પદ્મ પુરસ્કારોથી 106 લોકો થયા સન્માનિત, એવોર્ડ વિજેતાઓને શું મળે છે સરકારી લાભ?, જાણો


  • Published By :
  • Published Date : 2023-01-26 18:43:24

કેન્દ્ર સરકારે વર્ષ 2023ના પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી છે. આજે પ્રજાસત્તાક દિને કુલ 106 લોકોને પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ, અને પદ્મ શ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમાંથી પણ સાતને મરણોપરાંત આ સન્માન મળ્યું છે. આ પદ્મ પુરસ્કાર જાહેર થયા બાદ સ્વાભાવિક રીતે જ એ સવાલ થાય કે આ પદ્મ પુરસ્કાર વિજેતાઓને શું સરકારી લાભ મળે છે અને એવોર્ડની સાથે શું આપવામાં આવે છે?


દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન


પદ્મ ભુષણ, પદ્મ વિભૂષણ અને પદ્મ શ્રી દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન છે. આ સન્માન દર વર્ષે પોતાના ક્ષેત્રમાં અસાધરણ સિધ્ધી મેળવનારા ભારતીય નાગરિકોને આપવામાં આવે છે. પદ્મશ્રીની શરૂઆત વર્ષ 1954થી થઈ હતી, ત્યાર બાદ 1978, 1979 અને 1993 થી 1997 વચ્ચે ટુંકા વિક્ષેપ બાદ પ્રતિવર્ષ તેની જાહેરાત પ્રજાસત્તાકના દિવસે કરવામાં આવે છે.   



પદ્મ વિભૂષણ - તે અસાધરણ વિશિષ્ટ સેવા માટે આપવામાં આવે છે

પદ્મ ભૂષણ - અત્યંત વિશિષ્ટ સેવા માટે એનાયત

પદ્મશ્રી - વિશિષ્ટ સેવા માટે એનાયત


આ પુરસ્કાર સરકારી કર્મચારીઓને આપવામાં આવતો નથી, પરંતુ તેમને તેમના અંગત કામ માટે પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવી શકે છે.



એવોર્ડ આપવાની પ્રક્રિયા શું છે?


પદ્મ પુરસ્કારોની ભલામણ રાજ્ય સરકાર/કેન્દ્રશાસિત પ્રદેશ પ્રશાસન, કેન્દ્રીય મંત્રાલયો અથવા વિભાગો તેમજ પ્રતિષ્ઠિત સંસ્થાઓ દ્વારા કરવામાં આવે છે. ઉપરાંત તમે આ એવોર્ડ માટે જાતે અરજી કરી શકો છો. આ પછી એક સમિતિ આ નામો પર વિચાર કરશે. એકવાર પુરસ્કાર સમિતિ ભલામણ કરે છે, વડા પ્રધાન, ગૃહ પ્રધાન અને રાષ્ટ્રપતિ તેમની મંજૂરી આપે છે અને પછી પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવે છે.


પુરસ્કાર વિજેતાને શું લાભ મળે છે?


1-પદ્મ પુરસ્કાર માત્ર એક સન્માન છે, પુરસ્કારમાં કોઈ રોકડ ભથ્થું અથવા રેલ/હવાઈ મુસાફરી વગેરેના રૂપમાં કોઈ છૂટ આપવામાં આવતી નથી.


2-આ એવોર્ડ મેળવનારને કોઈ રકમ આપવામાં આવતી નથી.


3-પદ્મ પુરસ્કાર વિજેતાઓને રાષ્ટ્રપતિ ભવનની અંદર જવાની અને રાષ્ટ્રપતિને મળવાની તક મળે છે.


4-પદ્મ પુરસ્કારમાં રાષ્ટ્રપતિ દ્વારા હસ્તાક્ષર કરાયેલ પ્રમાણપત્ર અને મેડલિયન હોય છે. આ સાથે એક પ્રતિકૃતિ પણ ઉપલબ્ધ છે જે તેઓ તેમની ઈચ્છા મુજબ કોઈપણ કાર્ય/રાજ્યના કાર્યો વગેરેમાં પહેરી શકે છે.


5-રાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત


પદ્મ પુરસ્કારોનો ફાયદો એ છે કે તમને સરકાર, મીડિયા અને સામાન્ય લોકો તરફથી વ્યાપક માન્યતા મળે છે. તમે લાઇમલાઇટમાં રહો છો અને લોકો તમારા કામની પ્રશંસા કરે છે જે તમે વર્ષોથી કરી રહ્યા છો.


પદ્મ પુરસ્કારો અંગે શું છે ખોટી માન્યતા?


પદ્મ પુરસ્કારો અંગે ભારતમાં ખોટી માહિતી અને માન્યતા પ્રવર્તે છે. જેમ કે આ પુરસ્કારો સાથે રેલવે / હવાઇ મુસાફરીમાં કોઈપણ રોકડ ભથ્થું અથવા છૂટછાટ વગેરેની સુવિધા મળે છે. અત્રે તે પણ ઉલ્લેખનિય છે કે પદ્મ પુરસ્કારો કોઈ પદવી નથી અને તેથી તેને લેટર હેડ્સ, આમંત્રણ કાર્ડ્સ, પોસ્ટરો, પુસ્તકો વગેરે પર પુરષ્કાર વિજેતાના નામની આગળ પાછળ ઉલ્લેખ કરી શકાય નહીં, જો કોઈ દુરૂપયોગ થાય છે તો પુરસ્કાર એવોર્ડ જપ્ત પણ થઇ શકે છે.



સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.

ગોંડલના અનિરુદ્ધસિંહ જાડેજાને જૂનાગઢ જેલમાંથી સાબરમતી જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. જેનાથી અનેક રાજકીય તર્ક વિતર્ક શરુ થઇ ગયા. અનિરુદ્ધ જાડેજાની EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજા માફી રદ થતા તેઓ જૂનાગઢ જેલમાં બંધ છે. આ પછી અમિત ખૂંટ કેસમાં પણ અનિરુદ્ધસિંહ જાડેજાની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. હવે તેમને સાબરમતી જેલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.

જાન્યુઆરી ૨૦૨૩માં જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાઈ હતી જેમાં , બાયડના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર આકાશ પટેલની ગુજરાત ATS દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આકાશ પટેલ પર ખુબ ગંભીર આક્ષેપો થયા હતા. જોકે થોડાક સમય અગાઉ , આકાશ પટેલને બાયડ યુવા મોરચાના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.આ પછી , વિદ્યાર્થીનેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા આકાશ પટેલની નિમણુંકને લઇને સવાલો ઉઠાવવામાં આવ્યા છે. હવે આકાશ પટેલને બીજેપીએ યુવા મોરચાના પ્રમુખના પદેથી દૂર કરી દીધા છે.