પાકિસ્તાનમાં મોટા હુમલાની આશંકા, અમેરિકા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા બાદ હવે સાઉદી અરેબિયાએ આપી ચેતવણી


  • Published By :
  • Published Date : 2022-12-27 13:21:14

પાકિસ્તાન મોંઘવારી, બેરોજગારી, ભયાનક ગરીબી તથા રાજકીય અસ્થિરતા સહિતની સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે. હવે લિશ્લના અન્ય દેશોએ તેમના નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરીને પાકિસ્તાનનો પ્રવાસ ટાળવાની સલાહ આપી છે. અમેરિકા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા પછી હવે સાઉદી અરેબિયાએ પણ તેના નાગરિકોને સ્પષ્ટ સુચના આપી છે.


શા માટે પાકિસ્તાનને લઈ હાઈ એલર્ટ?


પાકિસ્તાન સ્થિત અમેરિકાના દુતાવાસે પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદના મેરિયેટ હોટેલમાં અમેરિકાના નાગરિકો સામે આતંકી હુમલાની આશંકા વ્યક્ત  કરી છે. અમેરિકાએ તેના નાગરિકોને પાકિસ્તાનની ફાઈવ સ્ટાર હોટેલમાં પ્રવેશ કરવાની મનાઈ ફરમાવી છે. અમેરિકાએ તેના નાગરિકોને રજાઓ દરમિયાન ઈસ્લામાબાદમાં બિનજરૂરી યાત્રા ટાળવાની નાગરિકોને સલાહ આપી છે. તે ઉપરાંત બ્રિટને પણ તેના નાગરિકોને ખૈબર પખ્તુનખ્વાના બજુઆર, મોહંમદ ખૈબર, ઓરકઝઈ, કુર્રમ, ઉત્તરી વઝીરિસ્તાન, અને દક્ષિણ વઝીરિસ્તાન જિલ્લામાં નહીં જવાની સલાહ આપી છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે