Pakistan Blasts: પાકિસ્તાનમાં ચૂંટણી પહેલા પ્રચંડ વિસ્ફોટ, 26 લોકોના મોત અને 40થી વધુ લોકો ઘાયલ


  • Published By :
  • Published Date : 2024-02-07 17:35:58

પાડોશી દેશ પાકિસ્તાનમાં ગુરૂવારે સામાન્ય ચૂંટણી યોજાવાની છે ત્યારે બોંબ વિસ્ફોટો પણ વધી રહ્યા છે. બલુચિસ્તાનના પિશિનમાં એક સ્વતંત્ર ઉમેદવારના પાર્ટી કાર્યાલયની બહાર થયો હતો જેમાં 26 લોકોના મોત અને 40થી વધુ લોકો ઘાયલ થયા છે. આ વિસ્ફોટ પિશિનના ખાનોઝાઈ વિસ્તારમાં સ્વતંત્ર ઉમેદવાર અસફંદયાર ખાન કાકરના ચૂંટણી કાર્યાલયની બહાર થયો છે. કાકર 8 ફેબ્રુઆરીએ થનારી ચૂંટણીમાં  NA-265 ચૂંટણી વિસ્તાર અને બલૂચિસ્તાન વિધાનસભા ચૂંટણી વિસ્તાર PB-47 અને PB-48થી ચૂંટણી લડી રહ્યા છે.    


પશીન જિલ્લામાં થયો વિસ્ફોટ


બલુચિસ્તાનની પ્રાંતીય સરકારના પ્રવક્તા જાન અચકઝઈએ કહ્યું પહેલો હુમલો બલૂચિસ્તાન પ્રાંત પશીન જિલ્લામાં થયો હતો. જેમાં ઓછામાં ઓછા 14 લોકોના મોત થયા હતા. વિસ્ફોટમાં ઘાયલ થયેલા લોકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે કહ્યું કે તેમાંથી કેટલાકની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે.બાદમાં બલૂચિસ્તાનના જ કિલા સૈફુલ્લાહ શહેરમાં રાજનેતા ફઝલુર રહેમાનની જમીયત ઉલેમા ઈસ્લામ પાર્ટીના ચૂંટણી કાર્યાલય પર એક બોંબ વિસ્ફોટ થયો જેમાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા હતા. 


કોઈ આતંકી સંગઠને નથી લીધી જવાબદારી


પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણી યોજાવાના એક દિવસ પહેલા જ થયેલા આ વિસ્ફોટની કોઈએ જવાબદારી લીધી નથી. કાર્યવાહક સરકારના આંતરિક બાબતોના મંત્રી ગૌહર ઈજાજે બોંબ વિસ્ફોટોની નિંદા કરી છે. દેશમાં ખાસ કરીને બલૂચિસ્તાનમાં આતંકવાદી હુમલાઓ વધ્યા છે. બલોચ રાષ્ટ્રવાદીઓ દ્વારા સ્વતંત્રતા માટે વિદ્રોહ શરૂ કરવામાં આવ્યો છે. તે ઉપરાંત તાલિબાન અને અન્ય આતંકવાદી જુથોની પણ પ્રાંતમાં મજબુત હાજરી છે.   



વધારે વરસાદ પડવાથી સામાન્ય માણસને વધારે ફરક નથી પડતો પરંતુ જગતના તાતની ચિંતા વધી જાય છે જ્યારે વરસાદ જરૂરિયાત કરતા વધારે વરસે અથવા તો ખેતરમાં પાણી ભરાઈ જાય તો.. સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદે તબાહી સર્જી છે. અનેક ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે..

આજે ખાડાઓની વાત એટલા માટે કરવી છે કારણ કે સોશિયલ મીડિયા પર એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દારૂ તેમજ ચવાણામાં વેચાઈ જતા મતદારો પર કટાક્ષ કરવામાં આવ્યો છે.

અલગ અલગ રાજ્યોમાંથી મકાનો, બિલ્ડીંગ ધરાશાઈ થવાના સમાચારો સામે આવતા રહે છે.. બિલ્ડીંગ ધરાશાઈ થવાને કારણે અનેક લોકો મોતને ભેટતા હોય છે, ઘાયલ થતા હોય છે. ત્યારે મહારાષ્ટ્રના મુંબઈમાં ત્રણ માળની ઈમારત ધરાશાઈ થઈ ગઈ છે..

ભરૂચથી પણ અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં શહેરોમાં જાણે નદી વહેતી હોય તેવું લાગે. વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને લઈ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ પર પ્રહાર કર્યા છે.