Pakistan Blasts: પાકિસ્તાનમાં ચૂંટણી પહેલા પ્રચંડ વિસ્ફોટ, 26 લોકોના મોત અને 40થી વધુ લોકો ઘાયલ


  • Published By :
  • Published Date : 2024-02-07 17:35:58

પાડોશી દેશ પાકિસ્તાનમાં ગુરૂવારે સામાન્ય ચૂંટણી યોજાવાની છે ત્યારે બોંબ વિસ્ફોટો પણ વધી રહ્યા છે. બલુચિસ્તાનના પિશિનમાં એક સ્વતંત્ર ઉમેદવારના પાર્ટી કાર્યાલયની બહાર થયો હતો જેમાં 26 લોકોના મોત અને 40થી વધુ લોકો ઘાયલ થયા છે. આ વિસ્ફોટ પિશિનના ખાનોઝાઈ વિસ્તારમાં સ્વતંત્ર ઉમેદવાર અસફંદયાર ખાન કાકરના ચૂંટણી કાર્યાલયની બહાર થયો છે. કાકર 8 ફેબ્રુઆરીએ થનારી ચૂંટણીમાં  NA-265 ચૂંટણી વિસ્તાર અને બલૂચિસ્તાન વિધાનસભા ચૂંટણી વિસ્તાર PB-47 અને PB-48થી ચૂંટણી લડી રહ્યા છે.    


પશીન જિલ્લામાં થયો વિસ્ફોટ


બલુચિસ્તાનની પ્રાંતીય સરકારના પ્રવક્તા જાન અચકઝઈએ કહ્યું પહેલો હુમલો બલૂચિસ્તાન પ્રાંત પશીન જિલ્લામાં થયો હતો. જેમાં ઓછામાં ઓછા 14 લોકોના મોત થયા હતા. વિસ્ફોટમાં ઘાયલ થયેલા લોકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે કહ્યું કે તેમાંથી કેટલાકની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે.બાદમાં બલૂચિસ્તાનના જ કિલા સૈફુલ્લાહ શહેરમાં રાજનેતા ફઝલુર રહેમાનની જમીયત ઉલેમા ઈસ્લામ પાર્ટીના ચૂંટણી કાર્યાલય પર એક બોંબ વિસ્ફોટ થયો જેમાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા હતા. 


કોઈ આતંકી સંગઠને નથી લીધી જવાબદારી


પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણી યોજાવાના એક દિવસ પહેલા જ થયેલા આ વિસ્ફોટની કોઈએ જવાબદારી લીધી નથી. કાર્યવાહક સરકારના આંતરિક બાબતોના મંત્રી ગૌહર ઈજાજે બોંબ વિસ્ફોટોની નિંદા કરી છે. દેશમાં ખાસ કરીને બલૂચિસ્તાનમાં આતંકવાદી હુમલાઓ વધ્યા છે. બલોચ રાષ્ટ્રવાદીઓ દ્વારા સ્વતંત્રતા માટે વિદ્રોહ શરૂ કરવામાં આવ્યો છે. તે ઉપરાંત તાલિબાન અને અન્ય આતંકવાદી જુથોની પણ પ્રાંતમાં મજબુત હાજરી છે.   



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.