મણિપુરનો મુદ્દો ઉઠતા વિપક્ષી સાંસદોનો હોબાળો, કાર્યવાહી સ્થગિત! કાળા કપડા પહેરીને આવેલા સાંસદોએ કરી આ માગ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-07-27 13:58:47

આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. NDA અને INDIA વચ્ચે ચૂંટણી જંગ જામવાનો છે. પાર્ટીના તેમજ નેતાઓના નામના નારા ચૂંટણી સમયે સંભળાય તે સ્વભાવિક છે પરંતુ દેશની સંસદમાં આવા નારા સંભળાવવા લાગ્યા છે. સંસદમાં જ્યારે મણિપુરમાં થતી હિંસાની ચર્ચા જ્યારે થાય છે ત્યારે સંસદમાં હોબાળો થાય છે અને કાર્યવાહી સ્થગિત કરવામાં આવતી હોય છે. લોકસભા સત્રની શરૂઆત થતાં જ વિપક્ષો દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા અને માત્ર અમુક મિનીટોની અંદર કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. 2 વાગ્યા સુધી લોકસભાની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે.

સંસદમાં લાગ્યા મોદી-મોદી તેમજ INDIA-INDIAના નારા

મણિપુર છેલ્લા ઘણા મહિનાઓથી ભડકે બળી રહ્યું છે. અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ મામલે વિપક્ષ દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી છે કે કડક કાર્યવાહી થાય. પીએમ મોદી મૌન તોડે. મણિપુરનો મુદ્દે અનેક વખત વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવ્યો છે. ત્યારે આજે સંસદમાં ફરી એક વખત આ મુદ્દાને લઈ ભારે હોબાળો થયો અને કાર્યવાહી સ્થગિત કરવામાં આવી. વિપક્ષી સાંસદો આજે કાળા કપડા પહેરી તેમજ પ્લેકાર્ડ લઈ તેઓ સંસદ પહોંચ્યા હતા. વિપક્ષી સાંસદો માગ કરતા હતા કે વડાપ્રધાન ગૃહમાં આવો, ગૃહમાં આવીને કંઈક તો બોલો, વડાપ્રધાન મૌન તોડો... જેવા નારા લગાવ્યા હતા. તો બીજી તરફ એનડીએના સાંસદોએ પણ મોદી...મોદી...ના નારા લગાવવાનું શરૂ કરી દીધું. મોદી મોદીના નારા સાંભળી તો વિપક્ષે INDIA... INDIAના નારા લગાવ્યા હતા.

સંસદમાં મણિપુર વિશે પીએમ મોદી બોલે તેવી માગ

મહત્વનું છે કે સંસદનો આજે છઠ્ઠો દિવસ છે. સંસદની કાર્યવાહી શરૂ થતાં જ મણિપુરનો મુદ્દો ઉઠતાની સાથે જ વિવાદ છેડાઈ જાય છે અને ભારે હોબાળો થાય છે. હોબાળો થવાને કારણે દેશને લગતા અનેક મહત્વના મુદ્દાઓની ચર્ચા અટવાઈ જતી હોય છે. આજે કાળા કપડા પહેરી વિપક્ષી સાંસદો સંસદ ભવન પહોંચ્યા હતા. વિપક્ષની માગ છે કે સંસદમાં અમિત શાહ નહીં પરંતુ વડાપ્રધાન મોદી મણિપુર વિશે બોલે. મહત્વનું છે કે પીએમ મોદીએ જ્યારે મહિલાઓનો વીડિયો સામે આવ્યો હતો ત્યારે પ્રતિક્રિયા આપી હતી. પરંતુ તે સમયે પોતાના સંબોધનમાં પીએમ મોદીએ અનેક રાજ્યોના નામોનો ઉલ્લેખ કર્યો હતો. સ્મૃતિ ઈરાનીએ પણ જ્યારે મણિપુર અંગે પ્રતિક્રિયા આપી ત્યારે રાજસ્થાન, છત્તીસગઢ જેવા રાજ્યોનો ઉલ્લેખ કર્યો હતો. ક્યાં સુધી મણિપુર પર કેન્દ્ર સરકાર મૌન રહેશે? 



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .