વંદે ભારત ટ્રેનમાં મુસાફરી દરમિયાન ઓવૈસી પર કરાયો પથ્થરમારો, ટ્રેનના કાચને પહોંચ્યું નુકસાન


  • Published By :
  • Published Date : 2022-11-08 08:48:25

ગુજરાતમાં ચૂંટણી યોજાવાની છે જેને કારણે અનેક પાર્ટીના નેતાઓ ગુજરાત આવી રહ્યા છે. AIMIMના ઓવૈસીએ પણ ગુજરાતમાં આવી પ્રચાર કરવાની શરૂઆત કરી છે. ત્યારે તેમના પ્રવાસ દરમિયાન તેમની પર પથ્થરમારો થયો હોવાની વાત પાર્ટીના નેતા દ્વારા કરવામાં આવી રહી છે. તેમના કહેવા મુજબ જ્યારે તેઓ વંદે ભારત ટ્રેનમાં સફર કરી રહ્યા હતા તે દરમિયાન તેમની પર હુમલો કરવામાં આવ્યો હતો. પથ્થરમારો થયો હોવાને કારણે ટ્રેનનો કાચ પણ તૂટી ગયો હતો. 

Owaisi: गुजरात में वंदे भारत एक्सप्रेस पर पथराव, असदुद्दीन ओवैसी थे निशाने  पर! ट्रेन की खिड़की के शीशे टूटे - Stone pelting on Vande Bharat Express in  Gujarat Asaduddin ...

વંદે ભારત ટ્રેનમાં મુસાફરી દરમિયાન કરાયો પથ્થરમારો

ચૂંટણીની તારીખોની જાહેરાત થયા બાદ દરેક પાર્ટી પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. અનેક પાર્ટીના નેતાઓ ગુજરાત આવી પોતાની પાર્ટીનો પ્રચાર કરે છે. ત્યારે પ્રચાર માટે અમદાવાદથી સુરત જઈ રહેલા AIMIMના ઓવૈસી પર પથ્થરમારો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો તેવું પાર્ટીના નેતાનું કહેવું છે. સુરતના લિંબાયત ખાતે તેઓ જનસભા સંબોધવાના હતા. 

AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી સુરતના લિંબાયતમાં સભાને સંબોધન કરશએ - Divya Bhaskar

ભાજપ પર કર્યા શાબ્દિક પ્રહાર

સભાસ્થળ પર પહોંચવા જ્યારે પાર્ટીની ટીમ ટ્રેનમાં મુસાફરી કરી રહી હતી તે દરમિયાન કોઈકે તેમની પર હુમલો કર્યો હતો. પરંતુ કોણે તેમની પર હુમલો કર્યો તે જાણી શકાયું નથી. પથ્થર વાગવાને કારણે ટ્રેનની બારીનો કાચ પણ તૂટી ગયો હતો. સદનસીબે કોઈ પણ હાની વગર તેઓ સભાસ્થળે પહોંચી ગયા હતા. પોતાના સંબોધનમાં તેમણે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. પોતાના સંબોધન દરમિયાન ભાજપ દ્વારા શરૂ કરાયેલ કેમ્પેઈન પર પણ તેમણે કટાક્ષ કર્યા હતા. 




થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .