Operation Ajay : Israel-Hamas war વચ્ચે Israelમાં ફસાયેલા ભારતીયોની પહેલી ફ્લાઈટ દિલ્હી પહોંચી, સાંભળો લોકોએ શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2023-10-13 09:43:21

ઈઝરાયેલમાં જે પરિસ્થિતિ છે તેની જાણ તો બધાને છે. ઈઝરાયેલ તેમજ હમાસ વચ્ચે યુદ્ધ છેડાઈ ગયું છે. હમાસે ઈઝરાયેલ પર મિસાઈલ છોડી તે બાદ પરિસ્થિતિ વણસી. યુદ્ધની ઘોષણા કરી, હિંસા તેમજ હુમલા પ્રતિદિન વધી રહ્યા છે. આ બધા વચ્ચે ઈઝરાયેલમાં રહેતા ભારતીયોને પરત લાવવા ભારત સરકારે 'ઓપરેશન અજય' શરૂ કર્યું છે. આ ઓપરેશન અંતર્ગત ઈઝરાયેલમાં વસતા ભારતીયોને પોતાના દેશ પરત લવાઈ રહ્યા છે. ભારતીયોને પરત લાવવા ઈઝરાયલ-હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના 6 દિવસે ભારત સરકારે ઓપરેશન અજય શરૂ કર્યું. ગુરૂવારથી સરકાર સ્પેશિયલ ચાર્ટર્ડ ફ્લાઈટમાં ભારતીયોને પરત લાવાનો પ્રારંભ થઈ ગયો હતો અને પહેલી ફ્લાઈટ દિલ્હી પહોંચી પણ ગઈ છે. 

212 ભારતીયો ઓપરેશન અજય અંતર્ગત ભારત પરત ફર્યા

'ઓપરેશન અજય' હેઠળ ભારતીય નાગરિકોની પ્રથમ ફ્લાઈટ શુક્રવાર સવારે દિલ્હી એરર્પોર્ટ પર ઉતરી હતી. પ્રથમ ફ્લાઈટમાં 212 ભારતીયોને ઈઝરાયેલથી ભારત સુરક્ષિત લાવવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે ઈઝરાયેલથી ભારત આવેલા લોકોનું સ્વાગત કર્યું. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે 'અમારી સરકાર કોઈપણ ભારતીયને ક્યારેય છોડશે નહીં, અમારી સરકાર. અમારા વડાપ્રધાન તેમની સુરક્ષા કરવા, તેમને સુરક્ષિત ઘરે લાવવા માટે કટિબદ્ધ છે. તેમણે વિદેશ મંત્રાયલનો તેમજ એસ.જયશંકરનો આભાર માન્યો હતો.' ઈઝરાયેલથી પરત ફરેલા ભારતીયોએ પોતાની વેદના જણાવી છે. કેવી પરિસ્થિતિની વચ્ચે તેઓ રહેતા હતા તે જણાવ્યું હતું. આપવીતિ પણ અનેકે જણાવી. ઈઝરાયેલથી આવેલા ભારતીયોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો તેમજ સરકારનો આભાર માન્યો હતો. 

શું છે ઓપરેશન અજય?

ભારત સરકાર ઈઝરાયેલ અને પેલેસ્ટાઈનના નાગરિકોને પરત લાવવા માટે વિશેષ ચાર્ટર્ડ ફ્લાઈટ્સ મોકલશે. સરકારે કહ્યું છે કે જરૂર પડ્યે ભારતીય નૌકાદળના જહાજો પણ મોકલી શકાશે. ઇઝરાયેલમાં ભારતીય દૂતાવાસે બુધવારે ટ્વિટર પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે ગુરુવારથી વિશેષ ફ્લાઇટ માટે નોંધાયેલ ભારતીય નાગરિકોની પ્રથમ બેચને ઇમેઇલ કરવામાં આવ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે પછીની ફ્લાઇટ્સ માટે અન્ય નોંધાયેલા લોકોને સંદેશ મોકલવામાં આવશે.

ઇઝરાયેલમાં કેટલા ભારતીયો વસે છે?

એક રિપોર્ટ અનુસાર, લગભગ 18,000 ભારતીયો હાલમાં ઈઝરાયેલમાં છે. તેમાં લગભગ 1,000 વિદ્યાર્થીઓ, ઘણા આઈટી પ્રોફેશનલ્સ અને હીરાના વેપારીઓ પણ છે. મધ્ય ભારતમાં ઈઝરાયેલના કોન્સ્યુલ જનરલ કોબી શોશાનીએ ગુરુવારે જણાવ્યું હતું કે, "ઈઝરાયેલમાં લગભગ 18,000 ભારતીય નાગરિકો છે, જેમાં 1,000 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે, જેનાથી અમે ખૂબ જ પ્રેમ કરીએ છીએ." ભારતીય વેપારી સમુદાય, જેમને અમે ખૂબ પ્રેમ આદર કરીએ છીએ, તે આપણા અર્થતંત્રમાં ફાળો આપે છે." 



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .