Operation Ajay : યુદ્ધ વચ્ચે Israelથી Delhi પહોંચ્યો ભારતીયોનો બીજો જથ્થો, ફ્લાઈટમાં સવાર ભારતીયોએ લગાવ્યા 'વંદે માતરમ'ના નારા! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-10-14 10:24:05

આપણે જ્યારે ઘરથી દૂર હોઈએ ત્યારે ઘરની યાદ આવતી હોય છે. દેશથી દૂર હોઈએ ત્યારે દેશની યાદ આવતી હોય છે. વિદેશની ધરતી પર લોકો પોતાનો દેશ ખૂબ યાદ આવતો હોય છે અને જ્યારે એ દેશમાં યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હોય ત્યારે તો પોતાનો દેશ ખૂબ યાદ આવે છે. આવી જ કંઈ પરિસ્થિતિ ઈઝરાયેલમાં ફસાયેલા ભારતીયોની છે. ઈઝરાયેલમાં પરિસ્થિતિ પ્રતિદિન ખરાબ થઈ રહી છે. લોકો બેઘર થઈ રહ્યા છે. સતત હુમલાઓ થતા હોવાના સમાચાર મળી રહ્યા છે. ત્યારે ઈઝરાયેલમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા ભારત સરકારે ઓપરેશન અજય શરૂ કર્યું છે.

 

235 ભારતીય નાગરિકો સ્વદેશ પરત આવ્યા 

ભારતીયોને સુરક્ષિત રીતે ઈઝરાયેલથી ભારત પરત લાવવા ભારત સરકાર કાર્ય કરી રહી છે. ઓપરેશન અજયની શરૂઆત કરવામાં આવી છે. આ ઓપરેશન અંતર્ગત ભારતીયોને ભારત લાવવામાં આવી રહ્યા છે. ગઈકાલે ઓપરેશન અજય અંતર્ગત પેસેન્જરોથી ભરેલી પહેલી ફ્લાઈટ દિલ્હી પહોંચી હતી જેમાં 212 મુસાફરો હતા ત્યારે આજે પેસેન્જરોને લઈ બીજી ફ્લાઈટ દિલ્હી પહોંચી છે. આજે જે ફ્લાઈટ આવી છે તેમાં 235 ભારતીય નાગરિકો આવ્યા છે. યાત્રીઓના અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં તેઓ 'વંદે માતરમ'ના નારા લગાવી રહ્યા છે.   

ગઈકાલે પણ 212 ભારતીયોને ભારત સુરક્ષિત રીતે લવાયા હતા 

ઈઝરાયેલમાં પરિસ્થિતિ દિવસેને દિવસે વણસી રહી છે. હમાસ અને ઈઝરાયેલ વચ્ચે શરૂ થયેલા જંગમાં હજારો લોકો બેઘર થયા છે જ્યારે અનેક લોકોના મોત થયા છે. ત્યારે યુદ્ધગ્રસ્ત ઈઝરાયેલથી ભારતીય નાગરિકોને સુરક્ષિત ભારત લાવવા માટે ભારત સરકારે ઓપરેશન અજય શરૂ કર્યું છે. ગઈકાલે પણ 212 ભારતીયોને લઈ ફ્લાઈટ દિલ્હી આવી હતી ત્યારે પેસેન્જરોનો બીજો જથ્થો આજે આવી પહોંચ્યો છે. 232 ભારતીયો પરત ભારત સુરક્ષિત ફર્યા છે. સ્થાનિય સમયાનુસાર રાત્રે 11.00 વાગ્યાની આસપાસ ઉડાન ભરી. એવી પણ માહિતી સામે આવી રહી છે કે ભારતીયોને પરત લાવવા શરૂ કરાયેલું ઓપરેશન રવિવારે પણ કરવામાં આવશે.   



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.