આ તહેવારોની સીઝનમાં 62% લોકો ઓનલાઈન ફ્રોડનો શિકાર બન્યા: સ્ટડી


  • Published By :
  • Published Date : 2022-11-01 19:28:21

તહેવારોની સીઝનમાં દેશમાં ઓનલાઈન ખરીદીનું પ્રમાણ વધી રહ્યું છે. દેશમાં આ વખતે પણ લોકોએ ખુબ ઓનલાઈન ખરીદી હતી. તહેવારોની મોસમમાં મળતી મોટી ઓફરોથી આકર્ષાઈને પણ લોકો ખરીદી કરતા હોય છે. જો કે આ તહેવારોની સીઝનમાં 62 ટકા લોકો સાથે ફ્રોડ થયો હોવાનું સામે આવ્યું છે.


એક સ્ટડીમાં થયો ઘટસ્ફોટ


નોર્ટન લાઈફ લોક તરફથી હેરિસ પોલ કરવામાં આવ્યો હતો, જેમાં આવેલા પરિણામો ચોંકાવી દે તેવા છે. આ સ્ટડીમાં 62 ટકા લોકો આ વર્ષની તહેલારોની સીઝનમાં ઓનલાઈન ફ્રોડનો શિકાર બન્યા છે. મોટાભાગના લોકોની ઉંમર 18થી વધુ વયના લોકો ફ્રોડનો શિકાર બન્યા છે.  હેકર્સ દ્વારા અંગત માહિતી ચોરીને આ ફ્રોડ આચરવામાં આવ્યો હતો. 


ઓનલાઈન ફ્રોડથી બચવા શું કરવું?


તહેવારોની સીઝનમાં આવતી ઓફરના ચક્કરમાં ન પડો

કોઈ પણ લીંક જોબ ઓફર કે સેલની ઓફરને એક્સસ ન કરો

ઓનલાઈન ટ્રાન્ઝેક્સનમાં ઉતાવળ ન કરો

ઓનલાઈન ગેમ રમવા પ્રોત્સાહિત કરતી લિન્ક એક્સેસ  ન કરો




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.