ઓવૈસીએ AAPને ગણાવ્યું RSSનું 'છોટા રિચાર્જ', સુંદરકાંડના પાઠ કરવાના નિર્ણયને વખોડ્યો, આપ પર કર્યા પ્રહાર


  • Published By :
  • Published Date : 2024-01-16 14:55:32

AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ આમ આદમી પાર્ટીને RSSનું છોટા રિચાર્જ ગણાવીને આકરા શાબ્દિક પ્રહારો કર્યા છે. તેમણે સુંદર કાંડના પાઠ કરવાની આપની જાહેરાતને લઈ પાર્ટીની જોરદાર ટીકા કરી હતી. અરવિંદ કેજરીવાલના નેતૃત્વવાળી પાર્ટીએ મંગળવારે દિલ્હીની તમામ 70 વિધાન સભા સીટોમાં સુંદરકાંડનો પાઠ આયોજીત કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય 22 જાન્યુઆરીના રોજ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને ધ્યાનમાં રાખીને લીધો છે. 


2,600 સ્થાનો પર સુંદરકાંડના પાઠ


AAPના નેતા સૌરભ ભારદ્વાજે સોમવારે કહ્યું હતું કે તેમની પાર્ટી મંગળવારે દિલ્હીની તમામ 70 વિધાનસભા સીટોમાં સુંદરકાંડ પાઠનો કાર્યક્રમ આયોજીત કરશે. આગામી સપ્તાહથી દરેક મંગળવારે શહેરના તમામ વિધાનસભા ક્ષેત્રો અને નગર નિગમ બોર્ડ સહિત 2,600 સ્થાનો પર સુંદરકાંડ અને હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવશે. આ જ કારણે આમ આદમી પાર્ટીમાં જ એક સંગઠન બનાવવામાં આવ્યું છે. 


પ્રાણ પ્રતિષ્ઠા અગાઉ કરાઈ જાહેરાત


આપે આ ઘોષણા 22 જાન્યુઆરીના રોજ યોજાનારા રામ મંદિરક પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા કરી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે ઔપચારિક નિમંત્રણ પણ નથી મળ્યું. જો કે મુખ્યમંત્રીને કેટલાક દિવસ પહેલા એક પત્ર મળ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે તેમને એક ઔપચારિક નિમંત્રણ મોકલવામાં આવશે અને તે દિવસે તે કોઈ અન્ય કાર્યક્રમ આયોજીત કરે નહીં. 


AAPના નિર્ણયથી નારાજ ઓવૈસી


સુંદરકાંડનું આયોજન કરવાના AAPના તાજેતરના નિર્ણય બાદ ઓવૈસી નારાજ થઈ ગયા હતા. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ નિર્ણય અંગે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે RSSના નાના રિચાર્જે નક્કી કર્યું છે કે દર મહિનાના પહેલા મંગળવારે દિલ્હીના દરેક વિધાનસભા ક્ષેત્રમાં સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવશે. 22 જાન્યુઆરીએ ઉદ્ઘાટન થવાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.


બિલ્કીસ બાનોનો ઉલ્લેખ કરતાં ઓવૈસીએ યાદ અપાવ્યું કે આ એ જ લોકો છે જેમણે આ મુદ્દે મૌન જાળવી રાખ્યું હતું. એવું કહ્યું હતું કે તેઓ માત્ર શિક્ષણ અને આરોગ્ય જેવા મુદ્દાઓ પર વાત કરવા માંગે છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.