પદ્મ એવોર્ડ 2024ની કરાઈ જાહેરાત, ગુજરાતની આ 6 હસ્તીઓને એનાયત કરવામાં આવશે એવોર્ડ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-26 12:03:12

ગુરૂવારે કેન્દ્ર સરકારે એવોર્ડ અંગેના નામની જાહેરાત કરવામાં આવી હતી. કેન્દ્ર સરકાર દ્વારા 110 પદ્મ શ્રી, 5 પદ્મ વિભૂષણ. 17 પદ્મ ભૂષણ પુરસ્કારની જાહેરાત કરી હતી. ગુજરાત માટે આ ગણતંત્ર દિવસ ખાસ રહેવાનો છે કારણકે પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી તેમાં આપણા ગુજરાતીઓના નામ પણ જાહેર થયા છે જેને પદ્મ પુરસ્કાર મળવાના છે 

આટલા મહાનુભાવોને કરાશે સન્માનિત! 

કોને કોને પદ્મ એવોર્ડ મળવાનો છે તેવી વાત કરીએ તો ગુજરાતના જાણીતા ડોક્ટર તેજસ પટેલને પદ્મભૂષણ એવોર્ડ મળવાનો છે. તે ઉપરાંત કુંદન વ્યાસ, મિથુન ચક્રવર્તી, રામ, ઉષા ઉથુપ સહિત 17 મહાનુભાવોને પદ્મભૂષણ એનાયત કરવામાં આવશે. વલસાડના યઝદી ઇટાલિયા, આસામના પાર્વતી બરુઆ, ગુજરાતના હાસ્ય કલાકાર કે જેમણે કરોડો રૂપિયા પોતાના શો દ્વારા પ્રાપ્ત કરીને દાનમાં આપ્યા એવા જગદીશ ત્રિવેદી સહિત 110ને પદ્મશ્રી અને એક્ટ્રેસ વૈજયંતી માલા, વેંકૈયા નાયડુ સહિત 5 હસ્તીઓને પદ્મ વિભૂષણ અવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. 

padma-awards-Announcement 2024-check-full-list-of-padma-shri-padma-bhushan-padma-vibhushan-awardees Padma Awards: ગુજરાતના આ જાણીતા ડોક્ટર સહિત 17 લોકોને આપવામાં આવશે પદ્મ ભૂષણ,ચિરંજીવીને મળશે પદ્મ વિભૂષણ

પીએમ મોદીએ કરી હતી જગદીશ ત્રિવેદીની તારીફ 

2024 માટે પદ્મશ્રી એવોર્ડ એવા લોકોને આપવામાં આવી રહ્યો છે જેઓ અત્યાર સુધી અનામી હતા. જેમનું કામ તો સરસ હતું પણ એ ચર્ચાઑમાં નોહત રેહતા એવા બધા લોકોનો આ વખતે પદ્મ ઍવોર્ડમાં સમાવેશ છે અને આ બધા નામોમાં પણ સૌથી ચર્ચામાં આવેલું નામ એટલે જગદીશ ત્રિવેદી કારણકે હમણાં થોડા દિવસ પહેલા જ પ્રધાનમંત્રી મોદીએ મન કી બાત કાર્યક્રમમાં તેમની તારીફ કરી હતી ગુજરાતના ખ્યાતનામ હાસ્ય કલાકાર જગદીશ ત્રિવેદીને પદ્મશ્રી પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે.


તેજસ પટેલને એનાયત કરાયો પદ્મ ભુષણ એવોર્ડ!

ડૉક્ટર તેજસ પટેલની વાત કરીએ તો ગુજરાત સહિત ભારતના જાણીતા કાર્ડિઓલોજીસ્ટ છે. તેમણે અનેક રાજકીય અને સામાજીક અગ્રણીઓની હૃદયરોગની સારવાર કરી છે. કોરોનાકાળ દરમિયાન ગુજરાત સરકાર દ્વારા રચાયેલી નિષ્ણાંત લોકોની સમિતિમાં તેઓ સામેલ હતા.


કટારલેખક તરીકે જાણીતા છે રઘુવીર ચૌધરી 

રઘુવીર ચૌધરી લેખક નવલકથાકાર, કવિ અને વિવેચક તરીકે સવિશેષ પ્રતિષ્ઠિત છે. તેમણે સંદેશ, જન્મભૂમિ, નિરીક્ષક અને દિવ્ય ભાસ્કર જેવા અસંખ્ય અખબારો માટે કટારલેખક તરીકે પણ કામ કર્યું છે. તેઓ 1998માં તેમની નિવૃત્તિ સુધી ગુજરાત યુનિવર્સિટીમાં શિક્ષક હતા. હવે વાત કરીએ  ડૉ. યઝદી ઇટાલિયાની જેમને સિકલ સેલ એનિમિયા કંટ્રોલ પ્રોગ્રામમાં યોગદાન આપવા બદલ પદ્મશ્રી અવોર્ડ મળ્યો છે. તેમણે ઇન્ડો-યુએસ એનબીએસ પ્રોજેક્ટ હેઠળ ઘણા ICMR સંશોધન પ્રોજેક્ટમાં કામ કર્યું હતું 



પ્રાણીઓની સેવામાં સમર્પિત કર્યું પોતાનું જીવન 

આસામના ગૌરીપુરના રાજવી પરિવાર સાથે જોડાયેલાં પાર્વતી બરુઆને શરૂઆતથી જ પ્રાણીઓ પ્રત્યે વિશેષ પ્રેમ હતો. ખાસ કરીને હાથીઓથી. તેમનો આ પ્રેમ તેમના જીવનનો ધ્યેય બની ગયો અને તેમણે પોતાનું આખું જીવન પ્રાણીઓની સેવામાં સમર્પિત કરવાનું નક્કી કર્યું. તે એશિયન એલિફન્ટ સ્પેશિયાલિસ્ટ ગ્રુપના સભ્ય છે અને આવા તો અનેક સામાજિક અને દેશ માટે સારું કામ કરતાં હોય એવા લોકોના નામ આ લિસ્ટમાં છે .



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.