શક્તિપીઠ અંબાજીમાં મોહનથાળની બદલીમાં થશે અન્ય પ્રસાદનું વિતરણ? પ્રસાદ બંધ થવાની વાતો થતા ભક્તોમાં જોવા મળી નારાજગી


  • Published By :
  • Published Date : 2023-03-03 10:33:34

શક્તિપીઠ અંબાજીમાં મળતો મોહનથાળનો પ્રસાદ બંધ થવાનો છે તેવી વાતો વહેતી થઈ હતી. મોહનથાળની બદલીમાં કોઈ અન્ય પ્રસાદ આપવામાં આવશે તેવી વાતો વહેતી થતા માઈ ભક્તોમાં નારાજગી જોવા મળી હતી. આ અંગે કોઈ સત્તાવાર જાણકારી મંદિર દ્વારા આપવામાં આવી નથી. પરંતુ મળતી માહિતી અનુસાર નવા પ્રસાદ બનાવવા માટે ઓર્ડર આપવામાં આવ્યો નથી. અને જે પ્રસાદનો સ્ટોક છે તે માત્ર એક દિવસ ચાલે તેટલો જ છે. શુક્રવારે પણ મંદિરના દર્શન કરવા જતા માઈ ભક્તોને પ્રસાદ મળશે કે નહીં તે બાબતે અસમંજસ છે. 

કોરોનાનું સંક્રમણ વધતા 15 થી 22 જાન્યુઆરી સુધી અંબાજી મંદિર સહિત દેવસ્થાન  ટ્રસ્ટ સંચાલિત મંદિરો બંધ રહેશે | Temples run by Devasthan Trust, including  Ambaji Temple ...

નવો પ્રસાદ બનાવવા માટે નથી અપાયો ઓર્ડર 

ઘણા વર્ષોથી શક્તિપીઠ અંબાજી ખાતે પ્રસાદના રૂપમાં મોહનથાળનું વિતરણ કરવામાં આવે છે. આ પ્રસાદ અંબાજીની ઓળખ બની ગયું છે તેવું કહીએ તો પણ અતિશ્યોક્તિ ન ગણાય. ત્યારે પ્રસાદી રૂપે મળતા મોહનથાળને લઈ સમાચાર વહેતા થયા હતા કે મોહનથાળ પ્રસાદ બંધ થઈ જશે. આ સમાચાર મળતા માઈભક્તોમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો હતો. ભક્તોમાં નારાજગી જોવા મળી રહી છે. મળતી માહિતી અનુસાર ઓછી માત્રામાં પ્રસાદના પેકેટ બચ્યા છે. જે શુક્રવારના દિવસે અમુક કલાક ચાલે એટલા જ છે. મળતી માહિતી અનુસાર પ્રસાદ બનાવતી એજન્સીને નવો ઓર્ડર આપવામાં આવ્યો નથી. 


માઈભક્તોમાં જોવા મળી નારાજગી 

મોહનથાળનો પ્રસાદ બંધ થવાનો છે કે નહીં તે અંગે કોઈ સત્તાવાર જાણકારી આપવામાં આવી નથી. ત્રણ દિવસથી મોહનથાળનો પ્રસાદ બનાવવા પર વહીવટી તંત્ર દ્વારા મોખિક રોક લગાવવામાં આવી છે. જેને લઈ માઈભક્તોમાં તેમજ સ્થાનિક લોકોમાં મોહનથાળનો પ્રસાદ બંધ થવાની શક્યતાઓ પ્રબળ થઈ ગઈ છે. ત્યારે લોકોના મનમાં પ્રશ્ન ઉઠી રહ્યો છે કે શું ખરેખર હવેથી અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ નહીં મળે?     




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.