PAAS કન્વિનર નીતિન ઘેલાણીનું સી.આર.પાટીલે ભાજપમાં કર્યું સ્વાગત


  • Published By :
  • Published Date : 2022-11-13 12:48:58

ગુજરાત વિધાનસભા ચૂંટણી પૂર્વે અનેક નેતાઓ પક્ષપલટો કરી રહ્યા છે. અનેક નેતાઓ પોતાની પાર્ટી છોડી બીજી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. ચૂંટણી નજીક આવી રહી છે તે પૂર્વે આમ આદમી પાર્ટીમાં ભંગાણ થઈ ગયું છે. દરેક પાર્ટી પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પૂરજોશમાં પ્રચાર કરી રહી છે. ત્યારે સુરતમાં આમ આદમી પાર્ટીમાં મોટુ ભંગાણ થયું છે. પાટિદારોને આકર્ષવા દરેક પાર્ટી પ્રયાસ કરી રહી છે. ચૂંટણી પહેલા PAASના કન્વિયર નીતિન ઘેલાણી ભાજપમાં જોડાયા છે. સી.આર.પાટીલે તમામ લોકોનું સ્વાગત કર્યું હતું.


PAAS કન્વિનર નીતિન ઘેલાણી ભાજપમાં જોડાયા 

ગુજરાતમાં આ વખતે ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે. આમ આદમી પાર્ટી. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર થવાની છે. ત્યારે ચૂંટણી પહેલા દરેક પાર્ટીમાં ભંગાણ જોવા મળી રહ્યું છે. પોતાની પાર્ટીને છોડી બીજી પાર્ટીમાં નેતાઓ જોડાઈ રહ્યા છે. ત્યારે સુરત આમ આદમી પાર્ટીમાં ભંગાણ સર્જાયું છે કારણ કે અલ્પેશ કથીરિયાના પાટીદાર અનામત આંદોલન સમિતિના આગેવાનો ભાજપમાં જોડાયા છે. ઉપરાંત ભાવનગર PAASના કન્વિનર નીતિન ઘેલાણી ભાજપમાં જોડાયા છે. સી.આર.પાટીલે તમામ લોકોનું સ્વાગત કર્યું હતું. 


ભાજપને થઈ શકે છે ફાયદો 

નીતિન ઘેલાણી સાથે 40 જેટલા કાર્યકર્તાઓ પણ ભાજપમાં જોડાઈ ગયા છે. એવું માનવામાં આવી રહ્યું છે કે ચૂંટણી પહેલા તેમનું આગમન થતાં ભાજપને ઘણો ફાયદો થઈ શકે છે. તેમના આવવાથી પાટીદારોનું સમર્થન મળી શકે છે.   




સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"