શક્તિપીઠ અંબાજીમાં મોહનથાળની બદલીમાં થશે અન્ય પ્રસાદનું વિતરણ? પ્રસાદ બંધ થવાની વાતો થતા ભક્તોમાં જોવા મળી નારાજગી


  • Published By :
  • Published Date : 2023-03-03 10:33:34

શક્તિપીઠ અંબાજીમાં મળતો મોહનથાળનો પ્રસાદ બંધ થવાનો છે તેવી વાતો વહેતી થઈ હતી. મોહનથાળની બદલીમાં કોઈ અન્ય પ્રસાદ આપવામાં આવશે તેવી વાતો વહેતી થતા માઈ ભક્તોમાં નારાજગી જોવા મળી હતી. આ અંગે કોઈ સત્તાવાર જાણકારી મંદિર દ્વારા આપવામાં આવી નથી. પરંતુ મળતી માહિતી અનુસાર નવા પ્રસાદ બનાવવા માટે ઓર્ડર આપવામાં આવ્યો નથી. અને જે પ્રસાદનો સ્ટોક છે તે માત્ર એક દિવસ ચાલે તેટલો જ છે. શુક્રવારે પણ મંદિરના દર્શન કરવા જતા માઈ ભક્તોને પ્રસાદ મળશે કે નહીં તે બાબતે અસમંજસ છે. 

કોરોનાનું સંક્રમણ વધતા 15 થી 22 જાન્યુઆરી સુધી અંબાજી મંદિર સહિત દેવસ્થાન  ટ્રસ્ટ સંચાલિત મંદિરો બંધ રહેશે | Temples run by Devasthan Trust, including  Ambaji Temple ...

નવો પ્રસાદ બનાવવા માટે નથી અપાયો ઓર્ડર 

ઘણા વર્ષોથી શક્તિપીઠ અંબાજી ખાતે પ્રસાદના રૂપમાં મોહનથાળનું વિતરણ કરવામાં આવે છે. આ પ્રસાદ અંબાજીની ઓળખ બની ગયું છે તેવું કહીએ તો પણ અતિશ્યોક્તિ ન ગણાય. ત્યારે પ્રસાદી રૂપે મળતા મોહનથાળને લઈ સમાચાર વહેતા થયા હતા કે મોહનથાળ પ્રસાદ બંધ થઈ જશે. આ સમાચાર મળતા માઈભક્તોમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો હતો. ભક્તોમાં નારાજગી જોવા મળી રહી છે. મળતી માહિતી અનુસાર ઓછી માત્રામાં પ્રસાદના પેકેટ બચ્યા છે. જે શુક્રવારના દિવસે અમુક કલાક ચાલે એટલા જ છે. મળતી માહિતી અનુસાર પ્રસાદ બનાવતી એજન્સીને નવો ઓર્ડર આપવામાં આવ્યો નથી. 


માઈભક્તોમાં જોવા મળી નારાજગી 

મોહનથાળનો પ્રસાદ બંધ થવાનો છે કે નહીં તે અંગે કોઈ સત્તાવાર જાણકારી આપવામાં આવી નથી. ત્રણ દિવસથી મોહનથાળનો પ્રસાદ બનાવવા પર વહીવટી તંત્ર દ્વારા મોખિક રોક લગાવવામાં આવી છે. જેને લઈ માઈભક્તોમાં તેમજ સ્થાનિક લોકોમાં મોહનથાળનો પ્રસાદ બંધ થવાની શક્યતાઓ પ્રબળ થઈ ગઈ છે. ત્યારે લોકોના મનમાં પ્રશ્ન ઉઠી રહ્યો છે કે શું ખરેખર હવેથી અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ નહીં મળે?     




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.