સુરતમાં 200થી વધુ કોંગ્રેસના કાર્યકરો BJPમાં જોડાયા, રાહુલ ગાંધીના વિશ્વાસુ નિકેત પટેલે પણ કેસરિયા કર્યા


  • Published By :
  • Published Date : 2024-02-21 18:20:35

ગુજરાતમાં ભાજપે રીતસરનું ભરતી અભિયાન શરૂ કર્યું છે, લોકસભા ચૂંટણી પહેલા ભાજપની વહેતી ગંગામાં ડૂબકી લગાવવા માટે કોંગ્રેસ અને આપના નેતાઓ પડાપડી કરી રહ્યા છે. આજે પણ સુરતમાં ભાજપ કાર્યલય ખાતે પ્રદેશ પ્રમુખ CR પાટીલની હાજરીમાં કોંગ્રેસના 200થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. CR પાટીલે કોંગ્રેસના હોદ્દેદારોને ખેસ પહેરાવી ભાજપમાં આવકાર્યા હતા. 


રાહુલ ગાંધીના વિશ્વાસુ પણ BJPમાં જોડાયા


સુરતમાં ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની હાજરીમાં રાહુલ ગાંધીના વિશ્વાસુ મનાતા નિકેત પટેલ સહિત 200થી વધુ કોંગ્રેસના હોદ્દેદારો પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા અને જય શ્રી રામના નારા સાથે કેસરિયો ખેસ ધારણ કર્યો હતો.


નિકેત પટેલે શું કહ્યું?


કોંગ્રેસનો સાથ છોડી ભાજપમાં જોડાયેલા નિકેત પટેલે પણ કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. તેમણે કોગ્રેસને નિશાન બનાવી કહ્યું કે, "કોંગ્રેસ રામમંદિર મુદ્દે પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરી શકી નથી. રામમંદિર નિર્માણની વાત હોય કે પ્રાણપ્રતિષ્ઠાનો કાર્યક્રમ હોય આ અંગે પણ કોંગ્રેસે પોતાની વાત સ્પષ્ટતાથી મૂકી નથી, એ બાબતનું ખૂબ જ દુઃખ હતું. કોંગ્રેસમાં જૂથવાદ હજુ પણ યથાવત્ છે. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને હું છેલ્લા ઘણા સમયથી વ્યથિત થતો હતો અને આખરે મોટી સંખ્યામાં કોંગ્રેસના કમિટેડ કાર્યકર્તાઓ અને હોદ્દેદારો સાથે આજે ભાજપમાં જોડાવવાનો નિર્ણય લીધો છે."



ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."