પંજાબમાં OPS લાગુ, ગુજરાતમાં પણ લાગુ કરવા AAPએ આપ્યો વાયદો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-21 15:11:41

હિમાચલ પ્રદેશની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે, ગુજરાતમાં પણ ટૂંક સમયમાં ચૂંટણીની જાહેરાત થઈ જશે. ગુજરાતના સરકારી કર્મચારીઓ જૂની પેન્શન સ્કીમ એટલે કે OPSની માગણીઓ કરી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને મોટો ધડાકો કરી દીધો છે. અરવિંદ કેજરીવાલે જૂની પેન્શન સ્કીમ લાગુ કરવા મામલે જણાવ્યું હતું કે...


અરવિંદ કેજરીવાલે શું ટ્વીટ કરી? 

અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને જાણ કરી હતી કે આમ આદમી પાર્ટીએ પંજાબની જનતાને જૂની પેન્શન સ્કીમ લાગુ કરવાનો વાયદો કર્યો હતો તે પૂરો કરી દીધો છે. આજે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પંજાબમાં ન્યૂ પેન્શન સ્કીમ હટાવી દીધી છે. આજથી ભગવંત માને પંજાબમાં જૂની પેન્શન સ્કીમ લાગુ કરાવી દીધી છે. ન્યૂ પેન્શન સ્કીમ લોકો માટે અયોગ્ય છે. સમગ્ર દેશમાં ફરીથી જૂની પેન્શન સ્કીમ લાગુ કરી દેવી જોઈએ. 


ગુજરાતમાં પણ OPS ચાલુ કરીશું: કેજરીવાલ

અરવિંદ કેજરીવાલે ટ્વીટમાં ઉલ્લેખ કર્યો હતો કે હિમાચલ પ્રદેશ અને ગુજરાતની ટૂંક સમયમાં ચૂંટણી છે. જો હિમાચલ અને ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો જૂની પેન્શન સ્કીમ લાગુ કરવામાં આવશે. અરવિંદ કેજરીવાલે હિમાચલ અને ગુજરાતની જનતાને લાલચ આપી હતી કે જો હિમાચલ અને ગુજરાતમાં પણ જૂની પેન્શન સ્કીમ લાગુ કરવી હોય તો આમ આદમી પાર્ટીને મોકો આપો. 


ભગવંત માને પંજાબમાં OPS લાગુ કરી 


પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને વીડિયો બહાર પાડીને જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે અમે ચૂંટણી પહેલા લોકોને જૂની પેન્શન સ્કીમ લાગુ કરવા માટે વાયદો કર્યો હતો. લોકોની માગણી હતી કે જૂની પેન્શન સ્કીમ લાગુ કરવામાં આવે માટે અમે જૂની પેન્શન સ્કીમ પંજાબમાં લાગુ કરી દીધી છે. 



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .