આ તહેવારોની સીઝનમાં 62% લોકો ઓનલાઈન ફ્રોડનો શિકાર બન્યા: સ્ટડી


  • Published By :
  • Published Date : 2022-11-01 19:28:21

તહેવારોની સીઝનમાં દેશમાં ઓનલાઈન ખરીદીનું પ્રમાણ વધી રહ્યું છે. દેશમાં આ વખતે પણ લોકોએ ખુબ ઓનલાઈન ખરીદી હતી. તહેવારોની મોસમમાં મળતી મોટી ઓફરોથી આકર્ષાઈને પણ લોકો ખરીદી કરતા હોય છે. જો કે આ તહેવારોની સીઝનમાં 62 ટકા લોકો સાથે ફ્રોડ થયો હોવાનું સામે આવ્યું છે.


એક સ્ટડીમાં થયો ઘટસ્ફોટ


નોર્ટન લાઈફ લોક તરફથી હેરિસ પોલ કરવામાં આવ્યો હતો, જેમાં આવેલા પરિણામો ચોંકાવી દે તેવા છે. આ સ્ટડીમાં 62 ટકા લોકો આ વર્ષની તહેલારોની સીઝનમાં ઓનલાઈન ફ્રોડનો શિકાર બન્યા છે. મોટાભાગના લોકોની ઉંમર 18થી વધુ વયના લોકો ફ્રોડનો શિકાર બન્યા છે.  હેકર્સ દ્વારા અંગત માહિતી ચોરીને આ ફ્રોડ આચરવામાં આવ્યો હતો. 


ઓનલાઈન ફ્રોડથી બચવા શું કરવું?


તહેવારોની સીઝનમાં આવતી ઓફરના ચક્કરમાં ન પડો

કોઈ પણ લીંક જોબ ઓફર કે સેલની ઓફરને એક્સસ ન કરો

ઓનલાઈન ટ્રાન્ઝેક્સનમાં ઉતાવળ ન કરો

ઓનલાઈન ગેમ રમવા પ્રોત્સાહિત કરતી લિન્ક એક્સેસ  ન કરો




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.