પદ્મ એવોર્ડ 2024ની કરાઈ જાહેરાત, ગુજરાતની આ 6 હસ્તીઓને એનાયત કરવામાં આવશે એવોર્ડ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-26 12:03:12

ગુરૂવારે કેન્દ્ર સરકારે એવોર્ડ અંગેના નામની જાહેરાત કરવામાં આવી હતી. કેન્દ્ર સરકાર દ્વારા 110 પદ્મ શ્રી, 5 પદ્મ વિભૂષણ. 17 પદ્મ ભૂષણ પુરસ્કારની જાહેરાત કરી હતી. ગુજરાત માટે આ ગણતંત્ર દિવસ ખાસ રહેવાનો છે કારણકે પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી તેમાં આપણા ગુજરાતીઓના નામ પણ જાહેર થયા છે જેને પદ્મ પુરસ્કાર મળવાના છે 

આટલા મહાનુભાવોને કરાશે સન્માનિત! 

કોને કોને પદ્મ એવોર્ડ મળવાનો છે તેવી વાત કરીએ તો ગુજરાતના જાણીતા ડોક્ટર તેજસ પટેલને પદ્મભૂષણ એવોર્ડ મળવાનો છે. તે ઉપરાંત કુંદન વ્યાસ, મિથુન ચક્રવર્તી, રામ, ઉષા ઉથુપ સહિત 17 મહાનુભાવોને પદ્મભૂષણ એનાયત કરવામાં આવશે. વલસાડના યઝદી ઇટાલિયા, આસામના પાર્વતી બરુઆ, ગુજરાતના હાસ્ય કલાકાર કે જેમણે કરોડો રૂપિયા પોતાના શો દ્વારા પ્રાપ્ત કરીને દાનમાં આપ્યા એવા જગદીશ ત્રિવેદી સહિત 110ને પદ્મશ્રી અને એક્ટ્રેસ વૈજયંતી માલા, વેંકૈયા નાયડુ સહિત 5 હસ્તીઓને પદ્મ વિભૂષણ અવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. 

padma-awards-Announcement 2024-check-full-list-of-padma-shri-padma-bhushan-padma-vibhushan-awardees Padma Awards: ગુજરાતના આ જાણીતા ડોક્ટર સહિત 17 લોકોને આપવામાં આવશે પદ્મ ભૂષણ,ચિરંજીવીને મળશે પદ્મ વિભૂષણ

પીએમ મોદીએ કરી હતી જગદીશ ત્રિવેદીની તારીફ 

2024 માટે પદ્મશ્રી એવોર્ડ એવા લોકોને આપવામાં આવી રહ્યો છે જેઓ અત્યાર સુધી અનામી હતા. જેમનું કામ તો સરસ હતું પણ એ ચર્ચાઑમાં નોહત રેહતા એવા બધા લોકોનો આ વખતે પદ્મ ઍવોર્ડમાં સમાવેશ છે અને આ બધા નામોમાં પણ સૌથી ચર્ચામાં આવેલું નામ એટલે જગદીશ ત્રિવેદી કારણકે હમણાં થોડા દિવસ પહેલા જ પ્રધાનમંત્રી મોદીએ મન કી બાત કાર્યક્રમમાં તેમની તારીફ કરી હતી ગુજરાતના ખ્યાતનામ હાસ્ય કલાકાર જગદીશ ત્રિવેદીને પદ્મશ્રી પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે.


તેજસ પટેલને એનાયત કરાયો પદ્મ ભુષણ એવોર્ડ!

ડૉક્ટર તેજસ પટેલની વાત કરીએ તો ગુજરાત સહિત ભારતના જાણીતા કાર્ડિઓલોજીસ્ટ છે. તેમણે અનેક રાજકીય અને સામાજીક અગ્રણીઓની હૃદયરોગની સારવાર કરી છે. કોરોનાકાળ દરમિયાન ગુજરાત સરકાર દ્વારા રચાયેલી નિષ્ણાંત લોકોની સમિતિમાં તેઓ સામેલ હતા.


કટારલેખક તરીકે જાણીતા છે રઘુવીર ચૌધરી 

રઘુવીર ચૌધરી લેખક નવલકથાકાર, કવિ અને વિવેચક તરીકે સવિશેષ પ્રતિષ્ઠિત છે. તેમણે સંદેશ, જન્મભૂમિ, નિરીક્ષક અને દિવ્ય ભાસ્કર જેવા અસંખ્ય અખબારો માટે કટારલેખક તરીકે પણ કામ કર્યું છે. તેઓ 1998માં તેમની નિવૃત્તિ સુધી ગુજરાત યુનિવર્સિટીમાં શિક્ષક હતા. હવે વાત કરીએ  ડૉ. યઝદી ઇટાલિયાની જેમને સિકલ સેલ એનિમિયા કંટ્રોલ પ્રોગ્રામમાં યોગદાન આપવા બદલ પદ્મશ્રી અવોર્ડ મળ્યો છે. તેમણે ઇન્ડો-યુએસ એનબીએસ પ્રોજેક્ટ હેઠળ ઘણા ICMR સંશોધન પ્રોજેક્ટમાં કામ કર્યું હતું 



પ્રાણીઓની સેવામાં સમર્પિત કર્યું પોતાનું જીવન 

આસામના ગૌરીપુરના રાજવી પરિવાર સાથે જોડાયેલાં પાર્વતી બરુઆને શરૂઆતથી જ પ્રાણીઓ પ્રત્યે વિશેષ પ્રેમ હતો. ખાસ કરીને હાથીઓથી. તેમનો આ પ્રેમ તેમના જીવનનો ધ્યેય બની ગયો અને તેમણે પોતાનું આખું જીવન પ્રાણીઓની સેવામાં સમર્પિત કરવાનું નક્કી કર્યું. તે એશિયન એલિફન્ટ સ્પેશિયાલિસ્ટ ગ્રુપના સભ્ય છે અને આવા તો અનેક સામાજિક અને દેશ માટે સારું કામ કરતાં હોય એવા લોકોના નામ આ લિસ્ટમાં છે .



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.