હવે પાકિસ્તાનના લોકો પર રૂ.300 અબજનો 'ટેક્સ બોંબ' ઝિંકાશે, IMFએ પણ આપ્યો ઝટકો


  • Published By :
  • Published Date : 2023-01-26 15:50:51

પાકિસ્તાન આર્થિક નાદારીની સ્થિતીએ પહોંચી ગયું છે. પાકિસ્તાનના ફેડરલ બોર્ડ ઓફ રેવન્યુએ લગભગ 300 બિલિયન રૂપિયાના નવા ટેક્સ ઉપાયોનો મુસદ્દો તૈયાર કર્યો છે. આ ઉપાયો પર કાનુન સંશોધન વટહુકમ 2023 હેઠળ લાગુ કરવામાં આવશે. સુત્રોને ટાંકીને બિઝનેશ રેકોર્ડરે બુધવારે જણાવ્યું કે વટહુકમ આગામી 7થી 10 દિવસોમાં રજુ કરવામાં આવશે. શરૂઆતમાં ટેક્સથી થનારી આવક 200 અબજ રૂપિયા હતી જેને હવે વધારીને 300 અબજ રૂપિયા કરી દેવામાં આવી છે. શાહબાઝ સરકારે જનતા પર ટેક્સનું ભારણ એવા સમયે નાખવામાં આવી રહ્યો છે., જ્યારે પ્રજા પહેલાથી જ કાળઝાળ મોંઘવારીના બોજ નીચે દટાયા છે.  


ટેક્સ ભારણ વધશે


સરકાર અનેક ચીજો પર ટેક્સ વધારવા અંગે વિચાર કરી રહી છે. આગામી સમયમાં પાકિસ્તાનના લોકોને પ્રોપર્ટી ખરીદવા- વેચવા, નિકાસ થનારી ચીજોના નિર્માણમાં વપરાતા કાચા માલની આયાત પર, સિગરેટ, કોલા પર અને બેંકિંગ ટ્રાન્ઝેક્સન પર વધારાનો ટેક્સ આપવો પડશે. પ્રસ્તાવો પર એફબીઆર અને નાણા મંત્રાલય વચ્ચે ચર્ચા ચાલી રહી છે. પરંતું હજુ સુધી તેને અંતિમ ઓપ આપવામાં આવ્યો નથી. 


IMFએ પાકિસ્તાનને આપ્યો ઝટકો


પાકિસ્તાનને આર્થિક કંગાળીના તોફાનમાંથી માત્ર IMFની લોન જ બહાર કાઢી શકે છે. પરંતું હવે IMFએ પણ હાથ ઉંચા કરી દીધા છે. લેટેસ્ટ સમાચાર એ છે કે IMFએ લોન રિવ્યુ માટે પોતાની ટીમને પાકિસ્તાન મોકલવાથી ઈન્કાર કરી દીધો છે. વર્તમાન સમયમાં આ પાકિસ્તાન માટે સૌથી ખરાબ સમય છે. IMFએ પાકિસ્તાની નાણા મંત્રાલયને કહ્યું છે કે જ્યાં સુધી તેમનો દેશ સંસ્થાની શરતોને પુરો કરતો નથી ત્યાં સુધી રિવ્યુ ટીમ મોકલવામાં આવશે નહીં. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.