આ તહેવારોની સીઝનમાં 62% લોકો ઓનલાઈન ફ્રોડનો શિકાર બન્યા: સ્ટડી


  • Published By :
  • Published Date : 2022-11-01 19:28:21

તહેવારોની સીઝનમાં દેશમાં ઓનલાઈન ખરીદીનું પ્રમાણ વધી રહ્યું છે. દેશમાં આ વખતે પણ લોકોએ ખુબ ઓનલાઈન ખરીદી હતી. તહેવારોની મોસમમાં મળતી મોટી ઓફરોથી આકર્ષાઈને પણ લોકો ખરીદી કરતા હોય છે. જો કે આ તહેવારોની સીઝનમાં 62 ટકા લોકો સાથે ફ્રોડ થયો હોવાનું સામે આવ્યું છે.


એક સ્ટડીમાં થયો ઘટસ્ફોટ


નોર્ટન લાઈફ લોક તરફથી હેરિસ પોલ કરવામાં આવ્યો હતો, જેમાં આવેલા પરિણામો ચોંકાવી દે તેવા છે. આ સ્ટડીમાં 62 ટકા લોકો આ વર્ષની તહેલારોની સીઝનમાં ઓનલાઈન ફ્રોડનો શિકાર બન્યા છે. મોટાભાગના લોકોની ઉંમર 18થી વધુ વયના લોકો ફ્રોડનો શિકાર બન્યા છે.  હેકર્સ દ્વારા અંગત માહિતી ચોરીને આ ફ્રોડ આચરવામાં આવ્યો હતો. 


ઓનલાઈન ફ્રોડથી બચવા શું કરવું?


તહેવારોની સીઝનમાં આવતી ઓફરના ચક્કરમાં ન પડો

કોઈ પણ લીંક જોબ ઓફર કે સેલની ઓફરને એક્સસ ન કરો

ઓનલાઈન ટ્રાન્ઝેક્સનમાં ઉતાવળ ન કરો

ઓનલાઈન ગેમ રમવા પ્રોત્સાહિત કરતી લિન્ક એક્સેસ  ન કરો




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.