Operation Ajay : Israel-Hamas war વચ્ચે Israelમાં ફસાયેલા ભારતીયોની પહેલી ફ્લાઈટ દિલ્હી પહોંચી, સાંભળો લોકોએ શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2023-10-13 09:43:21

ઈઝરાયેલમાં જે પરિસ્થિતિ છે તેની જાણ તો બધાને છે. ઈઝરાયેલ તેમજ હમાસ વચ્ચે યુદ્ધ છેડાઈ ગયું છે. હમાસે ઈઝરાયેલ પર મિસાઈલ છોડી તે બાદ પરિસ્થિતિ વણસી. યુદ્ધની ઘોષણા કરી, હિંસા તેમજ હુમલા પ્રતિદિન વધી રહ્યા છે. આ બધા વચ્ચે ઈઝરાયેલમાં રહેતા ભારતીયોને પરત લાવવા ભારત સરકારે 'ઓપરેશન અજય' શરૂ કર્યું છે. આ ઓપરેશન અંતર્ગત ઈઝરાયેલમાં વસતા ભારતીયોને પોતાના દેશ પરત લવાઈ રહ્યા છે. ભારતીયોને પરત લાવવા ઈઝરાયલ-હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના 6 દિવસે ભારત સરકારે ઓપરેશન અજય શરૂ કર્યું. ગુરૂવારથી સરકાર સ્પેશિયલ ચાર્ટર્ડ ફ્લાઈટમાં ભારતીયોને પરત લાવાનો પ્રારંભ થઈ ગયો હતો અને પહેલી ફ્લાઈટ દિલ્હી પહોંચી પણ ગઈ છે. 

212 ભારતીયો ઓપરેશન અજય અંતર્ગત ભારત પરત ફર્યા

'ઓપરેશન અજય' હેઠળ ભારતીય નાગરિકોની પ્રથમ ફ્લાઈટ શુક્રવાર સવારે દિલ્હી એરર્પોર્ટ પર ઉતરી હતી. પ્રથમ ફ્લાઈટમાં 212 ભારતીયોને ઈઝરાયેલથી ભારત સુરક્ષિત લાવવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે ઈઝરાયેલથી ભારત આવેલા લોકોનું સ્વાગત કર્યું. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે 'અમારી સરકાર કોઈપણ ભારતીયને ક્યારેય છોડશે નહીં, અમારી સરકાર. અમારા વડાપ્રધાન તેમની સુરક્ષા કરવા, તેમને સુરક્ષિત ઘરે લાવવા માટે કટિબદ્ધ છે. તેમણે વિદેશ મંત્રાયલનો તેમજ એસ.જયશંકરનો આભાર માન્યો હતો.' ઈઝરાયેલથી પરત ફરેલા ભારતીયોએ પોતાની વેદના જણાવી છે. કેવી પરિસ્થિતિની વચ્ચે તેઓ રહેતા હતા તે જણાવ્યું હતું. આપવીતિ પણ અનેકે જણાવી. ઈઝરાયેલથી આવેલા ભારતીયોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો તેમજ સરકારનો આભાર માન્યો હતો. 

શું છે ઓપરેશન અજય?

ભારત સરકાર ઈઝરાયેલ અને પેલેસ્ટાઈનના નાગરિકોને પરત લાવવા માટે વિશેષ ચાર્ટર્ડ ફ્લાઈટ્સ મોકલશે. સરકારે કહ્યું છે કે જરૂર પડ્યે ભારતીય નૌકાદળના જહાજો પણ મોકલી શકાશે. ઇઝરાયેલમાં ભારતીય દૂતાવાસે બુધવારે ટ્વિટર પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે ગુરુવારથી વિશેષ ફ્લાઇટ માટે નોંધાયેલ ભારતીય નાગરિકોની પ્રથમ બેચને ઇમેઇલ કરવામાં આવ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે પછીની ફ્લાઇટ્સ માટે અન્ય નોંધાયેલા લોકોને સંદેશ મોકલવામાં આવશે.

ઇઝરાયેલમાં કેટલા ભારતીયો વસે છે?

એક રિપોર્ટ અનુસાર, લગભગ 18,000 ભારતીયો હાલમાં ઈઝરાયેલમાં છે. તેમાં લગભગ 1,000 વિદ્યાર્થીઓ, ઘણા આઈટી પ્રોફેશનલ્સ અને હીરાના વેપારીઓ પણ છે. મધ્ય ભારતમાં ઈઝરાયેલના કોન્સ્યુલ જનરલ કોબી શોશાનીએ ગુરુવારે જણાવ્યું હતું કે, "ઈઝરાયેલમાં લગભગ 18,000 ભારતીય નાગરિકો છે, જેમાં 1,000 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે, જેનાથી અમે ખૂબ જ પ્રેમ કરીએ છીએ." ભારતીય વેપારી સમુદાય, જેમને અમે ખૂબ પ્રેમ આદર કરીએ છીએ, તે આપણા અર્થતંત્રમાં ફાળો આપે છે." 



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .