Parshottam Rupalaની ટિકિટ રદ્દ ન થાય ત્યાં સુધી Padminiba Valaએ કર્યો અન્નનો ત્યાગ, સાંભળો નિવેદન આપતા શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-04-03 13:26:28

રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પરશોત્તમ રુપાલા હાલ ક્ષત્રિયોની નારાજગીનો સામનો કરી રહ્યાં છે.... ક્ષત્રિય સમાજ રુપાલા સામે જંગે ચઢ્યો છે અને રાજકોટ બેઠક પરથી રુપાલાની ટિકિટ રદ થાય તેવી ઉગ્ર માંગ કરી રહ્યો છે.. અમદાવાદ ખાતે ક્ષત્રિય સમાજના આગેવાનો તેમજ ભાજપના નેતાઓ વચ્ચે બેઠક થવાની છે. પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે તેવી માગ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહી છે. આ બધા વચ્ચે એવા સમાચાર સામે આવ્યા છે કે  ક્ષત્રિય સમાજના મહિલા અગ્રણી પદ્મિનીબા એ અન્નનો ત્યાગ કર્યો છે. 

વિરોધના વંટોળ વચ્ચે પરષોત્તમ રૂપાલાને મળી મોટી રાહત! 

પરષોત્તમ રૂપાલા સામે શરૂ થયેલો વિરોધ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો.ક્ષત્રિય સમાજમાં ફેલાયેલી રોષની લાગણી યથાવત જોવા મળી રહી છે. ક્ષત્રિય સમાજમાં ફેલાયેલી રોષની વચ્ચે આજે રુપાલા માટે એક રાહતના સમાચાર આવ્યા છે... પરષોત્તમ રુપાલા સામે આચારસંહિતા ભંગની ફરિયાદમાં તેમને ક્લિનચીટ મળી છે.... એક કાર્યક્રમમાં સમાજ સામે નિવેદન બદલ રુપાલા પર ફરિયાદ નોંધાઈ હતી... આ ફરિયાદ બાદ જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા આ મામલે તપાસ શરુ કરવામાં આવી હતો.. જેનો રિપોર્ટ આજે સામે આવ્યો છે... જિલ્લા ચૂંટણી અધિકારીના રિપોર્ટમાં રુપાલાને ક્લિનચીટ મળી છે... તો આ ક્લિનચીટ બાદ હવે રૂપાલા અને તેમના સમર્થકોએ રાહતના શ્વાસ લીધા હશે.... પણ આ ટેન્શન હજુ હળવુ થયું નથી....ઉલટાનું આજનો દિવસ રુપાલા અને ભાજપ બંને માટે ભારે છે...  કેમ કે ક્ષત્રિયાણીઓ જૌહરની વાત કરી રહી છે.. સાથે સાથે રાજકોટમાં તો અન્નનો પણ ત્યાગ કર્યો છે.... 



પદ્મિનીબાએ કર્યો અન્નનો ત્યાગ! 

આજે ક્ષત્રિય સમાજના મહિલા અગ્રણી પદ્મિનીબા એ અન્નનો ત્યાગ કર્યો છે. પદ્મિનીબા વાળા સહિત અન્ય મહિલાઓ આશાપુરા માતાજીના મંદિરે પહોંચી છે. જ્યાં તેમણે અન્નનો ત્યાગ કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો છે..... રાજકોટના આશાપુરા મંદિર ખાતે પદ્મિની બા દ્વારા રૂપાલાના વિરોધમાં અન્નનો ત્યાગ કરવામાં આવતા વિરોધ વધુ તેજ બન્યો છે. બીજી તરફ આજે અમદાવાદમાં ક્ષત્રિય સમાજ દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પદ્મિનીબાને આમંત્રણ આપવામાં આવ્યું નથી. જે અંગે તેઓ જણાવે છે કે, રાજકારણીઓ સૌના રોટલા શેકે છે. અમે જે રસ્તા પર જઇ રહ્યા છે ત્યાં ભટકાવવામાં આવે છે. અમારો નિર્ણય અડિખમ છે, રૂપાલાની ટિકિટ રદ્દ થવી જોઇએ. તેના માટે આજથી અન્નનો ત્યાગ કરું છું. જ્યાં સુધી રૂપાલાની ટિકિટ નહિ રદ્દ થાય ત્યાં સુધી અન્નનો દાણો નહિ લઉં. એવી માહિતી પણ સામે આવી રહી છે કે તેમને આમંત્રણ આપવામાં આવ્યું છે અને તે અમદાવાદ આવવા પણ નીકળી ગયા છે...  



ક્ષત્રાણીઓ જોવા મળ્યા આક્રામક!

પરષોત્તમ રૂપાલાના જે નિવેદન પર વિવાદ ઊભો થયો છે તેમાં અંગ્રેજો સાથે રાજપૂતોના રોટીબેટીના વ્યવહારને લઈને ઉલ્લેખ થયો હતો જેના કારણે ક્ષત્રિય સમાજ ખુબ કાળઝાળ જોવા મળી રહ્યો છે. પહેલીવાર એવું પણ જોવા મળી રહ્યું છે કે કોઈ મુદ્દાને લઈને ક્ષત્રાણીઓ આટલી આક્રમક તેવરમાં જોવા મળી રહી છે. એમા પણ પોલીસ દ્વારા મહિલાઓ સાથે જે વ્યવહાર  કરાયો તેણે તો જાણે આગમાં ઘી હોમવાનું કામ કર્યું છે.... 


નયનાબા જાડેજા પણ આવ્યા વિરોધમાં!

આ મામલે હવે ક્ષત્રિય સમાજના સમર્થનમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજા ના બહેન નયનાબા જાડેજા આગળ આવ્યા છે. નયનાબા જાડેજા અને તેમની ટીમ દ્વારા રાજકોટ શહેરમાં પોસ્ટર લગાવવામાં આવ્યા છે. જેમાં સપોર્ટ ક્ષત્રિય સમાજ લખવામાં આવ્યું છે. સાથે જ 'બોયકોટ રૂપાલા' પણ પોસ્ટર લખેલું છે. નયનાબા જાડેજાએ રાત્રિ દરમિયાન બસપોર્ટ સહિતના વિસ્તારમાં પોસ્ટર લગાવતા રાજકોટ શહેરનું રાજકારણ ગરમાયું છે.. ત્યારે સૌ કોઈની નજર આજે અમદાવાદ ખાતે મળનારી બેઠક પર રહેલી છે... 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.