પંજાબમાં OPS લાગુ, ગુજરાતમાં પણ લાગુ કરવા AAPએ આપ્યો વાયદો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-21 15:11:41

હિમાચલ પ્રદેશની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે, ગુજરાતમાં પણ ટૂંક સમયમાં ચૂંટણીની જાહેરાત થઈ જશે. ગુજરાતના સરકારી કર્મચારીઓ જૂની પેન્શન સ્કીમ એટલે કે OPSની માગણીઓ કરી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને મોટો ધડાકો કરી દીધો છે. અરવિંદ કેજરીવાલે જૂની પેન્શન સ્કીમ લાગુ કરવા મામલે જણાવ્યું હતું કે...


અરવિંદ કેજરીવાલે શું ટ્વીટ કરી? 

અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને જાણ કરી હતી કે આમ આદમી પાર્ટીએ પંજાબની જનતાને જૂની પેન્શન સ્કીમ લાગુ કરવાનો વાયદો કર્યો હતો તે પૂરો કરી દીધો છે. આજે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પંજાબમાં ન્યૂ પેન્શન સ્કીમ હટાવી દીધી છે. આજથી ભગવંત માને પંજાબમાં જૂની પેન્શન સ્કીમ લાગુ કરાવી દીધી છે. ન્યૂ પેન્શન સ્કીમ લોકો માટે અયોગ્ય છે. સમગ્ર દેશમાં ફરીથી જૂની પેન્શન સ્કીમ લાગુ કરી દેવી જોઈએ. 


ગુજરાતમાં પણ OPS ચાલુ કરીશું: કેજરીવાલ

અરવિંદ કેજરીવાલે ટ્વીટમાં ઉલ્લેખ કર્યો હતો કે હિમાચલ પ્રદેશ અને ગુજરાતની ટૂંક સમયમાં ચૂંટણી છે. જો હિમાચલ અને ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો જૂની પેન્શન સ્કીમ લાગુ કરવામાં આવશે. અરવિંદ કેજરીવાલે હિમાચલ અને ગુજરાતની જનતાને લાલચ આપી હતી કે જો હિમાચલ અને ગુજરાતમાં પણ જૂની પેન્શન સ્કીમ લાગુ કરવી હોય તો આમ આદમી પાર્ટીને મોકો આપો. 


ભગવંત માને પંજાબમાં OPS લાગુ કરી 


પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને વીડિયો બહાર પાડીને જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે અમે ચૂંટણી પહેલા લોકોને જૂની પેન્શન સ્કીમ લાગુ કરવા માટે વાયદો કર્યો હતો. લોકોની માગણી હતી કે જૂની પેન્શન સ્કીમ લાગુ કરવામાં આવે માટે અમે જૂની પેન્શન સ્કીમ પંજાબમાં લાગુ કરી દીધી છે. 



પુણેના કેતન અગ્રવાલનું લોહગઢ કિલ્લા પર થયેલું મોત અકસ્માતથી હત્યાના કેસમાં કેવી રીતે ફેરવાયું? સિયા ગોયલ, ચેતન ચૌધરી, CCTV અને કોલ રેકોર્ડની સંપૂર્ણ માહિતી વાંચો.

અમદાવાદના ચાંગોદરમાં 1,140 નકલી અને ભેળસેળયુક્ત પ્લાઝમા યુનિટ સાથે ચાર આરોપી ઝડપાયા. જાણો રેકેટની રીત, જોખમ અને કાયદામાં થતી સજા.

23 જૂન 2026ના રોજ નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં નાગરિક અલંકાર સમારોહ-II યોજાયો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કલા, સાહિત્ય, શિક્ષણ, સમાજસેવા, જાહેર જીવન, રમતગમત, વિજ્ઞાન, ચિકિત્સા, કૃષિ, ઉદ્યોગ અને અન્ય ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર મહાનુભાવોને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કર્યા હતા. આ સમારોહની સત્તાવાર યાદીમાં 2 પદ્મ વિભૂષણ, 7 પદ્મ ભૂષણ અને 57 પદ્મ શ્રી પ્રાપ્તકર્તાઓ સહિત કુલ 66 વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. રંજની અને ગાયત્રીને સંયુક્ત એટલે કે Duo શ્રેણીમાં એક પુરસ્કાર આપવામાં આવ્યો છે. કેટલાક મહાનુભાવોને મરણોત્તર સન્માનિત કરવામાં આવ્યા છે.

સ્ટોરીમાં કોર્ટનો ચુકાદો, પત્ની સહિત નવ લોકોને સજા, 2023ની ઘટનાની શરૂઆત, વન અધિકારીઓ સાથે જોડાયેલા આરોપો, ₹60 હજારના વ્યવહારનો મુદ્દો, FIRથી ચુકાદા સુધીની સમયરેખા, કેસમાં ટ્રાયલ થયેલી IPC અને Arms Actની કલમો, સાક્ષીઓ, જેલની સ્થિતિ, ધારાસભ્ય તરીકેની અયોગ્યતા, અપીલનો રસ્તો અને AAP પર પડનારી રાજકીય અસર આવરી લેવાઈ છે. નર્મદા જિલ્લાના રાજપીપળાની કોર્ટે ચૈતર વસાવા અને અન્ય આઠ લોકોને સાત વર્ષની સજા સંભળાવીને ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યાના અહેવાલ છે.