પંજાબમાં OPS લાગુ, ગુજરાતમાં પણ લાગુ કરવા AAPએ આપ્યો વાયદો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-21 15:11:41

હિમાચલ પ્રદેશની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે, ગુજરાતમાં પણ ટૂંક સમયમાં ચૂંટણીની જાહેરાત થઈ જશે. ગુજરાતના સરકારી કર્મચારીઓ જૂની પેન્શન સ્કીમ એટલે કે OPSની માગણીઓ કરી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને મોટો ધડાકો કરી દીધો છે. અરવિંદ કેજરીવાલે જૂની પેન્શન સ્કીમ લાગુ કરવા મામલે જણાવ્યું હતું કે...


અરવિંદ કેજરીવાલે શું ટ્વીટ કરી? 

અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને જાણ કરી હતી કે આમ આદમી પાર્ટીએ પંજાબની જનતાને જૂની પેન્શન સ્કીમ લાગુ કરવાનો વાયદો કર્યો હતો તે પૂરો કરી દીધો છે. આજે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પંજાબમાં ન્યૂ પેન્શન સ્કીમ હટાવી દીધી છે. આજથી ભગવંત માને પંજાબમાં જૂની પેન્શન સ્કીમ લાગુ કરાવી દીધી છે. ન્યૂ પેન્શન સ્કીમ લોકો માટે અયોગ્ય છે. સમગ્ર દેશમાં ફરીથી જૂની પેન્શન સ્કીમ લાગુ કરી દેવી જોઈએ. 


ગુજરાતમાં પણ OPS ચાલુ કરીશું: કેજરીવાલ

અરવિંદ કેજરીવાલે ટ્વીટમાં ઉલ્લેખ કર્યો હતો કે હિમાચલ પ્રદેશ અને ગુજરાતની ટૂંક સમયમાં ચૂંટણી છે. જો હિમાચલ અને ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો જૂની પેન્શન સ્કીમ લાગુ કરવામાં આવશે. અરવિંદ કેજરીવાલે હિમાચલ અને ગુજરાતની જનતાને લાલચ આપી હતી કે જો હિમાચલ અને ગુજરાતમાં પણ જૂની પેન્શન સ્કીમ લાગુ કરવી હોય તો આમ આદમી પાર્ટીને મોકો આપો. 


ભગવંત માને પંજાબમાં OPS લાગુ કરી 


પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને વીડિયો બહાર પાડીને જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે અમે ચૂંટણી પહેલા લોકોને જૂની પેન્શન સ્કીમ લાગુ કરવા માટે વાયદો કર્યો હતો. લોકોની માગણી હતી કે જૂની પેન્શન સ્કીમ લાગુ કરવામાં આવે માટે અમે જૂની પેન્શન સ્કીમ પંજાબમાં લાગુ કરી દીધી છે. 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે