ઓવૈસી તોડશે મુસ્લિમ વોટ ? વડગામ બેઠક પર મેવાણી સામે ઉતાર્યો ઉમેદવાર


  • Published By :
  • Published Date : 2022-11-16 17:53:26

અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMએ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં વધુ ત્રણ ઉમેદવારની જાહેરાત કરી છે. AIMIMએ કલ્પેશ સુંઢિયાને વડગામ, અબ્બાસ નોડસોલા સિદ્ધપુર અને જૈનબીબી શેખને અમદાવાદની વેજલપુર બેઠક પરથી ચૂંટણીમાં ઉતાર્યા છે. 

દલિત નેતા જીગ્નેશ મેવાણી ફરી એકવાર વડગામથી ચૂંટણી લડી રહ્યા છે. 2017માં જીગ્નેશ મેવાણી કોંગ્રેસના સમર્થનથી જીત્યા હતા 2022ની ચૂંટણીમાં જીગ્નેશ મેવાણી હવે કોંગ્રેસના ઉમેદવાર છે. તો તેમને ઘેરવા માટે તેમની સામે ભાજપે કોંગ્રેસના પૂર્વ નેતા અને ધારાસભ્ય મણિલાલ વાઘેલાને મેદાનમાં ઉતાર્યા છે. AAP તરફથી દલપત ભાટિયા મેદાનમાં છે, AIMIMએ પણ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે વડગામની અનામત બેઠક પર કલ્પેશ સુંઢિયાને AIMIMએ ઉમેદવાર બનાવ્યા છે 


AIMIMનો બીજો હિન્દૂ ઉમેદવાર

AIMIMએ અત્યાર સુધી 182 બેઠકમાંથી 14 બેઠક પર ઉમેદવારોની જાહેરાત કરી છે. વડગામની અનામત બેઠક પર કલ્પેશ સુંઢિયાના નામની જાહેરાત કરી છે. કલ્પેશ સુંઢિયા બીજા હિન્દૂ ઉમેદવાર છે જેમણે ઓવૈસીની પાર્ટીએ મેદાનમાં ઉતાર્યા છે. આ પહેલા દાણીલિમડાની અનામત સીટ પર કૌશિકા પરમારને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા.


દલિત મુસ્લિમ મતને સાધવાનો પ્રયાસ 

વડગામ બેઠક પર કોંગ્રેસને મજબૂત માનવામાં આવે છે. અહીં 2.94 લાખ મતદારો છે. જેમાં સૌથી વધુ મુસ્લિમ અને દલિત મતદારો છે, ત્યારબાદ ચૌધરી, ઠાકોર અને ક્ષત્રિયની ભાગીદારી છે. 1995 પછી કોંગ્રેસ ચાર વખત આ બેઠક જીતી છે. અસદુદ્દીન ઓવૈસી ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન મુસ્લિમ અને દલિત વોટને મેળવવાના પ્રયાસમાં લાગેલા છે. 2021માં મહાનગરપાલિકાની ચૂંટણીમાં 26 બેઠકો પર AIMIMને જીત મળી હતી. મે 2022થી સતત ઓવૈસી ગુજરાતનો પ્રવાસ કરી રહ્યા છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.