સંસદની સુરક્ષામાં ચૂક મામલે વિપક્ષનો હોબાળો, કોંગ્રેસના 9 સહિત 15 સાંસદ સસ્પેન્ડ


  • Published By :
  • Published Date : 2023-12-14 17:55:20

સંસદના શિયાળું સત્રના નવમા દિવસે એટલે કે ગુરૂવારે સંસદની સુરક્ષામાં ચૂક મામલે આજે બંને ગૃહમાં જોરદાર હોબાળો થયો હતો. લોકસભા અને રાજ્યસભામાં વિપક્ષના સાંસદોએ સુત્રોચ્ચાર કરી હંગામો મચાવતા દિવસ દરમિયાન ઘણી વખત કાર્યવાહી સ્થગિત કરવી પડી હતી. લોકસભા અધ્યક્ષે વારંવાર વોર્નિગ આપ્યા બાદ પણ સાંસદોએ હોબાળો ચાલુ રાખતા સ્પિકરે વિપક્ષના 14 સાંસદોને સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ કરી દીધા છે. જ્યારે રાજ્ય સભામાંથી ટીએમસી સાંસદ ડેરેક ઓ બ્રાયનને પણ સંપુર્ણ સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ બંને ગૃહના કુલ 15 સાંસદોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.  


કઈ પાર્ટીના કેટલા સાંસદ સસ્પેન્ડ?


સંસદના બંને ગૃહોમાંથી જે 15 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમાં 9 કોંગ્રેસ, 2 સીપીએમ, અને એક સીપીઆઈના સાંસદ છે. કોંગ્રેસના જે સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમાં મણિકમ ટાગોર, ટીએન પ્રતાપન, હિબી ઈડન, જોથિમણી, રામ્યા હરિદાસ, ડીન કુરિયાકોઝ, એમડી જાવેદ, વીકે શ્રીકંદન, બેની બેહનનનો સમાવેશ થાય છે. જ્યારે ડીએમકેના સાંસદો કે કનિમોઝી અને એસઆર પાર્થિબન, સીપીએમના સાંસદો પીઆર નટરાજન અને એસ વેંકટેશન અને સીપીઆઈના સાંસદ કે સુબારાયણને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સાંસદોના સસ્પેન્સનનો પ્રસ્તાવ સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ મુક્યો હતો, જેને સ્પિકરની ખુરશી પર બિરાજમાન ભર્તૃહરિ મહતાબે સ્વિકારી લીધો હતો. આ સાંસદોને શિયાળુ સત્રના બાકીના દિવસો માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ દરમિયાન વિપક્ષના સાંસદ સતત સરકાર વિરોધી સુત્રોચ્ચાર કરતા જોવા મળ્યા હતા.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.