મુખ્યમંત્રી કાર્યાલય પર બેસી કોંગ્રેસ ધારાસભ્યોનો વિરોધ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-27 16:04:06

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કોંગ્રેસના ધારાસભ્યોની માગણીઓ નથી સ્વિકારતા અને ધક્કા ખવડાવે છે તેના કારણે ધારાસભ્ય જશુભાઈ પટેલ, ધારાસભ્ય અજિતસિંહ ચૌહાણ અને માણસાના ધારાસભ્ય મુખ્યમંત્રી કચેરી પર ધરણા પર બેઠા છે. મુખ્યમંત્રીના સેક્રેટરી અવંતિકા સિંહની કચેરી પર ધારાસભ્ય જશુભાઈ પટેલ સહિત બે ધારાસભ્યોએ નીચે જમીન પર બેસીને વિરોધ નોંધાવ્યો હતો. 


આ લોકો મારી પાસે ધક્કા જ ખવડાવે છેઃ જશુ પટેલ 

જમાવટ મીડિયાએ જ્યારે બાયડ-માલપુરના ધારાસભ્ય જશુ પટેલ સાથે વાત કરી હતી ત્યારે તેણે જણાવ્યું હતું કે, આ લોકો મારી પાસે ધક્કા જ ખવડાવે છે. મને મળવા માટે સમય આપે છે પણ હું આવું છું ત્યારે મને કહી દેય છે કે હવે પાછા જાવ સાહેબ પાસે સમય નથી. મારા વિધાનસભા ક્ષેત્રના રસ્તા વગેરેમાં કામગીરી કરવા માટે હું 2 વર્ષથી મુખ્યમંત્રીને મળવાનો પ્રયાસ કરું છું પરંતુ મને મળવા દેવામાં નથી આવતા. અમને માત્ર ખાતરી જ આપવામાં આવે છે મળવા માટેનો સમય નથી અપાતો. મેં 100 વાર ધક્કા ખાધા છે પણ મને મળવા નથી દેતા. હું કલાકથી બેઠો છું મને એવું લાગે છે કે હું મંદિર બહાર ભીખ માગવા બેઠો છું. મારી સાથે માણસા અને બાલાસિનોરના ધારાસભ્ય અજિતસિંહ ચૌહાણ પણ ધરણા કરી રહ્યા છે. 


 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.