PAAS કન્વિનર નીતિન ઘેલાણીનું સી.આર.પાટીલે ભાજપમાં કર્યું સ્વાગત


  • Published By :
  • Published Date : 2022-11-13 12:48:58

ગુજરાત વિધાનસભા ચૂંટણી પૂર્વે અનેક નેતાઓ પક્ષપલટો કરી રહ્યા છે. અનેક નેતાઓ પોતાની પાર્ટી છોડી બીજી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. ચૂંટણી નજીક આવી રહી છે તે પૂર્વે આમ આદમી પાર્ટીમાં ભંગાણ થઈ ગયું છે. દરેક પાર્ટી પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પૂરજોશમાં પ્રચાર કરી રહી છે. ત્યારે સુરતમાં આમ આદમી પાર્ટીમાં મોટુ ભંગાણ થયું છે. પાટિદારોને આકર્ષવા દરેક પાર્ટી પ્રયાસ કરી રહી છે. ચૂંટણી પહેલા PAASના કન્વિયર નીતિન ઘેલાણી ભાજપમાં જોડાયા છે. સી.આર.પાટીલે તમામ લોકોનું સ્વાગત કર્યું હતું.


PAAS કન્વિનર નીતિન ઘેલાણી ભાજપમાં જોડાયા 

ગુજરાતમાં આ વખતે ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે. આમ આદમી પાર્ટી. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર થવાની છે. ત્યારે ચૂંટણી પહેલા દરેક પાર્ટીમાં ભંગાણ જોવા મળી રહ્યું છે. પોતાની પાર્ટીને છોડી બીજી પાર્ટીમાં નેતાઓ જોડાઈ રહ્યા છે. ત્યારે સુરત આમ આદમી પાર્ટીમાં ભંગાણ સર્જાયું છે કારણ કે અલ્પેશ કથીરિયાના પાટીદાર અનામત આંદોલન સમિતિના આગેવાનો ભાજપમાં જોડાયા છે. ઉપરાંત ભાવનગર PAASના કન્વિનર નીતિન ઘેલાણી ભાજપમાં જોડાયા છે. સી.આર.પાટીલે તમામ લોકોનું સ્વાગત કર્યું હતું. 


ભાજપને થઈ શકે છે ફાયદો 

નીતિન ઘેલાણી સાથે 40 જેટલા કાર્યકર્તાઓ પણ ભાજપમાં જોડાઈ ગયા છે. એવું માનવામાં આવી રહ્યું છે કે ચૂંટણી પહેલા તેમનું આગમન થતાં ભાજપને ઘણો ફાયદો થઈ શકે છે. તેમના આવવાથી પાટીદારોનું સમર્થન મળી શકે છે.   




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.