મણિપુરનો મુદ્દો ઉઠતા વિપક્ષી સાંસદોનો હોબાળો, કાર્યવાહી સ્થગિત! કાળા કપડા પહેરીને આવેલા સાંસદોએ કરી આ માગ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-07-27 13:58:47

આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. NDA અને INDIA વચ્ચે ચૂંટણી જંગ જામવાનો છે. પાર્ટીના તેમજ નેતાઓના નામના નારા ચૂંટણી સમયે સંભળાય તે સ્વભાવિક છે પરંતુ દેશની સંસદમાં આવા નારા સંભળાવવા લાગ્યા છે. સંસદમાં જ્યારે મણિપુરમાં થતી હિંસાની ચર્ચા જ્યારે થાય છે ત્યારે સંસદમાં હોબાળો થાય છે અને કાર્યવાહી સ્થગિત કરવામાં આવતી હોય છે. લોકસભા સત્રની શરૂઆત થતાં જ વિપક્ષો દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા અને માત્ર અમુક મિનીટોની અંદર કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. 2 વાગ્યા સુધી લોકસભાની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે.

સંસદમાં લાગ્યા મોદી-મોદી તેમજ INDIA-INDIAના નારા

મણિપુર છેલ્લા ઘણા મહિનાઓથી ભડકે બળી રહ્યું છે. અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ મામલે વિપક્ષ દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી છે કે કડક કાર્યવાહી થાય. પીએમ મોદી મૌન તોડે. મણિપુરનો મુદ્દે અનેક વખત વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવ્યો છે. ત્યારે આજે સંસદમાં ફરી એક વખત આ મુદ્દાને લઈ ભારે હોબાળો થયો અને કાર્યવાહી સ્થગિત કરવામાં આવી. વિપક્ષી સાંસદો આજે કાળા કપડા પહેરી તેમજ પ્લેકાર્ડ લઈ તેઓ સંસદ પહોંચ્યા હતા. વિપક્ષી સાંસદો માગ કરતા હતા કે વડાપ્રધાન ગૃહમાં આવો, ગૃહમાં આવીને કંઈક તો બોલો, વડાપ્રધાન મૌન તોડો... જેવા નારા લગાવ્યા હતા. તો બીજી તરફ એનડીએના સાંસદોએ પણ મોદી...મોદી...ના નારા લગાવવાનું શરૂ કરી દીધું. મોદી મોદીના નારા સાંભળી તો વિપક્ષે INDIA... INDIAના નારા લગાવ્યા હતા.

સંસદમાં મણિપુર વિશે પીએમ મોદી બોલે તેવી માગ

મહત્વનું છે કે સંસદનો આજે છઠ્ઠો દિવસ છે. સંસદની કાર્યવાહી શરૂ થતાં જ મણિપુરનો મુદ્દો ઉઠતાની સાથે જ વિવાદ છેડાઈ જાય છે અને ભારે હોબાળો થાય છે. હોબાળો થવાને કારણે દેશને લગતા અનેક મહત્વના મુદ્દાઓની ચર્ચા અટવાઈ જતી હોય છે. આજે કાળા કપડા પહેરી વિપક્ષી સાંસદો સંસદ ભવન પહોંચ્યા હતા. વિપક્ષની માગ છે કે સંસદમાં અમિત શાહ નહીં પરંતુ વડાપ્રધાન મોદી મણિપુર વિશે બોલે. મહત્વનું છે કે પીએમ મોદીએ જ્યારે મહિલાઓનો વીડિયો સામે આવ્યો હતો ત્યારે પ્રતિક્રિયા આપી હતી. પરંતુ તે સમયે પોતાના સંબોધનમાં પીએમ મોદીએ અનેક રાજ્યોના નામોનો ઉલ્લેખ કર્યો હતો. સ્મૃતિ ઈરાનીએ પણ જ્યારે મણિપુર અંગે પ્રતિક્રિયા આપી ત્યારે રાજસ્થાન, છત્તીસગઢ જેવા રાજ્યોનો ઉલ્લેખ કર્યો હતો. ક્યાં સુધી મણિપુર પર કેન્દ્ર સરકાર મૌન રહેશે? 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.