PMને સાંભળવા લોકો તૈયાર નથી! શિક્ષકોને શું કામ ભીડનો હિસ્સો બનાવવા પડે છે?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-11 22:42:57

આ દર વખતનું છે, પ્રધાનમંત્રી ગુજરાત આવવાના હોય એટલે સરકારી કર્મચારીઓએ પોતાના દરેક જરૂરી કામ પડતાં મુકીને

રેલીમાં ભીડનો હિસ્સો બનવા માટે તૈયાર થઈ જવાનું, છેલ્લા ત્રણ દિવસમાં આ જ થયું, પીએમ જ્યાં જાય ત્યાં ભીડ ભેગી કરવા

બસમાં કર્મચારીઓને ભરી-ભરીને મોકલી દેવાના, જરૂર પડે તો ભાજપનો ખેસ પહેરાવીને બેસાડી દેવાના હવે વારો જૂનાગઢનો

આવ્યો છે. 


જુનાગઢમાં શિક્ષકો હાજર થઈ જાવ, ફૂડ પેકેટ મળી જશે!

જુનાગઢમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ પરીપત્ર કર્યો છે કે માન.વડાપ્રધાનશ્રીનો જુનાગઢ જિલ્લામાં સંભવિત 19તારીખે

પ્રવાસ છે, તો કાર્યક્રમમાં હાજરી આપવા બસો ગોઠવી છે, એક બસમાં નજીકના બે સી.આર.સી અને સી.આર.સી દિઠ 25 શિક્ષકો 

લાવવાના રહેશે. છેલ્લે લખેલી નોંધનો સાર છે કે ચિંતા ના કરતા, ફૂડ પેકેટ આપીશું. સમયે જમી લેજો પણ આવવું તો પડશે.



પ્રધાનમંત્રી આવે એટલે બસમાં મુસાફરી કરતા લોકોનો મરો!

PM આવે એટલે બધી જ સરકારી વ્યવસ્થાઓ ત્યાં લાગી જાય છે, આસપાસના જિલ્લાની સરકારી બસો પણ ત્યાં મોકલાશે

રૂટ બંધ થઈ જશે, અનેક લોકો હેરાન થશે. અને પીએમના કાર્યક્રમમાં ભલે સરકારી ખર્ચ અને વ્યવસ્થાઓ હોય છે પણ

ભાષણો તો ચૂંટણીના જ હોય છે, મંચસ્થ નેતાઓમાં સી.આર.પાટીલ જેવા સંગઠનના નેતાઓ હોય છે તો કોઈ પ્રોટોકોલ 

એમ પણ નથી જળવાતા, તો સામાન્ય લોકોને આટલા હેરાન કરવાનો શું અર્થ!



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .