સંસદની સુરક્ષામાં ચૂક મામલે વિપક્ષનો હોબાળો, કોંગ્રેસના 9 સહિત 15 સાંસદ સસ્પેન્ડ


  • Published By :
  • Published Date : 2023-12-14 17:55:20

સંસદના શિયાળું સત્રના નવમા દિવસે એટલે કે ગુરૂવારે સંસદની સુરક્ષામાં ચૂક મામલે આજે બંને ગૃહમાં જોરદાર હોબાળો થયો હતો. લોકસભા અને રાજ્યસભામાં વિપક્ષના સાંસદોએ સુત્રોચ્ચાર કરી હંગામો મચાવતા દિવસ દરમિયાન ઘણી વખત કાર્યવાહી સ્થગિત કરવી પડી હતી. લોકસભા અધ્યક્ષે વારંવાર વોર્નિગ આપ્યા બાદ પણ સાંસદોએ હોબાળો ચાલુ રાખતા સ્પિકરે વિપક્ષના 14 સાંસદોને સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ કરી દીધા છે. જ્યારે રાજ્ય સભામાંથી ટીએમસી સાંસદ ડેરેક ઓ બ્રાયનને પણ સંપુર્ણ સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ બંને ગૃહના કુલ 15 સાંસદોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.  


કઈ પાર્ટીના કેટલા સાંસદ સસ્પેન્ડ?


સંસદના બંને ગૃહોમાંથી જે 15 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમાં 9 કોંગ્રેસ, 2 સીપીએમ, અને એક સીપીઆઈના સાંસદ છે. કોંગ્રેસના જે સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમાં મણિકમ ટાગોર, ટીએન પ્રતાપન, હિબી ઈડન, જોથિમણી, રામ્યા હરિદાસ, ડીન કુરિયાકોઝ, એમડી જાવેદ, વીકે શ્રીકંદન, બેની બેહનનનો સમાવેશ થાય છે. જ્યારે ડીએમકેના સાંસદો કે કનિમોઝી અને એસઆર પાર્થિબન, સીપીએમના સાંસદો પીઆર નટરાજન અને એસ વેંકટેશન અને સીપીઆઈના સાંસદ કે સુબારાયણને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સાંસદોના સસ્પેન્સનનો પ્રસ્તાવ સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ મુક્યો હતો, જેને સ્પિકરની ખુરશી પર બિરાજમાન ભર્તૃહરિ મહતાબે સ્વિકારી લીધો હતો. આ સાંસદોને શિયાળુ સત્રના બાકીના દિવસો માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ દરમિયાન વિપક્ષના સાંસદ સતત સરકાર વિરોધી સુત્રોચ્ચાર કરતા જોવા મળ્યા હતા.



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.