મણિપુરનો મુદ્દો ઉઠતા વિપક્ષી સાંસદોનો હોબાળો, કાર્યવાહી સ્થગિત! કાળા કપડા પહેરીને આવેલા સાંસદોએ કરી આ માગ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-07-27 13:58:47

આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. NDA અને INDIA વચ્ચે ચૂંટણી જંગ જામવાનો છે. પાર્ટીના તેમજ નેતાઓના નામના નારા ચૂંટણી સમયે સંભળાય તે સ્વભાવિક છે પરંતુ દેશની સંસદમાં આવા નારા સંભળાવવા લાગ્યા છે. સંસદમાં જ્યારે મણિપુરમાં થતી હિંસાની ચર્ચા જ્યારે થાય છે ત્યારે સંસદમાં હોબાળો થાય છે અને કાર્યવાહી સ્થગિત કરવામાં આવતી હોય છે. લોકસભા સત્રની શરૂઆત થતાં જ વિપક્ષો દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા અને માત્ર અમુક મિનીટોની અંદર કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. 2 વાગ્યા સુધી લોકસભાની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે.

સંસદમાં લાગ્યા મોદી-મોદી તેમજ INDIA-INDIAના નારા

મણિપુર છેલ્લા ઘણા મહિનાઓથી ભડકે બળી રહ્યું છે. અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ મામલે વિપક્ષ દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી છે કે કડક કાર્યવાહી થાય. પીએમ મોદી મૌન તોડે. મણિપુરનો મુદ્દે અનેક વખત વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવ્યો છે. ત્યારે આજે સંસદમાં ફરી એક વખત આ મુદ્દાને લઈ ભારે હોબાળો થયો અને કાર્યવાહી સ્થગિત કરવામાં આવી. વિપક્ષી સાંસદો આજે કાળા કપડા પહેરી તેમજ પ્લેકાર્ડ લઈ તેઓ સંસદ પહોંચ્યા હતા. વિપક્ષી સાંસદો માગ કરતા હતા કે વડાપ્રધાન ગૃહમાં આવો, ગૃહમાં આવીને કંઈક તો બોલો, વડાપ્રધાન મૌન તોડો... જેવા નારા લગાવ્યા હતા. તો બીજી તરફ એનડીએના સાંસદોએ પણ મોદી...મોદી...ના નારા લગાવવાનું શરૂ કરી દીધું. મોદી મોદીના નારા સાંભળી તો વિપક્ષે INDIA... INDIAના નારા લગાવ્યા હતા.

સંસદમાં મણિપુર વિશે પીએમ મોદી બોલે તેવી માગ

મહત્વનું છે કે સંસદનો આજે છઠ્ઠો દિવસ છે. સંસદની કાર્યવાહી શરૂ થતાં જ મણિપુરનો મુદ્દો ઉઠતાની સાથે જ વિવાદ છેડાઈ જાય છે અને ભારે હોબાળો થાય છે. હોબાળો થવાને કારણે દેશને લગતા અનેક મહત્વના મુદ્દાઓની ચર્ચા અટવાઈ જતી હોય છે. આજે કાળા કપડા પહેરી વિપક્ષી સાંસદો સંસદ ભવન પહોંચ્યા હતા. વિપક્ષની માગ છે કે સંસદમાં અમિત શાહ નહીં પરંતુ વડાપ્રધાન મોદી મણિપુર વિશે બોલે. મહત્વનું છે કે પીએમ મોદીએ જ્યારે મહિલાઓનો વીડિયો સામે આવ્યો હતો ત્યારે પ્રતિક્રિયા આપી હતી. પરંતુ તે સમયે પોતાના સંબોધનમાં પીએમ મોદીએ અનેક રાજ્યોના નામોનો ઉલ્લેખ કર્યો હતો. સ્મૃતિ ઈરાનીએ પણ જ્યારે મણિપુર અંગે પ્રતિક્રિયા આપી ત્યારે રાજસ્થાન, છત્તીસગઢ જેવા રાજ્યોનો ઉલ્લેખ કર્યો હતો. ક્યાં સુધી મણિપુર પર કેન્દ્ર સરકાર મૌન રહેશે? 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.