બાંગ્લાદેશમાં જહાજ ડૂબતા 20થી વધુના મોત, 30 ગાયબ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-25 21:02:06

બાંગ્લાદેશમાં શ્રદ્ધાળુઓને લઈ જતું જહાજ ડૂબવાના સમાચાર મળી રહ્યા છે. બાંગ્લાદેશના પંમઢીના કોરોટોઆ નદીમાં જહાજ ડૂબ્યું હતું જેમાં 20થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે અત્યાર સુધીમાં જહાજમાં સવાર 30 લોકો ગાયબ થઈ ગયા છે. 


શ્રદ્ધાળુઓ મંદિર જઈ રહ્યા હતા 

દુર્ગા પૂજાનો સમય ચાલી રહ્યો છે ત્યારે આજે બપોરે દોઢ વાગ્યા નજીક શ્રદ્ધાળુઓ દુર્ગા પૂજા અને મહાલયા ઉત્સવ મનાવવા માટે લગભગ 100 જેટલા લોકો જહાજમાં બેસીને બિદેશરી મંદિર જઈ રહ્યા હતા. વજન વધી જતાં અચાનક જહાજ ડૂબી ગયું હતું જેના કારણે 24 લોકોના મોત થયા છે અને 30 લોકો ગાયબ થયા છે. બચાવ ટીમે 50થી વધુ લોકોને બચાવી લીધા છે અને અનેક લોકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પંચમઢી જિલ્લાના બોડા ખાતેની હોસ્પિટલમાં લોકોની સારવાર ચાલી રહી છે. 




રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .