વંદે ભારત ટ્રેનમાં મુસાફરી દરમિયાન ઓવૈસી પર કરાયો પથ્થરમારો, ટ્રેનના કાચને પહોંચ્યું નુકસાન


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-11-08 08:48:25

ગુજરાતમાં ચૂંટણી યોજાવાની છે જેને કારણે અનેક પાર્ટીના નેતાઓ ગુજરાત આવી રહ્યા છે. AIMIMના ઓવૈસીએ પણ ગુજરાતમાં આવી પ્રચાર કરવાની શરૂઆત કરી છે. ત્યારે તેમના પ્રવાસ દરમિયાન તેમની પર પથ્થરમારો થયો હોવાની વાત પાર્ટીના નેતા દ્વારા કરવામાં આવી રહી છે. તેમના કહેવા મુજબ જ્યારે તેઓ વંદે ભારત ટ્રેનમાં સફર કરી રહ્યા હતા તે દરમિયાન તેમની પર હુમલો કરવામાં આવ્યો હતો. પથ્થરમારો થયો હોવાને કારણે ટ્રેનનો કાચ પણ તૂટી ગયો હતો. 

Owaisi: गुजरात में वंदे भारत एक्सप्रेस पर पथराव, असदुद्दीन ओवैसी थे निशाने  पर! ट्रेन की खिड़की के शीशे टूटे - Stone pelting on Vande Bharat Express in  Gujarat Asaduddin ...

વંદે ભારત ટ્રેનમાં મુસાફરી દરમિયાન કરાયો પથ્થરમારો

ચૂંટણીની તારીખોની જાહેરાત થયા બાદ દરેક પાર્ટી પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. અનેક પાર્ટીના નેતાઓ ગુજરાત આવી પોતાની પાર્ટીનો પ્રચાર કરે છે. ત્યારે પ્રચાર માટે અમદાવાદથી સુરત જઈ રહેલા AIMIMના ઓવૈસી પર પથ્થરમારો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો તેવું પાર્ટીના નેતાનું કહેવું છે. સુરતના લિંબાયત ખાતે તેઓ જનસભા સંબોધવાના હતા. 

AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી સુરતના લિંબાયતમાં સભાને સંબોધન કરશએ - Divya Bhaskar

ભાજપ પર કર્યા શાબ્દિક પ્રહાર

સભાસ્થળ પર પહોંચવા જ્યારે પાર્ટીની ટીમ ટ્રેનમાં મુસાફરી કરી રહી હતી તે દરમિયાન કોઈકે તેમની પર હુમલો કર્યો હતો. પરંતુ કોણે તેમની પર હુમલો કર્યો તે જાણી શકાયું નથી. પથ્થર વાગવાને કારણે ટ્રેનની બારીનો કાચ પણ તૂટી ગયો હતો. સદનસીબે કોઈ પણ હાની વગર તેઓ સભાસ્થળે પહોંચી ગયા હતા. પોતાના સંબોધનમાં તેમણે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. પોતાના સંબોધન દરમિયાન ભાજપ દ્વારા શરૂ કરાયેલ કેમ્પેઈન પર પણ તેમણે કટાક્ષ કર્યા હતા. 




કમોસમી વરસાદ અનેક જગ્યાઓ પર વરસ્યો જેને કારણે ઠંડક થઈ પરંતુ હવે તે બાદ હીટવેવની આગાહી કરવામાં આવી... રાજ્યના અનેક વિસ્તારો માટે હીટવેવની આગાહી કરાઈ છે જેમાં અમદાવાદનો પણ સમાવેશ થાય છે.. અમદાવાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે....

લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન અનેક વખત એવા નિવેદનો સામે આવતા હોય છે જેની ચર્ચા થતી હોય છે. ત્યારે પીએમ મોદીએ એક સબામાં રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.

ઘણા લોકો એવા હોય છે જેમને મૌન રહેવું ગમે છે.. જ્યારે કવિને પૂછવામાં આવે કે તમને સૌથી વધારે કોની સાથે રહેવાનું પસંદ છે તો તે કહે છે મૌન સાથે ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે આદિલ મન્સુરીની રચના .

ગઈકાલથી એક બાદ એક નેતાઓના પત્રોની ખૂબ ચર્ચા થઈ રહી છે.. પહેલા કુમાર કાનાણીનો પત્ર આવ્યો, પછી સંજય કોરડીયાનો પત્ર સામે આવ્યો અને પછી અમરેલીના ભાજપ ઉમેદવાર ભરત સુતરીયાનો પત્ર સામે આવ્યો.