હવે પાકિસ્તાનના લોકો પર રૂ.300 અબજનો 'ટેક્સ બોંબ' ઝિંકાશે, IMFએ પણ આપ્યો ઝટકો


  • Published By :
  • Published Date : 2023-01-26 15:50:51

પાકિસ્તાન આર્થિક નાદારીની સ્થિતીએ પહોંચી ગયું છે. પાકિસ્તાનના ફેડરલ બોર્ડ ઓફ રેવન્યુએ લગભગ 300 બિલિયન રૂપિયાના નવા ટેક્સ ઉપાયોનો મુસદ્દો તૈયાર કર્યો છે. આ ઉપાયો પર કાનુન સંશોધન વટહુકમ 2023 હેઠળ લાગુ કરવામાં આવશે. સુત્રોને ટાંકીને બિઝનેશ રેકોર્ડરે બુધવારે જણાવ્યું કે વટહુકમ આગામી 7થી 10 દિવસોમાં રજુ કરવામાં આવશે. શરૂઆતમાં ટેક્સથી થનારી આવક 200 અબજ રૂપિયા હતી જેને હવે વધારીને 300 અબજ રૂપિયા કરી દેવામાં આવી છે. શાહબાઝ સરકારે જનતા પર ટેક્સનું ભારણ એવા સમયે નાખવામાં આવી રહ્યો છે., જ્યારે પ્રજા પહેલાથી જ કાળઝાળ મોંઘવારીના બોજ નીચે દટાયા છે.  


ટેક્સ ભારણ વધશે


સરકાર અનેક ચીજો પર ટેક્સ વધારવા અંગે વિચાર કરી રહી છે. આગામી સમયમાં પાકિસ્તાનના લોકોને પ્રોપર્ટી ખરીદવા- વેચવા, નિકાસ થનારી ચીજોના નિર્માણમાં વપરાતા કાચા માલની આયાત પર, સિગરેટ, કોલા પર અને બેંકિંગ ટ્રાન્ઝેક્સન પર વધારાનો ટેક્સ આપવો પડશે. પ્રસ્તાવો પર એફબીઆર અને નાણા મંત્રાલય વચ્ચે ચર્ચા ચાલી રહી છે. પરંતું હજુ સુધી તેને અંતિમ ઓપ આપવામાં આવ્યો નથી. 


IMFએ પાકિસ્તાનને આપ્યો ઝટકો


પાકિસ્તાનને આર્થિક કંગાળીના તોફાનમાંથી માત્ર IMFની લોન જ બહાર કાઢી શકે છે. પરંતું હવે IMFએ પણ હાથ ઉંચા કરી દીધા છે. લેટેસ્ટ સમાચાર એ છે કે IMFએ લોન રિવ્યુ માટે પોતાની ટીમને પાકિસ્તાન મોકલવાથી ઈન્કાર કરી દીધો છે. વર્તમાન સમયમાં આ પાકિસ્તાન માટે સૌથી ખરાબ સમય છે. IMFએ પાકિસ્તાની નાણા મંત્રાલયને કહ્યું છે કે જ્યાં સુધી તેમનો દેશ સંસ્થાની શરતોને પુરો કરતો નથી ત્યાં સુધી રિવ્યુ ટીમ મોકલવામાં આવશે નહીં. 



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .