Pakistan Election: 42 અબજ રૂપિયા ખર્ચ... કોઈ પણ જીતે? આ ચૂંટણીથી પાકિસ્તાન થઈ જશે બરબાદ


  • Published By :
  • Published Date : 2024-02-09 14:36:53

પાકિસ્તાનની હાલત પહેલાથી જ ખરાબ ચાલી રહી છે ત્યારે દેશમાં યોજાયેલી સામાન્ય ચૂંટણી (General Election in Pakistan) ના ભારે ભરખમ ખર્ચે દેશના અર્થતંત્ર (Pakistan Economy)ની કમર તોડી નાખી છે. પાકિસ્તાન ઈલેક્શન કમિશન (Pakistan Election Commission)ના આંકડા મુજબ સામાન્ય ચૂંટણી 2024 અત્યાર સુધીની સૌથી મોંઘી ચૂંટણી છે. આ ચૂંટણીમાં 42 અબજ રૂપિયા જેટલો ખર્ચ થવાનું પાકિસ્તાન ચૂંટણી પંચનું અનુમાન છે. જે ગત સામાન્ય ચૂંટણીથી 26 ટકા વધુ છે. જો સુરક્ષા અને અન્ય વ્યવસ્થાઓના ખર્ચને ઉમેરવામાં આવે તો કુલ ખર્ચનું અનુમાન 49 અરબ રૂપિયા સુધી પહોંચી શકે છે. 


અનુમાનથી વધુ ખર્ચ


પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણી (Election in Pakistan) 8મી ફેબ્રુઆરીથી શરૂ થઈ હતી અને આજે તેના પરિણામો આવી રહ્યા છે. સામાન્ય ચૂંટણીઓ માટે પ્રારંભિક બજેટ 42 અબજ રૂપિયા રાખવામાં આવ્યું હતું, જેને તે વર્ષ 2018ની ચૂંટણી કરતાં 26 ટકા વધુ મોંઘું હોવાની સાથે-સાથે પાકિસ્તાનના ઇતિહાસમાં સૌથી મોંઘું બનાવે છે. ચૂંટણીના બજેટમાં સૌથી વધુ ખર્ચ બેલેટ પેપર છાપવા, સુરક્ષા માટે એજન્સીઓની તૈનાતી અને મતદાન સ્ટાફના પેમેન્ટ પાછળ ખર્ચવામાં આવ્યો છે.


પાકિસ્તાન પર કેટલું દેવું છે?


પાકિસ્તાનમાં ચૂંટણી પર જેટલું ખર્ચ કરવામાં આવી રહ્યું છે જેનાથી વધુ તો દેવું છે. પાકિસ્તાનમાં IMF પાસેથી જ 3 બિલિયન ડૉલરની લોન માંગી છે, જેમાંથી તેને 1.9 બિલિયન ડૉલર મળી ચુક્યા છે અને 1.2 બિલિયન ડૉલર બાકી છે. સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાનના જણાવ્યા અનુસાર, 30 જૂન, 2023 સુધી પાકિસ્તાનનું દેવું અને જવાબદારીઓ 56.21 ટ્રિલિયન રૂપિયા હતી, ત્યારબાદ IMFએ 70 કરોડ ડોલરની લોન આપી છે.



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.