OPEC+ એ ક્રુડ ઓઈલના ઉત્પાદનમાં દરરોજ 10 લાખ બેરલનો કાપ મૂકવાની કરી જાહેરાત, ભારત પર શું થશે અસર, જાણો


  • Published By :
  • Published Date : 2023-06-05 21:04:47

ક્રૂડ ઓઈલની કિંમતોમાં ફરી એક વખત વૈશ્વિક સ્તરે ભડકો થાય તેવી શક્યતા છે. સાઉદી અરેબિયાની આગેવાની હેઠળ તેલ ઉત્પાદક દેશોની સંસ્થા OPEC+એ તેલ ઉત્પાદનમાં ભારે કાપની જાહેરાત કરી છે. સાઉદીએ કહ્યું છે કે, OPEC+ દેશો   જુલાઈમાં ઉત્પાદનમાં દરરોજ 10 લાખ બેરલનો કાપ મૂકશે. આ જાહેરાત બાદ જ એશિયન ઓઈલ માર્કેટમાં ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થયો છે. ઓપેક પ્લસે એમ પણ કહ્યું છે કે, 2024માં તેલ ઉત્પાદનમાં કાપ મૂકવાનો આ લક્ષ્યાંક વધારીને 1.4 મિલિયન બેરલ પ્રતિ દિવસ કરવામાં આવશે. OPEC+ દેશોના આ નિર્ણય બાદ તેલ ઉત્પાદન ગત ઘણા વર્ષોની તુલનામાં આ વર્ષે સૌથી નીચલા સ્તરે પહોંચી જશે. 


ક્રૂડ ઓઈલના ભાવમાં તેજી


આ આઘાતજનક જાહેરાતની અસર એ હતી કે WTI ફ્યુચર્સ લગભગ 5% ઉછળીને  73 ડોલર ની નજીક પહોંચી ગયો, વૈશ્વિક બેંચમાર્ક બ્રેન્ટ ક્રૂડ પણ બેરલ દીઠ  78 ડોલરની નજીક પહોંચી ગયો હતો. તેલ ઉત્પાદનમાં કાપની અસર સોમવારે એશિયાઈ બજારમાં પણ જોવા મળી હતી અને બ્રેન્ટ ક્રૂડ ઓઈલની કિંમત લગભગ 2.4% વધીને પ્રતિ બેરલ 77 ડોલર પર પહોંચી ગઈ હતી. રવિવારે રશિયાના નેતૃત્વમાં OPEC+ની બેઠક યોજાઈ હતી જેમાં તેલ સમૃદ્ધ દેશોએ તેલની ઘટતી કિંમતો વધારવાના ઉપાયો અંગે ચર્ચા કરી હતી. OPEC+ મીટિંગ પછી, સાઉદી અરેબિયાના ઉર્જા પ્રધાન પ્રિન્સ અબ્દુલ અઝીઝ બિન સલમાને કહ્યું, 'બજારમાં સ્થિરતા લાવવા માટે અમે જે પણ જરૂરી હશે તે કરીશું.'


 ઓઈલ ઉત્પાદનમાં OPEC+ની છે મોનોપોલી


વિશ્વના ક્રૂડ ઓઈલમાં OPEC+નો હિસ્સો લગભગ 40% છે અને તેના નિર્ણયો તેલની કિંમતો પર મોટી અસર કરી શકે છે. OPEC+એ 13 તેલ ઉત્પાદક દેશોનું સંગઠન છે જેમાં સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત, રશિયા, ઈરાન, ઈરાક, કુવૈત વગેરે દેશોનો સમાવેશ થાય છે.


ભારત પર નહીં થાય અસર


સાઉદી અરેબિયાના આ પગલાથી આગામી મહિનાઓમાં તેલના ભાવમાં વધારો થશે અને માંગમાં અનિશ્ચિતતા સર્જાશે. જો કે ભારત પર આની ખાસ અસર થશે નહીં કારણ કે ભારત તેની જરૂરીયાતનું સૌથી વધુ તેલ રશિયા પાસેથી આયાત કરે છે. નાણાકીય વર્ષ 2023માં, રશિયા સિવાય, સાઉદી અરેબિયા, ઈરાક, યુએઈ, અમેરિકા અને અન્ય દેશો સહિત અન્ય તમામ દેશોમાંથી ક્રૂડ ઓઈલની આયાતમાં ઘટાડો નોંધવામાં આવ્યો છે. આરબીઆઈએ તેના નાણાકીય વર્ષ 23ના વાર્ષિક અહેવાલમાં જણાવ્યું હતું કે, '2022-23માં ભારતના ક્રૂડ ઓઈલની આયાતના સ્ત્રોતમાં ફેરફાર થયો છે. આમાં રશિયાનો હિસ્સો એક વર્ષ પહેલા 2% થી વધીને 19.1% થયો છે. અત્રે ઉલ્લેખનિય છે કે વિશ્વમાં તેલનો ત્રીજો સૌથી મોટો ગ્રાહક છે.



પુણેના કેતન અગ્રવાલનું લોહગઢ કિલ્લા પર થયેલું મોત અકસ્માતથી હત્યાના કેસમાં કેવી રીતે ફેરવાયું? સિયા ગોયલ, ચેતન ચૌધરી, CCTV અને કોલ રેકોર્ડની સંપૂર્ણ માહિતી વાંચો.

અમદાવાદના ચાંગોદરમાં 1,140 નકલી અને ભેળસેળયુક્ત પ્લાઝમા યુનિટ સાથે ચાર આરોપી ઝડપાયા. જાણો રેકેટની રીત, જોખમ અને કાયદામાં થતી સજા.

23 જૂન 2026ના રોજ નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં નાગરિક અલંકાર સમારોહ-II યોજાયો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કલા, સાહિત્ય, શિક્ષણ, સમાજસેવા, જાહેર જીવન, રમતગમત, વિજ્ઞાન, ચિકિત્સા, કૃષિ, ઉદ્યોગ અને અન્ય ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર મહાનુભાવોને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કર્યા હતા. આ સમારોહની સત્તાવાર યાદીમાં 2 પદ્મ વિભૂષણ, 7 પદ્મ ભૂષણ અને 57 પદ્મ શ્રી પ્રાપ્તકર્તાઓ સહિત કુલ 66 વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. રંજની અને ગાયત્રીને સંયુક્ત એટલે કે Duo શ્રેણીમાં એક પુરસ્કાર આપવામાં આવ્યો છે. કેટલાક મહાનુભાવોને મરણોત્તર સન્માનિત કરવામાં આવ્યા છે.

સ્ટોરીમાં કોર્ટનો ચુકાદો, પત્ની સહિત નવ લોકોને સજા, 2023ની ઘટનાની શરૂઆત, વન અધિકારીઓ સાથે જોડાયેલા આરોપો, ₹60 હજારના વ્યવહારનો મુદ્દો, FIRથી ચુકાદા સુધીની સમયરેખા, કેસમાં ટ્રાયલ થયેલી IPC અને Arms Actની કલમો, સાક્ષીઓ, જેલની સ્થિતિ, ધારાસભ્ય તરીકેની અયોગ્યતા, અપીલનો રસ્તો અને AAP પર પડનારી રાજકીય અસર આવરી લેવાઈ છે. નર્મદા જિલ્લાના રાજપીપળાની કોર્ટે ચૈતર વસાવા અને અન્ય આઠ લોકોને સાત વર્ષની સજા સંભળાવીને ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યાના અહેવાલ છે.