પાકિસ્તાનમાં મોટા હુમલાની આશંકા, અમેરિકા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા બાદ હવે સાઉદી અરેબિયાએ આપી ચેતવણી


  • Published By :
  • Published Date : 2022-12-27 13:21:14

પાકિસ્તાન મોંઘવારી, બેરોજગારી, ભયાનક ગરીબી તથા રાજકીય અસ્થિરતા સહિતની સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે. હવે લિશ્લના અન્ય દેશોએ તેમના નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરીને પાકિસ્તાનનો પ્રવાસ ટાળવાની સલાહ આપી છે. અમેરિકા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા પછી હવે સાઉદી અરેબિયાએ પણ તેના નાગરિકોને સ્પષ્ટ સુચના આપી છે.


શા માટે પાકિસ્તાનને લઈ હાઈ એલર્ટ?


પાકિસ્તાન સ્થિત અમેરિકાના દુતાવાસે પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદના મેરિયેટ હોટેલમાં અમેરિકાના નાગરિકો સામે આતંકી હુમલાની આશંકા વ્યક્ત  કરી છે. અમેરિકાએ તેના નાગરિકોને પાકિસ્તાનની ફાઈવ સ્ટાર હોટેલમાં પ્રવેશ કરવાની મનાઈ ફરમાવી છે. અમેરિકાએ તેના નાગરિકોને રજાઓ દરમિયાન ઈસ્લામાબાદમાં બિનજરૂરી યાત્રા ટાળવાની નાગરિકોને સલાહ આપી છે. તે ઉપરાંત બ્રિટને પણ તેના નાગરિકોને ખૈબર પખ્તુનખ્વાના બજુઆર, મોહંમદ ખૈબર, ઓરકઝઈ, કુર્રમ, ઉત્તરી વઝીરિસ્તાન, અને દક્ષિણ વઝીરિસ્તાન જિલ્લામાં નહીં જવાની સલાહ આપી છે. 



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.