ગુજરાતના પૂર્વ ગવર્નર ઓપી કોહલીનું નિધન, CM ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ આપી શ્રદ્ધાંજલિ


  • Published By :
  • Published Date : 2023-02-20 19:33:29

ગુજરાતના પૂર્વ રાજ્યપાલ અને ભાજપના અગ્રણી નેતા ઓપી કોહલીનું  87 વર્ષની વયે અવસાન થયું છે. ઓપી કોહલી  એટલે કે ઓમ પ્રકાશ કોહલીના નિધનના સમાચાર તેમની પૌત્રીએ સોશિયલ મીડિયા મારફતે આપ્યા છે. તેમણે લખ્યું કે,  મારા દાદા શ્રી ઓમપ્રકાશ કોહલી, ગુજરાતના ભૂતપૂર્વ રાજ્યપાલ અને રાજસભાના સાંસદનું નિધન થયું છે. આવતીકાલે સવારે 11.30 વાગ્યે નવી દિલ્હીના નિગમબોધ ઘાટ પર તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે, આ દુઃખદ સમાચારથી રાજકારણમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. મુખ્યમંત્રી, નેતાઓ ઓમપ્રકાશ કોહલીને તેમને સોશિયલ મીડીયાના માધ્યમથી શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે. 


CM ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ આપી શ્રધ્ધાંજલી


ઓપી કોહલીના નિધન પર CM ભૂપેન્દ્ર પટેલ તથા ગૃહ રા્જય મંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી શોક વ્યક્ત કર્યો છે. CM ભૂપેન્દ્ર પટેલે લખ્યું કે, ગુજરાતના પૂર્વ રાજ્યપાલ ઓમ પ્રકાશ કોહલીજીના નિધન પર દુ:ખની લાગણી વ્યક્ત કરું છું. તેમના સરળ વ્યક્તિત્વ અને શિક્ષણ ક્ષેત્રે તેમના પ્રદાન બદલ તેઓ હંમેશા યાદ રહેશે. ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે અને સ્વજનોને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના. ૐ શાંતિ. હર્ષ સંઘવીએ પણ ટ્વીટ કરી શોક સંદેશો પાઠવ્યો છે, તેમણે લખ્યું કે ગુજરાતના પૂર્વ રાજ્યપાલ, ભાજપના અગ્રણી નેતા ઓમપ્રકાશ કોહલીજીના નિધનના સમાચાર અત્યંત દુ:ખદ છે, તેમનું સમર્પણ અને સેવાભાવ લોકોને હંમેશા પ્રેરણા આપતા રહેશે. 




દેશમાં આજે પ્રથમ તબક્કા માટે મતદાન યોજાયું હતું. 102 બેઠકો પર મતદાનની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. સૌથી વધારે મતદાન પશ્ચિમ બંગાળમાં થયું છે. ગુજરાતમાં ત્રીજા તબક્કા અંતર્ગત મતદાન થવાનું છે.

સાબરકાંઠા લોકસભા બેઠક પર અપક્ષ તરીકે ભુપેન્દ્રસિંહ ઝાલાએ ઉમેદવારી ફોર્મ ભર્યું છે. સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપે ઉમેદવારને બદલ્યા હતા. હવે સાબરકાંઠાના ઉમેદરવાર શોભનાબેન બારૈયાને આપી છે.

ગુજરાતમાં ફરી એક વખત પેપરલીકની ઘટના બની છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર લીક થયું હોવાનો દાવો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ દ્વારા કરવામાં આવ્યો છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં તેમણે આરોપ લગાવ્યો હતો.

ભરૂચ લોકસભા બેઠકની ચર્ચા થતી હોય છે. ચૈતર વસાવા અને મનસુખ વસાવા આ બેઠકના ઉમેદવાર છે જ્યારે છોટુ વસાવાની પાર્ટીના ઉમેદવાર દિલીપ વસાવાએ પણ ઉમેદવારી નોંધાવી છે. ત્રિ પાંખીયો જંગ જામવાનો છે.