શક્તિપીઠ અંબાજીમાં મોહનથાળની બદલીમાં થશે અન્ય પ્રસાદનું વિતરણ? પ્રસાદ બંધ થવાની વાતો થતા ભક્તોમાં જોવા મળી નારાજગી


  • Published By :
  • Published Date : 2023-03-03 10:33:34

શક્તિપીઠ અંબાજીમાં મળતો મોહનથાળનો પ્રસાદ બંધ થવાનો છે તેવી વાતો વહેતી થઈ હતી. મોહનથાળની બદલીમાં કોઈ અન્ય પ્રસાદ આપવામાં આવશે તેવી વાતો વહેતી થતા માઈ ભક્તોમાં નારાજગી જોવા મળી હતી. આ અંગે કોઈ સત્તાવાર જાણકારી મંદિર દ્વારા આપવામાં આવી નથી. પરંતુ મળતી માહિતી અનુસાર નવા પ્રસાદ બનાવવા માટે ઓર્ડર આપવામાં આવ્યો નથી. અને જે પ્રસાદનો સ્ટોક છે તે માત્ર એક દિવસ ચાલે તેટલો જ છે. શુક્રવારે પણ મંદિરના દર્શન કરવા જતા માઈ ભક્તોને પ્રસાદ મળશે કે નહીં તે બાબતે અસમંજસ છે. 

કોરોનાનું સંક્રમણ વધતા 15 થી 22 જાન્યુઆરી સુધી અંબાજી મંદિર સહિત દેવસ્થાન  ટ્રસ્ટ સંચાલિત મંદિરો બંધ રહેશે | Temples run by Devasthan Trust, including  Ambaji Temple ...

નવો પ્રસાદ બનાવવા માટે નથી અપાયો ઓર્ડર 

ઘણા વર્ષોથી શક્તિપીઠ અંબાજી ખાતે પ્રસાદના રૂપમાં મોહનથાળનું વિતરણ કરવામાં આવે છે. આ પ્રસાદ અંબાજીની ઓળખ બની ગયું છે તેવું કહીએ તો પણ અતિશ્યોક્તિ ન ગણાય. ત્યારે પ્રસાદી રૂપે મળતા મોહનથાળને લઈ સમાચાર વહેતા થયા હતા કે મોહનથાળ પ્રસાદ બંધ થઈ જશે. આ સમાચાર મળતા માઈભક્તોમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો હતો. ભક્તોમાં નારાજગી જોવા મળી રહી છે. મળતી માહિતી અનુસાર ઓછી માત્રામાં પ્રસાદના પેકેટ બચ્યા છે. જે શુક્રવારના દિવસે અમુક કલાક ચાલે એટલા જ છે. મળતી માહિતી અનુસાર પ્રસાદ બનાવતી એજન્સીને નવો ઓર્ડર આપવામાં આવ્યો નથી. 


માઈભક્તોમાં જોવા મળી નારાજગી 

મોહનથાળનો પ્રસાદ બંધ થવાનો છે કે નહીં તે અંગે કોઈ સત્તાવાર જાણકારી આપવામાં આવી નથી. ત્રણ દિવસથી મોહનથાળનો પ્રસાદ બનાવવા પર વહીવટી તંત્ર દ્વારા મોખિક રોક લગાવવામાં આવી છે. જેને લઈ માઈભક્તોમાં તેમજ સ્થાનિક લોકોમાં મોહનથાળનો પ્રસાદ બંધ થવાની શક્યતાઓ પ્રબળ થઈ ગઈ છે. ત્યારે લોકોના મનમાં પ્રશ્ન ઉઠી રહ્યો છે કે શું ખરેખર હવેથી અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ નહીં મળે?     




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.