વિપક્ષના નેતાઓએ મોદી સરકાર પર લગાવ્યો ફોન હેક કરવાના આરોપ! Rahul Gandhiએ કહ્યું કે અદાણી....


  • Published By :
  • Published Date : 2023-10-31 13:26:04

ટેક્નોલોજી જેટલી આગળ વધી રહી છે તેમ તેમ તેનો દુરૂપયોગ પણ વધી રહ્યો છે. અનેક કિસ્સાઓ આપણી સામે છે જેમાં ડિવાઈસને હેક  કરવામાં આવતા હોય છે. ફોન હેક ન થાય તે માટે કંપની દ્વારા પણ અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અનેક એવી કંપની છે એ યુઝર્સને એલર્ટ આપી દે છે જો તેમના ફોનને હેક કરવાની કોશિશ કરવામાં આવે તો! હેકિંગની વાત એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે વિપક્ષી નેતાઓએ દાવો કર્યો છે કે તેમના ફોનને અને તેમના ઈમેલને હેક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ લિસ્ટમાં ટીએમસી સાંસદ, શિવસેના નેતા તેમજ કોંગ્રેસના નેતાને આવો એલર્ટ મેસેજ કંપની દ્વારા આપવામાં આવ્યો છે.    

અનેક વિપક્ષી નેતાઓને મળ્યો છે Apple તરફથી એલર્ટ

દેશમાં વિપક્ષી નેતાઓ દાવો કરી રહ્યા છે કે તેમના ફોનને અને તેમના ઈમેલને હેક કરવાની કોશિશ કરવામાં આવી. નેતાઓનો દાવો છે કે ફોન બનાવનાર કંપની તરફથી તેમને એક ચેતવણી રૂપ એલર્ટ આપવામાં આવ્યું છે કે તેમના ફોનને હેક કરવાની કોશિશ કરવામાં આવી છે. એ એલર્ટમાં તેમને ચેતવણી આપવામાં આવી છે સરકાર તેમના ફોન હેક કરવાનો પ્રયાસ કરી રહી છે. અનેક વિપક્ષી નેતાઓએ ટ્વિટ કરી આ અંગેની જાણકારી આપી છે. ટીએમસી નેતા મહુઆ મોઈત્રા, કોંગ્રેસના નેતા શરીર થરૂર, પવન ખેરા તેમજ શિવસેનાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ તેમના ફોનના આવા સ્ક્રીનશોટ શેર કર્યો છે. તે ઉપરાંત એવી પણ માહિતી સામે આવી છે કે આવો મેસેજ આપના સાંસદ રાઘવ ચઢ્ઢા, સપાના અખિલેશ યાદવને પણ આવ્યો છે.

રાહુલ ગાંધીએ અદાણી મુદ્દે ફરી એક વખત સરકારને ઘેરી 

વિપક્ષી નેતાઓને આવા મેસેજ આવ્યા બાદ રાહુલ ગાંધીએ એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. હેકિંગ મામલે રાહુલ ગાંધીએ ફરી એક વખત ભાજપ અને અદાણી પર નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું કે પહેલા મને લાગતું હતું કે નંબર 1 પીએમ મોદી છે, નંબર 2 અદાણી છે અને નંબર 3 અમિત શાહ છે, પરંતુ આ ખોટું, નંબર 1 અદાણી છે, નંબર 2 પીએમ મોદી છે અને નંબર 3 અમિત શાહ છે. અમે ભારતની રાજનીતિ સમજી ગયા છીએ અને હવે અદાણીજી છટકી શકે તેમ નથી. વિચલિત કરવાની રાજનીતિ ચાલી રહી છે.... તે ઉપરાંત અનેક બીજા મુદ્દાઓને લઈ રાહુલ ગાંધી આક્રામક દેખાયા હતા. 




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે