વંદે ભારત ટ્રેનમાં મુસાફરી દરમિયાન ઓવૈસી પર કરાયો પથ્થરમારો, ટ્રેનના કાચને પહોંચ્યું નુકસાન


  • Published By :
  • Published Date : 2022-11-08 08:48:25

ગુજરાતમાં ચૂંટણી યોજાવાની છે જેને કારણે અનેક પાર્ટીના નેતાઓ ગુજરાત આવી રહ્યા છે. AIMIMના ઓવૈસીએ પણ ગુજરાતમાં આવી પ્રચાર કરવાની શરૂઆત કરી છે. ત્યારે તેમના પ્રવાસ દરમિયાન તેમની પર પથ્થરમારો થયો હોવાની વાત પાર્ટીના નેતા દ્વારા કરવામાં આવી રહી છે. તેમના કહેવા મુજબ જ્યારે તેઓ વંદે ભારત ટ્રેનમાં સફર કરી રહ્યા હતા તે દરમિયાન તેમની પર હુમલો કરવામાં આવ્યો હતો. પથ્થરમારો થયો હોવાને કારણે ટ્રેનનો કાચ પણ તૂટી ગયો હતો. 

Owaisi: गुजरात में वंदे भारत एक्सप्रेस पर पथराव, असदुद्दीन ओवैसी थे निशाने  पर! ट्रेन की खिड़की के शीशे टूटे - Stone pelting on Vande Bharat Express in  Gujarat Asaduddin ...

વંદે ભારત ટ્રેનમાં મુસાફરી દરમિયાન કરાયો પથ્થરમારો

ચૂંટણીની તારીખોની જાહેરાત થયા બાદ દરેક પાર્ટી પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. અનેક પાર્ટીના નેતાઓ ગુજરાત આવી પોતાની પાર્ટીનો પ્રચાર કરે છે. ત્યારે પ્રચાર માટે અમદાવાદથી સુરત જઈ રહેલા AIMIMના ઓવૈસી પર પથ્થરમારો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો તેવું પાર્ટીના નેતાનું કહેવું છે. સુરતના લિંબાયત ખાતે તેઓ જનસભા સંબોધવાના હતા. 

AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી સુરતના લિંબાયતમાં સભાને સંબોધન કરશએ - Divya Bhaskar

ભાજપ પર કર્યા શાબ્દિક પ્રહાર

સભાસ્થળ પર પહોંચવા જ્યારે પાર્ટીની ટીમ ટ્રેનમાં મુસાફરી કરી રહી હતી તે દરમિયાન કોઈકે તેમની પર હુમલો કર્યો હતો. પરંતુ કોણે તેમની પર હુમલો કર્યો તે જાણી શકાયું નથી. પથ્થર વાગવાને કારણે ટ્રેનની બારીનો કાચ પણ તૂટી ગયો હતો. સદનસીબે કોઈ પણ હાની વગર તેઓ સભાસ્થળે પહોંચી ગયા હતા. પોતાના સંબોધનમાં તેમણે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. પોતાના સંબોધન દરમિયાન ભાજપ દ્વારા શરૂ કરાયેલ કેમ્પેઈન પર પણ તેમણે કટાક્ષ કર્યા હતા. 




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.