Operation Ajay : યુદ્ધ વચ્ચે Israelથી Delhi પહોંચ્યો ભારતીયોનો બીજો જથ્થો, ફ્લાઈટમાં સવાર ભારતીયોએ લગાવ્યા 'વંદે માતરમ'ના નારા! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-10-14 10:24:05

આપણે જ્યારે ઘરથી દૂર હોઈએ ત્યારે ઘરની યાદ આવતી હોય છે. દેશથી દૂર હોઈએ ત્યારે દેશની યાદ આવતી હોય છે. વિદેશની ધરતી પર લોકો પોતાનો દેશ ખૂબ યાદ આવતો હોય છે અને જ્યારે એ દેશમાં યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હોય ત્યારે તો પોતાનો દેશ ખૂબ યાદ આવે છે. આવી જ કંઈ પરિસ્થિતિ ઈઝરાયેલમાં ફસાયેલા ભારતીયોની છે. ઈઝરાયેલમાં પરિસ્થિતિ પ્રતિદિન ખરાબ થઈ રહી છે. લોકો બેઘર થઈ રહ્યા છે. સતત હુમલાઓ થતા હોવાના સમાચાર મળી રહ્યા છે. ત્યારે ઈઝરાયેલમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા ભારત સરકારે ઓપરેશન અજય શરૂ કર્યું છે.

 

235 ભારતીય નાગરિકો સ્વદેશ પરત આવ્યા 

ભારતીયોને સુરક્ષિત રીતે ઈઝરાયેલથી ભારત પરત લાવવા ભારત સરકાર કાર્ય કરી રહી છે. ઓપરેશન અજયની શરૂઆત કરવામાં આવી છે. આ ઓપરેશન અંતર્ગત ભારતીયોને ભારત લાવવામાં આવી રહ્યા છે. ગઈકાલે ઓપરેશન અજય અંતર્ગત પેસેન્જરોથી ભરેલી પહેલી ફ્લાઈટ દિલ્હી પહોંચી હતી જેમાં 212 મુસાફરો હતા ત્યારે આજે પેસેન્જરોને લઈ બીજી ફ્લાઈટ દિલ્હી પહોંચી છે. આજે જે ફ્લાઈટ આવી છે તેમાં 235 ભારતીય નાગરિકો આવ્યા છે. યાત્રીઓના અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં તેઓ 'વંદે માતરમ'ના નારા લગાવી રહ્યા છે.   

ગઈકાલે પણ 212 ભારતીયોને ભારત સુરક્ષિત રીતે લવાયા હતા 

ઈઝરાયેલમાં પરિસ્થિતિ દિવસેને દિવસે વણસી રહી છે. હમાસ અને ઈઝરાયેલ વચ્ચે શરૂ થયેલા જંગમાં હજારો લોકો બેઘર થયા છે જ્યારે અનેક લોકોના મોત થયા છે. ત્યારે યુદ્ધગ્રસ્ત ઈઝરાયેલથી ભારતીય નાગરિકોને સુરક્ષિત ભારત લાવવા માટે ભારત સરકારે ઓપરેશન અજય શરૂ કર્યું છે. ગઈકાલે પણ 212 ભારતીયોને લઈ ફ્લાઈટ દિલ્હી આવી હતી ત્યારે પેસેન્જરોનો બીજો જથ્થો આજે આવી પહોંચ્યો છે. 232 ભારતીયો પરત ભારત સુરક્ષિત ફર્યા છે. સ્થાનિય સમયાનુસાર રાત્રે 11.00 વાગ્યાની આસપાસ ઉડાન ભરી. એવી પણ માહિતી સામે આવી રહી છે કે ભારતીયોને પરત લાવવા શરૂ કરાયેલું ઓપરેશન રવિવારે પણ કરવામાં આવશે.   



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .