શું રાજકીય વગ ધરાવતા OREVA ગ્રુપના MD અને બ્રિજનું સમારકામ કરનાર દેવપ્રકાશ સોલ્યુશન દુધે ધોયેલા છે?


  • Published By :
  • Published Date : 2022-11-01 15:00:31


"દેવડીએ દંડ પામે ચોર મૂઠી જારના,

લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે"


મોરબી કરૂણાંતિકા બાદ સરકારની વ્હાલા દવલાની નીતિ જોતા પ્રખ્યાત કવિ કરશનદાસ માણેકની આ કાવ્યપંક્તિઓ યાદ આવે તે સ્વાભાવિક છે.


મોરબીમાં ઝુલતો બ્રિજ તૂટી પડવાના કારણે ભોગ બનેલા લોકોને ન્યાય અપાવવાની વાતો થઈ રહી છે. આ દુર્ઘટના માટે  જે દોષિત છે  તેમની ધરપકડ કરવામાં આવી છે પણ તે લોકો તો નાના માણસો છે, મોટા મગરમચ્છોને પોલીસ ક્યારે પકડશે તેને લઈને સવાલો થઈ રહ્યા છે. પોલીસ દ્વારા 2 મેનેજર, 2 કોન્ટ્રાક્ટર પિતા પુત્ર, 3 સિક્યોરિટી ગાર્ડ, 2 ટિકિટ ક્લાર્કની સહિત 9 લોકોની ધરપકડ  કરવામાં આવી છે. પોલીસની FIRમાં ક્યાંય પણ ઝુલતો બ્રિજ ખુલ્લો મૂકનાર OREVAના માલિક જયસુખ પટેલના નામનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો નથી.


OREVA ગ્રુપ અને અધિકારીઓને સજા ક્યારે?


લોકોને આશ્ચર્ય તે બાબતનું છે કે  FIRમાં ઓરેવા ગ્રુપના માલિક, રિનોવેશન કરનાર દેવપ્રકાશ સોલ્યુશનના નામનો કોઈ ઉલ્લેખ કરવામાં જ નથી આવ્યો.  તે ઉપરાંત આ બ્રિજનું મેન્ટેનન્સ તથા ક્વોલિટી ચેક કર્યા વિના બ્રિજનું ઉદઘાટન કરવાની મંજુરી આપનારા અધિકારીઓ સામે કાર્યવાહી ક્યારે થશે?


બ્રિજના ઉદઘાટન વખતે જયસુખ પટેલે મોટી મોટી ડંફાસ મારી હતી


ઓરેવા ગ્રુપના MD જયસુખ પટેલે બેસતા વર્ષના દિવસે મોરબીના ઝુલતા પુલને ખુલ્લો મુક્યો ત્યારે મોટી-મોટી બડાઈઓ હાંકી હતી. તેમણે જણાવ્યું હતું કે, મોરબીનો આ ઝુલતો પુલ એટલો મજબુત છે કે તેને આગામી 8 થી 10 વર્ષ સુધી સમારકામની જરૂર નહીં. જો કે થયું  તેનાથી ઉલટું આ મજબુત બ્રિજ માત્ર 5 દિવસમાં જ તુટી પડ્યો. બ્રિજ ધરાશાઈ થતા અત્યાર સુધીમાં 134 લોકોના મોત થયા છે. આ નિર્દોષ લોકોના મોત માટે જવાબદાર લોકો સામે પોલીસ કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહેતા લોકોમાં ભારે આક્રોશ છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.