સુરતમાં 200થી વધુ કોંગ્રેસના કાર્યકરો BJPમાં જોડાયા, રાહુલ ગાંધીના વિશ્વાસુ નિકેત પટેલે પણ કેસરિયા કર્યા


  • Published By :
  • Published Date : 2024-02-21 18:20:35

ગુજરાતમાં ભાજપે રીતસરનું ભરતી અભિયાન શરૂ કર્યું છે, લોકસભા ચૂંટણી પહેલા ભાજપની વહેતી ગંગામાં ડૂબકી લગાવવા માટે કોંગ્રેસ અને આપના નેતાઓ પડાપડી કરી રહ્યા છે. આજે પણ સુરતમાં ભાજપ કાર્યલય ખાતે પ્રદેશ પ્રમુખ CR પાટીલની હાજરીમાં કોંગ્રેસના 200થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. CR પાટીલે કોંગ્રેસના હોદ્દેદારોને ખેસ પહેરાવી ભાજપમાં આવકાર્યા હતા. 


રાહુલ ગાંધીના વિશ્વાસુ પણ BJPમાં જોડાયા


સુરતમાં ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની હાજરીમાં રાહુલ ગાંધીના વિશ્વાસુ મનાતા નિકેત પટેલ સહિત 200થી વધુ કોંગ્રેસના હોદ્દેદારો પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા અને જય શ્રી રામના નારા સાથે કેસરિયો ખેસ ધારણ કર્યો હતો.


નિકેત પટેલે શું કહ્યું?


કોંગ્રેસનો સાથ છોડી ભાજપમાં જોડાયેલા નિકેત પટેલે પણ કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. તેમણે કોગ્રેસને નિશાન બનાવી કહ્યું કે, "કોંગ્રેસ રામમંદિર મુદ્દે પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરી શકી નથી. રામમંદિર નિર્માણની વાત હોય કે પ્રાણપ્રતિષ્ઠાનો કાર્યક્રમ હોય આ અંગે પણ કોંગ્રેસે પોતાની વાત સ્પષ્ટતાથી મૂકી નથી, એ બાબતનું ખૂબ જ દુઃખ હતું. કોંગ્રેસમાં જૂથવાદ હજુ પણ યથાવત્ છે. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને હું છેલ્લા ઘણા સમયથી વ્યથિત થતો હતો અને આખરે મોટી સંખ્યામાં કોંગ્રેસના કમિટેડ કાર્યકર્તાઓ અને હોદ્દેદારો સાથે આજે ભાજપમાં જોડાવવાનો નિર્ણય લીધો છે."



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.