સંસદની સુરક્ષામાં ચૂક મામલે વિપક્ષનો હોબાળો, કોંગ્રેસના 9 સહિત 15 સાંસદ સસ્પેન્ડ


  • Published By :
  • Published Date : 2023-12-14 17:55:20

સંસદના શિયાળું સત્રના નવમા દિવસે એટલે કે ગુરૂવારે સંસદની સુરક્ષામાં ચૂક મામલે આજે બંને ગૃહમાં જોરદાર હોબાળો થયો હતો. લોકસભા અને રાજ્યસભામાં વિપક્ષના સાંસદોએ સુત્રોચ્ચાર કરી હંગામો મચાવતા દિવસ દરમિયાન ઘણી વખત કાર્યવાહી સ્થગિત કરવી પડી હતી. લોકસભા અધ્યક્ષે વારંવાર વોર્નિગ આપ્યા બાદ પણ સાંસદોએ હોબાળો ચાલુ રાખતા સ્પિકરે વિપક્ષના 14 સાંસદોને સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ કરી દીધા છે. જ્યારે રાજ્ય સભામાંથી ટીએમસી સાંસદ ડેરેક ઓ બ્રાયનને પણ સંપુર્ણ સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ બંને ગૃહના કુલ 15 સાંસદોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.  


કઈ પાર્ટીના કેટલા સાંસદ સસ્પેન્ડ?


સંસદના બંને ગૃહોમાંથી જે 15 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમાં 9 કોંગ્રેસ, 2 સીપીએમ, અને એક સીપીઆઈના સાંસદ છે. કોંગ્રેસના જે સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમાં મણિકમ ટાગોર, ટીએન પ્રતાપન, હિબી ઈડન, જોથિમણી, રામ્યા હરિદાસ, ડીન કુરિયાકોઝ, એમડી જાવેદ, વીકે શ્રીકંદન, બેની બેહનનનો સમાવેશ થાય છે. જ્યારે ડીએમકેના સાંસદો કે કનિમોઝી અને એસઆર પાર્થિબન, સીપીએમના સાંસદો પીઆર નટરાજન અને એસ વેંકટેશન અને સીપીઆઈના સાંસદ કે સુબારાયણને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સાંસદોના સસ્પેન્સનનો પ્રસ્તાવ સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ મુક્યો હતો, જેને સ્પિકરની ખુરશી પર બિરાજમાન ભર્તૃહરિ મહતાબે સ્વિકારી લીધો હતો. આ સાંસદોને શિયાળુ સત્રના બાકીના દિવસો માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ દરમિયાન વિપક્ષના સાંસદ સતત સરકાર વિરોધી સુત્રોચ્ચાર કરતા જોવા મળ્યા હતા.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે