PAAS કન્વિનર નીતિન ઘેલાણીનું સી.આર.પાટીલે ભાજપમાં કર્યું સ્વાગત


  • Published By :
  • Published Date : 2022-11-13 12:48:58

ગુજરાત વિધાનસભા ચૂંટણી પૂર્વે અનેક નેતાઓ પક્ષપલટો કરી રહ્યા છે. અનેક નેતાઓ પોતાની પાર્ટી છોડી બીજી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. ચૂંટણી નજીક આવી રહી છે તે પૂર્વે આમ આદમી પાર્ટીમાં ભંગાણ થઈ ગયું છે. દરેક પાર્ટી પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પૂરજોશમાં પ્રચાર કરી રહી છે. ત્યારે સુરતમાં આમ આદમી પાર્ટીમાં મોટુ ભંગાણ થયું છે. પાટિદારોને આકર્ષવા દરેક પાર્ટી પ્રયાસ કરી રહી છે. ચૂંટણી પહેલા PAASના કન્વિયર નીતિન ઘેલાણી ભાજપમાં જોડાયા છે. સી.આર.પાટીલે તમામ લોકોનું સ્વાગત કર્યું હતું.


PAAS કન્વિનર નીતિન ઘેલાણી ભાજપમાં જોડાયા 

ગુજરાતમાં આ વખતે ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે. આમ આદમી પાર્ટી. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર થવાની છે. ત્યારે ચૂંટણી પહેલા દરેક પાર્ટીમાં ભંગાણ જોવા મળી રહ્યું છે. પોતાની પાર્ટીને છોડી બીજી પાર્ટીમાં નેતાઓ જોડાઈ રહ્યા છે. ત્યારે સુરત આમ આદમી પાર્ટીમાં ભંગાણ સર્જાયું છે કારણ કે અલ્પેશ કથીરિયાના પાટીદાર અનામત આંદોલન સમિતિના આગેવાનો ભાજપમાં જોડાયા છે. ઉપરાંત ભાવનગર PAASના કન્વિનર નીતિન ઘેલાણી ભાજપમાં જોડાયા છે. સી.આર.પાટીલે તમામ લોકોનું સ્વાગત કર્યું હતું. 


ભાજપને થઈ શકે છે ફાયદો 

નીતિન ઘેલાણી સાથે 40 જેટલા કાર્યકર્તાઓ પણ ભાજપમાં જોડાઈ ગયા છે. એવું માનવામાં આવી રહ્યું છે કે ચૂંટણી પહેલા તેમનું આગમન થતાં ભાજપને ઘણો ફાયદો થઈ શકે છે. તેમના આવવાથી પાટીદારોનું સમર્થન મળી શકે છે.   




રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.