બાંગ્લાદેશમાં જહાજ ડૂબતા 20થી વધુના મોત, 30 ગાયબ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-25 21:02:06

બાંગ્લાદેશમાં શ્રદ્ધાળુઓને લઈ જતું જહાજ ડૂબવાના સમાચાર મળી રહ્યા છે. બાંગ્લાદેશના પંમઢીના કોરોટોઆ નદીમાં જહાજ ડૂબ્યું હતું જેમાં 20થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે અત્યાર સુધીમાં જહાજમાં સવાર 30 લોકો ગાયબ થઈ ગયા છે. 


શ્રદ્ધાળુઓ મંદિર જઈ રહ્યા હતા 

દુર્ગા પૂજાનો સમય ચાલી રહ્યો છે ત્યારે આજે બપોરે દોઢ વાગ્યા નજીક શ્રદ્ધાળુઓ દુર્ગા પૂજા અને મહાલયા ઉત્સવ મનાવવા માટે લગભગ 100 જેટલા લોકો જહાજમાં બેસીને બિદેશરી મંદિર જઈ રહ્યા હતા. વજન વધી જતાં અચાનક જહાજ ડૂબી ગયું હતું જેના કારણે 24 લોકોના મોત થયા છે અને 30 લોકો ગાયબ થયા છે. બચાવ ટીમે 50થી વધુ લોકોને બચાવી લીધા છે અને અનેક લોકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પંચમઢી જિલ્લાના બોડા ખાતેની હોસ્પિટલમાં લોકોની સારવાર ચાલી રહી છે. 




અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.