વિપક્ષના નેતાઓએ મોદી સરકાર પર લગાવ્યો ફોન હેક કરવાના આરોપ! Rahul Gandhiએ કહ્યું કે અદાણી....


  • Published By :
  • Published Date : 2023-10-31 13:26:04

ટેક્નોલોજી જેટલી આગળ વધી રહી છે તેમ તેમ તેનો દુરૂપયોગ પણ વધી રહ્યો છે. અનેક કિસ્સાઓ આપણી સામે છે જેમાં ડિવાઈસને હેક  કરવામાં આવતા હોય છે. ફોન હેક ન થાય તે માટે કંપની દ્વારા પણ અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અનેક એવી કંપની છે એ યુઝર્સને એલર્ટ આપી દે છે જો તેમના ફોનને હેક કરવાની કોશિશ કરવામાં આવે તો! હેકિંગની વાત એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે વિપક્ષી નેતાઓએ દાવો કર્યો છે કે તેમના ફોનને અને તેમના ઈમેલને હેક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ લિસ્ટમાં ટીએમસી સાંસદ, શિવસેના નેતા તેમજ કોંગ્રેસના નેતાને આવો એલર્ટ મેસેજ કંપની દ્વારા આપવામાં આવ્યો છે.    

અનેક વિપક્ષી નેતાઓને મળ્યો છે Apple તરફથી એલર્ટ

દેશમાં વિપક્ષી નેતાઓ દાવો કરી રહ્યા છે કે તેમના ફોનને અને તેમના ઈમેલને હેક કરવાની કોશિશ કરવામાં આવી. નેતાઓનો દાવો છે કે ફોન બનાવનાર કંપની તરફથી તેમને એક ચેતવણી રૂપ એલર્ટ આપવામાં આવ્યું છે કે તેમના ફોનને હેક કરવાની કોશિશ કરવામાં આવી છે. એ એલર્ટમાં તેમને ચેતવણી આપવામાં આવી છે સરકાર તેમના ફોન હેક કરવાનો પ્રયાસ કરી રહી છે. અનેક વિપક્ષી નેતાઓએ ટ્વિટ કરી આ અંગેની જાણકારી આપી છે. ટીએમસી નેતા મહુઆ મોઈત્રા, કોંગ્રેસના નેતા શરીર થરૂર, પવન ખેરા તેમજ શિવસેનાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ તેમના ફોનના આવા સ્ક્રીનશોટ શેર કર્યો છે. તે ઉપરાંત એવી પણ માહિતી સામે આવી છે કે આવો મેસેજ આપના સાંસદ રાઘવ ચઢ્ઢા, સપાના અખિલેશ યાદવને પણ આવ્યો છે.

રાહુલ ગાંધીએ અદાણી મુદ્દે ફરી એક વખત સરકારને ઘેરી 

વિપક્ષી નેતાઓને આવા મેસેજ આવ્યા બાદ રાહુલ ગાંધીએ એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. હેકિંગ મામલે રાહુલ ગાંધીએ ફરી એક વખત ભાજપ અને અદાણી પર નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું કે પહેલા મને લાગતું હતું કે નંબર 1 પીએમ મોદી છે, નંબર 2 અદાણી છે અને નંબર 3 અમિત શાહ છે, પરંતુ આ ખોટું, નંબર 1 અદાણી છે, નંબર 2 પીએમ મોદી છે અને નંબર 3 અમિત શાહ છે. અમે ભારતની રાજનીતિ સમજી ગયા છીએ અને હવે અદાણીજી છટકી શકે તેમ નથી. વિચલિત કરવાની રાજનીતિ ચાલી રહી છે.... તે ઉપરાંત અનેક બીજા મુદ્દાઓને લઈ રાહુલ ગાંધી આક્રામક દેખાયા હતા. 




રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.