PAAS કન્વિનર નીતિન ઘેલાણીનું સી.આર.પાટીલે ભાજપમાં કર્યું સ્વાગત


  • Published By :
  • Published Date : 2022-11-13 12:48:58

ગુજરાત વિધાનસભા ચૂંટણી પૂર્વે અનેક નેતાઓ પક્ષપલટો કરી રહ્યા છે. અનેક નેતાઓ પોતાની પાર્ટી છોડી બીજી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. ચૂંટણી નજીક આવી રહી છે તે પૂર્વે આમ આદમી પાર્ટીમાં ભંગાણ થઈ ગયું છે. દરેક પાર્ટી પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પૂરજોશમાં પ્રચાર કરી રહી છે. ત્યારે સુરતમાં આમ આદમી પાર્ટીમાં મોટુ ભંગાણ થયું છે. પાટિદારોને આકર્ષવા દરેક પાર્ટી પ્રયાસ કરી રહી છે. ચૂંટણી પહેલા PAASના કન્વિયર નીતિન ઘેલાણી ભાજપમાં જોડાયા છે. સી.આર.પાટીલે તમામ લોકોનું સ્વાગત કર્યું હતું.


PAAS કન્વિનર નીતિન ઘેલાણી ભાજપમાં જોડાયા 

ગુજરાતમાં આ વખતે ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે. આમ આદમી પાર્ટી. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર થવાની છે. ત્યારે ચૂંટણી પહેલા દરેક પાર્ટીમાં ભંગાણ જોવા મળી રહ્યું છે. પોતાની પાર્ટીને છોડી બીજી પાર્ટીમાં નેતાઓ જોડાઈ રહ્યા છે. ત્યારે સુરત આમ આદમી પાર્ટીમાં ભંગાણ સર્જાયું છે કારણ કે અલ્પેશ કથીરિયાના પાટીદાર અનામત આંદોલન સમિતિના આગેવાનો ભાજપમાં જોડાયા છે. ઉપરાંત ભાવનગર PAASના કન્વિનર નીતિન ઘેલાણી ભાજપમાં જોડાયા છે. સી.આર.પાટીલે તમામ લોકોનું સ્વાગત કર્યું હતું. 


ભાજપને થઈ શકે છે ફાયદો 

નીતિન ઘેલાણી સાથે 40 જેટલા કાર્યકર્તાઓ પણ ભાજપમાં જોડાઈ ગયા છે. એવું માનવામાં આવી રહ્યું છે કે ચૂંટણી પહેલા તેમનું આગમન થતાં ભાજપને ઘણો ફાયદો થઈ શકે છે. તેમના આવવાથી પાટીદારોનું સમર્થન મળી શકે છે.   




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે