Parshottam Rupalaનું સમર્થન કરવામાં Jayrajsinh Jadejaનો વિરોધ! સૌરાષ્ટ્રમાં લાગ્યા પોસ્ટર!


  • Published By :
  • Published Date : 2024-04-02 17:23:46

રાજનેતાઓ અનેક વખત એવા નિવેદનો આપી દેતા હોય છે જેને કારણે વિવાદ છેડાઈ જતો હોય છે. ત્યારે ક્ષત્રિય સમાજ માટે પરષોત્તમ રૂપાલા દ્વારા નિવેદન આપવામાં આવ્યું જે બાદ તેમનો વિરોધ થઈ રહ્યો છે. પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે તેવી માગ ક્ષત્રિય સમાજ દ્વારા કહેવામાં આવી રહી છે. ક્ષત્રિય સમાજનો ગુસ્સો શાંત પાડવા માટે રાજકોટ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું  જેમાં જયરાજસિંહ જાડેજા પણ હાજર હતા. આ બેઠક બાદ જયરાજસિંહનો પણ વિરોધ થઈ રહ્યો છે, અનેક જગ્યાઓ પર પરષોત્તમ રૂપાલાની સાથે સાથે જયરાજસિંહ જાડેજાનો પણ વિરોધ થઈ રહ્યો છે. 

જયરાજસિંહ જાડેજાનો પણ થઈ રહ્યો છે વિરોધ!

કહેવાય છે કે જીભને હાડકું નથી હોતું. કઇ પણ બોલાઈ જાય અને પછી પસ્તાવો થાય. આવું જ કઇંક લોકસભાની ચૂંટણી માટે ભાજપના રાજકોટથી ઉમેદવાર પરષોત્તમ રૂપાલાને લઇને જોવા મળી રહ્યું છે. તેમનું એક નિવેદન આજે તેમના માટે માથાનો દુખાવો બની ગયું છે. રૂપાલાથી થયેલી શાબ્દિક ભૂલ પર ભાજપ દ્વારા ઘણો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે પણ પરિણામ શૂન્ય  મળી રહ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે. હવે સમાચાર મળી રહ્યા છે કે પરષોત્તમ રૂપાલા બાદ જયરાજસિંહ જાડેજાનો પણ ખૂબ જ વિરોધ શરૂ થઇ ગયો છે.



ક્ષત્રિય સમાજને મનાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ... 

રાજકોટથી લોકસભાની ચૂંટણી માટે ભાજપે પરષોત્તમ રૂપાલાને ટિકિટ આપી છે. થોડા દિવસો પહેલા એવી ચર્ચાઓ હતી કે આ બેઠક પરથી રૂપાલા આસાનીથી જીતી શકે છે પણ કહેવાય છે કે, તમારી એક ભૂલ તમને મોટું નુકસાન કરાવી શકે છે. આવું જ કઇંક પરષોત્તમ રૂપાલા સાથે થયું છે. તે જે બોલી ચુક્યા છે તેને તે બદલી શકતા નથી પણ તેઓ તેમના દ્વારા કરવામાં આવેલી ભૂલને સ્વીકારી માફી માંગી હતી. તેમના સમર્થનમાં જયરાજસિંહે પણ ક્ષત્રિય સમાજને મનાવવાનો પ્રયત્ન કર્યો હતો. હવે સ્થિતિ એવી છે કે, સૌરાષ્ટ્રમાં જયરાજસિંહનો પણ વિરોધ શરૂ થઇ ગયો છે. જે હવે ભાજપ માટે વધુ એક મુસીબત બની છે.



સંમેલન બાદ જયરાજસિંહે વિવાદ પૂર્ણ થયા હોવાની કરી હતી વાત!

પરષોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે. જયરાજસિંહ જાડેજાની આગેવાનીમાં ગોંડલમાં સંમેલન મળ્યું હતું. જે સંમેલનમાં રૂપાલાએ જાહેરમાં ક્ષત્રિયો સામેના નિવેદન બદલ માફી માગી હતી. પરંતુ કરણી સેના સહિત સમાજના સંગઠનોએ રૂપાલાની માફીને સ્વીકારી ન હતી. ક્ષત્રિય સંગઠનોનું કહેવું છે કે જયરાજસિંહ એકલા સમાજ તરફથી નિર્ણય ન લઈ શકે તેમજ જયરાજસિંહ જાડેજાએ કહ્યું કે આ વિવાદ હવે પૂર્ણ થયો છે.


આજે સી.આર.પાટીલના નિવાસસ્થાને મળી હતી બેઠક 

રાજકોટમાં આજે યોજાયેલી પત્રકાર પરિષદમાં સૌરષ્ટ્ર કચ્છના ભાજપના પ્રવક્તા રાજુભાઇ ધ્રુવે જણાવ્યું કે ઉમેદવાર બદલવાની વાત માત્ર અફવા છે. રુપાલાના પ્રચાર પ્રસારના તમામ કામો ચાલું જ છે. તેમણે કહ્યું કે રુપાલાને બદલવાની વાતમાં કોઇ તથ્ય નથી અને પક્ષ આ બધી વાતોને બદલવાની વાતોનું ખંડન કરે છે. મહત્વનું છે કે આજે સી.આર.પાટીલના ઘરે ગુજરાતના મુખ્યમંત્રી તેમજ ભાજપના અનેક નેતાઓ હાજર રહ્યા હતા. સી.આર.પાટીલે બેઠક બાદ માફી માગી હતી. આવતી કાલે ભાજપના નેતાઓ તેમજ ક્ષત્રિય સમાજના આગેવાનો વચ્ચે બેઠક થવાની છે. આ બેઠક પર સૌ કોઈની નજર રહેશે..    




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે