પરષોત્તમ રૂપાલાનો વિરોધ યથાવત! રાજકોટમાં ભાજપના મધ્યસ્થી કાર્યાલયમાં તોડફોડ કરવાનો પ્રયત્ન, તાપીમાં પણ થયો વિરોધ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-04-19 13:15:09

રાજકોટ લોકસભા બેઠક રણમેદાનમાં ફેરવાઈ ગઈ છે તેવું કહીએ તો અતિશયોક્તિ નથી... પરષોત્તમ રૂપાલાનો વિરોધ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહ્યો છે. ક્ષત્રિય સમાજની માગ છે કે પરષોત્તમ રુપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે. ક્ષત્રિય સમાજને લઈ પરષોત્તમ રૂપાલાએ આપેલા નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અને તેઓ પોતાની માગ પર અડગ છે તો બીજી તરફ ભાજપ પણ પોતાની વાત પર મક્કમ દેખાઈ રહી છે. આ બધા વચ્ચે રાજકોટમાં ભાજપના મધ્યસ્થ કાર્યાલય પર તોડફોડનો પ્રયાસ કરાયો તો તાપીમાં રુપાલાનું પૂતળુ બાળવામાં આવ્યું.... 

રાજકોટમાં ભાજપના કાર્યાલય પર હુમલાનો પ્રયાસ, તોડફોડ કરવાના ઈરાદે ઘૂસ્યા કેટલાક શખ્સ

અમિત શાહે આપ્યું પરષોત્તમ રૂપાલાને આશ્વાસન!

ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી પરષોત્તમ રુપાલાનો વિરોધ ક્ષત્રિય સમાજ કરી રહ્યો છે.. વિરોધ શરૂ થયો ત્યારે આ વિરોધ માત્ર પરષોત્તમ રૂપાલા પૂરતો સીમિત હતો પરંતુ હવે આ વિરોધ ભાજપ વર્સિસ ક્ષત્રિય સમાજમાં પરિવર્તત થઈ રહ્યો છે... વિવાદનો કોઈ નિવેડો પણ નથી આવ્યો. વિવાદને શાંત કરવા માટે અનેક પ્રયત્નો કરવામાં આવ્યા પરંતુ તેનું પરિણામ કંઈ ના આવ્યું. આવામાં અમિત શાહ ગુજરાત આવ્યા છે... અને પોતાના મત વિસ્તારમાં પ્રચાર પ્રસાર કર્યો.. આ દરમિયાન તેમણે એવુ કહ્યું કે, રુપાલાએ દિલથી માફી માગી છે... 

rajkot_bjp_zee2.jpg

કાર્યાલયમાં તોડફોડ કરવાનો કરાયો પ્રયત્ન 

એક તરફ વિવાદને શાંત કરવાનો પ્રયત્નો થઈ રહ્યો છે તો બીજી તરફ રાજકોટમાં એવી ઘટના સામે  આવી છે જેની કદાચ કોઈએ કલ્પના પણ નહીં કરી હોય..! રાજકોટમાં 150 ફૂટ રિંગરોડ સ્થિત 71 વિધાનસભાના મધ્યસ્થી કાર્યાલય પર તોડફોડ કરવા માટે કેટલાક શખ્સો આવી પહોંચ્યા હતા. આ યુવકોએ કાર્યાલય પર પથ્થર ફેંકવાનો અને તોડફોડ કરવાનો પ્રયાસ કર્યો હતો. મોડી રાતે રાજકોટ વિધાનસભા 71ના કાર્યાલય પર મોટો હુમલો થતા રહી ગયો. કેટલાક અસામાજિક તત્વો દ્વારા કાર્યાલયને તોડફોડ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. 


પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી 

કાર્યલય ઉપરના બિલ્ડીંગ પરથી પથ્થરો ફેંકવાનો પ્રયાસ કરાયો હતો. કાર્યાલય પર કારમાં આવેલા કેટલાક વ્યક્તિઓ તોડફોડ કરવા પહોંચ્યા હતા. જોકે, યુવકો તોડફોડ કરે તે પહેલાં ઘટના સ્થળે પર  પોલીસ આવી પહોંચી હતી. પોલીસ આવી પહોંચી તેના યુવકોનો હુમલાનો પ્રયાસ અસફળ બનાવ્યો. હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. તો એક દિવસ અગાઉ પણ એક બુકાનીધારી શખ્સે પડદા અને શમિયાણામાં આગચંપી કરવાનો પ્રયાસ કર્યો હતો... 


પોલીસે તપાસ આરંભી

હાલ આ સમાચાર સત્તાવાર રીતે બહાર નથી આવ્યા.. મોડી રાત્રે દોઢ વાગ્યે આ કૃત્ય કરવામાં આવ્યું હતું...પણ સિક્યોરિટી ગાર્ડને જોઈ જતા બુકાનીધારી શખ્સ ફરાર થયો હતો...  ભાજપે આ બાબતે કોઈ ફરિયાદ નથી નોંધાવી... પણ ગઈકાલે ફરીએકવાર તોડફોડનો પ્રયાસ કરવામાં આવ્યો ... જો કે પોલીસ પહોંચી જતા આ પ્રયાસ નિષ્ફળ રહ્યો.... 4 શખ્સો પોલીસને જોઈને કારમાં ફરાર થયા હતા તેમની તપાસ શરુ કરવામાં આવી છે... 



તાપીમાં કરાયો પરષોત્તમ રૂપાલાનો વિરોધ 

તો બીજી તરફ, તાપી જિલ્લામાં ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત છે. તાપી જિલ્લામાં પરસોત્તમ રૂપાલાનું પૂતળું બનાવી ગામના સીમાડે પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. વાલોડ તાલુકાના શાહપોર ગામમાં મહિલાઓએ અને પુરુષોએ વિરોધ કર્યો હતો. રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ કરવાની માંગ સાથે વિરોધ કરવામાં આવ્યો હતો. ના માત્ર પરષોત્તમ રૂપાલાના પૂતળાનું દહન કર્યું પરંતુ ભાજપની પ્રવેશબંધીના બેનરો પણ લગાવ્યા, ઉપરાંત પરષોત્તમ રૂપાલાના વિરોધમાં સૂત્રોચ્ચાર કરી વિરોધ કરવામાં આવ્યો હતો. 


રાજ્યની સંપત્તિને નુકસાન પહોંચાડવાનો કોઈને અધિકાર નથી!

રુપાલાની ટિકિટ રદ કરવી કે યથાવત રાખવી તે ભાજપનો નિર્ણય છે...લોકશાહી ઢબે વિરોધ કરવો એ ક્ષત્રિય સમાજનો હક છે... પણ એ યાદ રાખવુ પણ જરુરી છે કે અરાજકતા ફેલાવવી એનો કોઈને અધિકાર નથી....રાષ્ટ્રની કે રાજ્યની સંપતિને નુકસાન પહોંચાડવું એનો કોઈને અધિકાર નથી.



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે