પદ્મ પુરસ્કારોથી 106 લોકો થયા સન્માનિત, એવોર્ડ વિજેતાઓને શું મળે છે સરકારી લાભ?, જાણો


  • Published By :
  • Published Date : 2023-01-26 18:43:24

કેન્દ્ર સરકારે વર્ષ 2023ના પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી છે. આજે પ્રજાસત્તાક દિને કુલ 106 લોકોને પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ, અને પદ્મ શ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમાંથી પણ સાતને મરણોપરાંત આ સન્માન મળ્યું છે. આ પદ્મ પુરસ્કાર જાહેર થયા બાદ સ્વાભાવિક રીતે જ એ સવાલ થાય કે આ પદ્મ પુરસ્કાર વિજેતાઓને શું સરકારી લાભ મળે છે અને એવોર્ડની સાથે શું આપવામાં આવે છે?


દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન


પદ્મ ભુષણ, પદ્મ વિભૂષણ અને પદ્મ શ્રી દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન છે. આ સન્માન દર વર્ષે પોતાના ક્ષેત્રમાં અસાધરણ સિધ્ધી મેળવનારા ભારતીય નાગરિકોને આપવામાં આવે છે. પદ્મશ્રીની શરૂઆત વર્ષ 1954થી થઈ હતી, ત્યાર બાદ 1978, 1979 અને 1993 થી 1997 વચ્ચે ટુંકા વિક્ષેપ બાદ પ્રતિવર્ષ તેની જાહેરાત પ્રજાસત્તાકના દિવસે કરવામાં આવે છે.   



પદ્મ વિભૂષણ - તે અસાધરણ વિશિષ્ટ સેવા માટે આપવામાં આવે છે

પદ્મ ભૂષણ - અત્યંત વિશિષ્ટ સેવા માટે એનાયત

પદ્મશ્રી - વિશિષ્ટ સેવા માટે એનાયત


આ પુરસ્કાર સરકારી કર્મચારીઓને આપવામાં આવતો નથી, પરંતુ તેમને તેમના અંગત કામ માટે પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવી શકે છે.



એવોર્ડ આપવાની પ્રક્રિયા શું છે?


પદ્મ પુરસ્કારોની ભલામણ રાજ્ય સરકાર/કેન્દ્રશાસિત પ્રદેશ પ્રશાસન, કેન્દ્રીય મંત્રાલયો અથવા વિભાગો તેમજ પ્રતિષ્ઠિત સંસ્થાઓ દ્વારા કરવામાં આવે છે. ઉપરાંત તમે આ એવોર્ડ માટે જાતે અરજી કરી શકો છો. આ પછી એક સમિતિ આ નામો પર વિચાર કરશે. એકવાર પુરસ્કાર સમિતિ ભલામણ કરે છે, વડા પ્રધાન, ગૃહ પ્રધાન અને રાષ્ટ્રપતિ તેમની મંજૂરી આપે છે અને પછી પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવે છે.


પુરસ્કાર વિજેતાને શું લાભ મળે છે?


1-પદ્મ પુરસ્કાર માત્ર એક સન્માન છે, પુરસ્કારમાં કોઈ રોકડ ભથ્થું અથવા રેલ/હવાઈ મુસાફરી વગેરેના રૂપમાં કોઈ છૂટ આપવામાં આવતી નથી.


2-આ એવોર્ડ મેળવનારને કોઈ રકમ આપવામાં આવતી નથી.


3-પદ્મ પુરસ્કાર વિજેતાઓને રાષ્ટ્રપતિ ભવનની અંદર જવાની અને રાષ્ટ્રપતિને મળવાની તક મળે છે.


4-પદ્મ પુરસ્કારમાં રાષ્ટ્રપતિ દ્વારા હસ્તાક્ષર કરાયેલ પ્રમાણપત્ર અને મેડલિયન હોય છે. આ સાથે એક પ્રતિકૃતિ પણ ઉપલબ્ધ છે જે તેઓ તેમની ઈચ્છા મુજબ કોઈપણ કાર્ય/રાજ્યના કાર્યો વગેરેમાં પહેરી શકે છે.


5-રાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત


પદ્મ પુરસ્કારોનો ફાયદો એ છે કે તમને સરકાર, મીડિયા અને સામાન્ય લોકો તરફથી વ્યાપક માન્યતા મળે છે. તમે લાઇમલાઇટમાં રહો છો અને લોકો તમારા કામની પ્રશંસા કરે છે જે તમે વર્ષોથી કરી રહ્યા છો.


પદ્મ પુરસ્કારો અંગે શું છે ખોટી માન્યતા?


પદ્મ પુરસ્કારો અંગે ભારતમાં ખોટી માહિતી અને માન્યતા પ્રવર્તે છે. જેમ કે આ પુરસ્કારો સાથે રેલવે / હવાઇ મુસાફરીમાં કોઈપણ રોકડ ભથ્થું અથવા છૂટછાટ વગેરેની સુવિધા મળે છે. અત્રે તે પણ ઉલ્લેખનિય છે કે પદ્મ પુરસ્કારો કોઈ પદવી નથી અને તેથી તેને લેટર હેડ્સ, આમંત્રણ કાર્ડ્સ, પોસ્ટરો, પુસ્તકો વગેરે પર પુરષ્કાર વિજેતાના નામની આગળ પાછળ ઉલ્લેખ કરી શકાય નહીં, જો કોઈ દુરૂપયોગ થાય છે તો પુરસ્કાર એવોર્ડ જપ્ત પણ થઇ શકે છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.