INDIA ગઠબંધનનો મહત્વનો નિર્ણય, હિંસાગ્રસ્ત મણિપુરની મુલાકાત લેશે વિપક્ષના નેતાઓ


  • Published By :
  • Published Date : 2023-07-21 21:16:54

મણિપુરમાં છેલ્લા 80 દિવસથી હિંસા ચાલી રહી છે, રાજ્ય અને કેન્દ્ર સરકાર હિંસાને રોકવાના તમામ પ્રયાસો કરી રહી છે  તેમ છતાં હજુ સુધી સફળતા મળી નથી. 19 જુલાઈના રોજ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો, જેના કારણે દેશભરમાં ખળભળાટ મચી ગયો હતો. વીડિયોમાં કુકી સમાજની મહિલાઓ સાથે થયેલી બર્બરતાના કારણે સમગ્ર દેશની જનતા શરમમાં મુકાઈ ગઈ હતી. આ ઘટના બાદ વિદેશી મીડિયામાં પણ ભારતની નિંદા કરવામાં આવી હતી. આ મુદ્દે ગૃહમાં વિપક્ષે હોબાળો મચાવ્યો હતો. વિપક્ષી નેતા મણિપુરમાં હિંસા અંગે સરકાર પાસે જવાબ માંગી રહ્યા છે. દરમિયાન, સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે વિપક્ષી ગઠબંધન 'ઈન્ડિયા' (ઈન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઈન્ક્લુઝિવ એલાયન્સ)ના નેતા આગામી સપ્તાહના અંત સુધીમાં મણિપુરની મુલાકાત લઈ શકે છે. સોમવારે સવારે વિપક્ષી નેતાઓ મણિપુર જવાની તારીખની જાહેરાત કરી શકે છે. વિપક્ષી દળોના ગઠબંધન ઇન્ડિયામાં સામેલ સહિત 26 દળનો સમાવેશ થાય છે.


મમતા બેનર્જીએ આપી જાણકારી


હિંસાગ્રસ્ત મણિપુરની મુલાકાત અંગે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ જાણકારી આપી હતી. તૃણમુલ કોંગ્રેસ (TMC) ચીફ બેનર્જીએ ગુરૂવારે જણાવ્યું હતું કે, તેઓ રાજ્યની મુલાકાત કરવા અંગે અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરી રહી છે. સુત્રો અનુસાર તેમણે શુક્રવારે દિલ્હીના મુખ્યમંત્રીને પણ મણિપુર મુલાકાત અંગે વાતચીત કરી છે.  


મણિપુરમાં હિંસા શા માટે ફેલાઈ?


મણિપુરમાં, 4 મેના રોજ, મીતેઈ સમુદાયના લગભગ 1,000 લોકોએ કુકી સમુદાયના એક ગામ પર હુમલો કર્યો હતો. ત્યાર બાદ હુમલાખોરોએ બે મહિલાઓને નગ્ન કરીને પરેડ કરી હતી. આ દરમિયાન ટોળાએ આ બે મહિલાઓ સાથે બર્બરતાની તમામ હદ વટાવી દીધી હતી. આ કેસમાં અત્યાર સુધીમાં ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે ધરપકડ કરાયેલા 4 લોકોમાંથી એક વિશે માહિતી આપી છે. તેમણે કહ્યું કે ધરપકડ કરાયેલ 4 માંથી એક વ્યક્તિ ઘટના દરમિયાન ભીડનો ભાગ હતો. પોલીસે જણાવ્યું કે આરોપીની ઓળખ 32 વર્ષીય હુઈરેમ હેરાદાસ તરીકે થઈ છે. આ મામલે રાજ્ય અને કેન્દ્ર સરકારે દાવો કર્યો છે કે આરોપીઓને બક્ષવામાં નહીં આવે.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .