ઓવૈસીએ AAPને ગણાવ્યું RSSનું 'છોટા રિચાર્જ', સુંદરકાંડના પાઠ કરવાના નિર્ણયને વખોડ્યો, આપ પર કર્યા પ્રહાર


  • Published By :
  • Published Date : 2024-01-16 14:55:32

AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ આમ આદમી પાર્ટીને RSSનું છોટા રિચાર્જ ગણાવીને આકરા શાબ્દિક પ્રહારો કર્યા છે. તેમણે સુંદર કાંડના પાઠ કરવાની આપની જાહેરાતને લઈ પાર્ટીની જોરદાર ટીકા કરી હતી. અરવિંદ કેજરીવાલના નેતૃત્વવાળી પાર્ટીએ મંગળવારે દિલ્હીની તમામ 70 વિધાન સભા સીટોમાં સુંદરકાંડનો પાઠ આયોજીત કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય 22 જાન્યુઆરીના રોજ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને ધ્યાનમાં રાખીને લીધો છે. 


2,600 સ્થાનો પર સુંદરકાંડના પાઠ


AAPના નેતા સૌરભ ભારદ્વાજે સોમવારે કહ્યું હતું કે તેમની પાર્ટી મંગળવારે દિલ્હીની તમામ 70 વિધાનસભા સીટોમાં સુંદરકાંડ પાઠનો કાર્યક્રમ આયોજીત કરશે. આગામી સપ્તાહથી દરેક મંગળવારે શહેરના તમામ વિધાનસભા ક્ષેત્રો અને નગર નિગમ બોર્ડ સહિત 2,600 સ્થાનો પર સુંદરકાંડ અને હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવશે. આ જ કારણે આમ આદમી પાર્ટીમાં જ એક સંગઠન બનાવવામાં આવ્યું છે. 


પ્રાણ પ્રતિષ્ઠા અગાઉ કરાઈ જાહેરાત


આપે આ ઘોષણા 22 જાન્યુઆરીના રોજ યોજાનારા રામ મંદિરક પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા કરી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે ઔપચારિક નિમંત્રણ પણ નથી મળ્યું. જો કે મુખ્યમંત્રીને કેટલાક દિવસ પહેલા એક પત્ર મળ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે તેમને એક ઔપચારિક નિમંત્રણ મોકલવામાં આવશે અને તે દિવસે તે કોઈ અન્ય કાર્યક્રમ આયોજીત કરે નહીં. 


AAPના નિર્ણયથી નારાજ ઓવૈસી


સુંદરકાંડનું આયોજન કરવાના AAPના તાજેતરના નિર્ણય બાદ ઓવૈસી નારાજ થઈ ગયા હતા. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ નિર્ણય અંગે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે RSSના નાના રિચાર્જે નક્કી કર્યું છે કે દર મહિનાના પહેલા મંગળવારે દિલ્હીના દરેક વિધાનસભા ક્ષેત્રમાં સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવશે. 22 જાન્યુઆરીએ ઉદ્ઘાટન થવાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.


બિલ્કીસ બાનોનો ઉલ્લેખ કરતાં ઓવૈસીએ યાદ અપાવ્યું કે આ એ જ લોકો છે જેમણે આ મુદ્દે મૌન જાળવી રાખ્યું હતું. એવું કહ્યું હતું કે તેઓ માત્ર શિક્ષણ અને આરોગ્ય જેવા મુદ્દાઓ પર વાત કરવા માંગે છે.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે