હવે પાકિસ્તાનના લોકો પર રૂ.300 અબજનો 'ટેક્સ બોંબ' ઝિંકાશે, IMFએ પણ આપ્યો ઝટકો


  • Published By :
  • Published Date : 2023-01-26 15:50:51

પાકિસ્તાન આર્થિક નાદારીની સ્થિતીએ પહોંચી ગયું છે. પાકિસ્તાનના ફેડરલ બોર્ડ ઓફ રેવન્યુએ લગભગ 300 બિલિયન રૂપિયાના નવા ટેક્સ ઉપાયોનો મુસદ્દો તૈયાર કર્યો છે. આ ઉપાયો પર કાનુન સંશોધન વટહુકમ 2023 હેઠળ લાગુ કરવામાં આવશે. સુત્રોને ટાંકીને બિઝનેશ રેકોર્ડરે બુધવારે જણાવ્યું કે વટહુકમ આગામી 7થી 10 દિવસોમાં રજુ કરવામાં આવશે. શરૂઆતમાં ટેક્સથી થનારી આવક 200 અબજ રૂપિયા હતી જેને હવે વધારીને 300 અબજ રૂપિયા કરી દેવામાં આવી છે. શાહબાઝ સરકારે જનતા પર ટેક્સનું ભારણ એવા સમયે નાખવામાં આવી રહ્યો છે., જ્યારે પ્રજા પહેલાથી જ કાળઝાળ મોંઘવારીના બોજ નીચે દટાયા છે.  


ટેક્સ ભારણ વધશે


સરકાર અનેક ચીજો પર ટેક્સ વધારવા અંગે વિચાર કરી રહી છે. આગામી સમયમાં પાકિસ્તાનના લોકોને પ્રોપર્ટી ખરીદવા- વેચવા, નિકાસ થનારી ચીજોના નિર્માણમાં વપરાતા કાચા માલની આયાત પર, સિગરેટ, કોલા પર અને બેંકિંગ ટ્રાન્ઝેક્સન પર વધારાનો ટેક્સ આપવો પડશે. પ્રસ્તાવો પર એફબીઆર અને નાણા મંત્રાલય વચ્ચે ચર્ચા ચાલી રહી છે. પરંતું હજુ સુધી તેને અંતિમ ઓપ આપવામાં આવ્યો નથી. 


IMFએ પાકિસ્તાનને આપ્યો ઝટકો


પાકિસ્તાનને આર્થિક કંગાળીના તોફાનમાંથી માત્ર IMFની લોન જ બહાર કાઢી શકે છે. પરંતું હવે IMFએ પણ હાથ ઉંચા કરી દીધા છે. લેટેસ્ટ સમાચાર એ છે કે IMFએ લોન રિવ્યુ માટે પોતાની ટીમને પાકિસ્તાન મોકલવાથી ઈન્કાર કરી દીધો છે. વર્તમાન સમયમાં આ પાકિસ્તાન માટે સૌથી ખરાબ સમય છે. IMFએ પાકિસ્તાની નાણા મંત્રાલયને કહ્યું છે કે જ્યાં સુધી તેમનો દેશ સંસ્થાની શરતોને પુરો કરતો નથી ત્યાં સુધી રિવ્યુ ટીમ મોકલવામાં આવશે નહીં. 



અમરેલીની જનતાનો મિજાજ જાણવા માટે અમરેલી લોકસભા બેઠક પહોંચી હતી.. અલગ અલગ મુદ્દાઓ પર અમરેલીની જનતાને સવાલ પૂછવામાં આવ્યો હતો.

અમદાવાદના બોપલ વિસ્તારમાં 80 કરોડના ખર્ચે એએમસી અને AUDA દ્વારા એક બ્રિજ બનાવવામાં આવ્યો જેનું કામ 80 ટકા જેટલું પૂર્ણ પણ થઈ ગયું. તે બાદ ખબર ઇજનેરો અને અધિકારીઓને ખબર પડી કે જ્યાં તેઓ બ્રિજ બનાવી રહ્યા છે ત્યાં તો કોઈ રોડ જ નથી. એટલે કે બ્રિજના બીજા છેડે રસ્તો જ નથી અને બ્રિજ ઉતરતાની સાથે જ ઊંચી દીવાલ આવી જાય છે.

પરષોત્તમ રૂપાલાના નિવેદનનો ક્ષત્રિય સમાજ વિરોધ કરી રહ્યો છે. ઠેર ઠેર વિરોધ પ્રદર્શનના દ્રશ્યો સામે આવ્યા છે. ત્યારે થોડા દિવસ પહેલા ક્ષત્રિય સમાજ દ્વારા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે શંકરસિંહ વાઘેલાએ નિવેદન આપ્યું હતું.

ભરૂચ લોકસભા બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત આપના નેતા ચૈતર વસાવાને ઉતારવામાં આવ્યા છે. પ્રચારનો ધમધમાટ ચાલી રહ્યો છે અને આ બધા વચ્ચે અહમદ પટેલની દીકરી મુમતાઝ પટેલનું નિવેદન સામે આવ્યું છે.