સુરતમાં 200થી વધુ કોંગ્રેસના કાર્યકરો BJPમાં જોડાયા, રાહુલ ગાંધીના વિશ્વાસુ નિકેત પટેલે પણ કેસરિયા કર્યા


  • Published By :
  • Published Date : 2024-02-21 18:20:35

ગુજરાતમાં ભાજપે રીતસરનું ભરતી અભિયાન શરૂ કર્યું છે, લોકસભા ચૂંટણી પહેલા ભાજપની વહેતી ગંગામાં ડૂબકી લગાવવા માટે કોંગ્રેસ અને આપના નેતાઓ પડાપડી કરી રહ્યા છે. આજે પણ સુરતમાં ભાજપ કાર્યલય ખાતે પ્રદેશ પ્રમુખ CR પાટીલની હાજરીમાં કોંગ્રેસના 200થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. CR પાટીલે કોંગ્રેસના હોદ્દેદારોને ખેસ પહેરાવી ભાજપમાં આવકાર્યા હતા. 


રાહુલ ગાંધીના વિશ્વાસુ પણ BJPમાં જોડાયા


સુરતમાં ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની હાજરીમાં રાહુલ ગાંધીના વિશ્વાસુ મનાતા નિકેત પટેલ સહિત 200થી વધુ કોંગ્રેસના હોદ્દેદારો પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા અને જય શ્રી રામના નારા સાથે કેસરિયો ખેસ ધારણ કર્યો હતો.


નિકેત પટેલે શું કહ્યું?


કોંગ્રેસનો સાથ છોડી ભાજપમાં જોડાયેલા નિકેત પટેલે પણ કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. તેમણે કોગ્રેસને નિશાન બનાવી કહ્યું કે, "કોંગ્રેસ રામમંદિર મુદ્દે પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરી શકી નથી. રામમંદિર નિર્માણની વાત હોય કે પ્રાણપ્રતિષ્ઠાનો કાર્યક્રમ હોય આ અંગે પણ કોંગ્રેસે પોતાની વાત સ્પષ્ટતાથી મૂકી નથી, એ બાબતનું ખૂબ જ દુઃખ હતું. કોંગ્રેસમાં જૂથવાદ હજુ પણ યથાવત્ છે. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને હું છેલ્લા ઘણા સમયથી વ્યથિત થતો હતો અને આખરે મોટી સંખ્યામાં કોંગ્રેસના કમિટેડ કાર્યકર્તાઓ અને હોદ્દેદારો સાથે આજે ભાજપમાં જોડાવવાનો નિર્ણય લીધો છે."



IMF એટલેકે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ કે જેણે પાકિસ્તાનને $ 1 બિલિયન ડોલરની સહાયની જાહેરાત કરી છે. આ માટે થોડાક સમય અગાઉ IMFની બોર્ડની મિટિંગ મળી હતી . ભારતે IMFની બોર્ડ મિટિંગમાં આ સહાયની સામે ખુબ મજબૂત રીતે વિરોધ નોંધાવ્યો છે સાથે જ નિર્ણયની સામે મજબૂત રીતે ડિસેન્ટ એટલેકે , અસંતોષ નોંધાવ્યો છે. આ ઉપરાંત આપણે જાણીશું કે , દુનિયાના આતંકવાદ તેમાં પણ ખાસ કરીને પશ્ચિમી દેશો એટલે કે યુરોપ અને અમેરિકાના શું ડબલ સ્ટાન્ડર્ડ્સ છે?

થોડાક સમય પેહલા પાકિસ્તાને ભારતના ઘણાબધા શહેરો પર ડ્રોન અને મિસાઈલથી હુમલો કર્યો હતો . જોકે ભારતે પણ તેનો જવાબ ખુબ મજબૂતાઈથી આપ્યો છે. તો આ બાજુ નવી દિલ્હીમાં કેન્દ્ર સરકારમાં બેઠકોનો ધમધમાટ ચાલુ છે. કેન્દ્ર સરકાર સતત સેનાની તૈયારીઓ પર નજર રાખી રહી છે. તો આવો જાણીએ ક્યા મંત્રીઓએ બેઠક યોજી છે?

સમાચાર સામે આવી રહ્યા છે કે , પાકિસ્તાને ઓપરેશન સિંદૂર પછી ભારતના ૧૫ શહેરો પર હુમલાનો પ્રયાસ કર્યો છે . આ હુમલો ગયી કાલે મોડી રાત્રે ભારતના ૧૫ શહેરો પર ડ્રોન અને મિસાઈલ દ્વારા કરવામાં આવ્યો હતો . પાકિસ્તાનના આ નાપાક હુમલાને આપણી એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ દ્વારા નાકામ કરી નાખવામાં આવ્યો છે. તો આવો જાણીએ એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ શું છે જેને સુદર્શન ચક્ર પણ કહેવામાં આવે છે.

ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .