ગુજરાતમાં AIMIMનો પ્રચાર કરવા આવેલા ઓવૈસીને થયો કડવો અનુભવ


  • Published By :
  • Published Date : 2022-12-03 12:15:02

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં પ્રચાર કરવાનો આજે અંતિમ દિવસ છે. સાંજે ચૂંટણી પડઘમ શાંત થઈ જશે. પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા દરેક પાર્ટી પ્રચારમાં લાગી છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ચૂંટણી મેદાનમાં જંગ જામવાનો છે. ત્યારે AIMIMના ઓવૈસી પણ પોતાની પાર્ટીનો પ્રચાર કરવા ગુજરાત આવ્યા હતા. પરંતુ જ્યારે અમદાવાદમાં તેઓ પ્રચાર કરવા આવ્યા હતા ત્યારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. ઓવૈસીને જોતા સ્થાનિકોએ લગાવ્યા ગો બેકના નારા. 


કાળો વાવટા બતાવી કર્યો વિરોધ 

ગુજરાતમાં AIMIMએ અનેક બેઠકો પર પોતાના ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. તેમનો પ્રચાર કરવા ઓવૈસી અમદાવાદ આવ્યા હતા. પરંતુ અમદાવાદમાં તેમનો વિરોધ થયો હતો. રોડ શો કરી રહ્યા હતા તે દરમિયાન સ્થાનિકોએ ગો બેકના નારા લગાયા હતા અને રોડ શો દરમિયાન કાળો ઝંડો બતાવી વિરોધ નોંધાવ્યો હતો.

Gujarat Election Asaduddin Owaisi Show Black Flags During Road Show in Ahmedabad गुजरात में ओवैसी को दिखाए गए काले झंडे, अहमदाबाद के रोड शो में लगे Go Back के नारे

સંબોધન દરમિયાન નરેન્દ્ર મોદીનો ઉલ્લેખ

જમાલપુર ખાતે પોતાના ઉમેદવાર સાબીર કાબલીવાલા માટે પ્રચાર કરવા આવેલા હતા. પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે મોદી કોંગ્રેસના પપ્પા છે. ગુજરાત ચૂંટણીની નજર જમાલપુર બેઠક પર છે. અહીં લડાઈ ભાજપ અને એઆઈએમઆઈ વચ્ચે છે. ચૂંટણી ઓવૈસી અને નરેન્દ્ર મોદી વચ્ચે છે.   




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.