Pakistan Blasts: પાકિસ્તાનમાં ચૂંટણી પહેલા પ્રચંડ વિસ્ફોટ, 26 લોકોના મોત અને 40થી વધુ લોકો ઘાયલ


  • Published By :
  • Published Date : 2024-02-07 17:35:58

પાડોશી દેશ પાકિસ્તાનમાં ગુરૂવારે સામાન્ય ચૂંટણી યોજાવાની છે ત્યારે બોંબ વિસ્ફોટો પણ વધી રહ્યા છે. બલુચિસ્તાનના પિશિનમાં એક સ્વતંત્ર ઉમેદવારના પાર્ટી કાર્યાલયની બહાર થયો હતો જેમાં 26 લોકોના મોત અને 40થી વધુ લોકો ઘાયલ થયા છે. આ વિસ્ફોટ પિશિનના ખાનોઝાઈ વિસ્તારમાં સ્વતંત્ર ઉમેદવાર અસફંદયાર ખાન કાકરના ચૂંટણી કાર્યાલયની બહાર થયો છે. કાકર 8 ફેબ્રુઆરીએ થનારી ચૂંટણીમાં  NA-265 ચૂંટણી વિસ્તાર અને બલૂચિસ્તાન વિધાનસભા ચૂંટણી વિસ્તાર PB-47 અને PB-48થી ચૂંટણી લડી રહ્યા છે.    


પશીન જિલ્લામાં થયો વિસ્ફોટ


બલુચિસ્તાનની પ્રાંતીય સરકારના પ્રવક્તા જાન અચકઝઈએ કહ્યું પહેલો હુમલો બલૂચિસ્તાન પ્રાંત પશીન જિલ્લામાં થયો હતો. જેમાં ઓછામાં ઓછા 14 લોકોના મોત થયા હતા. વિસ્ફોટમાં ઘાયલ થયેલા લોકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે કહ્યું કે તેમાંથી કેટલાકની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે.બાદમાં બલૂચિસ્તાનના જ કિલા સૈફુલ્લાહ શહેરમાં રાજનેતા ફઝલુર રહેમાનની જમીયત ઉલેમા ઈસ્લામ પાર્ટીના ચૂંટણી કાર્યાલય પર એક બોંબ વિસ્ફોટ થયો જેમાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા હતા. 


કોઈ આતંકી સંગઠને નથી લીધી જવાબદારી


પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણી યોજાવાના એક દિવસ પહેલા જ થયેલા આ વિસ્ફોટની કોઈએ જવાબદારી લીધી નથી. કાર્યવાહક સરકારના આંતરિક બાબતોના મંત્રી ગૌહર ઈજાજે બોંબ વિસ્ફોટોની નિંદા કરી છે. દેશમાં ખાસ કરીને બલૂચિસ્તાનમાં આતંકવાદી હુમલાઓ વધ્યા છે. બલોચ રાષ્ટ્રવાદીઓ દ્વારા સ્વતંત્રતા માટે વિદ્રોહ શરૂ કરવામાં આવ્યો છે. તે ઉપરાંત તાલિબાન અને અન્ય આતંકવાદી જુથોની પણ પ્રાંતમાં મજબુત હાજરી છે.   



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.