મણિપુરનો મુદ્દો ઉઠતા વિપક્ષી સાંસદોનો હોબાળો, કાર્યવાહી સ્થગિત! કાળા કપડા પહેરીને આવેલા સાંસદોએ કરી આ માગ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-07-27 13:58:47

આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. NDA અને INDIA વચ્ચે ચૂંટણી જંગ જામવાનો છે. પાર્ટીના તેમજ નેતાઓના નામના નારા ચૂંટણી સમયે સંભળાય તે સ્વભાવિક છે પરંતુ દેશની સંસદમાં આવા નારા સંભળાવવા લાગ્યા છે. સંસદમાં જ્યારે મણિપુરમાં થતી હિંસાની ચર્ચા જ્યારે થાય છે ત્યારે સંસદમાં હોબાળો થાય છે અને કાર્યવાહી સ્થગિત કરવામાં આવતી હોય છે. લોકસભા સત્રની શરૂઆત થતાં જ વિપક્ષો દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા અને માત્ર અમુક મિનીટોની અંદર કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. 2 વાગ્યા સુધી લોકસભાની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે.

સંસદમાં લાગ્યા મોદી-મોદી તેમજ INDIA-INDIAના નારા

મણિપુર છેલ્લા ઘણા મહિનાઓથી ભડકે બળી રહ્યું છે. અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ મામલે વિપક્ષ દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી છે કે કડક કાર્યવાહી થાય. પીએમ મોદી મૌન તોડે. મણિપુરનો મુદ્દે અનેક વખત વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવ્યો છે. ત્યારે આજે સંસદમાં ફરી એક વખત આ મુદ્દાને લઈ ભારે હોબાળો થયો અને કાર્યવાહી સ્થગિત કરવામાં આવી. વિપક્ષી સાંસદો આજે કાળા કપડા પહેરી તેમજ પ્લેકાર્ડ લઈ તેઓ સંસદ પહોંચ્યા હતા. વિપક્ષી સાંસદો માગ કરતા હતા કે વડાપ્રધાન ગૃહમાં આવો, ગૃહમાં આવીને કંઈક તો બોલો, વડાપ્રધાન મૌન તોડો... જેવા નારા લગાવ્યા હતા. તો બીજી તરફ એનડીએના સાંસદોએ પણ મોદી...મોદી...ના નારા લગાવવાનું શરૂ કરી દીધું. મોદી મોદીના નારા સાંભળી તો વિપક્ષે INDIA... INDIAના નારા લગાવ્યા હતા.

સંસદમાં મણિપુર વિશે પીએમ મોદી બોલે તેવી માગ

મહત્વનું છે કે સંસદનો આજે છઠ્ઠો દિવસ છે. સંસદની કાર્યવાહી શરૂ થતાં જ મણિપુરનો મુદ્દો ઉઠતાની સાથે જ વિવાદ છેડાઈ જાય છે અને ભારે હોબાળો થાય છે. હોબાળો થવાને કારણે દેશને લગતા અનેક મહત્વના મુદ્દાઓની ચર્ચા અટવાઈ જતી હોય છે. આજે કાળા કપડા પહેરી વિપક્ષી સાંસદો સંસદ ભવન પહોંચ્યા હતા. વિપક્ષની માગ છે કે સંસદમાં અમિત શાહ નહીં પરંતુ વડાપ્રધાન મોદી મણિપુર વિશે બોલે. મહત્વનું છે કે પીએમ મોદીએ જ્યારે મહિલાઓનો વીડિયો સામે આવ્યો હતો ત્યારે પ્રતિક્રિયા આપી હતી. પરંતુ તે સમયે પોતાના સંબોધનમાં પીએમ મોદીએ અનેક રાજ્યોના નામોનો ઉલ્લેખ કર્યો હતો. સ્મૃતિ ઈરાનીએ પણ જ્યારે મણિપુર અંગે પ્રતિક્રિયા આપી ત્યારે રાજસ્થાન, છત્તીસગઢ જેવા રાજ્યોનો ઉલ્લેખ કર્યો હતો. ક્યાં સુધી મણિપુર પર કેન્દ્ર સરકાર મૌન રહેશે? 



સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના વાલેવડા ગામે પોલીસ અને ગ્રામજનો વચ્ચે ઘર્ષણ થયું છે. આ મામલે , દસાડા પોલીસ મથકે એક વ્યક્તિ સામે ફરજમાં રુકાવટ અંગેની ફરિયાદ પોતે પોલીસ કર્મચારી દ્વારા નોંધાવવામાં આવી છે. બીજી બાજુ કોંગ્રેસના પૂર્વ MLA અને ગ્રામજનો દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે , સ્થાનિક PI દ્વારા રિવોલ્વર મૂકીને ધમકી આપીને માર મારવામાં આવ્યો છે.

There is a lot of discussion on the relations between India and America, whether it is Donald Trump's tariff hike or calling PM Modi a special friend, everyone's eyes are on these relations between India and America. Amidst all this, US Ambassador to India Sergio Gore reached Mumbai and this visit is considered a very important one.

ગુજરાત હવે ખેલકૂદમાં પણ "ગ્લોબલ હબ" બનીને ઉભરી રહ્યું છે. આવનારા સમયમાં 2030ના વર્ષમાં કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજવા જઈ રહી છે. આગામી સમયમાં 2036માં ભારતમાં ઓલિમ્પિક યોજાય તે માટે પ્રયાસો શરુ થઇ ગયા છે. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ દ્વારા નેશનલ ઓલિમ્પિક એજ્યુકેશન એન્ડ ડેવલપમન્ટ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે. સાથે જ નેશનલ ઓલિમ્પિક એકેડેમીને ફરી સક્રિય કરવામાં આવી છે. આ નિર્ણય ૮મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મળી હતી તેમાં લેવાયો છે અને આ પછી , 9મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની જે વાર્ષિક સામાન્ય સભા મળી હતી તેમાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. IOAની આ બંને મિટિંગ અમદાવાદ ખાતે મળી હતી.

પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.