મુખ્યમંત્રી કાર્યાલય પર બેસી કોંગ્રેસ ધારાસભ્યોનો વિરોધ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-27 16:04:06

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કોંગ્રેસના ધારાસભ્યોની માગણીઓ નથી સ્વિકારતા અને ધક્કા ખવડાવે છે તેના કારણે ધારાસભ્ય જશુભાઈ પટેલ, ધારાસભ્ય અજિતસિંહ ચૌહાણ અને માણસાના ધારાસભ્ય મુખ્યમંત્રી કચેરી પર ધરણા પર બેઠા છે. મુખ્યમંત્રીના સેક્રેટરી અવંતિકા સિંહની કચેરી પર ધારાસભ્ય જશુભાઈ પટેલ સહિત બે ધારાસભ્યોએ નીચે જમીન પર બેસીને વિરોધ નોંધાવ્યો હતો. 


આ લોકો મારી પાસે ધક્કા જ ખવડાવે છેઃ જશુ પટેલ 

જમાવટ મીડિયાએ જ્યારે બાયડ-માલપુરના ધારાસભ્ય જશુ પટેલ સાથે વાત કરી હતી ત્યારે તેણે જણાવ્યું હતું કે, આ લોકો મારી પાસે ધક્કા જ ખવડાવે છે. મને મળવા માટે સમય આપે છે પણ હું આવું છું ત્યારે મને કહી દેય છે કે હવે પાછા જાવ સાહેબ પાસે સમય નથી. મારા વિધાનસભા ક્ષેત્રના રસ્તા વગેરેમાં કામગીરી કરવા માટે હું 2 વર્ષથી મુખ્યમંત્રીને મળવાનો પ્રયાસ કરું છું પરંતુ મને મળવા દેવામાં નથી આવતા. અમને માત્ર ખાતરી જ આપવામાં આવે છે મળવા માટેનો સમય નથી અપાતો. મેં 100 વાર ધક્કા ખાધા છે પણ મને મળવા નથી દેતા. હું કલાકથી બેઠો છું મને એવું લાગે છે કે હું મંદિર બહાર ભીખ માગવા બેઠો છું. મારી સાથે માણસા અને બાલાસિનોરના ધારાસભ્ય અજિતસિંહ ચૌહાણ પણ ધરણા કરી રહ્યા છે. 


 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.