શું રાજકીય વગ ધરાવતા OREVA ગ્રુપના MD અને બ્રિજનું સમારકામ કરનાર દેવપ્રકાશ સોલ્યુશન દુધે ધોયેલા છે?


  • Published By :
  • Published Date : 2022-11-01 15:00:31


"દેવડીએ દંડ પામે ચોર મૂઠી જારના,

લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે"


મોરબી કરૂણાંતિકા બાદ સરકારની વ્હાલા દવલાની નીતિ જોતા પ્રખ્યાત કવિ કરશનદાસ માણેકની આ કાવ્યપંક્તિઓ યાદ આવે તે સ્વાભાવિક છે.


મોરબીમાં ઝુલતો બ્રિજ તૂટી પડવાના કારણે ભોગ બનેલા લોકોને ન્યાય અપાવવાની વાતો થઈ રહી છે. આ દુર્ઘટના માટે  જે દોષિત છે  તેમની ધરપકડ કરવામાં આવી છે પણ તે લોકો તો નાના માણસો છે, મોટા મગરમચ્છોને પોલીસ ક્યારે પકડશે તેને લઈને સવાલો થઈ રહ્યા છે. પોલીસ દ્વારા 2 મેનેજર, 2 કોન્ટ્રાક્ટર પિતા પુત્ર, 3 સિક્યોરિટી ગાર્ડ, 2 ટિકિટ ક્લાર્કની સહિત 9 લોકોની ધરપકડ  કરવામાં આવી છે. પોલીસની FIRમાં ક્યાંય પણ ઝુલતો બ્રિજ ખુલ્લો મૂકનાર OREVAના માલિક જયસુખ પટેલના નામનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો નથી.


OREVA ગ્રુપ અને અધિકારીઓને સજા ક્યારે?


લોકોને આશ્ચર્ય તે બાબતનું છે કે  FIRમાં ઓરેવા ગ્રુપના માલિક, રિનોવેશન કરનાર દેવપ્રકાશ સોલ્યુશનના નામનો કોઈ ઉલ્લેખ કરવામાં જ નથી આવ્યો.  તે ઉપરાંત આ બ્રિજનું મેન્ટેનન્સ તથા ક્વોલિટી ચેક કર્યા વિના બ્રિજનું ઉદઘાટન કરવાની મંજુરી આપનારા અધિકારીઓ સામે કાર્યવાહી ક્યારે થશે?


બ્રિજના ઉદઘાટન વખતે જયસુખ પટેલે મોટી મોટી ડંફાસ મારી હતી


ઓરેવા ગ્રુપના MD જયસુખ પટેલે બેસતા વર્ષના દિવસે મોરબીના ઝુલતા પુલને ખુલ્લો મુક્યો ત્યારે મોટી-મોટી બડાઈઓ હાંકી હતી. તેમણે જણાવ્યું હતું કે, મોરબીનો આ ઝુલતો પુલ એટલો મજબુત છે કે તેને આગામી 8 થી 10 વર્ષ સુધી સમારકામની જરૂર નહીં. જો કે થયું  તેનાથી ઉલટું આ મજબુત બ્રિજ માત્ર 5 દિવસમાં જ તુટી પડ્યો. બ્રિજ ધરાશાઈ થતા અત્યાર સુધીમાં 134 લોકોના મોત થયા છે. આ નિર્દોષ લોકોના મોત માટે જવાબદાર લોકો સામે પોલીસ કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહેતા લોકોમાં ભારે આક્રોશ છે.



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"