ગુજરાતમાં AIMIMનો પ્રચાર કરવા આવેલા ઓવૈસીને થયો કડવો અનુભવ


  • Published By :
  • Published Date : 2022-12-03 12:15:02

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં પ્રચાર કરવાનો આજે અંતિમ દિવસ છે. સાંજે ચૂંટણી પડઘમ શાંત થઈ જશે. પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા દરેક પાર્ટી પ્રચારમાં લાગી છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ચૂંટણી મેદાનમાં જંગ જામવાનો છે. ત્યારે AIMIMના ઓવૈસી પણ પોતાની પાર્ટીનો પ્રચાર કરવા ગુજરાત આવ્યા હતા. પરંતુ જ્યારે અમદાવાદમાં તેઓ પ્રચાર કરવા આવ્યા હતા ત્યારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. ઓવૈસીને જોતા સ્થાનિકોએ લગાવ્યા ગો બેકના નારા. 


કાળો વાવટા બતાવી કર્યો વિરોધ 

ગુજરાતમાં AIMIMએ અનેક બેઠકો પર પોતાના ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. તેમનો પ્રચાર કરવા ઓવૈસી અમદાવાદ આવ્યા હતા. પરંતુ અમદાવાદમાં તેમનો વિરોધ થયો હતો. રોડ શો કરી રહ્યા હતા તે દરમિયાન સ્થાનિકોએ ગો બેકના નારા લગાયા હતા અને રોડ શો દરમિયાન કાળો ઝંડો બતાવી વિરોધ નોંધાવ્યો હતો.

Gujarat Election Asaduddin Owaisi Show Black Flags During Road Show in Ahmedabad गुजरात में ओवैसी को दिखाए गए काले झंडे, अहमदाबाद के रोड शो में लगे Go Back के नारे

સંબોધન દરમિયાન નરેન્દ્ર મોદીનો ઉલ્લેખ

જમાલપુર ખાતે પોતાના ઉમેદવાર સાબીર કાબલીવાલા માટે પ્રચાર કરવા આવેલા હતા. પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે મોદી કોંગ્રેસના પપ્પા છે. ગુજરાત ચૂંટણીની નજર જમાલપુર બેઠક પર છે. અહીં લડાઈ ભાજપ અને એઆઈએમઆઈ વચ્ચે છે. ચૂંટણી ઓવૈસી અને નરેન્દ્ર મોદી વચ્ચે છે.   




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.