બાંગ્લાદેશમાં જહાજ ડૂબતા 20થી વધુના મોત, 30 ગાયબ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-25 21:02:06

બાંગ્લાદેશમાં શ્રદ્ધાળુઓને લઈ જતું જહાજ ડૂબવાના સમાચાર મળી રહ્યા છે. બાંગ્લાદેશના પંમઢીના કોરોટોઆ નદીમાં જહાજ ડૂબ્યું હતું જેમાં 20થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે અત્યાર સુધીમાં જહાજમાં સવાર 30 લોકો ગાયબ થઈ ગયા છે. 


શ્રદ્ધાળુઓ મંદિર જઈ રહ્યા હતા 

દુર્ગા પૂજાનો સમય ચાલી રહ્યો છે ત્યારે આજે બપોરે દોઢ વાગ્યા નજીક શ્રદ્ધાળુઓ દુર્ગા પૂજા અને મહાલયા ઉત્સવ મનાવવા માટે લગભગ 100 જેટલા લોકો જહાજમાં બેસીને બિદેશરી મંદિર જઈ રહ્યા હતા. વજન વધી જતાં અચાનક જહાજ ડૂબી ગયું હતું જેના કારણે 24 લોકોના મોત થયા છે અને 30 લોકો ગાયબ થયા છે. બચાવ ટીમે 50થી વધુ લોકોને બચાવી લીધા છે અને અનેક લોકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પંચમઢી જિલ્લાના બોડા ખાતેની હોસ્પિટલમાં લોકોની સારવાર ચાલી રહી છે. 




પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે

રાજુલા તાલુકાના ધારાનો નેસ ગામમાં રહેતો ધાખડા પરિવાર. રવિરાજભાઈએ આર્મીમાં ફરજ બજાવવાનું સપનું જોયું, વર્ષોથી કાશ્મીરમાં ફરજ બજાવતા હતા. કેન્સર થતા તેમની સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. નશ્વર દેહ જ્યારે વતન આવ્યો ત્યારે અંતિમ વિદાય આપવા મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા.

પરષોત્તમ રૂપાલા વિરૂદ્ધ ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું. તેમની ટિકીટ રદ્દ થાય તેવી માગ સમાજ દ્વારા કરવામાં આવી.. આ બધા વચ્ચે થોડા દિવસ પહેલા સંકલન સમિતી દ્વારા આંદોલનને મોકૂફ રાખવાની જાહેરાત કરાઈ તો હવે પદ્મિની બા વાળાએ પરષોત્તમ રૂપાલાને માફી આપી દીધી છે.

22 એપ્રિલથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સોઢીની ભૂમિકા ભજવનાર ગુરૂચરન લાપતા હતા! તે 17મેના રોજ ઘરે પાછા આવ્યા છે. પોલીસે તેમની શોધખોળ હાથ ધરી પરંતુ તે મળ્યા ના હતા ત્યારે તે ઘરે પાછા આવ્યા છે જેને લઈ તેમના પરિવારે અને ફેન્સે રાહતનો શ્વાસ લીધો છે.