પરષોત્તમ રૂપાલાનો વિરોધ યથાવત! રાજકોટમાં ભાજપના મધ્યસ્થી કાર્યાલયમાં તોડફોડ કરવાનો પ્રયત્ન, તાપીમાં પણ થયો વિરોધ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-04-19 13:15:09

રાજકોટ લોકસભા બેઠક રણમેદાનમાં ફેરવાઈ ગઈ છે તેવું કહીએ તો અતિશયોક્તિ નથી... પરષોત્તમ રૂપાલાનો વિરોધ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહ્યો છે. ક્ષત્રિય સમાજની માગ છે કે પરષોત્તમ રુપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે. ક્ષત્રિય સમાજને લઈ પરષોત્તમ રૂપાલાએ આપેલા નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અને તેઓ પોતાની માગ પર અડગ છે તો બીજી તરફ ભાજપ પણ પોતાની વાત પર મક્કમ દેખાઈ રહી છે. આ બધા વચ્ચે રાજકોટમાં ભાજપના મધ્યસ્થ કાર્યાલય પર તોડફોડનો પ્રયાસ કરાયો તો તાપીમાં રુપાલાનું પૂતળુ બાળવામાં આવ્યું.... 

રાજકોટમાં ભાજપના કાર્યાલય પર હુમલાનો પ્રયાસ, તોડફોડ કરવાના ઈરાદે ઘૂસ્યા કેટલાક શખ્સ

અમિત શાહે આપ્યું પરષોત્તમ રૂપાલાને આશ્વાસન!

ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી પરષોત્તમ રુપાલાનો વિરોધ ક્ષત્રિય સમાજ કરી રહ્યો છે.. વિરોધ શરૂ થયો ત્યારે આ વિરોધ માત્ર પરષોત્તમ રૂપાલા પૂરતો સીમિત હતો પરંતુ હવે આ વિરોધ ભાજપ વર્સિસ ક્ષત્રિય સમાજમાં પરિવર્તત થઈ રહ્યો છે... વિવાદનો કોઈ નિવેડો પણ નથી આવ્યો. વિવાદને શાંત કરવા માટે અનેક પ્રયત્નો કરવામાં આવ્યા પરંતુ તેનું પરિણામ કંઈ ના આવ્યું. આવામાં અમિત શાહ ગુજરાત આવ્યા છે... અને પોતાના મત વિસ્તારમાં પ્રચાર પ્રસાર કર્યો.. આ દરમિયાન તેમણે એવુ કહ્યું કે, રુપાલાએ દિલથી માફી માગી છે... 

rajkot_bjp_zee2.jpg

કાર્યાલયમાં તોડફોડ કરવાનો કરાયો પ્રયત્ન 

એક તરફ વિવાદને શાંત કરવાનો પ્રયત્નો થઈ રહ્યો છે તો બીજી તરફ રાજકોટમાં એવી ઘટના સામે  આવી છે જેની કદાચ કોઈએ કલ્પના પણ નહીં કરી હોય..! રાજકોટમાં 150 ફૂટ રિંગરોડ સ્થિત 71 વિધાનસભાના મધ્યસ્થી કાર્યાલય પર તોડફોડ કરવા માટે કેટલાક શખ્સો આવી પહોંચ્યા હતા. આ યુવકોએ કાર્યાલય પર પથ્થર ફેંકવાનો અને તોડફોડ કરવાનો પ્રયાસ કર્યો હતો. મોડી રાતે રાજકોટ વિધાનસભા 71ના કાર્યાલય પર મોટો હુમલો થતા રહી ગયો. કેટલાક અસામાજિક તત્વો દ્વારા કાર્યાલયને તોડફોડ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. 


પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી 

કાર્યલય ઉપરના બિલ્ડીંગ પરથી પથ્થરો ફેંકવાનો પ્રયાસ કરાયો હતો. કાર્યાલય પર કારમાં આવેલા કેટલાક વ્યક્તિઓ તોડફોડ કરવા પહોંચ્યા હતા. જોકે, યુવકો તોડફોડ કરે તે પહેલાં ઘટના સ્થળે પર  પોલીસ આવી પહોંચી હતી. પોલીસ આવી પહોંચી તેના યુવકોનો હુમલાનો પ્રયાસ અસફળ બનાવ્યો. હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. તો એક દિવસ અગાઉ પણ એક બુકાનીધારી શખ્સે પડદા અને શમિયાણામાં આગચંપી કરવાનો પ્રયાસ કર્યો હતો... 


પોલીસે તપાસ આરંભી

હાલ આ સમાચાર સત્તાવાર રીતે બહાર નથી આવ્યા.. મોડી રાત્રે દોઢ વાગ્યે આ કૃત્ય કરવામાં આવ્યું હતું...પણ સિક્યોરિટી ગાર્ડને જોઈ જતા બુકાનીધારી શખ્સ ફરાર થયો હતો...  ભાજપે આ બાબતે કોઈ ફરિયાદ નથી નોંધાવી... પણ ગઈકાલે ફરીએકવાર તોડફોડનો પ્રયાસ કરવામાં આવ્યો ... જો કે પોલીસ પહોંચી જતા આ પ્રયાસ નિષ્ફળ રહ્યો.... 4 શખ્સો પોલીસને જોઈને કારમાં ફરાર થયા હતા તેમની તપાસ શરુ કરવામાં આવી છે... 



તાપીમાં કરાયો પરષોત્તમ રૂપાલાનો વિરોધ 

તો બીજી તરફ, તાપી જિલ્લામાં ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત છે. તાપી જિલ્લામાં પરસોત્તમ રૂપાલાનું પૂતળું બનાવી ગામના સીમાડે પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. વાલોડ તાલુકાના શાહપોર ગામમાં મહિલાઓએ અને પુરુષોએ વિરોધ કર્યો હતો. રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ કરવાની માંગ સાથે વિરોધ કરવામાં આવ્યો હતો. ના માત્ર પરષોત્તમ રૂપાલાના પૂતળાનું દહન કર્યું પરંતુ ભાજપની પ્રવેશબંધીના બેનરો પણ લગાવ્યા, ઉપરાંત પરષોત્તમ રૂપાલાના વિરોધમાં સૂત્રોચ્ચાર કરી વિરોધ કરવામાં આવ્યો હતો. 


રાજ્યની સંપત્તિને નુકસાન પહોંચાડવાનો કોઈને અધિકાર નથી!

રુપાલાની ટિકિટ રદ કરવી કે યથાવત રાખવી તે ભાજપનો નિર્ણય છે...લોકશાહી ઢબે વિરોધ કરવો એ ક્ષત્રિય સમાજનો હક છે... પણ એ યાદ રાખવુ પણ જરુરી છે કે અરાજકતા ફેલાવવી એનો કોઈને અધિકાર નથી....રાષ્ટ્રની કે રાજ્યની સંપતિને નુકસાન પહોંચાડવું એનો કોઈને અધિકાર નથી.



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.