આ તહેવારોની સીઝનમાં 62% લોકો ઓનલાઈન ફ્રોડનો શિકાર બન્યા: સ્ટડી


  • Published By :
  • Published Date : 2022-11-01 19:28:21

તહેવારોની સીઝનમાં દેશમાં ઓનલાઈન ખરીદીનું પ્રમાણ વધી રહ્યું છે. દેશમાં આ વખતે પણ લોકોએ ખુબ ઓનલાઈન ખરીદી હતી. તહેવારોની મોસમમાં મળતી મોટી ઓફરોથી આકર્ષાઈને પણ લોકો ખરીદી કરતા હોય છે. જો કે આ તહેવારોની સીઝનમાં 62 ટકા લોકો સાથે ફ્રોડ થયો હોવાનું સામે આવ્યું છે.


એક સ્ટડીમાં થયો ઘટસ્ફોટ


નોર્ટન લાઈફ લોક તરફથી હેરિસ પોલ કરવામાં આવ્યો હતો, જેમાં આવેલા પરિણામો ચોંકાવી દે તેવા છે. આ સ્ટડીમાં 62 ટકા લોકો આ વર્ષની તહેલારોની સીઝનમાં ઓનલાઈન ફ્રોડનો શિકાર બન્યા છે. મોટાભાગના લોકોની ઉંમર 18થી વધુ વયના લોકો ફ્રોડનો શિકાર બન્યા છે.  હેકર્સ દ્વારા અંગત માહિતી ચોરીને આ ફ્રોડ આચરવામાં આવ્યો હતો. 


ઓનલાઈન ફ્રોડથી બચવા શું કરવું?


તહેવારોની સીઝનમાં આવતી ઓફરના ચક્કરમાં ન પડો

કોઈ પણ લીંક જોબ ઓફર કે સેલની ઓફરને એક્સસ ન કરો

ઓનલાઈન ટ્રાન્ઝેક્સનમાં ઉતાવળ ન કરો

ઓનલાઈન ગેમ રમવા પ્રોત્સાહિત કરતી લિન્ક એક્સેસ  ન કરો




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે