સુરતમાં 200થી વધુ કોંગ્રેસના કાર્યકરો BJPમાં જોડાયા, રાહુલ ગાંધીના વિશ્વાસુ નિકેત પટેલે પણ કેસરિયા કર્યા


  • Published By :
  • Published Date : 2024-02-21 18:20:35

ગુજરાતમાં ભાજપે રીતસરનું ભરતી અભિયાન શરૂ કર્યું છે, લોકસભા ચૂંટણી પહેલા ભાજપની વહેતી ગંગામાં ડૂબકી લગાવવા માટે કોંગ્રેસ અને આપના નેતાઓ પડાપડી કરી રહ્યા છે. આજે પણ સુરતમાં ભાજપ કાર્યલય ખાતે પ્રદેશ પ્રમુખ CR પાટીલની હાજરીમાં કોંગ્રેસના 200થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. CR પાટીલે કોંગ્રેસના હોદ્દેદારોને ખેસ પહેરાવી ભાજપમાં આવકાર્યા હતા. 


રાહુલ ગાંધીના વિશ્વાસુ પણ BJPમાં જોડાયા


સુરતમાં ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની હાજરીમાં રાહુલ ગાંધીના વિશ્વાસુ મનાતા નિકેત પટેલ સહિત 200થી વધુ કોંગ્રેસના હોદ્દેદારો પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા અને જય શ્રી રામના નારા સાથે કેસરિયો ખેસ ધારણ કર્યો હતો.


નિકેત પટેલે શું કહ્યું?


કોંગ્રેસનો સાથ છોડી ભાજપમાં જોડાયેલા નિકેત પટેલે પણ કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. તેમણે કોગ્રેસને નિશાન બનાવી કહ્યું કે, "કોંગ્રેસ રામમંદિર મુદ્દે પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરી શકી નથી. રામમંદિર નિર્માણની વાત હોય કે પ્રાણપ્રતિષ્ઠાનો કાર્યક્રમ હોય આ અંગે પણ કોંગ્રેસે પોતાની વાત સ્પષ્ટતાથી મૂકી નથી, એ બાબતનું ખૂબ જ દુઃખ હતું. કોંગ્રેસમાં જૂથવાદ હજુ પણ યથાવત્ છે. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને હું છેલ્લા ઘણા સમયથી વ્યથિત થતો હતો અને આખરે મોટી સંખ્યામાં કોંગ્રેસના કમિટેડ કાર્યકર્તાઓ અને હોદ્દેદારો સાથે આજે ભાજપમાં જોડાવવાનો નિર્ણય લીધો છે."



વલસાડ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉતારવામાં આવ્યા છે. અનંત પટેલને જમાવટની ટીમે જ્યારે પૂછ્યું કે સાંસદ બન્યા પછી તે શું કરશે તો તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી.

ભગવાન શ્રીકૃષ્ણના અનેક ભક્તો આપણી આસપાસ હશે.. કૃષ્ણ શબ્દમાં જ આકર્ષણ છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શ્રી કૃષ્ણને સમર્પિત રચના...

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો સામનો ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે.. જામનગરમાં સૌથી વધારે આ વિવાદને લઈ વિરોધ થઈ રહ્યો છે.. પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

જમાવટની ઈલેક્શન યાત્રા મહેસાણા પહોંચી હતી. ત્યાંના મતદાતાઓનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. લોકો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાન કરે છે તે જાણાનો પ્રયત્ન કર્યો છે.