શક્તિપીઠ અંબાજીમાં મોહનથાળની બદલીમાં થશે અન્ય પ્રસાદનું વિતરણ? પ્રસાદ બંધ થવાની વાતો થતા ભક્તોમાં જોવા મળી નારાજગી


  • Published By :
  • Published Date : 2023-03-03 10:33:34

શક્તિપીઠ અંબાજીમાં મળતો મોહનથાળનો પ્રસાદ બંધ થવાનો છે તેવી વાતો વહેતી થઈ હતી. મોહનથાળની બદલીમાં કોઈ અન્ય પ્રસાદ આપવામાં આવશે તેવી વાતો વહેતી થતા માઈ ભક્તોમાં નારાજગી જોવા મળી હતી. આ અંગે કોઈ સત્તાવાર જાણકારી મંદિર દ્વારા આપવામાં આવી નથી. પરંતુ મળતી માહિતી અનુસાર નવા પ્રસાદ બનાવવા માટે ઓર્ડર આપવામાં આવ્યો નથી. અને જે પ્રસાદનો સ્ટોક છે તે માત્ર એક દિવસ ચાલે તેટલો જ છે. શુક્રવારે પણ મંદિરના દર્શન કરવા જતા માઈ ભક્તોને પ્રસાદ મળશે કે નહીં તે બાબતે અસમંજસ છે. 

કોરોનાનું સંક્રમણ વધતા 15 થી 22 જાન્યુઆરી સુધી અંબાજી મંદિર સહિત દેવસ્થાન  ટ્રસ્ટ સંચાલિત મંદિરો બંધ રહેશે | Temples run by Devasthan Trust, including  Ambaji Temple ...

નવો પ્રસાદ બનાવવા માટે નથી અપાયો ઓર્ડર 

ઘણા વર્ષોથી શક્તિપીઠ અંબાજી ખાતે પ્રસાદના રૂપમાં મોહનથાળનું વિતરણ કરવામાં આવે છે. આ પ્રસાદ અંબાજીની ઓળખ બની ગયું છે તેવું કહીએ તો પણ અતિશ્યોક્તિ ન ગણાય. ત્યારે પ્રસાદી રૂપે મળતા મોહનથાળને લઈ સમાચાર વહેતા થયા હતા કે મોહનથાળ પ્રસાદ બંધ થઈ જશે. આ સમાચાર મળતા માઈભક્તોમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો હતો. ભક્તોમાં નારાજગી જોવા મળી રહી છે. મળતી માહિતી અનુસાર ઓછી માત્રામાં પ્રસાદના પેકેટ બચ્યા છે. જે શુક્રવારના દિવસે અમુક કલાક ચાલે એટલા જ છે. મળતી માહિતી અનુસાર પ્રસાદ બનાવતી એજન્સીને નવો ઓર્ડર આપવામાં આવ્યો નથી. 


માઈભક્તોમાં જોવા મળી નારાજગી 

મોહનથાળનો પ્રસાદ બંધ થવાનો છે કે નહીં તે અંગે કોઈ સત્તાવાર જાણકારી આપવામાં આવી નથી. ત્રણ દિવસથી મોહનથાળનો પ્રસાદ બનાવવા પર વહીવટી તંત્ર દ્વારા મોખિક રોક લગાવવામાં આવી છે. જેને લઈ માઈભક્તોમાં તેમજ સ્થાનિક લોકોમાં મોહનથાળનો પ્રસાદ બંધ થવાની શક્યતાઓ પ્રબળ થઈ ગઈ છે. ત્યારે લોકોના મનમાં પ્રશ્ન ઉઠી રહ્યો છે કે શું ખરેખર હવેથી અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ નહીં મળે?     




પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.