PMને સાંભળવા લોકો તૈયાર નથી! શિક્ષકોને શું કામ ભીડનો હિસ્સો બનાવવા પડે છે?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-11 22:42:57

આ દર વખતનું છે, પ્રધાનમંત્રી ગુજરાત આવવાના હોય એટલે સરકારી કર્મચારીઓએ પોતાના દરેક જરૂરી કામ પડતાં મુકીને

રેલીમાં ભીડનો હિસ્સો બનવા માટે તૈયાર થઈ જવાનું, છેલ્લા ત્રણ દિવસમાં આ જ થયું, પીએમ જ્યાં જાય ત્યાં ભીડ ભેગી કરવા

બસમાં કર્મચારીઓને ભરી-ભરીને મોકલી દેવાના, જરૂર પડે તો ભાજપનો ખેસ પહેરાવીને બેસાડી દેવાના હવે વારો જૂનાગઢનો

આવ્યો છે. 


જુનાગઢમાં શિક્ષકો હાજર થઈ જાવ, ફૂડ પેકેટ મળી જશે!

જુનાગઢમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ પરીપત્ર કર્યો છે કે માન.વડાપ્રધાનશ્રીનો જુનાગઢ જિલ્લામાં સંભવિત 19તારીખે

પ્રવાસ છે, તો કાર્યક્રમમાં હાજરી આપવા બસો ગોઠવી છે, એક બસમાં નજીકના બે સી.આર.સી અને સી.આર.સી દિઠ 25 શિક્ષકો 

લાવવાના રહેશે. છેલ્લે લખેલી નોંધનો સાર છે કે ચિંતા ના કરતા, ફૂડ પેકેટ આપીશું. સમયે જમી લેજો પણ આવવું તો પડશે.



પ્રધાનમંત્રી આવે એટલે બસમાં મુસાફરી કરતા લોકોનો મરો!

PM આવે એટલે બધી જ સરકારી વ્યવસ્થાઓ ત્યાં લાગી જાય છે, આસપાસના જિલ્લાની સરકારી બસો પણ ત્યાં મોકલાશે

રૂટ બંધ થઈ જશે, અનેક લોકો હેરાન થશે. અને પીએમના કાર્યક્રમમાં ભલે સરકારી ખર્ચ અને વ્યવસ્થાઓ હોય છે પણ

ભાષણો તો ચૂંટણીના જ હોય છે, મંચસ્થ નેતાઓમાં સી.આર.પાટીલ જેવા સંગઠનના નેતાઓ હોય છે તો કોઈ પ્રોટોકોલ 

એમ પણ નથી જળવાતા, તો સામાન્ય લોકોને આટલા હેરાન કરવાનો શું અર્થ!



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.