મુખ્યમંત્રી કાર્યાલય પર બેસી કોંગ્રેસ ધારાસભ્યોનો વિરોધ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-27 16:04:06

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કોંગ્રેસના ધારાસભ્યોની માગણીઓ નથી સ્વિકારતા અને ધક્કા ખવડાવે છે તેના કારણે ધારાસભ્ય જશુભાઈ પટેલ, ધારાસભ્ય અજિતસિંહ ચૌહાણ અને માણસાના ધારાસભ્ય મુખ્યમંત્રી કચેરી પર ધરણા પર બેઠા છે. મુખ્યમંત્રીના સેક્રેટરી અવંતિકા સિંહની કચેરી પર ધારાસભ્ય જશુભાઈ પટેલ સહિત બે ધારાસભ્યોએ નીચે જમીન પર બેસીને વિરોધ નોંધાવ્યો હતો. 


આ લોકો મારી પાસે ધક્કા જ ખવડાવે છેઃ જશુ પટેલ 

જમાવટ મીડિયાએ જ્યારે બાયડ-માલપુરના ધારાસભ્ય જશુ પટેલ સાથે વાત કરી હતી ત્યારે તેણે જણાવ્યું હતું કે, આ લોકો મારી પાસે ધક્કા જ ખવડાવે છે. મને મળવા માટે સમય આપે છે પણ હું આવું છું ત્યારે મને કહી દેય છે કે હવે પાછા જાવ સાહેબ પાસે સમય નથી. મારા વિધાનસભા ક્ષેત્રના રસ્તા વગેરેમાં કામગીરી કરવા માટે હું 2 વર્ષથી મુખ્યમંત્રીને મળવાનો પ્રયાસ કરું છું પરંતુ મને મળવા દેવામાં નથી આવતા. અમને માત્ર ખાતરી જ આપવામાં આવે છે મળવા માટેનો સમય નથી અપાતો. મેં 100 વાર ધક્કા ખાધા છે પણ મને મળવા નથી દેતા. હું કલાકથી બેઠો છું મને એવું લાગે છે કે હું મંદિર બહાર ભીખ માગવા બેઠો છું. મારી સાથે માણસા અને બાલાસિનોરના ધારાસભ્ય અજિતસિંહ ચૌહાણ પણ ધરણા કરી રહ્યા છે. 


 



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .