Pakistan Election: 42 અબજ રૂપિયા ખર્ચ... કોઈ પણ જીતે? આ ચૂંટણીથી પાકિસ્તાન થઈ જશે બરબાદ


  • Published By :
  • Published Date : 2024-02-09 14:36:53

પાકિસ્તાનની હાલત પહેલાથી જ ખરાબ ચાલી રહી છે ત્યારે દેશમાં યોજાયેલી સામાન્ય ચૂંટણી (General Election in Pakistan) ના ભારે ભરખમ ખર્ચે દેશના અર્થતંત્ર (Pakistan Economy)ની કમર તોડી નાખી છે. પાકિસ્તાન ઈલેક્શન કમિશન (Pakistan Election Commission)ના આંકડા મુજબ સામાન્ય ચૂંટણી 2024 અત્યાર સુધીની સૌથી મોંઘી ચૂંટણી છે. આ ચૂંટણીમાં 42 અબજ રૂપિયા જેટલો ખર્ચ થવાનું પાકિસ્તાન ચૂંટણી પંચનું અનુમાન છે. જે ગત સામાન્ય ચૂંટણીથી 26 ટકા વધુ છે. જો સુરક્ષા અને અન્ય વ્યવસ્થાઓના ખર્ચને ઉમેરવામાં આવે તો કુલ ખર્ચનું અનુમાન 49 અરબ રૂપિયા સુધી પહોંચી શકે છે. 


અનુમાનથી વધુ ખર્ચ


પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણી (Election in Pakistan) 8મી ફેબ્રુઆરીથી શરૂ થઈ હતી અને આજે તેના પરિણામો આવી રહ્યા છે. સામાન્ય ચૂંટણીઓ માટે પ્રારંભિક બજેટ 42 અબજ રૂપિયા રાખવામાં આવ્યું હતું, જેને તે વર્ષ 2018ની ચૂંટણી કરતાં 26 ટકા વધુ મોંઘું હોવાની સાથે-સાથે પાકિસ્તાનના ઇતિહાસમાં સૌથી મોંઘું બનાવે છે. ચૂંટણીના બજેટમાં સૌથી વધુ ખર્ચ બેલેટ પેપર છાપવા, સુરક્ષા માટે એજન્સીઓની તૈનાતી અને મતદાન સ્ટાફના પેમેન્ટ પાછળ ખર્ચવામાં આવ્યો છે.


પાકિસ્તાન પર કેટલું દેવું છે?


પાકિસ્તાનમાં ચૂંટણી પર જેટલું ખર્ચ કરવામાં આવી રહ્યું છે જેનાથી વધુ તો દેવું છે. પાકિસ્તાનમાં IMF પાસેથી જ 3 બિલિયન ડૉલરની લોન માંગી છે, જેમાંથી તેને 1.9 બિલિયન ડૉલર મળી ચુક્યા છે અને 1.2 બિલિયન ડૉલર બાકી છે. સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાનના જણાવ્યા અનુસાર, 30 જૂન, 2023 સુધી પાકિસ્તાનનું દેવું અને જવાબદારીઓ 56.21 ટ્રિલિયન રૂપિયા હતી, ત્યારબાદ IMFએ 70 કરોડ ડોલરની લોન આપી છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.