પંજાબમાં OPS લાગુ, ગુજરાતમાં પણ લાગુ કરવા AAPએ આપ્યો વાયદો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-21 15:11:41

હિમાચલ પ્રદેશની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે, ગુજરાતમાં પણ ટૂંક સમયમાં ચૂંટણીની જાહેરાત થઈ જશે. ગુજરાતના સરકારી કર્મચારીઓ જૂની પેન્શન સ્કીમ એટલે કે OPSની માગણીઓ કરી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને મોટો ધડાકો કરી દીધો છે. અરવિંદ કેજરીવાલે જૂની પેન્શન સ્કીમ લાગુ કરવા મામલે જણાવ્યું હતું કે...


અરવિંદ કેજરીવાલે શું ટ્વીટ કરી? 

અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને જાણ કરી હતી કે આમ આદમી પાર્ટીએ પંજાબની જનતાને જૂની પેન્શન સ્કીમ લાગુ કરવાનો વાયદો કર્યો હતો તે પૂરો કરી દીધો છે. આજે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પંજાબમાં ન્યૂ પેન્શન સ્કીમ હટાવી દીધી છે. આજથી ભગવંત માને પંજાબમાં જૂની પેન્શન સ્કીમ લાગુ કરાવી દીધી છે. ન્યૂ પેન્શન સ્કીમ લોકો માટે અયોગ્ય છે. સમગ્ર દેશમાં ફરીથી જૂની પેન્શન સ્કીમ લાગુ કરી દેવી જોઈએ. 


ગુજરાતમાં પણ OPS ચાલુ કરીશું: કેજરીવાલ

અરવિંદ કેજરીવાલે ટ્વીટમાં ઉલ્લેખ કર્યો હતો કે હિમાચલ પ્રદેશ અને ગુજરાતની ટૂંક સમયમાં ચૂંટણી છે. જો હિમાચલ અને ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો જૂની પેન્શન સ્કીમ લાગુ કરવામાં આવશે. અરવિંદ કેજરીવાલે હિમાચલ અને ગુજરાતની જનતાને લાલચ આપી હતી કે જો હિમાચલ અને ગુજરાતમાં પણ જૂની પેન્શન સ્કીમ લાગુ કરવી હોય તો આમ આદમી પાર્ટીને મોકો આપો. 


ભગવંત માને પંજાબમાં OPS લાગુ કરી 


પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને વીડિયો બહાર પાડીને જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે અમે ચૂંટણી પહેલા લોકોને જૂની પેન્શન સ્કીમ લાગુ કરવા માટે વાયદો કર્યો હતો. લોકોની માગણી હતી કે જૂની પેન્શન સ્કીમ લાગુ કરવામાં આવે માટે અમે જૂની પેન્શન સ્કીમ પંજાબમાં લાગુ કરી દીધી છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.