OPEC+ એ ક્રુડ ઓઈલના ઉત્પાદનમાં દરરોજ 10 લાખ બેરલનો કાપ મૂકવાની કરી જાહેરાત, ભારત પર શું થશે અસર, જાણો


  • Published By :
  • Published Date : 2023-06-05 21:04:47

ક્રૂડ ઓઈલની કિંમતોમાં ફરી એક વખત વૈશ્વિક સ્તરે ભડકો થાય તેવી શક્યતા છે. સાઉદી અરેબિયાની આગેવાની હેઠળ તેલ ઉત્પાદક દેશોની સંસ્થા OPEC+એ તેલ ઉત્પાદનમાં ભારે કાપની જાહેરાત કરી છે. સાઉદીએ કહ્યું છે કે, OPEC+ દેશો   જુલાઈમાં ઉત્પાદનમાં દરરોજ 10 લાખ બેરલનો કાપ મૂકશે. આ જાહેરાત બાદ જ એશિયન ઓઈલ માર્કેટમાં ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થયો છે. ઓપેક પ્લસે એમ પણ કહ્યું છે કે, 2024માં તેલ ઉત્પાદનમાં કાપ મૂકવાનો આ લક્ષ્યાંક વધારીને 1.4 મિલિયન બેરલ પ્રતિ દિવસ કરવામાં આવશે. OPEC+ દેશોના આ નિર્ણય બાદ તેલ ઉત્પાદન ગત ઘણા વર્ષોની તુલનામાં આ વર્ષે સૌથી નીચલા સ્તરે પહોંચી જશે. 


ક્રૂડ ઓઈલના ભાવમાં તેજી


આ આઘાતજનક જાહેરાતની અસર એ હતી કે WTI ફ્યુચર્સ લગભગ 5% ઉછળીને  73 ડોલર ની નજીક પહોંચી ગયો, વૈશ્વિક બેંચમાર્ક બ્રેન્ટ ક્રૂડ પણ બેરલ દીઠ  78 ડોલરની નજીક પહોંચી ગયો હતો. તેલ ઉત્પાદનમાં કાપની અસર સોમવારે એશિયાઈ બજારમાં પણ જોવા મળી હતી અને બ્રેન્ટ ક્રૂડ ઓઈલની કિંમત લગભગ 2.4% વધીને પ્રતિ બેરલ 77 ડોલર પર પહોંચી ગઈ હતી. રવિવારે રશિયાના નેતૃત્વમાં OPEC+ની બેઠક યોજાઈ હતી જેમાં તેલ સમૃદ્ધ દેશોએ તેલની ઘટતી કિંમતો વધારવાના ઉપાયો અંગે ચર્ચા કરી હતી. OPEC+ મીટિંગ પછી, સાઉદી અરેબિયાના ઉર્જા પ્રધાન પ્રિન્સ અબ્દુલ અઝીઝ બિન સલમાને કહ્યું, 'બજારમાં સ્થિરતા લાવવા માટે અમે જે પણ જરૂરી હશે તે કરીશું.'


 ઓઈલ ઉત્પાદનમાં OPEC+ની છે મોનોપોલી


વિશ્વના ક્રૂડ ઓઈલમાં OPEC+નો હિસ્સો લગભગ 40% છે અને તેના નિર્ણયો તેલની કિંમતો પર મોટી અસર કરી શકે છે. OPEC+એ 13 તેલ ઉત્પાદક દેશોનું સંગઠન છે જેમાં સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત, રશિયા, ઈરાન, ઈરાક, કુવૈત વગેરે દેશોનો સમાવેશ થાય છે.


ભારત પર નહીં થાય અસર


સાઉદી અરેબિયાના આ પગલાથી આગામી મહિનાઓમાં તેલના ભાવમાં વધારો થશે અને માંગમાં અનિશ્ચિતતા સર્જાશે. જો કે ભારત પર આની ખાસ અસર થશે નહીં કારણ કે ભારત તેની જરૂરીયાતનું સૌથી વધુ તેલ રશિયા પાસેથી આયાત કરે છે. નાણાકીય વર્ષ 2023માં, રશિયા સિવાય, સાઉદી અરેબિયા, ઈરાક, યુએઈ, અમેરિકા અને અન્ય દેશો સહિત અન્ય તમામ દેશોમાંથી ક્રૂડ ઓઈલની આયાતમાં ઘટાડો નોંધવામાં આવ્યો છે. આરબીઆઈએ તેના નાણાકીય વર્ષ 23ના વાર્ષિક અહેવાલમાં જણાવ્યું હતું કે, '2022-23માં ભારતના ક્રૂડ ઓઈલની આયાતના સ્ત્રોતમાં ફેરફાર થયો છે. આમાં રશિયાનો હિસ્સો એક વર્ષ પહેલા 2% થી વધીને 19.1% થયો છે. અત્રે ઉલ્લેખનિય છે કે વિશ્વમાં તેલનો ત્રીજો સૌથી મોટો ગ્રાહક છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.