હવે પાકિસ્તાનના લોકો પર રૂ.300 અબજનો 'ટેક્સ બોંબ' ઝિંકાશે, IMFએ પણ આપ્યો ઝટકો


  • Published By :
  • Published Date : 2023-01-26 15:50:51

પાકિસ્તાન આર્થિક નાદારીની સ્થિતીએ પહોંચી ગયું છે. પાકિસ્તાનના ફેડરલ બોર્ડ ઓફ રેવન્યુએ લગભગ 300 બિલિયન રૂપિયાના નવા ટેક્સ ઉપાયોનો મુસદ્દો તૈયાર કર્યો છે. આ ઉપાયો પર કાનુન સંશોધન વટહુકમ 2023 હેઠળ લાગુ કરવામાં આવશે. સુત્રોને ટાંકીને બિઝનેશ રેકોર્ડરે બુધવારે જણાવ્યું કે વટહુકમ આગામી 7થી 10 દિવસોમાં રજુ કરવામાં આવશે. શરૂઆતમાં ટેક્સથી થનારી આવક 200 અબજ રૂપિયા હતી જેને હવે વધારીને 300 અબજ રૂપિયા કરી દેવામાં આવી છે. શાહબાઝ સરકારે જનતા પર ટેક્સનું ભારણ એવા સમયે નાખવામાં આવી રહ્યો છે., જ્યારે પ્રજા પહેલાથી જ કાળઝાળ મોંઘવારીના બોજ નીચે દટાયા છે.  


ટેક્સ ભારણ વધશે


સરકાર અનેક ચીજો પર ટેક્સ વધારવા અંગે વિચાર કરી રહી છે. આગામી સમયમાં પાકિસ્તાનના લોકોને પ્રોપર્ટી ખરીદવા- વેચવા, નિકાસ થનારી ચીજોના નિર્માણમાં વપરાતા કાચા માલની આયાત પર, સિગરેટ, કોલા પર અને બેંકિંગ ટ્રાન્ઝેક્સન પર વધારાનો ટેક્સ આપવો પડશે. પ્રસ્તાવો પર એફબીઆર અને નાણા મંત્રાલય વચ્ચે ચર્ચા ચાલી રહી છે. પરંતું હજુ સુધી તેને અંતિમ ઓપ આપવામાં આવ્યો નથી. 


IMFએ પાકિસ્તાનને આપ્યો ઝટકો


પાકિસ્તાનને આર્થિક કંગાળીના તોફાનમાંથી માત્ર IMFની લોન જ બહાર કાઢી શકે છે. પરંતું હવે IMFએ પણ હાથ ઉંચા કરી દીધા છે. લેટેસ્ટ સમાચાર એ છે કે IMFએ લોન રિવ્યુ માટે પોતાની ટીમને પાકિસ્તાન મોકલવાથી ઈન્કાર કરી દીધો છે. વર્તમાન સમયમાં આ પાકિસ્તાન માટે સૌથી ખરાબ સમય છે. IMFએ પાકિસ્તાની નાણા મંત્રાલયને કહ્યું છે કે જ્યાં સુધી તેમનો દેશ સંસ્થાની શરતોને પુરો કરતો નથી ત્યાં સુધી રિવ્યુ ટીમ મોકલવામાં આવશે નહીં. 



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.