ગુજરાતમાં AIMIMનો પ્રચાર કરવા આવેલા ઓવૈસીને થયો કડવો અનુભવ


  • Published By :
  • Published Date : 2022-12-03 12:15:02

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં પ્રચાર કરવાનો આજે અંતિમ દિવસ છે. સાંજે ચૂંટણી પડઘમ શાંત થઈ જશે. પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા દરેક પાર્ટી પ્રચારમાં લાગી છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ચૂંટણી મેદાનમાં જંગ જામવાનો છે. ત્યારે AIMIMના ઓવૈસી પણ પોતાની પાર્ટીનો પ્રચાર કરવા ગુજરાત આવ્યા હતા. પરંતુ જ્યારે અમદાવાદમાં તેઓ પ્રચાર કરવા આવ્યા હતા ત્યારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. ઓવૈસીને જોતા સ્થાનિકોએ લગાવ્યા ગો બેકના નારા. 


કાળો વાવટા બતાવી કર્યો વિરોધ 

ગુજરાતમાં AIMIMએ અનેક બેઠકો પર પોતાના ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. તેમનો પ્રચાર કરવા ઓવૈસી અમદાવાદ આવ્યા હતા. પરંતુ અમદાવાદમાં તેમનો વિરોધ થયો હતો. રોડ શો કરી રહ્યા હતા તે દરમિયાન સ્થાનિકોએ ગો બેકના નારા લગાયા હતા અને રોડ શો દરમિયાન કાળો ઝંડો બતાવી વિરોધ નોંધાવ્યો હતો.

Gujarat Election Asaduddin Owaisi Show Black Flags During Road Show in Ahmedabad गुजरात में ओवैसी को दिखाए गए काले झंडे, अहमदाबाद के रोड शो में लगे Go Back के नारे

સંબોધન દરમિયાન નરેન્દ્ર મોદીનો ઉલ્લેખ

જમાલપુર ખાતે પોતાના ઉમેદવાર સાબીર કાબલીવાલા માટે પ્રચાર કરવા આવેલા હતા. પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે મોદી કોંગ્રેસના પપ્પા છે. ગુજરાત ચૂંટણીની નજર જમાલપુર બેઠક પર છે. અહીં લડાઈ ભાજપ અને એઆઈએમઆઈ વચ્ચે છે. ચૂંટણી ઓવૈસી અને નરેન્દ્ર મોદી વચ્ચે છે.   




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.