શું રાજકીય વગ ધરાવતા OREVA ગ્રુપના MD અને બ્રિજનું સમારકામ કરનાર દેવપ્રકાશ સોલ્યુશન દુધે ધોયેલા છે?


  • Published By :
  • Published Date : 2022-11-01 15:00:31


"દેવડીએ દંડ પામે ચોર મૂઠી જારના,

લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે"


મોરબી કરૂણાંતિકા બાદ સરકારની વ્હાલા દવલાની નીતિ જોતા પ્રખ્યાત કવિ કરશનદાસ માણેકની આ કાવ્યપંક્તિઓ યાદ આવે તે સ્વાભાવિક છે.


મોરબીમાં ઝુલતો બ્રિજ તૂટી પડવાના કારણે ભોગ બનેલા લોકોને ન્યાય અપાવવાની વાતો થઈ રહી છે. આ દુર્ઘટના માટે  જે દોષિત છે  તેમની ધરપકડ કરવામાં આવી છે પણ તે લોકો તો નાના માણસો છે, મોટા મગરમચ્છોને પોલીસ ક્યારે પકડશે તેને લઈને સવાલો થઈ રહ્યા છે. પોલીસ દ્વારા 2 મેનેજર, 2 કોન્ટ્રાક્ટર પિતા પુત્ર, 3 સિક્યોરિટી ગાર્ડ, 2 ટિકિટ ક્લાર્કની સહિત 9 લોકોની ધરપકડ  કરવામાં આવી છે. પોલીસની FIRમાં ક્યાંય પણ ઝુલતો બ્રિજ ખુલ્લો મૂકનાર OREVAના માલિક જયસુખ પટેલના નામનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો નથી.


OREVA ગ્રુપ અને અધિકારીઓને સજા ક્યારે?


લોકોને આશ્ચર્ય તે બાબતનું છે કે  FIRમાં ઓરેવા ગ્રુપના માલિક, રિનોવેશન કરનાર દેવપ્રકાશ સોલ્યુશનના નામનો કોઈ ઉલ્લેખ કરવામાં જ નથી આવ્યો.  તે ઉપરાંત આ બ્રિજનું મેન્ટેનન્સ તથા ક્વોલિટી ચેક કર્યા વિના બ્રિજનું ઉદઘાટન કરવાની મંજુરી આપનારા અધિકારીઓ સામે કાર્યવાહી ક્યારે થશે?


બ્રિજના ઉદઘાટન વખતે જયસુખ પટેલે મોટી મોટી ડંફાસ મારી હતી


ઓરેવા ગ્રુપના MD જયસુખ પટેલે બેસતા વર્ષના દિવસે મોરબીના ઝુલતા પુલને ખુલ્લો મુક્યો ત્યારે મોટી-મોટી બડાઈઓ હાંકી હતી. તેમણે જણાવ્યું હતું કે, મોરબીનો આ ઝુલતો પુલ એટલો મજબુત છે કે તેને આગામી 8 થી 10 વર્ષ સુધી સમારકામની જરૂર નહીં. જો કે થયું  તેનાથી ઉલટું આ મજબુત બ્રિજ માત્ર 5 દિવસમાં જ તુટી પડ્યો. બ્રિજ ધરાશાઈ થતા અત્યાર સુધીમાં 134 લોકોના મોત થયા છે. આ નિર્દોષ લોકોના મોત માટે જવાબદાર લોકો સામે પોલીસ કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહેતા લોકોમાં ભારે આક્રોશ છે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.