પરષોત્તમ રૂપાલાનો વિરોધ યથાવત! રાજકોટમાં ભાજપના મધ્યસ્થી કાર્યાલયમાં તોડફોડ કરવાનો પ્રયત્ન, તાપીમાં પણ થયો વિરોધ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-04-19 13:15:09

રાજકોટ લોકસભા બેઠક રણમેદાનમાં ફેરવાઈ ગઈ છે તેવું કહીએ તો અતિશયોક્તિ નથી... પરષોત્તમ રૂપાલાનો વિરોધ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહ્યો છે. ક્ષત્રિય સમાજની માગ છે કે પરષોત્તમ રુપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે. ક્ષત્રિય સમાજને લઈ પરષોત્તમ રૂપાલાએ આપેલા નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અને તેઓ પોતાની માગ પર અડગ છે તો બીજી તરફ ભાજપ પણ પોતાની વાત પર મક્કમ દેખાઈ રહી છે. આ બધા વચ્ચે રાજકોટમાં ભાજપના મધ્યસ્થ કાર્યાલય પર તોડફોડનો પ્રયાસ કરાયો તો તાપીમાં રુપાલાનું પૂતળુ બાળવામાં આવ્યું.... 

રાજકોટમાં ભાજપના કાર્યાલય પર હુમલાનો પ્રયાસ, તોડફોડ કરવાના ઈરાદે ઘૂસ્યા કેટલાક શખ્સ

અમિત શાહે આપ્યું પરષોત્તમ રૂપાલાને આશ્વાસન!

ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી પરષોત્તમ રુપાલાનો વિરોધ ક્ષત્રિય સમાજ કરી રહ્યો છે.. વિરોધ શરૂ થયો ત્યારે આ વિરોધ માત્ર પરષોત્તમ રૂપાલા પૂરતો સીમિત હતો પરંતુ હવે આ વિરોધ ભાજપ વર્સિસ ક્ષત્રિય સમાજમાં પરિવર્તત થઈ રહ્યો છે... વિવાદનો કોઈ નિવેડો પણ નથી આવ્યો. વિવાદને શાંત કરવા માટે અનેક પ્રયત્નો કરવામાં આવ્યા પરંતુ તેનું પરિણામ કંઈ ના આવ્યું. આવામાં અમિત શાહ ગુજરાત આવ્યા છે... અને પોતાના મત વિસ્તારમાં પ્રચાર પ્રસાર કર્યો.. આ દરમિયાન તેમણે એવુ કહ્યું કે, રુપાલાએ દિલથી માફી માગી છે... 

rajkot_bjp_zee2.jpg

કાર્યાલયમાં તોડફોડ કરવાનો કરાયો પ્રયત્ન 

એક તરફ વિવાદને શાંત કરવાનો પ્રયત્નો થઈ રહ્યો છે તો બીજી તરફ રાજકોટમાં એવી ઘટના સામે  આવી છે જેની કદાચ કોઈએ કલ્પના પણ નહીં કરી હોય..! રાજકોટમાં 150 ફૂટ રિંગરોડ સ્થિત 71 વિધાનસભાના મધ્યસ્થી કાર્યાલય પર તોડફોડ કરવા માટે કેટલાક શખ્સો આવી પહોંચ્યા હતા. આ યુવકોએ કાર્યાલય પર પથ્થર ફેંકવાનો અને તોડફોડ કરવાનો પ્રયાસ કર્યો હતો. મોડી રાતે રાજકોટ વિધાનસભા 71ના કાર્યાલય પર મોટો હુમલો થતા રહી ગયો. કેટલાક અસામાજિક તત્વો દ્વારા કાર્યાલયને તોડફોડ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. 


પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી 

કાર્યલય ઉપરના બિલ્ડીંગ પરથી પથ્થરો ફેંકવાનો પ્રયાસ કરાયો હતો. કાર્યાલય પર કારમાં આવેલા કેટલાક વ્યક્તિઓ તોડફોડ કરવા પહોંચ્યા હતા. જોકે, યુવકો તોડફોડ કરે તે પહેલાં ઘટના સ્થળે પર  પોલીસ આવી પહોંચી હતી. પોલીસ આવી પહોંચી તેના યુવકોનો હુમલાનો પ્રયાસ અસફળ બનાવ્યો. હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. તો એક દિવસ અગાઉ પણ એક બુકાનીધારી શખ્સે પડદા અને શમિયાણામાં આગચંપી કરવાનો પ્રયાસ કર્યો હતો... 


પોલીસે તપાસ આરંભી

હાલ આ સમાચાર સત્તાવાર રીતે બહાર નથી આવ્યા.. મોડી રાત્રે દોઢ વાગ્યે આ કૃત્ય કરવામાં આવ્યું હતું...પણ સિક્યોરિટી ગાર્ડને જોઈ જતા બુકાનીધારી શખ્સ ફરાર થયો હતો...  ભાજપે આ બાબતે કોઈ ફરિયાદ નથી નોંધાવી... પણ ગઈકાલે ફરીએકવાર તોડફોડનો પ્રયાસ કરવામાં આવ્યો ... જો કે પોલીસ પહોંચી જતા આ પ્રયાસ નિષ્ફળ રહ્યો.... 4 શખ્સો પોલીસને જોઈને કારમાં ફરાર થયા હતા તેમની તપાસ શરુ કરવામાં આવી છે... 



તાપીમાં કરાયો પરષોત્તમ રૂપાલાનો વિરોધ 

તો બીજી તરફ, તાપી જિલ્લામાં ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત છે. તાપી જિલ્લામાં પરસોત્તમ રૂપાલાનું પૂતળું બનાવી ગામના સીમાડે પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. વાલોડ તાલુકાના શાહપોર ગામમાં મહિલાઓએ અને પુરુષોએ વિરોધ કર્યો હતો. રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ કરવાની માંગ સાથે વિરોધ કરવામાં આવ્યો હતો. ના માત્ર પરષોત્તમ રૂપાલાના પૂતળાનું દહન કર્યું પરંતુ ભાજપની પ્રવેશબંધીના બેનરો પણ લગાવ્યા, ઉપરાંત પરષોત્તમ રૂપાલાના વિરોધમાં સૂત્રોચ્ચાર કરી વિરોધ કરવામાં આવ્યો હતો. 


રાજ્યની સંપત્તિને નુકસાન પહોંચાડવાનો કોઈને અધિકાર નથી!

રુપાલાની ટિકિટ રદ કરવી કે યથાવત રાખવી તે ભાજપનો નિર્ણય છે...લોકશાહી ઢબે વિરોધ કરવો એ ક્ષત્રિય સમાજનો હક છે... પણ એ યાદ રાખવુ પણ જરુરી છે કે અરાજકતા ફેલાવવી એનો કોઈને અધિકાર નથી....રાષ્ટ્રની કે રાજ્યની સંપતિને નુકસાન પહોંચાડવું એનો કોઈને અધિકાર નથી.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.