Operation Ajay : Israel-Hamas war વચ્ચે Israelમાં ફસાયેલા ભારતીયોની પહેલી ફ્લાઈટ દિલ્હી પહોંચી, સાંભળો લોકોએ શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2023-10-13 09:43:21

ઈઝરાયેલમાં જે પરિસ્થિતિ છે તેની જાણ તો બધાને છે. ઈઝરાયેલ તેમજ હમાસ વચ્ચે યુદ્ધ છેડાઈ ગયું છે. હમાસે ઈઝરાયેલ પર મિસાઈલ છોડી તે બાદ પરિસ્થિતિ વણસી. યુદ્ધની ઘોષણા કરી, હિંસા તેમજ હુમલા પ્રતિદિન વધી રહ્યા છે. આ બધા વચ્ચે ઈઝરાયેલમાં રહેતા ભારતીયોને પરત લાવવા ભારત સરકારે 'ઓપરેશન અજય' શરૂ કર્યું છે. આ ઓપરેશન અંતર્ગત ઈઝરાયેલમાં વસતા ભારતીયોને પોતાના દેશ પરત લવાઈ રહ્યા છે. ભારતીયોને પરત લાવવા ઈઝરાયલ-હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના 6 દિવસે ભારત સરકારે ઓપરેશન અજય શરૂ કર્યું. ગુરૂવારથી સરકાર સ્પેશિયલ ચાર્ટર્ડ ફ્લાઈટમાં ભારતીયોને પરત લાવાનો પ્રારંભ થઈ ગયો હતો અને પહેલી ફ્લાઈટ દિલ્હી પહોંચી પણ ગઈ છે. 

212 ભારતીયો ઓપરેશન અજય અંતર્ગત ભારત પરત ફર્યા

'ઓપરેશન અજય' હેઠળ ભારતીય નાગરિકોની પ્રથમ ફ્લાઈટ શુક્રવાર સવારે દિલ્હી એરર્પોર્ટ પર ઉતરી હતી. પ્રથમ ફ્લાઈટમાં 212 ભારતીયોને ઈઝરાયેલથી ભારત સુરક્ષિત લાવવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે ઈઝરાયેલથી ભારત આવેલા લોકોનું સ્વાગત કર્યું. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે 'અમારી સરકાર કોઈપણ ભારતીયને ક્યારેય છોડશે નહીં, અમારી સરકાર. અમારા વડાપ્રધાન તેમની સુરક્ષા કરવા, તેમને સુરક્ષિત ઘરે લાવવા માટે કટિબદ્ધ છે. તેમણે વિદેશ મંત્રાયલનો તેમજ એસ.જયશંકરનો આભાર માન્યો હતો.' ઈઝરાયેલથી પરત ફરેલા ભારતીયોએ પોતાની વેદના જણાવી છે. કેવી પરિસ્થિતિની વચ્ચે તેઓ રહેતા હતા તે જણાવ્યું હતું. આપવીતિ પણ અનેકે જણાવી. ઈઝરાયેલથી આવેલા ભારતીયોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો તેમજ સરકારનો આભાર માન્યો હતો. 

શું છે ઓપરેશન અજય?

ભારત સરકાર ઈઝરાયેલ અને પેલેસ્ટાઈનના નાગરિકોને પરત લાવવા માટે વિશેષ ચાર્ટર્ડ ફ્લાઈટ્સ મોકલશે. સરકારે કહ્યું છે કે જરૂર પડ્યે ભારતીય નૌકાદળના જહાજો પણ મોકલી શકાશે. ઇઝરાયેલમાં ભારતીય દૂતાવાસે બુધવારે ટ્વિટર પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે ગુરુવારથી વિશેષ ફ્લાઇટ માટે નોંધાયેલ ભારતીય નાગરિકોની પ્રથમ બેચને ઇમેઇલ કરવામાં આવ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે પછીની ફ્લાઇટ્સ માટે અન્ય નોંધાયેલા લોકોને સંદેશ મોકલવામાં આવશે.

ઇઝરાયેલમાં કેટલા ભારતીયો વસે છે?

એક રિપોર્ટ અનુસાર, લગભગ 18,000 ભારતીયો હાલમાં ઈઝરાયેલમાં છે. તેમાં લગભગ 1,000 વિદ્યાર્થીઓ, ઘણા આઈટી પ્રોફેશનલ્સ અને હીરાના વેપારીઓ પણ છે. મધ્ય ભારતમાં ઈઝરાયેલના કોન્સ્યુલ જનરલ કોબી શોશાનીએ ગુરુવારે જણાવ્યું હતું કે, "ઈઝરાયેલમાં લગભગ 18,000 ભારતીય નાગરિકો છે, જેમાં 1,000 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે, જેનાથી અમે ખૂબ જ પ્રેમ કરીએ છીએ." ભારતીય વેપારી સમુદાય, જેમને અમે ખૂબ પ્રેમ આદર કરીએ છીએ, તે આપણા અર્થતંત્રમાં ફાળો આપે છે." 



મધ્ય એશિયામાં પરિસ્થિતિઓ સતત વણસી રહી છે. કેમ કે , ઈરાન અને ઇઝરાયેલના એક બીજા પર જોરદાર હુમલાઓ ચાલુ છે. બેઉ તરફ મૃત્યુનો આંક વધી રહ્યો છે. રવિવારે મોડી રાતથી આજે સવારે , ઈરાન દ્વારા ઇઝરાયેલ પર મિસાઈલ હુમલા સતત ચાલુ છે જે અંતર્ગત હવે ઇસરાએલની રાજધાની તેલઅવીવમાં આવેલી યુએસ એમ્બેસીને નુકશાન થયું છે. યુએસ એમ્બેસેડર માઈક હકાબીએ આ સમાચાર કન્ફર્મ કર્યા છે. તો બીજી તરફ ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સીસએ ઇરાનમાં છેક અંદર સુધી સ્ટ્રાઇક કરી છે. યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્રુથ સોશ્યિલ પર એક પોસ્ટ કરીને ભારત પાકિસ્તાનનો સંદર્ભ આપીને ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે સમાધાન કરાવવાની વાત કરી છે.

ઇઝરાયેલએ હવે ફરી એકવાર ઈરાન પર હુમલો કર્યો છે . જેમાં ઈઝરાઈલે ઈરાનની ઓઇલ અને પરમાણુ સાઇટ્સને નિશાન બનાવી છે. બેઉ દેશો વચ્ચે પરિસ્થિતિ જબરદસ્ત રીતે એસ્કેલેટ થઇ રહી છે . અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ અમેરિકાની કોઈ પણ પ્રકારની ભૂમિકા નકારી દીધી છે. સાથે જ ઈરાનને ધમકી આપી છે કે , અમેરિકાની વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો , અમેરિકા નઈ છોડે. સાથે જ એ પણ ચર્ચા કરીશું કે , કેવી રીતે ઈરાન , ઇઝરાયેલ યુદ્ધ ભારત અને વિશ્વના અર્થતંત્રને અસર કરી શકે છે.

૨૦૨૫ના આ વર્ષમાં સમગ્ર વિશ્વ ખુબ મોટી અસ્થિરતામાંથી પસાર થઈ રહ્યું છે . કેમ કે હવે ઇઝરાયેલએ ઈરાન પર હુમલો કરી દીધો છે. સાથે જ ઇઝરાયલે પોતાના ત્યાં "સ્ટેટ ઓફ ઇમર્જન્સી'' જાહેર કરી દીધી છે. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ જાહેરાત કરી છે કે , ઈરાન પર હુમલા ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી ઇઝરાયેલને ઈરાનથી ખતરો ખતમ ના થઈ જાય . ઇઝરાયેલના હુમલા પછી ઈરાનની રાજધાની તેહરાનના અલગ અલગ ભાગોમાં ધડાકાઓ સંભળાયા હતા .

ઇન્દોરના રાજા રઘુવંશી કેસમાં આરોપીઓનું કબુલનામું સામે આવ્યું છે . ચારેય આરોપીઓએ સોનમ રઘુવંશીને જ માસ્ટમાઈન્ડ ગણાવી છે કેમ કે , સોનમ રાજા રઘુવંશી સાથે લગન કરવા નહોતી માંગતી . આ ખુબ ચોંકાવનારો ખુલાસો છે કેમ કે , સોનમ દ્વારા એવું કેહવામાં આવ્યું હતું કે , તેને ડ્રગ આપીને ગાઝીપુર લાવવામાં આવી હતી . સાથે જ આપણે જાણીશું કે રાજા રઘુવંશીના કેસમાં પોલીસ પાસે ક્યા મહત્વના પુરાવા છે?