગયું છે. 23 જાન્યુઆરીથી bookmyshowમાં આનું બુકિંગ ચાલું કરવામાં આવ્યું હતું. મળતી માહિતી અનુસાર માત્ર 48 કલાકમાં અનેક ટિકીટો વેચાઈ ગઈ હતી. 50000થી વધુ ટિકીટનું વેચાણ થઈ ગયું છે. 

Narendra Modi Stadium - Populous

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે મેચ

ભારત અને ન્યુઝીલેન્ડની વચ્ચે ટી-20 મેચ રમાઈ રહી છે. આ શ્રેણીની ત્રીજી મેચ પહેલી ફેબ્રુઆરીના રોજ રમાવાની છે. પહેલી ફેબ્રુઆરીના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ મેચ રમાવાની છે. આ મેચ માટેની ટિકીટનું વેચાણ ઓનલાઈન શરૂ થઈ ગયું છે. એક લાખથી વધુ કેપેસિટી ધરાવતા સ્ટેડિયમમાં આ મેચનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેને કારણે મોટી સંખ્યામાં લોકોએ મેચ જોવા માટે બુકિંગ કરાવી લીધું છે.  


ટિકીટોનું થઈ રહ્યું છે બુકિંગ 

500 અને 1000ના ભાવની ટિકીટનું વેચાણ શરૂ થઈ ગયું છે. મળતી માહિતી અનુસાર 50000થી વધુ ટિકીટોનું વેચાણ થઈ ગયું છે. B-C-E અને F બ્લોકની ટિકીટનો ભાવ 1000 રુપિયા નક્કી કરાયો છે. તે સિવાય 2000,2500,4000, 6000 તેમજ 10,000 સુધીની ટિકીટો પણ મળે છે. તમામ ટિકીટોનું પણ વેચાણ થઈ રહ્યું છે. GCAના સૂત્રો અનુસાર મેચની ટિકીટનું માત્ર ઓનલાઈન બુકિંગ જ કરવામાં આવશે.       



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.