Operation Ajay : યુદ્ધ વચ્ચે Israelથી Delhi પહોંચ્યો ભારતીયોનો બીજો જથ્થો, ફ્લાઈટમાં સવાર ભારતીયોએ લગાવ્યા 'વંદે માતરમ'ના નારા! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-10-14 10:24:05

આપણે જ્યારે ઘરથી દૂર હોઈએ ત્યારે ઘરની યાદ આવતી હોય છે. દેશથી દૂર હોઈએ ત્યારે દેશની યાદ આવતી હોય છે. વિદેશની ધરતી પર લોકો પોતાનો દેશ ખૂબ યાદ આવતો હોય છે અને જ્યારે એ દેશમાં યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હોય ત્યારે તો પોતાનો દેશ ખૂબ યાદ આવે છે. આવી જ કંઈ પરિસ્થિતિ ઈઝરાયેલમાં ફસાયેલા ભારતીયોની છે. ઈઝરાયેલમાં પરિસ્થિતિ પ્રતિદિન ખરાબ થઈ રહી છે. લોકો બેઘર થઈ રહ્યા છે. સતત હુમલાઓ થતા હોવાના સમાચાર મળી રહ્યા છે. ત્યારે ઈઝરાયેલમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા ભારત સરકારે ઓપરેશન અજય શરૂ કર્યું છે.

 

235 ભારતીય નાગરિકો સ્વદેશ પરત આવ્યા 

ભારતીયોને સુરક્ષિત રીતે ઈઝરાયેલથી ભારત પરત લાવવા ભારત સરકાર કાર્ય કરી રહી છે. ઓપરેશન અજયની શરૂઆત કરવામાં આવી છે. આ ઓપરેશન અંતર્ગત ભારતીયોને ભારત લાવવામાં આવી રહ્યા છે. ગઈકાલે ઓપરેશન અજય અંતર્ગત પેસેન્જરોથી ભરેલી પહેલી ફ્લાઈટ દિલ્હી પહોંચી હતી જેમાં 212 મુસાફરો હતા ત્યારે આજે પેસેન્જરોને લઈ બીજી ફ્લાઈટ દિલ્હી પહોંચી છે. આજે જે ફ્લાઈટ આવી છે તેમાં 235 ભારતીય નાગરિકો આવ્યા છે. યાત્રીઓના અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં તેઓ 'વંદે માતરમ'ના નારા લગાવી રહ્યા છે.   

ગઈકાલે પણ 212 ભારતીયોને ભારત સુરક્ષિત રીતે લવાયા હતા 

ઈઝરાયેલમાં પરિસ્થિતિ દિવસેને દિવસે વણસી રહી છે. હમાસ અને ઈઝરાયેલ વચ્ચે શરૂ થયેલા જંગમાં હજારો લોકો બેઘર થયા છે જ્યારે અનેક લોકોના મોત થયા છે. ત્યારે યુદ્ધગ્રસ્ત ઈઝરાયેલથી ભારતીય નાગરિકોને સુરક્ષિત ભારત લાવવા માટે ભારત સરકારે ઓપરેશન અજય શરૂ કર્યું છે. ગઈકાલે પણ 212 ભારતીયોને લઈ ફ્લાઈટ દિલ્હી આવી હતી ત્યારે પેસેન્જરોનો બીજો જથ્થો આજે આવી પહોંચ્યો છે. 232 ભારતીયો પરત ભારત સુરક્ષિત ફર્યા છે. સ્થાનિય સમયાનુસાર રાત્રે 11.00 વાગ્યાની આસપાસ ઉડાન ભરી. એવી પણ માહિતી સામે આવી રહી છે કે ભારતીયોને પરત લાવવા શરૂ કરાયેલું ઓપરેશન રવિવારે પણ કરવામાં આવશે.   



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.