INDIA ગઠબંધનનો મહત્વનો નિર્ણય, હિંસાગ્રસ્ત મણિપુરની મુલાકાત લેશે વિપક્ષના નેતાઓ


  • Published By :
  • Published Date : 2023-07-21 21:16:54

મણિપુરમાં છેલ્લા 80 દિવસથી હિંસા ચાલી રહી છે, રાજ્ય અને કેન્દ્ર સરકાર હિંસાને રોકવાના તમામ પ્રયાસો કરી રહી છે  તેમ છતાં હજુ સુધી સફળતા મળી નથી. 19 જુલાઈના રોજ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો, જેના કારણે દેશભરમાં ખળભળાટ મચી ગયો હતો. વીડિયોમાં કુકી સમાજની મહિલાઓ સાથે થયેલી બર્બરતાના કારણે સમગ્ર દેશની જનતા શરમમાં મુકાઈ ગઈ હતી. આ ઘટના બાદ વિદેશી મીડિયામાં પણ ભારતની નિંદા કરવામાં આવી હતી. આ મુદ્દે ગૃહમાં વિપક્ષે હોબાળો મચાવ્યો હતો. વિપક્ષી નેતા મણિપુરમાં હિંસા અંગે સરકાર પાસે જવાબ માંગી રહ્યા છે. દરમિયાન, સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે વિપક્ષી ગઠબંધન 'ઈન્ડિયા' (ઈન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઈન્ક્લુઝિવ એલાયન્સ)ના નેતા આગામી સપ્તાહના અંત સુધીમાં મણિપુરની મુલાકાત લઈ શકે છે. સોમવારે સવારે વિપક્ષી નેતાઓ મણિપુર જવાની તારીખની જાહેરાત કરી શકે છે. વિપક્ષી દળોના ગઠબંધન ઇન્ડિયામાં સામેલ સહિત 26 દળનો સમાવેશ થાય છે.


મમતા બેનર્જીએ આપી જાણકારી


હિંસાગ્રસ્ત મણિપુરની મુલાકાત અંગે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ જાણકારી આપી હતી. તૃણમુલ કોંગ્રેસ (TMC) ચીફ બેનર્જીએ ગુરૂવારે જણાવ્યું હતું કે, તેઓ રાજ્યની મુલાકાત કરવા અંગે અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરી રહી છે. સુત્રો અનુસાર તેમણે શુક્રવારે દિલ્હીના મુખ્યમંત્રીને પણ મણિપુર મુલાકાત અંગે વાતચીત કરી છે.  


મણિપુરમાં હિંસા શા માટે ફેલાઈ?


મણિપુરમાં, 4 મેના રોજ, મીતેઈ સમુદાયના લગભગ 1,000 લોકોએ કુકી સમુદાયના એક ગામ પર હુમલો કર્યો હતો. ત્યાર બાદ હુમલાખોરોએ બે મહિલાઓને નગ્ન કરીને પરેડ કરી હતી. આ દરમિયાન ટોળાએ આ બે મહિલાઓ સાથે બર્બરતાની તમામ હદ વટાવી દીધી હતી. આ કેસમાં અત્યાર સુધીમાં ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે ધરપકડ કરાયેલા 4 લોકોમાંથી એક વિશે માહિતી આપી છે. તેમણે કહ્યું કે ધરપકડ કરાયેલ 4 માંથી એક વ્યક્તિ ઘટના દરમિયાન ભીડનો ભાગ હતો. પોલીસે જણાવ્યું કે આરોપીની ઓળખ 32 વર્ષીય હુઈરેમ હેરાદાસ તરીકે થઈ છે. આ મામલે રાજ્ય અને કેન્દ્ર સરકારે દાવો કર્યો છે કે આરોપીઓને બક્ષવામાં નહીં આવે.



૧૮મી જૂને યોજાવનાર ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ચાર બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ આ નામોની જાહેરાત જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને કરી છે. ગુજરાતમાં આ તમામ ૪ બેઠકો સત્તાધારી પક્ષ ભાજપના ફાળે જાય તેવી સંભાવના પુરેપુરી છે. કેમ કે , ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે પૂરતું સંખ્યાબળ જ નથી.

એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.